Skip to main content

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રની ગતિને વેગ આપશે તેવા રિઝર્વ બેન્કના નિવેદન અંગે સમીક્ષા

ભારતનું અર્થતંત્ર કોવિડની અસરથી બહાર નીકળીને વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે તે વખતે ભારતીય રિઝર્વ બેન્કે ગૃહદ્ આર્થિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ધિરાણ દરમાં ફેરફાર નહીં કરવાનો અને અર્થતંત્ર માટે સમાવેશક અભિગમ અપનાવવાનો કરેલો નિર્ણય વ્યવહારુ ગણાવી શકાય. આરબીઆઈના ગવર્નરના વડપણ હેઠળની છ સભ્યોને આર્થિક નીતી સમિતિએ ઐતિહાસિક ચાર ટકાના સ્તરે રહેલો ધિરાણના દર નહીં ઘટડવાનો અને ધિરાણની પરત ચૂંકવણીના સમયગાળાની પુનઃ રચના કરવાનો લીધેલો નિર્ણય અર્થતંત્રમાં હિતકારક ગણાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેએ ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને વ્યાજદરને ઐતિહાસિક ઓછી સપાટીએ મુક્યો હતો. ઝડપથી બદલાઈ રહેલ ગૃહદ આર્થિક પર્યાવરણ અને વિકાસમાં થઈ રહેલા ઘટાડાને કારણે નાણાંનીતી સમિતિને આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેઠકો યોજવાની ફરજ પડી હતી.

વિશ્લેષકોનું માનવું છે કે, વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય ધારણા મુજબનો છે. તથા કોવિડની અસરનો યોગ્ય રીતે સામનો ઉદ્યોગો કરી શકે તે માટે ધિરાણ પરત ચૂકવણીના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય વ્યાજબી ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, પુનઃ રચના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને નાણામંત્રાલય ભારતીય રિઝર્વ બેન્કની સાથે આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યું છે.

ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણ લીધા બાદ પરત ચૂકવણીનું દબાણ અનુભવતાં ગ્રાહકો માટે પુનઃ રચનાનું માળખું ઘડવા કે.વી.કામથના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. ધિરાણ અંગેના નિયમો યથાવત રાખીને રિઝર્વ બેન્કે ધિરાણ લેનાર માટે આર્થિક ધારાધોરણો ઘડવાની બાબત સંબંધિત બેન્કના કાર્યક્ષેત્રમાં રાખી છે.

શ્રી કામથ જેવા જાણીતા બેન્કર ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ કરવા હોવાથી આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવનાર પુનઃ રચનાનું માળખું ભેદભાવ વગરનું હશે તેમજ ધિરાણ લેનારની મુશ્કેલી સમજી શકે તેટલું ઉદાર હશે તે બાબત નિશ્ચિત છે.

ભારતીય રીઝર્વ બેન્કે દેશ અને વિદેશના અર્થતંત્રનો સર્વગ્રાહી અને વાસ્તવિક વિચાર કરીને યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણયોમાં નાબાર્ડને દબાણ હેઠળના ક્ષેત્રો માટે રાહત આપવા તથા ગૃહનિર્માણને ધિરાણ આપતી કંપનીઓ માટે પાંચ હજાર કરોડ રૂપિયાની વધારાની તરલતા આપવાની બાબતનો સમાવેશ થાય છે.

તાજેતરના સમયગાળામાં સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી આ કિંમતી ધાતુ ધરાવતા નાગરિકો તેમના સોનાના જથ્થા સામે વધુ ધિરાણ મેળવવાનો પ્રયાસ કરશે.

ભારતીય રિઝર્વ બેન્કે સ્ટાર્ટ અપને અગ્રતાક્રમ ધરાવતા ક્ષેત્રમાં ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આના લીધે નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણના વ્યાજદરમાં રાહતનો લાભ મળશે. એવી જ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અપાયેલા ધિરાણ વસુલવાના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય પણ આવકારદાયક ગણાવી શકાય.

ભારતીય રીઝર્વ બેન્કે નોંધ્યું છે કે, એપ્રિલ-મે મહિનાથી કોવિડના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો દુર કરવાની પ્રક્રિયા શરૂ થતાં ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે.

રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું સામાન્ય રહેતાં અને ખરીફ વાવણીનો સમય પુરો થતાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર વધુ વેગવાન બને તેવી ધારણા છે. ટૂંકમાં ભારતીય રીઝર્વ બેન્કની નીતી વ્યાજદર સૂચવવાની સાથે સાથે મહત્વના મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય લેવા સુધી આગળ વધી છે જેના લીધે દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...