Skip to main content

સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થતાં ભારત અંગે સમીક્ષા



ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રો નિકાસ કરતાં દેશોની હરોળમાં સ્થાન લેવાના ઇરાદા સાથે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વર્ષ 2025 સુધીમાં ભારતથી સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં સ્વદેશી ઉત્પાદનનું પ્રમાણ વધારીને 25 અબજ અમેરિકી ડોલર કરવાની નેમ વ્યક્ત કરાઈ છે.

ભારત સંરક્ષણ ક્ષેત્રની આયાત કરનાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકનો દેશ છે. નવી સંરક્ષણ નીતિમાં સ્વદેશી ઉત્પાદન વધારીને ભારતની આયાત ઘટાડીને તેને વિશ્વમાં પાંચમા ક્રમાંકનો આયાતકર્તા દેશ બનાવવાની નેમ રખાઈ છે.

સંરક્ષણ મંત્રાલયે નવી સંરક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે અને લગતાવળગતાઓને આ અંગે સૂચનો મોકલવાની અપીલ કરી છે. સંબંધિતોએ આગામી ત્રણ સપ્તાહમાં સૂચનો મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા 49 ટકા હતી તે તાજેતરમાં વધારીને 74 ટકા કરી છે. આ પાર્શ્વ ભૂમિમાં ભારત સરકારે જાહેર કરેલો સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધારણ કરે છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર સંરક્ષણ ક્ષેત્રની ખરીદી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરના અદ્યતન શસ્ત્રો ઉપર ધ્યાન આપવાની સાથે સાથે ઘરઆંગણે સ્વદેશી ટેકનોલોજી વડે શસ્ત્રો ઉત્પાદન ઉપર પણ ભાર મૂકશે. ભારતે સલામતી દળોને અદ્યતન શસ્ત્રો વડે વધુ ક્ષમતા આપવાનો નિર્ણય લીધો છે જેના ભાગરૂપે ફ્રાન્સ પાસેથી અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ યુધ્ધ વિમાનો મેળવવામાં આવ્યા છે.

ભારત નવી સંરક્ષણ નીતિની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે એરોસ્પેસ અને નૌકાદળના શસ્ત્રો બાબતે સ્પર્ધાત્મકતા કેળવવા ઇચ્છે છે. સંરક્ષણ નીતિના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આ ક્ષેત્રની નીતિનો મુસદ્દો સ્થાનિક સ્તરેથી કરાતી ખરીદીમાં સુધારો લાવવાની ખાતરી આપે છે. નવી નીતિના મુસદ્દામાં સ્ટાર્ટઅપ, નાના અને મધ્યમ ઉદ્યોગો ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે બાબત આવકારદાયક છે.

ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્ર મુક્ત કરવાનો નિર્ણય પણ ભારતમાં અદ્યતન શસ્ત્રો અને ઉપકરણો બનાવવાની કામગીરીને નવો વેગ આપશે. સરકારે તેની નીતિમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને કોર્પોરેટાઇઝ કરવાની નેમ વ્યક્ત કરી છે. આને લીધે વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે થોડાક સમય પહેલાં જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ પણ મેક ઇન ઇન્ડિયા બાબત ઉપર ભાર મૂકે છે.

આ પેકેજમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે ઘણી નાણાંકીય રાહતોની જાહેરાત કરાઈ છે. આથી જ વર્ષ 2025 સુધીમાં 25 અબજ અમેરિકી ડોલરના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વના એવા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને મહત્વ અપાયું છે.

આ ક્ષેત્ર દેશમાં રોજગારીની વધુ તકો અપાવતું ક્ષેત્ર છે. ટૂંકમાં નવી સંરક્ષણ નીતિ રોજગારની નવી તકો સર્જવાની સાથે સાથે ભારતીય અર્થતંત્રને નવો વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે, મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશે તાજેતરમાં ઘણાં ક્ષેત્રોમાં ખાસ કરીને વિજાણું ક્ષેત્રમાં સારા પરિણામો દર્શાવ્યા છે. સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2017-2018 માં ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ ચાર હજાર, 682 કરોડ રૂપિયા હતી તે વધીને 2018-2019માં 10 હજાર, 745 કરોડ રૂપિયાની થઈ છે. આ બાબત ધ્યાનમાં લેતાં સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધરાણ કરે છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...