Skip to main content

ભારત – મોરેશ્યસ સંબંધો નવી ઉંચાઇએ પહોંચવા તૈયાર અંગે સમીક્ષા


ભારત અને મોરેશ્યસે તેમની ખાસ દોસ્તીમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. મોરેશ્યસની રાજધાની પોર્ટલુઇમાં ભારતની સહાયથી બાંધવામાં આવેલ સર્વોચ્ચ અદાલતનું ભવનનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશ્યસના પ્રધાનમંત્રી પ્રવીણ જગન્નાથે ઉદઘાટન કર્યુ. તે સાથે બંને દેશોના સહકારનો નવો એક અધ્યાય શરૂ થયો. ભારત અને મોરેશ્યસ બંને લોકશાહી વ્યવસ્થાના મહત્વના સ્તંભ તરીકે સ્વતંત્ર ન્યાયતંત્રને માન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતના અંદાજીત ખર્ચમાં રહીને જ સમયસર આ ભવનનું બાંધકામ પુરૂ કરવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે અને શ્રી જગન્નાથે મોરેશ્યસના મેટ્રો પ્રોજેકટ અને એક અદ્યતન નવી હોસ્પીટલનું સંયુકત રીતે થોડા મહિના પહેલા જ ઉદઘાટન કરીને મૈત્રીનું નવુ સિમાચિન્હ હાંસલ કર્યુ હતું. આ બંને પરીયોજનાઓ પણ મોરેશ્યસની જનતાને ખુબ ઉપયોગી પુરવાર થઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશ્યસમાં પહેલીવાર હિંદ મહાસાગર ક્ષેત્રની સલામતી અને સમૃધ્ધિ માટેની ભારતની દ્રષ્ટી સાગર વિશે વાત કરી હતી. કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના અભિગમના કેન્દ્રમાં મોરેશ્યસ છે. તેમણે ઉમેર્યુ હતું કે, મોરેશ્યસ વિકાસ સહભાગીતાના ભારતના અભિગમના પણ કેન્દ્રમાં છે. તેમણે મહાત્મા ગાંધીના શબ્દો ટાંકીને કહયું હતું કે, હું સમગ્ર વિશ્વના સંદર્ભમાં વિચારવા માંગુ છું. મારી રાષ્ટ્રભકિતમાં કલ્યાણનો સમાવેશ થાય છે. તેથી ભારતની મારી સેવા પણ માનવતાની સેવા છે. પ્રધાનમંત્રીએ કહયું હતું કે, ભારત આ માર્ગદર્શક દ્રષ્ટી કેળવવા માંગે છે અને અન્ય દેશોની વિકાસલક્ષી જરૂરીયાતોમાં મદદ કરવા ઇચ્છે છે.

વિકાસ તરફનો ભારતનો અભિગમ મુખ્યત્વે માનવતા કેન્દ્રી છે. ભારત માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરવા ઇચ્છે છે. ઇતિહાસે આપણને શિખવ્યું છે કે વિકાસલક્ષી ભાગીદારીના નામે મોટા રાષ્ટ્રો નાના રાષ્ટ્રોને પરાધીનતાની ભાગીદારીમાં ધકેલી દે છે. તેને કારણે જ વસાહતી વિસ્તારો અને શાસનોનો ઉલ્લેખ રહયો હતો. આવી વૃત્તિને લીધે જ વિશ્વમાં મહાશકિતઓના જુથ ઉભા થયા અને માનવ જાતને તે સહન કરવુ પડયું.

ભારત એવી વિકાસ સહભાગીતા કરવા માંગે છે કે જે સંબંધીત દેશની વ્યવસ્થાને માન આપે, વિવિધતાને સાચવે, ભવીષ્યની સંભાળ લે અને ટકાઉ વિકાસ કરે. ભારત માટે સૌથી પાયાનો સિધ્ધાંત વિકાસ સહકારમાં ભાગીદારને માન આપવાનો છે. વિકાસના આ પાઠમાં બીજાને સહભાગી બનાવીને ભારત પોતે પણ પ્રેરણા મેળવે છે. ભારતનો વિકાસ સહકાર કોઇ શરતોને આધિન હોતો નથી અને તે કોઇ રાજકીય કે વેપારી ગણતરીથી પ્રભાવિત પણ નથી હોતો.

શ્રીલંકાને તેના નવ જેટલા પ્રાંતો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટરની સાથે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ ભારતે પૂરી પાડી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, નેપાળમાં પેટ્રોલિયમ પેદાશોના વહન માટે ભારતે પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેથી નેપાળને પણ પેટ્રોલીયમ પેદાશો સરળતાથી મળી રહે. તેની સાથે સાથ પીવાનું સ્વચ્છ પાણી અને સેનિટેશન જેવી સુવિધાઓ માલદિવના 34 ટાપુઓને મળી રહે તે માટે મદદરૂપ બનશે.

ભારત ક્રિકેટનો ફેલાવો વધારવા માટે અફઘાનિસ્તાન અને ગુયાના જેવા દેશોમાં ક્રિકેટ સ્ટેડિયમ અને સંશાધનો માટે પ્રયત્નો કરી રહ્યું છે . તે જ રીતે શ્રીલંકામાં હાઉસિંગ રહેઠાંણના મકાનોના નિર્માણમાં પણ ગૌરવપૂર્ણક સહભાગી બની રહ્યું છે.

શ્રી મોદીએ કહ્યું કે, ભવિષ્ય સાતત્યપૂર્ણ વિકાસ વિશે છે. માનવીય જરૂરિયાતો અને આકાંક્ષાઓ, આપણી આસપાસની પ્રકૃતિ સાથે સંઘર્ષમય ન હોવો જોઈએ. આ વિચાર સાથે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ જેવા નવા સંસ્થાનોને ઉત્તેજન આપવા પ્રયાસો કર્યા છે.

આ તમામ મુલ્યો સાથે ભારત મોરેશિયસ સાથે વિશેષ સહભાગીતા ધરાવે છે. મોરેશિયસ ભારત સાથે હિન્દ મહાસાગરના પાણીથી જ નહીંપણ સંસ્કૃતિ, વારસો અને ભાષાનું પણ જોડાયેલું છે. બંને દેશો વચ્ચેની મિત્રતાની મજબૂતાઈ ભૂતકાળના સંબંધો આધારિત ઉપરાંત ભવિષ્યમાં વધુ ઊંડા બનવા અપેક્ષિત છે.

પવિત્ર, અપ્રવાસી ઘાટના નાના પગલાંની લઈ અદ્યતન બિલ્ડિંગના નિર્માણ સુધી પહોંચેયલા મોરેશ્યસે આ સફળતા અથાગ પરિશ્રમ અને નવીન્યથી હાંસલ કરી છે. આવનારા વર્ષોમાં ભારત –મોરેશિયસના સંબંધો નવી ઉંચાઈઓ હાંસલ કરશે તે નિયત છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...