ભારતનું અર્થતંત્ર કોવિડની અસરથી બહાર નીકળીને વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે તે વખતે ભારતીય રિઝર્વ બેન્કે ગૃહદ્ આર્થિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ધિરાણ દરમાં ફેરફાર નહીં કરવાનો અને અર્થતંત્ર માટે સમાવેશક અભિગમ અપનાવવાનો કરેલો નિર્ણય વ્યવહારુ ગણાવી શકાય. આરબીઆઈના ગવર્નરના વડપણ હેઠળની છ સભ્યોને આર્થિક નીતી સમિતિએ ઐતિહાસિક ચાર ટકાના સ્તરે રહેલો ધિરાણના દર નહીં ઘટડવાનો અને ધિરાણની પરત ચૂંકવણીના સમયગાળાની પુનઃ રચના કરવાનો લીધેલો નિર્ણય અર્થતંત્રમાં હિતકારક ગણાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેએ ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને વ્યાજદરને ઐતિહાસિક ઓછી સપાટીએ મુક્યો હતો. ઝડપથી બદલાઈ રહેલ ગૃહદ આર્થિક પર્યાવરણ અને વિકાસમાં થઈ રહેલા ઘટાડાને કારણે નાણાંનીતી સમિતિને આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેઠકો યોજવાની ફરજ પડી હતી.
વિશ્લેષકોનું માનવું છે કે, વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય ધારણા મુજબનો છે. તથા કોવિડની અસરનો યોગ્ય રીતે સામનો ઉદ્યોગો કરી શકે તે માટે ધિરાણ પરત ચૂકવણીના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય વ્યાજબી ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, પુનઃ રચના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને નાણામંત્રાલય ભારતીય રિઝર્વ બેન્કની સાથે આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યું છે.
ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણ લીધા બાદ પરત ચૂકવણીનું દબાણ અનુભવતાં ગ્રાહકો માટે પુનઃ રચનાનું માળખું ઘડવા કે.વી.કામથના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. ધિરાણ અંગેના નિયમો યથાવત રાખીને રિઝર્વ બેન્કે ધિરાણ લેનાર માટે આર્થિક ધારાધોરણો ઘડવાની બાબત સંબંધિત બેન્કના કાર્યક્ષેત્રમાં રાખી છે.
શ્રી કામથ જેવા જાણીતા બેન્કર ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ કરવા હોવાથી આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવનાર પુનઃ રચનાનું માળખું ભેદભાવ વગરનું હશે તેમજ ધિરાણ લેનારની મુશ્કેલી સમજી શકે તેટલું ઉદાર હશે તે બાબત નિશ્ચિત છે.
ભારતીય રીઝર્વ બેન્કે દેશ અને વિદેશના અર્થતંત્રનો સર્વગ્રાહી અને વાસ્તવિક વિચાર કરીને યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણયોમાં નાબાર્ડને દબાણ હેઠળના ક્ષેત્રો માટે રાહત આપવા તથા ગૃહનિર્માણને ધિરાણ આપતી કંપનીઓ માટે પાંચ હજાર કરોડ રૂપિયાની વધારાની તરલતા આપવાની બાબતનો સમાવેશ થાય છે.
તાજેતરના સમયગાળામાં સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી આ કિંમતી ધાતુ ધરાવતા નાગરિકો તેમના સોનાના જથ્થા સામે વધુ ધિરાણ મેળવવાનો પ્રયાસ કરશે.
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટાર્ટ અપને અગ્રતાક્રમ ધરાવતા ક્ષેત્રમાં ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આના લીધે નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણના વ્યાજદરમાં રાહતનો લાભ મળશે. એવી જ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અપાયેલા ધિરાણ વસુલવાના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય પણ આવકારદાયક ગણાવી શકાય.
ભારતીય રીઝર્વ બેન્કે નોંધ્યું છે કે, એપ્રિલ-મે મહિનાથી કોવિડના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો દુર કરવાની પ્રક્રિયા શરૂ થતાં ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે.
રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું સામાન્ય રહેતાં અને ખરીફ વાવણીનો સમય પુરો થતાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર વધુ વેગવાન બને તેવી ધારણા છે. ટૂંકમાં ભારતીય રીઝર્વ બેન્કની નીતી વ્યાજદર સૂચવવાની સાથે સાથે મહત્વના મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય લેવા સુધી આગળ વધી છે જેના લીધે દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.
ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેએ ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને વ્યાજદરને ઐતિહાસિક ઓછી સપાટીએ મુક્યો હતો. ઝડપથી બદલાઈ રહેલ ગૃહદ આર્થિક પર્યાવરણ અને વિકાસમાં થઈ રહેલા ઘટાડાને કારણે નાણાંનીતી સમિતિને આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેઠકો યોજવાની ફરજ પડી હતી.
વિશ્લેષકોનું માનવું છે કે, વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય ધારણા મુજબનો છે. તથા કોવિડની અસરનો યોગ્ય રીતે સામનો ઉદ્યોગો કરી શકે તે માટે ધિરાણ પરત ચૂકવણીના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય વ્યાજબી ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, પુનઃ રચના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને નાણામંત્રાલય ભારતીય રિઝર્વ બેન્કની સાથે આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યું છે.
ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણ લીધા બાદ પરત ચૂકવણીનું દબાણ અનુભવતાં ગ્રાહકો માટે પુનઃ રચનાનું માળખું ઘડવા કે.વી.કામથના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. ધિરાણ અંગેના નિયમો યથાવત રાખીને રિઝર્વ બેન્કે ધિરાણ લેનાર માટે આર્થિક ધારાધોરણો ઘડવાની બાબત સંબંધિત બેન્કના કાર્યક્ષેત્રમાં રાખી છે.
શ્રી કામથ જેવા જાણીતા બેન્કર ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ કરવા હોવાથી આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવનાર પુનઃ રચનાનું માળખું ભેદભાવ વગરનું હશે તેમજ ધિરાણ લેનારની મુશ્કેલી સમજી શકે તેટલું ઉદાર હશે તે બાબત નિશ્ચિત છે.
ભારતીય રીઝર્વ બેન્કે દેશ અને વિદેશના અર્થતંત્રનો સર્વગ્રાહી અને વાસ્તવિક વિચાર કરીને યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણયોમાં નાબાર્ડને દબાણ હેઠળના ક્ષેત્રો માટે રાહત આપવા તથા ગૃહનિર્માણને ધિરાણ આપતી કંપનીઓ માટે પાંચ હજાર કરોડ રૂપિયાની વધારાની તરલતા આપવાની બાબતનો સમાવેશ થાય છે.
તાજેતરના સમયગાળામાં સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી આ કિંમતી ધાતુ ધરાવતા નાગરિકો તેમના સોનાના જથ્થા સામે વધુ ધિરાણ મેળવવાનો પ્રયાસ કરશે.
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટાર્ટ અપને અગ્રતાક્રમ ધરાવતા ક્ષેત્રમાં ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આના લીધે નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણના વ્યાજદરમાં રાહતનો લાભ મળશે. એવી જ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અપાયેલા ધિરાણ વસુલવાના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય પણ આવકારદાયક ગણાવી શકાય.
ભારતીય રીઝર્વ બેન્કે નોંધ્યું છે કે, એપ્રિલ-મે મહિનાથી કોવિડના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો દુર કરવાની પ્રક્રિયા શરૂ થતાં ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે.
રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું સામાન્ય રહેતાં અને ખરીફ વાવણીનો સમય પુરો થતાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર વધુ વેગવાન બને તેવી ધારણા છે. ટૂંકમાં ભારતીય રીઝર્વ બેન્કની નીતી વ્યાજદર સૂચવવાની સાથે સાથે મહત્વના મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય લેવા સુધી આગળ વધી છે જેના લીધે દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.
Comments
Post a Comment