Skip to main content

એફ.એ.ટી.એફ.માં પાકિસ્તાનની બદનામીનો ચાલુ રહેલો દોર – અંગે સમીક્ષા

અમેરીકાના ઓર્લેન્ડોમાં યોજાયેલી આર્થિક કામગીરી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની પૂર્ણકક્ષાની બેઠકમાં પાકિસ્તાને દર્શાવેલી પ્રતિબધ્ધતાઓના પાલનમાં તેને નિષ્ફળતા મળવા માટે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો અપાયો હતો.

એટલું જ નહી પણ પ્રતિબધ્ધતાઓનું પાલન કરો અથવા ગ્રે લીસ્ટ માંથી વધુ એક શ્રેણી ગૂમાવીને બ્લેક લીસ્ટમાં મુકાવવા તૈયાર રહો તેવી ચેતવણી પણ અપાઇ છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને મનીલોન્ડરીંગ પ્રવૃત્તી રોકવા તથા આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા સી.ટી.એફ. અંગે નક્કર કાર્યવાહી કરવાની પ્રતિબ્ધતા એફ.એ.ટી.એફ.સમક્ષ વ્યક્ત કરી હતી.

જા કે આ ક્ષેત્રે પાકિસ્તાનનો દેખાવ નબળો રહ્યો છે. પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ રોકવા દેખાવ પૂરતા પગલાં લેવા સિવાય પાકિસ્તાને કશું જ કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય તથા મની લોન્ડીરંગની સમસ્યાઓ ડામવા સમયસર, ચોક્કસ લક્ષ્ય સાથે અને અસરકારક રીતે પગલાં લેવાના મુદ્દે એફ.એ.ટી.એફ. એ છેલ્લા ૩૦ વર્ષમાં નોંધપાત્ર શાખ ઉભી કરી છે.

એક તરફ એફ.એ.ટી.એફ.નું દબાણ વધતુ જાય છે. ત્યારે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને મળતી સહાય મુદ્દે કામગીરી કરવામાં થયેલી ભૂલો અને ખામીઓ દૂર કરવાની કામગીરી પાકિસ્તાન માટે મુશ્કેલ બનતી જવાની છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એફ.એ.ટી.એફ. જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની કડક શબ્દોમાં ટીકા કરી હતી. સંસ્થાઓએ નોંધ લીધી હતી કે ઘણા લોકોની હત્યા કરનાર આતંકવાદી હુમલો એ આતંકવાદના સમર્થકો અને આતંકવાદીઓ વચ્ચે નાણાની સહાય વગર શક્ય નથી.

આ સંસ્થાઓએ એવું પણ નોંધ્યું હતું કે આતંકવાદીઓના સમર્થકો, આતંકવાદ વિરોધી પગલાની વ્યવસ્થામાં રહેલી ત્રુટીઓ શોધતા હોવાથી વિશ્વમાં ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી પગલાં લેવાની બાબત પડકારજનક બનતી જાય છે.

જુન – ૨૦૧૯ ના એફ.એ.ટી.એફ. ના અહેવાલમાં સ્પષ્ટ નોંધ મુકવામાં આવી છે કે મની લોન્ડરીંગ અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાના ક્ષેત્રે પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે.

પાકિસ્તાને એફ.એ.ટી.એફ. સંસ્થા સાથે મળીને આ પડકારોને નાથવા કાર્યયોજના ઘડી કાઢી હોવા છતાં મળેલી નિષ્ફળતા ઘણી ગંભીર ગણાવી શકાય. અહેવાલમાં નોંધ્યુ છે કે પાકિસ્તાને આ બે સમસ્યાઓ ઉકેલવા માટે કેટલાક પ્રમાણમાં પગલાં લીધા છે. છતાં આ સમસ્યાને પૂર્ણ રીતે પાકિસ્તાન ઓળખી શક્યુ નથી.

પાકિસ્તાને તૈયાર કરેલ ૧૦ મુદ્દાની કાર્યયોજના અમલમાં મુકવામાં પાકિસ્તાનને મળેલી નિષ્ફળતા માટે એફ.એ.ટી.એફ. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.

એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જા તે પોતાની પ્રતિબધ્ધતાઓ આગામી ઓક્ટોબર સુધીમાં પૂરી કરશે નહી, તો તેની સામે આગળનું પગલું લેવામાં આવશે.

જા કે, પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની અખબારોએ આ મુદ્દે પાકિસ્તાનના નાગરિકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું છે કે એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. ભારતના વિદેશ મંત્રલાયે આશા વ્યક્ત કરી છે. કે, પાકિસ્તાને એફ.એ.ટી.એફ.ને આપેલ પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા વિશ્વસનીય, ચકાસી શકાય એવા અને સાતત્યપૂર્ણ પગલાં જરૂર લેશે.

પાકિસ્તાન ખુબ જ વિકટ આર્થિક Âસ્થતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે પોતાના કેટલાક મિત્રદેશો, જે એફ.એ.ટી.એફ.ના પણ સભ્ય દેશો છે તેમની સહાનુભૂતિ મેળવવા પાકિસ્તાને પ્રયાસો કર્યા હતા.

જા કે, એફ.એ.ટી.એફ. એ પાકિસ્તાનને કોઇપણ વિકલ્પ આપ્યા વિના આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા તથા મનીલોન્ડરીંગનું દૂષણ ડામવા નક્કર પગલાં લેવાનો માર્ગ જ ખુલ્લો રાખ્યો છે.


લેખક ઃ ડા. અશોક બેહુરીયા , આઇ.ડી.એસ.એ.ના દક્ષિણ એશિયા કેન્દ્રના સંકલનકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...