અમેરીકાના ઓર્લેન્ડોમાં યોજાયેલી આર્થિક કામગીરી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની પૂર્ણકક્ષાની બેઠકમાં પાકિસ્તાને દર્શાવેલી પ્રતિબધ્ધતાઓના પાલનમાં તેને નિષ્ફળતા મળવા માટે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો અપાયો હતો.
એટલું જ નહી પણ પ્રતિબધ્ધતાઓનું પાલન કરો અથવા ગ્રે લીસ્ટ માંથી વધુ એક શ્રેણી ગૂમાવીને બ્લેક લીસ્ટમાં મુકાવવા તૈયાર રહો તેવી ચેતવણી પણ અપાઇ છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને મનીલોન્ડરીંગ પ્રવૃત્તી રોકવા તથા આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા સી.ટી.એફ. અંગે નક્કર કાર્યવાહી કરવાની પ્રતિબ્ધતા એફ.એ.ટી.એફ.સમક્ષ વ્યક્ત કરી હતી.
જા કે આ ક્ષેત્રે પાકિસ્તાનનો દેખાવ નબળો રહ્યો છે. પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ રોકવા દેખાવ પૂરતા પગલાં લેવા સિવાય પાકિસ્તાને કશું જ કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય તથા મની લોન્ડીરંગની સમસ્યાઓ ડામવા સમયસર, ચોક્કસ લક્ષ્ય સાથે અને અસરકારક રીતે પગલાં લેવાના મુદ્દે એફ.એ.ટી.એફ. એ છેલ્લા ૩૦ વર્ષમાં નોંધપાત્ર શાખ ઉભી કરી છે.
એક તરફ એફ.એ.ટી.એફ.નું દબાણ વધતુ જાય છે. ત્યારે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને મળતી સહાય મુદ્દે કામગીરી કરવામાં થયેલી ભૂલો અને ખામીઓ દૂર કરવાની કામગીરી પાકિસ્તાન માટે મુશ્કેલ બનતી જવાની છે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એફ.એ.ટી.એફ. જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની કડક શબ્દોમાં ટીકા કરી હતી. સંસ્થાઓએ નોંધ લીધી હતી કે ઘણા લોકોની હત્યા કરનાર આતંકવાદી હુમલો એ આતંકવાદના સમર્થકો અને આતંકવાદીઓ વચ્ચે નાણાની સહાય વગર શક્ય નથી.
આ સંસ્થાઓએ એવું પણ નોંધ્યું હતું કે આતંકવાદીઓના સમર્થકો, આતંકવાદ વિરોધી પગલાની વ્યવસ્થામાં રહેલી ત્રુટીઓ શોધતા હોવાથી વિશ્વમાં ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી પગલાં લેવાની બાબત પડકારજનક બનતી જાય છે.
જુન – ૨૦૧૯ ના એફ.એ.ટી.એફ. ના અહેવાલમાં સ્પષ્ટ નોંધ મુકવામાં આવી છે કે મની લોન્ડરીંગ અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાના ક્ષેત્રે પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે.
પાકિસ્તાને એફ.એ.ટી.એફ. સંસ્થા સાથે મળીને આ પડકારોને નાથવા કાર્યયોજના ઘડી કાઢી હોવા છતાં મળેલી નિષ્ફળતા ઘણી ગંભીર ગણાવી શકાય. અહેવાલમાં નોંધ્યુ છે કે પાકિસ્તાને આ બે સમસ્યાઓ ઉકેલવા માટે કેટલાક પ્રમાણમાં પગલાં લીધા છે. છતાં આ સમસ્યાને પૂર્ણ રીતે પાકિસ્તાન ઓળખી શક્યુ નથી.
પાકિસ્તાને તૈયાર કરેલ ૧૦ મુદ્દાની કાર્યયોજના અમલમાં મુકવામાં પાકિસ્તાનને મળેલી નિષ્ફળતા માટે એફ.એ.ટી.એફ. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.
એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જા તે પોતાની પ્રતિબધ્ધતાઓ આગામી ઓક્ટોબર સુધીમાં પૂરી કરશે નહી, તો તેની સામે આગળનું પગલું લેવામાં આવશે.
જા કે, પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની અખબારોએ આ મુદ્દે પાકિસ્તાનના નાગરિકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું છે કે એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. ભારતના વિદેશ મંત્રલાયે આશા વ્યક્ત કરી છે. કે, પાકિસ્તાને એફ.એ.ટી.એફ.ને આપેલ પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા વિશ્વસનીય, ચકાસી શકાય એવા અને સાતત્યપૂર્ણ પગલાં જરૂર લેશે.
પાકિસ્તાન ખુબ જ વિકટ આર્થિક Âસ્થતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે પોતાના કેટલાક મિત્રદેશો, જે એફ.એ.ટી.એફ.ના પણ સભ્ય દેશો છે તેમની સહાનુભૂતિ મેળવવા પાકિસ્તાને પ્રયાસો કર્યા હતા.
જા કે, એફ.એ.ટી.એફ. એ પાકિસ્તાનને કોઇપણ વિકલ્પ આપ્યા વિના આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા તથા મનીલોન્ડરીંગનું દૂષણ ડામવા નક્કર પગલાં લેવાનો માર્ગ જ ખુલ્લો રાખ્યો છે.
એટલું જ નહી પણ પ્રતિબધ્ધતાઓનું પાલન કરો અથવા ગ્રે લીસ્ટ માંથી વધુ એક શ્રેણી ગૂમાવીને બ્લેક લીસ્ટમાં મુકાવવા તૈયાર રહો તેવી ચેતવણી પણ અપાઇ છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને મનીલોન્ડરીંગ પ્રવૃત્તી રોકવા તથા આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા સી.ટી.એફ. અંગે નક્કર કાર્યવાહી કરવાની પ્રતિબ્ધતા એફ.એ.ટી.એફ.સમક્ષ વ્યક્ત કરી હતી.
જા કે આ ક્ષેત્રે પાકિસ્તાનનો દેખાવ નબળો રહ્યો છે. પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ રોકવા દેખાવ પૂરતા પગલાં લેવા સિવાય પાકિસ્તાને કશું જ કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય તથા મની લોન્ડીરંગની સમસ્યાઓ ડામવા સમયસર, ચોક્કસ લક્ષ્ય સાથે અને અસરકારક રીતે પગલાં લેવાના મુદ્દે એફ.એ.ટી.એફ. એ છેલ્લા ૩૦ વર્ષમાં નોંધપાત્ર શાખ ઉભી કરી છે.
એક તરફ એફ.એ.ટી.એફ.નું દબાણ વધતુ જાય છે. ત્યારે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને મળતી સહાય મુદ્દે કામગીરી કરવામાં થયેલી ભૂલો અને ખામીઓ દૂર કરવાની કામગીરી પાકિસ્તાન માટે મુશ્કેલ બનતી જવાની છે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એફ.એ.ટી.એફ. જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની કડક શબ્દોમાં ટીકા કરી હતી. સંસ્થાઓએ નોંધ લીધી હતી કે ઘણા લોકોની હત્યા કરનાર આતંકવાદી હુમલો એ આતંકવાદના સમર્થકો અને આતંકવાદીઓ વચ્ચે નાણાની સહાય વગર શક્ય નથી.
આ સંસ્થાઓએ એવું પણ નોંધ્યું હતું કે આતંકવાદીઓના સમર્થકો, આતંકવાદ વિરોધી પગલાની વ્યવસ્થામાં રહેલી ત્રુટીઓ શોધતા હોવાથી વિશ્વમાં ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી પગલાં લેવાની બાબત પડકારજનક બનતી જાય છે.
જુન – ૨૦૧૯ ના એફ.એ.ટી.એફ. ના અહેવાલમાં સ્પષ્ટ નોંધ મુકવામાં આવી છે કે મની લોન્ડરીંગ અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાના ક્ષેત્રે પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે.
પાકિસ્તાને એફ.એ.ટી.એફ. સંસ્થા સાથે મળીને આ પડકારોને નાથવા કાર્યયોજના ઘડી કાઢી હોવા છતાં મળેલી નિષ્ફળતા ઘણી ગંભીર ગણાવી શકાય. અહેવાલમાં નોંધ્યુ છે કે પાકિસ્તાને આ બે સમસ્યાઓ ઉકેલવા માટે કેટલાક પ્રમાણમાં પગલાં લીધા છે. છતાં આ સમસ્યાને પૂર્ણ રીતે પાકિસ્તાન ઓળખી શક્યુ નથી.
પાકિસ્તાને તૈયાર કરેલ ૧૦ મુદ્દાની કાર્યયોજના અમલમાં મુકવામાં પાકિસ્તાનને મળેલી નિષ્ફળતા માટે એફ.એ.ટી.એફ. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.
એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જા તે પોતાની પ્રતિબધ્ધતાઓ આગામી ઓક્ટોબર સુધીમાં પૂરી કરશે નહી, તો તેની સામે આગળનું પગલું લેવામાં આવશે.
જા કે, પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની અખબારોએ આ મુદ્દે પાકિસ્તાનના નાગરિકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું છે કે એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. ભારતના વિદેશ મંત્રલાયે આશા વ્યક્ત કરી છે. કે, પાકિસ્તાને એફ.એ.ટી.એફ.ને આપેલ પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા વિશ્વસનીય, ચકાસી શકાય એવા અને સાતત્યપૂર્ણ પગલાં જરૂર લેશે.
પાકિસ્તાન ખુબ જ વિકટ આર્થિક Âસ્થતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે પોતાના કેટલાક મિત્રદેશો, જે એફ.એ.ટી.એફ.ના પણ સભ્ય દેશો છે તેમની સહાનુભૂતિ મેળવવા પાકિસ્તાને પ્રયાસો કર્યા હતા.
જા કે, એફ.એ.ટી.એફ. એ પાકિસ્તાનને કોઇપણ વિકલ્પ આપ્યા વિના આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા તથા મનીલોન્ડરીંગનું દૂષણ ડામવા નક્કર પગલાં લેવાનો માર્ગ જ ખુલ્લો રાખ્યો છે.
લેખક ઃ ડા. અશોક બેહુરીયા , આઇ.ડી.એસ.એ.ના દક્ષિણ એશિયા કેન્દ્રના સંકલનકાર
Comments
Post a Comment