પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં વિયેતનામની મુલાકાત લીધી ત્યારપછી ભારત અને વિયેતનામના દ્વિપક્ષી સંબંધો સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીવાળા બન્યા છે. આ બાબત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે ભારત – પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે.
ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં અપનાવાયેલ આક્રમક વલણને ધ્યાનમાં લેતાં ભારત વિયેતનામ વચ્ચેના સંબંધો આગવું મહત્વ ધારણ કરે છે. હવેથી ભારત અને વિયેતનામના જુદા જુદા આગેવાનો વચ્ચે નિયમિત સમયે સંવાદ થતો રહેશે. તાજેતરમાં ભારત – વિયેતનામ સંયુક્ત પંચની બેઠક વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ જેમાં વેપાર, આર્થિક અને વૈજ્ઞાનિક સહકાર વધારવા ઉપર ભાર મુકાયો હતો. વિદેશમંત્રી એસ.જયશંકર અને વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી ખામ બીન મિન્હે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત વિયેતનામ વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરમાં થયેલ ઘટના ક્રમની સમીક્ષા કરવામાં આવી હતી.
બંને પક્ષો આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે નવા સંબંધો મજબૂત બનાવવા સંમત થયા હતા. આ ઉપરાંત બંને પક્ષોએ નાગરિક ક્ષેત્રે પરમાણુ ઉર્જા, અવકાશ, નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. બંને પ્રતિનિધિ મંડળે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો ખાસ કરીને કોવિડ રોગચાળાના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી..
ભારત પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ભારતને વધુ મજબૂત બનાવવા તથા માનવ કેન્દ્રી વૈશ્વિકકરણના સિદ્ધાંતથી પોતાનું અર્થતંત્ર ગતિશિલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે ધ્યાનમાં લઈને શ્રી જયશંકરે વિયેતનામને ભારતને નવી શક્તિ અને માંગણીને ધ્યાનમાં લેવા અનુરોધ કર્યો હતો.
ભારત અને વિયેતનામ ઘણા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સમાન વિચારો ધરાવે છે. બંને દેશોએ રાષ્ટ્રસંઘ, આશિયાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર સહકાર અને સંકલન વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વિદેશમંત્રી જયશંકરે આ વર્ષે આસિયાનના અધ્યક્ષ પદે વિયેતનામના દાવાને સમર્થન આપ્યું હતું. અને વિયેતનામે અપનાવેલા સકારાત્મક નેતૃત્વના અભિગમને બિરદાવ્યો હતો.
આ બેઠક પહેલા વિયેતનામના ભારત ખાતેના રાજદૂતે ભારતના વિદેશ સચિવને મળીને ચીને સૈનિકોની સંખ્યા વધારતાં દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં વધેલા તણાવની માહિતી આપી હતી. વિયેતનામના ભારત ખાતેના રાજદૂતે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તાર તથા વિયેતનામના દરિયાઇ ક્ષેત્રમાં ભારતના ઓએનજીસી – વિદેશ દ્વારા હાથ ધરાયેલ ખનીજ તેલના શાર કામગીરીમાં થયેલી પ્રગતિની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ દરિયાઇ સંપત્તિ પ્રાપ્ત કરવી તથા જહાજ ચલાવવા મુદ્દે સ્વાતંત્ર્ય અને સરળતાની તરફેણ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લીધી ત્યારે ભારતે વિયેતનામને ઝડપી ગતિ ધરાવતી પેટ્રોલિંગ નૌકાઓ આપી હતી. આ બનાવના પગલે ભારત અને વિયેતનામના નૌકાદળ વચ્ચેનો સહકાર મજબૂત બન્યો છે. ભારત વિયેતનામના પ્રાદેશિક સાર્વભૌમત્વ અને સંરક્ષણને જાળવવા પ્રતિબંધ છે.
વિયેતનામ અને તેના નાગરીકોએ કરેલા વિરતા પુર્વકના સંઘર્ષ અંગે ભારતીય લોકો સન્માનની લાગણી ધરાવે છે. વિયેતનામના નેતાઓ હો ચી મિન્હ અને જનરલ વો નગુએન જીએપ આ ભારતના લોકોમાં જાણીતા નામો છે. બંને દેશો વચ્ચેના ઐતિહાસીક અને સાંસ્કૃતિક સંબંધોએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવુ બળ આપ્યું છે.
શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર
લેખિકા વ્યૂહાત્મક વિષ્લેષક ડો. રૂપા નાયરણ દાસ
Comments
Post a Comment