Skip to main content

અમેરીકાને રાષ્ટ્રપ્રમુખને 2020માં યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો એ અંગે સમીક્ષા

કોરના રાગચાળાના કારાણે સમગ્ર વિશ્વમાં 200 દેશોમાં રહેલા લોકોના સામાજીક અને આર્થિક જીવન ઉપર સૌથી વધુ અસર થઈ છે. નોંધપાત્ર રીતે આ પરિસ્થિતિની લોકશાહી દેશોમાં રાજકીય ગતિવિધિ ઉપર પણ અસર થઈ છે, લોકશાહી વ્યવસ્થામાં સમયાંતરે ચૂંટણી યોજાતી હોય છે, અને આ ચૂંટણી વહિવટી વ્યવસ્થા માટે જરૂરી હોય છે, વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી અને સમુદ્ધ લોકશાહી ધરાવતા અમરેકામાં પણ કોરોનાના લીધે રાજકીય પ્રવૃતિમાં અવરોધ ઉભો થયો છે,

દર ચોથા વર્ષે અમેરીકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન થાય છે, ક્યાંરેક વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીજી મુદ્દત માટે પણ ચૂંટાય છે, કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં હાલમાં અમેરીકામાં મુખ્ય ચર્ચા થાય છે કે શું આ વર્ષે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી સરળતાથી યોજાશે ખરી તેમજ શું ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદ્દત માટે રાષ્ટ્રપ્રમુખ ચૂંટાશે ખરા ?

આગામી 3જી નવેમ્બરે અમેરીકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમેધીમે સરળ બની રહી છે, કોરોનાના લીધે પહેલા લૉકડાઉન અને પછી તબક્કાવાર અનલોકની હાથધરાયેલી પ્રક્રિયાના કારણે લોકોમાં હજી પણ કોરોનાના ચેપનો ભય ઉભો છે, આથી અમેરીકામાં મોટી સંખ્યમાં લોકોને એક્ઠા કરીને ચૂંટણી બેઠક યોજવી અથવા ચૂંટણી રેલી યોજવીએ મુશ્કેલ બાબત છે, 

અમરેકાના રાષ્ટ્રપ્રમુખ પદ માટે ઉમેદવાર નોમીનેટ કરવા પહેલા પ્રાથમિક ચૂંટણી અને કૉક્સ યોજવા અનિવાર્ય બાબત છે, સમગ્ર રાષ્ટ્રમાં યોજાયેલા ડેમોક્રેટીક અને રીપબ્લિકન પક્ષના સંમેલનોના અંતે ડેમોક્રેટીક પક્ષના જો.બીડેન રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર નક્કી થયા છે, જ્યારે રીપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ પ્રમુખ નિશ્ચિત છે, એવી રીતે ડેમોક્રેટીક પક્ષના ઉપરાષ્ટ્રપ્રમુખના પદના ઉમેદવાર તરીકે કમલા હેરીસને નોમીનેટ કરાયા છે, 

હાલમાં જોઈએ તો અમેરીકા કોરોનાથી સૌથી વધુ અસર ગ્રસત દેશ છે, કોરોના સામેની લડતની વર્તમાન સરકારની પધ્ધતિના કારણે ઘણા લોકોમાં રોશ ની લાગણી ઉભી થઈ છે, અમેરીકાનો આર્થિક વિકાસ દર ઘટયો છે, અમેરીકાની આરોગ્ય સંભાળ વ્યવસ્થા અપૂરતી હોવાનું જણાયુ છે, કોરોના સામેની લડતમાં વહીવટીતંત્ર નબળુ પુરવાર થયુ છે. અમરીકાના સમાજના દરેક ક્ષેત્રે રંગભેદનો મુદ્દો ઉભો થયો છે, આના કારાણે અમેરીકાના વર્તમાન શાશકો ચિંતામાં મૂકાયા છે, અમેરીકાના વિપક્ષે વર્તમાન સરકારની ઈમીગ્રેશન નીતી, પર્યાવરણીય નીતી, અને કોરોના સંકટનો સામનો કરવાના મુદ્દે કડક શબ્દોમાં ટીકા કરી છે, વિપક્ષના ઉમેદવાર જો.બીડેન ઓપીનીયન પોલમાં આગાળ ચાલી રહ્યા છે, અમેરીકાની રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીયો દર વખતે કોણ રાષ્ટ્રપ્રમુખ બનશે અને નવા રાષ્ટ્ર પ્રમુખની નીતી ભારત તરફી હશે કે કેમ એ મુદ્દે સઘન ચર્ચા કરે છે,

અત્યાર સુધીનો ઈતિહાસ જોતા અમેરીકાના બે રાજકીય પક્ષો ભારત તરફી કોઈ જક્કી વલણ અપનાવતા નથી, એટલુ જ નહી, આ વખતે સેનેટર કમલા હેરીસ ઉપરાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર નક્કી થયા છે, તેઓ મુળ ભારતીય છે, આથી આ વખતની અમેરીકાની ચૂંટણીમાં ભારતીયોને ખાસ્સો રસ ઉભો થયો છે,

ભારત સાથે વ્યુહાત્મક ભાગીદારી જાળવી રાખવાની તરફેણમાં અમેરીકામાં મોટા જન મત ઉભો થયો છે, અમેરીકામાં જાન્યુઆરી 2021માં નવા રાષ્ટ્રપ્રમુખ આવશે તો પણ ભારત અમેરીકા સંબધો ઉપર ખાસ અસર થશે નહી, રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટમીમાં હાલમાં અમેરીકામાં યોજાઈ રહેલા ચર્ચા સત્રોમાં શ્રી ટ્રમ્પ અને શ્રી બીડેન તેઓ અમેરીકા સાથે કેવું કડક વલણ અપનાવશે તે અંગે વાત કરીને અમેરીકાનો લોકમત પોતના પક્ષે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,





લેખક – જે.એન.યુના રેકટર પ્રોફેસર.ચીંતામણી મહાપાત્ર

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...