ભારત અને મોરેશ્યસે તેમની ખાસ દોસ્તીમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. મોરેશ્યસની રાજધાની પોર્ટલુઇમાં ભારતની સહાયથી બાંધવામાં આવેલ સર્વોચ્ચ અદાલતનું ભવનનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશ્યસના પ્રધાનમંત્રી પ્રવીણ જગન્નાથે ઉદઘાટન કર્યુ. તે સાથે બંને દેશોના સહકારનો નવો એક અધ્યાય શરૂ થયો. ભારત અને મોરેશ્યસ બંને લોકશાહી વ્યવસ્થાના મહત્વના સ્તંભ તરીકે સ્વતંત્ર ન્યાયતંત્રને માન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતના અંદાજીત ખર્ચમાં રહીને જ સમયસર આ ભવનનું બાંધકામ પુરૂ કરવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે અને શ્રી જગન્નાથે મોરેશ્યસના મેટ્રો પ્રોજેકટ અને એક અદ્યતન નવી હોસ્પીટલનું સંયુકત રીતે થોડા મહિના પહેલા જ ઉદઘાટન કરીને મૈત્રીનું નવુ સિમાચિન્હ હાંસલ કર્યુ હતું. આ બંને પરીયોજનાઓ પણ મોરેશ્યસની જનતાને ખુબ ઉપયોગી પુરવાર થઇ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશ્યસમાં પહેલીવાર હિંદ મહાસાગર ક્ષેત્રની સલામતી અને સમૃધ્ધિ માટેની ભારતની દ્રષ્ટી સાગર વિશે વાત કરી હતી. કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના અભિગમના કેન્દ્રમાં મોરેશ્યસ છે. તેમણે ઉમેર્યુ હતું કે, મોરેશ્યસ વિકાસ સહભાગીતાના ભારતના અભિગમના પણ કેન્દ્રમાં છે. તેમણે મહાત્મા ગાંધીના શબ્દો ટાંકીને કહયું હતું કે, હું સમગ્ર વિશ્વના સંદર્ભમાં વિચારવા માંગુ છું. મારી રાષ્ટ્રભકિતમાં કલ્યાણનો સમાવેશ થાય છે. તેથી ભારતની મારી સેવા પણ માનવતાની સેવા છે. પ્રધાનમંત્રીએ કહયું હતું કે, ભારત આ માર્ગદર્શક દ્રષ્ટી કેળવવા માંગે છે અને અન્ય દેશોની વિકાસલક્ષી જરૂરીયાતોમાં મદદ કરવા ઇચ્છે છે.
વિકાસ તરફનો ભારતનો અભિગમ મુખ્યત્વે માનવતા કેન્દ્રી છે. ભારત માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરવા ઇચ્છે છે. ઇતિહાસે આપણને શિખવ્યું છે કે વિકાસલક્ષી ભાગીદારીના નામે મોટા રાષ્ટ્રો નાના રાષ્ટ્રોને પરાધીનતાની ભાગીદારીમાં ધકેલી દે છે. તેને કારણે જ વસાહતી વિસ્તારો અને શાસનોનો ઉલ્લેખ રહયો હતો. આવી વૃત્તિને લીધે જ વિશ્વમાં મહાશકિતઓના જુથ ઉભા થયા અને માનવ જાતને તે સહન કરવુ પડયું.
ભારત એવી વિકાસ સહભાગીતા કરવા માંગે છે કે જે સંબંધીત દેશની વ્યવસ્થાને માન આપે, વિવિધતાને સાચવે, ભવીષ્યની સંભાળ લે અને ટકાઉ વિકાસ કરે. ભારત માટે સૌથી પાયાનો સિધ્ધાંત વિકાસ સહકારમાં ભાગીદારને માન આપવાનો છે. વિકાસના આ પાઠમાં બીજાને સહભાગી બનાવીને ભારત પોતે પણ પ્રેરણા મેળવે છે. ભારતનો વિકાસ સહકાર કોઇ શરતોને આધિન હોતો નથી અને તે કોઇ રાજકીય કે વેપારી ગણતરીથી પ્રભાવિત પણ નથી હોતો.
શ્રીલંકાને તેના નવ જેટલા પ્રાંતો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટરની સાથે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ ભારતે પૂરી પાડી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, નેપાળમાં પેટ્રોલિયમ પેદાશોના વહન માટે ભારતે પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેથી નેપાળને પણ પેટ્રોલીયમ પેદાશો સરળતાથી મળી રહે. તેની સાથે સાથ પીવાનું સ્વચ્છ પાણી અને સેનિટેશન જેવી સુવિધાઓ માલદિવના 34 ટાપુઓને મળી રહે તે માટે મદદરૂપ બનશે.
ભારત ક્રિકેટનો ફેલાવો વધારવા માટે અફઘાનિસ્તાન અને ગુયાના જેવા દેશોમાં ક્રિકેટ સ્ટેડિયમ અને સંશાધનો માટે પ્રયત્નો કરી રહ્યું છે . તે જ રીતે શ્રીલંકામાં હાઉસિંગ રહેઠાંણના મકાનોના નિર્માણમાં પણ ગૌરવપૂર્ણક સહભાગી બની રહ્યું છે.
શ્રી મોદીએ કહ્યું કે, ભવિષ્ય સાતત્યપૂર્ણ વિકાસ વિશે છે. માનવીય જરૂરિયાતો અને આકાંક્ષાઓ, આપણી આસપાસની પ્રકૃતિ સાથે સંઘર્ષમય ન હોવો જોઈએ. આ વિચાર સાથે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ જેવા નવા સંસ્થાનોને ઉત્તેજન આપવા પ્રયાસો કર્યા છે.
આ તમામ મુલ્યો સાથે ભારત મોરેશિયસ સાથે વિશેષ સહભાગીતા ધરાવે છે. મોરેશિયસ ભારત સાથે હિન્દ મહાસાગરના પાણીથી જ નહીંપણ સંસ્કૃતિ, વારસો અને ભાષાનું પણ જોડાયેલું છે. બંને દેશો વચ્ચેની મિત્રતાની મજબૂતાઈ ભૂતકાળના સંબંધો આધારિત ઉપરાંત ભવિષ્યમાં વધુ ઊંડા બનવા અપેક્ષિત છે.
પવિત્ર, અપ્રવાસી ઘાટના નાના પગલાંની લઈ અદ્યતન બિલ્ડિંગના નિર્માણ સુધી પહોંચેયલા મોરેશ્યસે આ સફળતા અથાગ પરિશ્રમ અને નવીન્યથી હાંસલ કરી છે. આવનારા વર્ષોમાં ભારત –મોરેશિયસના સંબંધો નવી ઉંચાઈઓ હાંસલ કરશે તે નિયત છે.
Comments
Post a Comment