ભારતના ઉત્તર દિશાએ આવેલ કાશ્મીરમાં વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો સદીઓથી એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવતાં શ્રેષ્ઠ સહ અસ્થિત્વનો પરિચય આપી રહ્યા છે. કાશ્મીરીયત તરીકે જાણીતી વિચારધારામાં હિન્દુત્વ, બૌદ્ધ અને ઇસ્લામ તત્વ જ્ઞાનનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે. આ તત્વ જ્ઞાનનું મુખ્ય તત્વ છે સુમેળ સાથે અને ભાઈચારાની ભાવના સાથે જીવો.
14મી સદીમાં ઇસ્લામના કાશ્મીરના ઉદય પહેલાં કાશ્મીરના જનજીવન ઉપર હિન્દુત્વ અને બૌદ્ધ વિચારધારાનો પ્રભાવ જોવા મળતો હતો પણ ત્યારપછી ઇસ્લામનો પ્રભાવ વધ્યો. ત્રણ ધર્મની આ વિચારધારા એક રીતે જોઈએ તો એકબીજાને પુરક છે. આથી જ કાશ્મીરમાં હિન્દુ આધ્યાત્મ વાદની સાથે સાથે ઇસ્લામના સુફી ચળવળનો પ્રભાવ પણ જોવા મળે છે.
લાલદેડ તરીકે જાણીતા કવયત્રી લાલેશ્વરી તેમની કવિતાઓ દ્વારા આધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમની રચનાઓએ ઇસ્લામના ઉદય પહેલાના અને પછીના સમયગાળામાં સેતુ રૂપ કામ કર્યું છે. આ કામગીરી નુન્દરેસી તરીકે જાણીતા શેખ નુર ઉદ દીન નુરાનીએ સંભાળી હતી. કાશ્મીરના જનજીવનમાં વિવિધ વિચારધારાઓનો સુમેળ જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સંપૂર્ણ કોમી એખલાસ સાથે જીવી રહ્યા છે. સમગ્ર કાશ્મીર ખીણ વિસ્તારમાં વિવિધ ધર્મોના આવેલા ધર્મસ્થાનો આ બાબત પૂરવાર કરે છે. જોકે, તાજેતરમાં પોતાની અયોગ્ય વિચારધારાને વાસ્તવિકતામાં લાવવા માટે ઉગ્રવાદી જૂથોએ કાશ્મીરના આ બીનસાંપ્રદાયિક સામાજિક જીવન ઉપર પ્રહારો કર્યા છે.
ભૂતકાળમાં પણ જૂદા જુદા સાસકો દ્વારા સુમૂળ ભર્યા સમાજ જીવનને હાની પહોંચાડવાના પ્રયાસો થયા છે. સિકંદર નામના શાસકે ઘણા મંદિરોનો નાશ કર્યો હતો અને બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. ત્યારપછીના શાસક બુદશાહે સિકંદરના આતંકથી ખીણ છોડી ગયેલા કાશ્મીરી પંડીતોને તેમનું પુનઃવસન કર્યું હતું. પણ આવા પ્રસંગો કાશ્મીરના ઇતિહાસમાં છુટા છવાયા જોવા મળે છે. કાશ્મીરના સુફી કવિ નુન્દરીસીએ પર્યાવરણનું રક્ષણ તથા સાદગીનો ઉપદેશ આપ્યો હતો.
કાશ્મીરનો ઇતિહાસ મહાભારત કાળ સુધી જોવા મળે છે. મહાભારતમાં ગોનંદનો ઉલ્લેખ છે જેણે કાશ્મીર ઉપર રાજ કર્યું હતું. ત્યારપછી અશોકે હાલના શ્રીનગર શહેર નજીક જ તેના સમયમાં શ્રીનગર શહેર વસાવ્યું હતું. આજના કાશ્મીરના સમાજજીવન ઉપર ભૂતકાળમાં રાજ કરી ચૂકેલા મોકલ, અફઘાન તથા અન્ય શાસકોના વિચારો અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.
અગાઉ કાશ્મીર સંતોની ભૂમિ તરીકે જાણીતું હતું. ત્યારપછીના કાશ્મીરના સમાજ જીવન ઉપર પર્શીયાનો પ્રભાવ વધતો ગયો હતો. ખાસ કરીને હાથશાળ ઉપર બનાવવામાં આવેલા ગાલીચાઓ અને ઉચ્ચસ્તરના ભરતકામ માટે જાણીતી પશ્મીના શાલ ઉપર પર્શીયાની સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
કાશ્મીરમાં ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવનો પણ પ્રાચીન મંદિરોની રચનામાં જોવા મળે છે. જોકે, જમ્મુ વિસ્તારમાં ઉત્તર ભારતની સંસ્કૃતિનો પ્રભાવ વધુ જોવા મળે છે. અસાધારણ કુદરતી સૌંદર્ય ધરાવતું કાશ્મીર તેના શ્રેષ્ઠ પર્યટન સ્થળો માટે જાણીતું છે. કાશ્મીરના ભૌગોલિક સ્થાનના લીધે તેના સંગીતના અને વાદ્ય ઉપર મધ્ય અને પૂર્વ એશિયાનો પ્રભાવ ખૂબ જ જોવા મળે છે.
આ ઉપરાંત અફઘાનિસ્તાનના સંગીતનો પ્રભાવ પણ જોવા મળે છે. બારમી સદીમાં કલ્હણ કવિએ લખેલ રાજ તરંગીણી સંસ્કૃત રચનામાં કાશ્મીરના ઇતિહાસનો સરસ આલેખન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં કાશ્મીરના મેહજુર અને આઝાદ કવિઓએ હિન્દુ, મુસ્લિમ એકતા અને ભાઇચારાની વાત અસરકારક રીતે તેમની રચનામાં રજૂ કરી છે. કાશ્મીર પાસે ગૌરવ અનુભવાય તેવી ઘણી બાબતો છે.
Comments
Post a Comment