Skip to main content

કાશ્મીરના ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે સમીક્ષા



ભારતના ઉત્તર દિશાએ આવેલ કાશ્મીરમાં વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો સદીઓથી એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવતાં શ્રેષ્ઠ સહ અસ્થિત્વનો પરિચય આપી રહ્યા છે. કાશ્મીરીયત તરીકે જાણીતી વિચારધારામાં હિન્દુત્વ, બૌદ્ધ અને ઇસ્લામ તત્વ જ્ઞાનનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે. આ તત્વ જ્ઞાનનું મુખ્ય તત્વ છે સુમેળ સાથે અને ભાઈચારાની ભાવના સાથે જીવો.

14મી સદીમાં ઇસ્લામના કાશ્મીરના ઉદય પહેલાં કાશ્મીરના જનજીવન ઉપર હિન્દુત્વ અને બૌદ્ધ વિચારધારાનો પ્રભાવ જોવા મળતો હતો પણ ત્યારપછી ઇસ્લામનો પ્રભાવ વધ્યો. ત્રણ ધર્મની આ વિચારધારા એક રીતે જોઈએ તો એકબીજાને પુરક છે. આથી જ કાશ્મીરમાં હિન્દુ આધ્યાત્મ વાદની સાથે સાથે ઇસ્લામના સુફી ચળવળનો પ્રભાવ પણ જોવા મળે છે.

લાલદેડ તરીકે જાણીતા કવયત્રી લાલેશ્વરી તેમની કવિતાઓ દ્વારા આધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમની રચનાઓએ ઇસ્લામના ઉદય પહેલાના અને પછીના સમયગાળામાં સેતુ રૂપ કામ કર્યું છે. આ કામગીરી નુન્દરેસી તરીકે જાણીતા શેખ નુર ઉદ દીન નુરાનીએ સંભાળી હતી. કાશ્મીરના જનજીવનમાં વિવિધ વિચારધારાઓનો સુમેળ જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સંપૂર્ણ કોમી એખલાસ સાથે જીવી રહ્યા છે. સમગ્ર કાશ્મીર ખીણ વિસ્તારમાં વિવિધ ધર્મોના આવેલા ધર્મસ્થાનો આ બાબત પૂરવાર કરે છે. જોકે, તાજેતરમાં પોતાની અયોગ્ય વિચારધારાને વાસ્તવિકતામાં લાવવા માટે ઉગ્રવાદી જૂથોએ કાશ્મીરના આ બીનસાંપ્રદાયિક સામાજિક જીવન ઉપર પ્રહારો કર્યા છે.

ભૂતકાળમાં પણ જૂદા જુદા સાસકો દ્વારા સુમૂળ ભર્યા સમાજ જીવનને હાની પહોંચાડવાના પ્રયાસો થયા છે. સિકંદર નામના શાસકે ઘણા મંદિરોનો નાશ કર્યો હતો અને બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. ત્યારપછીના શાસક બુદશાહે સિકંદરના આતંકથી ખીણ છોડી ગયેલા કાશ્મીરી પંડીતોને તેમનું પુનઃવસન કર્યું હતું. પણ આવા પ્રસંગો કાશ્મીરના ઇતિહાસમાં છુટા છવાયા જોવા મળે છે. કાશ્મીરના સુફી કવિ નુન્દરીસીએ પર્યાવરણનું રક્ષણ તથા સાદગીનો ઉપદેશ આપ્યો હતો.

કાશ્મીરનો ઇતિહાસ મહાભારત કાળ સુધી જોવા મળે છે. મહાભારતમાં ગોનંદનો ઉલ્લેખ છે જેણે કાશ્મીર ઉપર રાજ કર્યું હતું. ત્યારપછી અશોકે હાલના શ્રીનગર શહેર નજીક જ તેના સમયમાં શ્રીનગર શહેર વસાવ્યું હતું. આજના કાશ્મીરના સમાજજીવન ઉપર ભૂતકાળમાં રાજ કરી ચૂકેલા મોકલ, અફઘાન તથા અન્ય શાસકોના વિચારો અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.

અગાઉ કાશ્મીર સંતોની ભૂમિ તરીકે જાણીતું હતું. ત્યારપછીના કાશ્મીરના સમાજ જીવન ઉપર પર્શીયાનો પ્રભાવ વધતો ગયો હતો. ખાસ કરીને હાથશાળ ઉપર બનાવવામાં આવેલા ગાલીચાઓ અને ઉચ્ચસ્તરના ભરતકામ માટે જાણીતી પશ્મીના શાલ ઉપર પર્શીયાની સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

કાશ્મીરમાં ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવનો પણ પ્રાચીન મંદિરોની રચનામાં જોવા મળે છે. જોકે, જમ્મુ વિસ્તારમાં ઉત્તર ભારતની સંસ્કૃતિનો પ્રભાવ વધુ જોવા મળે છે. અસાધારણ કુદરતી સૌંદર્ય ધરાવતું કાશ્મીર તેના શ્રેષ્ઠ પર્યટન સ્થળો માટે જાણીતું છે. કાશ્મીરના ભૌગોલિક સ્થાનના લીધે તેના સંગીતના અને વાદ્ય ઉપર મધ્ય અને પૂર્વ એશિયાનો પ્રભાવ ખૂબ જ જોવા મળે છે.

આ ઉપરાંત અફઘાનિસ્તાનના સંગીતનો પ્રભાવ પણ જોવા મળે છે. બારમી સદીમાં કલ્હણ કવિએ લખેલ રાજ તરંગીણી સંસ્કૃત રચનામાં કાશ્મીરના ઇતિહાસનો સરસ આલેખન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં કાશ્મીરના મેહજુર અને આઝાદ કવિઓએ હિન્દુ, મુસ્લિમ એકતા અને ભાઇચારાની વાત અસરકારક રીતે તેમની રચનામાં રજૂ કરી છે. કાશ્મીર પાસે ગૌરવ અનુભવાય તેવી ઘણી બાબતો છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...