Skip to main content

પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન બાબતે જાહેર કરેલું ભાવિ આયોજન અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અંગેની વિડિયો કોન્ફરન્સને સંબોધી હતી, ભારતીય સંરક્ષણ ઉત્પાદકોની સોસાયટી અને ફિક્કી દ્વારા સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, સંરક્ષણ ક્ષેત્રેના સાધનો બાબતે દેશને આત્મનિર્ભર બનાવવાનું મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્રના સહકારથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવું અને આ ક્ષેત્રે નવી ટેક્નોલોજીનો ઉપયગો કરવો જરૂરી છે,

સંરક્ષણમંત્રી રાજનાથ સિહં અને તેમની ટીમના બધા જ સભ્યોએ સતત કરેલા પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રોના ઘરઆંગણે ઉત્પાદનને ટૂંક સમયમાં વેગ મળશે.

ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણી પાસે શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધવાની તક હતી, પણ આ દિશામાં ગંભીર પ્રયાસો થયા નથી, તેમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે.

શ્રી મોદીએ તેમની સરકાર દ્વારા શસ્ત્ર નિકાસની પ્રક્રિયા સરળ બનાવવી, લાયસન્સની પ્રક્રિયા સરળ બનાવવી જેવા કરાયેલા સુધારોની વિગતો આપી હતી, તેમણે કહ્યું કે આત્મનિર્ભર અને નવા ભારતના નિર્માણ માટે સંરક્ષણક્ષેત્રે વિશ્વાસનું વાતાવરણ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે દાયકાઓથી પડતર એવો ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નીમણૂકનો નિર્ણય લેવાયો છે. આના પરિણામે સેનાની ત્રણેય પાંખની કામગીરીમાં સંકલન ઝડપથી સધાશે. એવી જ રીતે શસ્ત્રોની ખરીદીમાં પણ નવું બળ મળશે. સંરક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણનું પ્રમાણ 74 ટકા સુધી વધારવામાં આવ્યું છે. આ બાબત નવા ભારતનો પરિચય આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંરક્ષણ વિભાગના બજેટના નોંધપાત્ર હિસ્સાને સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવેલા શસ્ત્રો અને ઉપકરણો ખરીદવા માટે ફાળવવામાં આવ્યોં છે. સરકાર શસ્ત્ર ખરીદીની પ્રક્રિયા અને તેની ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી ચાલી રહી છે, ઓર્ડિનન્સ ફેકટરીઓનું કોર્પોરેટાઈઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને તે પૂણ થતા સંરક્ષણક્ષેત્ર અને કર્મચારીઓ માટે ઉપયોગી નિવળશે.

આધુનિક ઉપકરણોમાં સ્વનિર્ભરતા માટે ટેક્નોલોજીના અપ-ગ્રેડશનની જરૂરીયાત પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર DRDOની સાથે ખાનગી અને શૈક્ષણિક સંસ્થાનાઓમાં પણ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ વિદેશી ભાગીદારો સાથે સંયુક્ત સાહસો દ્વારા સહ-ઉત્પાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુધારા, કામગીરી અને પરીવર્તન – મંત્ર પર સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે, બૌદ્ધિક સંપત્તિ, કરમાળખા, અવકાશ અને પરમાણુ ઉર્જા અને નાદારી ક્ષેત્રે સુધારા કરાઈ રહ્યા છે.

માળખાકીય પહેલો વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ અને તામીલનાડુમાં બે સંરક્ષણ કોરીડોર બની રહ્યા છે. તેમણે કહ્યું કે, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ સરકાર સાથે મળીને 20 હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં આ યોજના પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે.

શ્રી મોદીએ નોંધ્યું કે, MSME અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલ IDEX પહેલના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. આ મંચના માધ્યમથી 50 સ્ટાર્ટઅપે લશ્કર માટે ટેકનોલોજી તથા ઉત્પાદનો વિકસાવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રને વધુ સ્થિતીસ્થાપક, સ્થિર બનાવવા તથા વિશ્વ શાંતિ માટે સક્ષમ ભારતના નિર્માણનો ધ્યેય છે અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પાછળ આ જ વિચાર છે. ભારત કેટલાક મિત્ર દેશો માટે વિશ્વસનીય સંરક્ષણ ઉત્પાદક બનવાની ક્ષમતા ધરાવે છે.

આનાથી હિંદ મહાસાગર ક્ષેત્રે ભારતની વ્યુહાત્મક સહભાગીતા અને સુરક્ષા આપનાર તરીકેની ભૂમિકા મજબૂત બનશે.

તેમણે કહ્યું કે, સંરક્ષણ ઉત્પાદનો અને નિકાસ પ્રોત્સાહન નીતિના મુસદ્દા અંગે મળેલા પ્રતિભાવો અને સૂચનાઓથી નવી નીતીના ઝડપી અમલીકરણમાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, આપણા સૌના સહિયારા પ્રયાસો દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મદદ મળશે.



શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

લેખક- આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદ્મસિંહ


Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...