રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભાજપના વડપણ હેઠળની એન.ડી.એ. સરકાર ભારતના નાગરિકોની આશા – આકાંક્ષાઓ મુજબના મજબૂત, સલામત, સમૃદ્ધ તથા સર્વસમાવેશક ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે, ભારતના વિકાસ પ્રગતિનું ચાલકબળ છે – સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધતાં વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશના નાગરિકોનું જીવનધોરણ સુધારવા પ્રતિબદ્ધ છે.
આ હેતુથી સરકાર તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે, તથા ગેર વહિવટના બદલે સારા વહિવટ દ્વારા તેમનું દુઃખ દૂર કરશે. દેશના નાગરિકોએ સરકારના પ્રથમ કાર્યકાળની કામગીરી જાયા પછી, બીજી મુદ્દતમાં તેમને મજબૂત સમર્થન પૂરૂં પાડ્યું છે.
આ વખતની લોકસભામાં અડધો અડધ સાંસદો પ્રથમવાર ચૂંટાયા છે, જ્યારે મહિલા સાંસદો પણ મોટી સંખ્યામાં ચૂંટાઈ છે. શ્રી ગોવિંદે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકારે મહિલાઓના સશÂક્તકરણને પણ ટોચની અગ્રતા આપી છે. ગ્રામીણ વિસ્તારના લોકો અસરકારક રીતે સમાજમાં તથા આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય, તે વિકસીત દેશના દરજ્જા માટે જરૂરી છે.
સરકારની મહત્વની પહેલો અંગે બોલતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કિસાન સન્માન નીધી યોજના હેઠળ દેશના દરેક ખેડૂતને આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.
ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે પગલાં લેવાયા છે. એવી જ રીતે નાના દુકાનદારો તથા છૂટક વેચાણકર્તાઓ માટે શરૂ કરાયેલી પેન્શન યોજનાની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી.
તેમણે બધા જ સાંસદોને એક રાષ્ટ્ર – એક ચૂંટણી દરખાસ્ત અંગે વિચારવા અનુરોધ કર્યો હતો. શ્રી કોવિંદે દેશની દરેક પુત્રી તથા બહેનને સમાનતાનો અધિકારી આપવા માટે ત્રિપલ તલાક તથા નિકાહ – હલાબા જેવી પ્રથાઓ નાબૂદ કરવા આહવાન કર્યું હતું.
એવી જ રીતે બજેટ સત્રના આરંભે સાંસદોને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષોને તેમની સંખ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરવા તેમજ દેશ હિતને ધ્યાનમાં લઈને તથા લોક કલ્યાણને કેન્દ્રમાં રાખીને ગૃહમાં દરેક મુદ્દાઓ અંગે તટસ્થ અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સક્રિય અને અસરકારક વિપક્ષ લોકશાહી વ્યવસ્થા માટે જરૂરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિપક્ષનો દરેક શબ્દ ખૂબ જ કિંમતી હશે.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ધણી રીતે આગવી ગણાવી શકાય. કારણ કે આઝાદી મળ્યા બાદ થયેલી ચૂંટણીઓની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. એવી જ રીતે મહિલા મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી.
પ્રધાનમંત્રીએ સંસદમાં પ્રથમવાર ચૂંટાયેલા નવા સાંસદોને આવકારતાં કહ્યું હુતં કે, તેમની સાથે નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ મળવાની સાથે સાથે દેશ સેવા મોટીની નવી પ્રતિબદ્ધતા પણ જાવા મળશે.
બજેટ સત્રના પ્રારંભે લોકસભાના કાર્યકારી અધ્યક્ષ વિરેન્દ્ર કુમારે નવા સાંસદોને શપથ લેવડાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ શપથ લીધા હતા.
બુધવારે લોકસભાએ સર્વસંમતીથી ભાજપના બીજી મુદ્દત માટે ચૂંટાયેલા સાંસદ ઓમ બીરલાને ૧૭મી લોકસભાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા.
શ્રી ઓમ બીરલા રાજસ્થાનની કોટા-બુંદી લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બીરલાનું નામ સુચવ્યું હતું, જેને શ્રી અમીત શાહ, શ્રી રાજનાથસિંહ તથા શ્રી નીતિન ગડકરીએ સમર્થન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઓમ બીરલાએ ગુજરાત તથા ઉત્તરાખંડમાં ધરતીકંપની આપત્તી વખતે કરેલી સેવાની કામગીરીનો ઉલ્લેખ કરી તેમની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ બધા જ સાંસદોએ શ્રી બીરલાને અભિનંદન આપ્યા હતા.
સન્માનનો પ્રતિભાવ આપતા શ્રી બીરલાએ તેમની જવાબદારી પૂરી નીષ્ઠાથી નીભાવવાની ખાતરી આપી હતી તથા ગૃહની કામગીરી સરળતાથી ચલાવવા બધા જ સભ્યોનો સહકાર માગ્યો હતો.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ તેમના મંત્રીમંડળના સભ્યોનો ગૃહના સભ્યોને પરિચય આપ્યો હતો.
લેખકઃ વી. મોહન રાવ, પત્રકાર
Comments
Post a Comment