Skip to main content

ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા વ્યુહાત્મક સંબંધો અંગે સમીક્ષા

ભારત અને સંયુક્ત આરબ અમીરાત - UAEએ શાંતિ અને સમૃદ્ધિ અંગેના પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન જાયદ અલ નહયાનના નેતૃત્વ હેઠળ બંને દેશોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સઘન પગલાં લીધા છે.

બંને દેશોએ સંયુક્ત પંચની બેઠક દ્વારા આ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા પણ પ્રયાસો કર્યા છે. ભારત અને UAEની સંયુક્ત પંચની 13મી બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ ગઈ. વિદેશમંત્રી એસ.જયશંકર અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન જહયાદ અલ નહયાન આ બેઠકમાં ઉપસ્થિત હતા.

બંને પક્ષોએ કોવિડના લીધે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તથા દ્રિપક્ષીય બાબતો અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશોએ આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ગત એપ્રિલ મહિનામાં કોવિડના સારવારમાં ઉપયોગી એવી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની 55 લાખ ગોળીઓ UAEને આપી હતી.

ગત મે માસમાં ભારતે UAEમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા કોવિડના દર્દીઓને મદદરૂપ થવા 88 નર્સ મોકલી આપી હતી. એવી જ રીતે UAEએ પણ 7 મેટ્રીક ટન તબીબી પુરવઠો ભારતને મોકલી આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ટેલિફોન ઉપર સંવાદ કરીને કોવીડ સામેની લડત અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

સંયુક્ત પંચની બેઠકમાં બંને દેશો વચ્ચે કોવિડ સામેની લડતમાં સઘન બનેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કરાયો હતો. એવી જ રીતે કોવિડના લીધે બંને દેશોના અર્થતંત્ર ઉપર થનારી અસર ઘટાડવા લેવા જરૂરી એવા પગલાંઓની પણ ચર્ચા કરાઈ હતી.

બંને દેશોએ વર્તમાન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર ચાલુ રાખીને નવા ક્ષેત્રોમાં તે સઘન બનાવવાનો નિર્ણય કર્યો હતો.

સંયુક્ત પંચની બેઠકમાં અર્થતંત્ર, વેપાર અને મૂડીરોકાણ, કોન્સ્યુલર અને કોમ્યુનિટી બાબતો, સંરક્ષણ તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રો માટે પાંચ ઉપ-સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપ-સમિતિઓના ભારત અને UAEના સભ્યોએ પણ વિવિધ મુદ્દાઓ અંગે મુક્તમને વાતચીત કરી હતી.

સંયુક્ત પંચની આ બેઠકમાં દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને બીજા આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને UAEનો સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનિય છે કે, અમેરિકા, ઈઝરાયલ, UAE વચ્ચે થયેલી ચર્ચાના અંતે UAE અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો સામાન્ય બનાવવા અંગે લેવાયેલી નિર્ણયને ભારતે આવકાર્યો છે.

આ બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ઈસ્લામીક સહકાર સંગઠન જેવા મંચો પર UAE દ્વારા ભારતને અપાતા સમર્થન અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. એવી જ રીતે કોરોનાના કારણે UAEમાં અટવાયેલા ભારતીયોને UAEના વહિવટીતંત્રે જે મદદ કરી, એ બાબતને શ્રી જયશંકરે આવકારી હતી. 

ભારત અને UAEએ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બન્યા છે. UAE ભારતનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો વેપાર ભાગીદાર દેશ છે. એવી જ રીતે અખાતી દેશોના મૂડીરોકાણની સરખામણીએ UAEએ ભારતમાં વધુ મૂડીરોકાણ કર્યું છે. 

UAEમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આમ બંને દેશો વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે કોવિડ જેવી બિમારીનો પણ સાથે મળીને સામનો કરી રહ્યા છે.

લેખક-પશ્ચિમ એશિયાના વ્યુહાત્મક બાબતોના વિશ્લેષક ડો.મહંમદ મુદ્દસ્સર કમાર

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...