Skip to main content

અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણમાં ભારતની મહત્વની ભૂમિકા અંગે સમીક્ષા

તાલિબાનની દોહા ખાતેની રાજકીય કચેરીના વડા મુલ્લા અબ્દુલ ઘની બરદારના વડપણ હેઠળના પ્રતિનિધી મંડળે. અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં હવે પછી ચર્ચા કેવી રીતે આગળ વધારવી તે અંગે વાતચીત કરવા પાકિસ્તાનની મુલાકાત લીધી છે.

છેલ્લા 10 મહિનામાં મુલ્લા બરદારની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. અગાઉ ઓક્ટોબર 2019માં તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2019ની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો અમેરીકન સૈનિકો ઉપર હુમલા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને અફઘાન શાંતિ પ્રક્રિયા અધવચ્ચે રોકી હતી. 

ઇસ્લામાબાદમાં યોજાયેલી વાતચીતમાં પાકિસ્તાનની કુખ્યાત આઈ.એસ.આઈ.ના વડા લેફટનંન્ટ જનરલ ફૈઝ હમીદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રશિયાએ વર્ષ 1980માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈ.એસ.આઈ. અફઘાનના તાલિબાનો સાથે સારો સંબંધ ધરાવે છે. તાલિબાનોને શાંતિ પ્રક્રિયામાં જોડવામાં તથા અમેરિકા સાથે ગત ફેબ્રુઆરી માસમાં સમજૂતી કરવામાં આઈ.એસ.આઈ.એ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

તાલિબાનો અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકારને માન્યતા આપતા નથી. તેઓ વર્તમાન અફઘાન સરકારને પશ્ચિમી દેશોનો પ્રભાવ ધરાવતી સરકાર માને છે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપનાર 88 જૂથોની યાદીમાં અફઘાન ત્રાસવાદી જૂથને સામેલ કર્યું હતું. તેના બીજા દિવસે ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધી મંડળ શાંતિ પ્રક્રિયા અંગે વાતચીત કરવા આવ્યું હતું. એ જાણીતી બાબત છે કે, પાકિસ્તાન તાલિબાનો ઉપર નિયંત્રણ રાખી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો સ્થપાયેલા છે. અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ અને પુનઃવસન કાર્યમાં ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. 

ભારત માને છે કે, લોકશાહી અને વિકાસ આ બે બાબતોના લીધે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી થશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ હમીદ કરઝાઇએ ઓક્ટોબર 2011માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બંને દેશોના સંબંધો મજબૂત બનાવતી સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે રાજકીય આર્થિક સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. 

વર્ષ 2003થી અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ કામગીરીમાં ભારત સંડોવાયેલું છે. અત્યારસુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં બંધ, માર્ગો, હોસ્પિટલો જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવા બે અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ સાથે મળીને હારી નદી ઉપર બંધાયેલા સલમા બંધનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બંધ અફઘાનિસ્તાનમાં 75 હજાર હેકટર જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

આ ઉપરાંત બંધ ખાતે 42 મેગાવોટ વિજ ઉત્પાદન કરતાં એકમો પણ ગોઠવવામાં આવ્યા છે. ભારતે અફઘાન નાગરિકોના શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. 

ભારત અફઘાનિસ્તાનમાં થઇ રહેલી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભારતે અમેરિકા અને તાલિબાનો વચ્ચે સધાયેલી સમજૂતીને આવકારી છે. ભારત અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને માન્યતા આપે છે અને તાલિબાનો અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક માળખું ગોઠવાય એવી ઇચ્છા ધરાવે છે. 

કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં પણ ભારતે અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓનો જથ્થો પૂરો પાડયો હતો. સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની બિમારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાન કોરોના ઉપરાંત શાંતિની સ્થાપના માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ઘણા અફઘાન નાગરિકો શાંતિ પ્રક્રિયાને તાલિબાનો સાથે દાયકાઓ જૂના સંઘર્ષને નાબુદ કરવાનો શ્રેષ્ઠ ઉપાય ગણાવે છે. 

અફઘાનિસ્તાનમાંથી અમેરીકી દળો પાછા ખેંચાયા બાદ અફઘાનિસ્તાનમાં વિવિધ જૂથો શાંતિની જાળવણી પ્રત્યે કેટલા સમર્પિત છે તેનો વાસ્તવિક માહિતી મળી શકશે.




શ્રીરંગ, નવીન


લેખિકા – વ્યૂહાત્મક વિશ્લેષક ડો. સ્મિતા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...