ભારતીય બંધારણની ૩૭૦મી કલમમાં સુધારો કરતો રાષ્ટ્રપતિએ પાંચ ઓગષ્ટ ર૦૧૯ ના રોજ આદેશ જાહેર કર્યો છે. આ કલમથી જમ્મુકાશ્મીરને ટુંકા સમય માટે ખાસ દરજજા આપવામાં આવ્યો હતો. તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે. ભારતમાં અન્ય ભાગોમાં જે કાયદાઓ અમલમાં છે તે હવેથી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. રાષ્ટ્રપતિએ આર્ટીકલ ૩પ-એ ને પણ રદ કરતો હુકમ જારી કર્યો છે. આ કલમ રાજયના લોકોને સંમ્પતીનો હક આપતી હતી. રાજય સભાએ એ જ દિવસે રાજયના પુનઃગઠન વિધેયકને પણ મંજુર કર્યો હતો. ખાસ દરજજાનો અંત આવે છે અને તેની જગ્યાએ બે કેન્દ્ર શાસિત પ્રદેશો અમલમાં આવે છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે અને તેમાં વિધાનસભા પણ રહેશે. લદાખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હશે પણ તેમાં વિધાનસભા નહી હોય લેફટનન્ટ ગવર્નર રહેશે. ગૃહમંત્રીએ રાજયસભામાં ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મુકયો કે સંસદ ધ્વારા અમલમાં આવેલા ભારતીય કાયદાઓ જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડશે. આમ શિક્ષણનો અધિકાર અને મહિલાઓને સમાન અધિકારથી જમ્મુ કાશ્મીરમાં વંચિત રખાયા હતા તે ભેદભાવ હવે દુર થશે. સંમ્પત્તીને લગતો કાયદો પણ અન્ય રાજયોની જેમ લાગુ પડશે. આમ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મુદત છ વર્ષને બદલે પાંચ વર્ષ રહેશે. અલગ ધ્વજ અને અલગ બંધારણ પણ નહી હોય. જમ્મુ કાશ્મીરમાં દરેક લોકો સ્થાયી થઈ શકશે. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે આ પગલાથી લોકોનું હીત જળવાશે અને આમુલ સકારાત્મક પરીવર્તન આવશે. છેલ્લા ૭૦ વર્ષથી કેટલા કુટુંબો કુશળ રીતે આ ખાસ દરજજાનો ઉપયોગ કરી રહયાં હતા. આંકડા બતાવે છે કે દેશના અન્ય ભાગો કરતાં જમ્મુ કાશ્મીરમાં ચાર ગણો નાણા ભંડોળ આપવામાં આવતું હતું. આમ છતાં ત્યાંના લોકોએ પ્રબળ ભ્રષ્ટાચારને લીધે ત્યાના લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા ન હતા. ખાસ દરજજાને કારણે ભ્રષ્ટાચારને નાબુદ કરવામાં અડચણ આવતી હતી. હવે દેશના અન્ય ભાગોની જેમ જમ્મુ કાશ્મીરના વિકાસના દરવાજાઓ ખુલી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન, શિક્ષણ અને રોજગારીના દ્વાર ખુલી ગયા છે.
ઐતિહાસિક રીતે હૈદરાબાદ, મૈસુર અને જુનાગઢ અન્ય રાજયોની જેમ પુર્વ જમ્મુ કાશ્મીર રાજવી સ્ટેટનું ઓકટોબર ૧૯૪૭ ના રોજ ભારતમાં જાડાણ થયું હતું. ખાસ દરજજાનો છેલ્લા ૭૦ વર્ષથી હિત ધરાવતાં લોકો ઉપયોગ કરી રહયાં હતા. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ખાસ દરજજાને નાબુદ કરવાથી આતંકવાદ ઉપર અંકુશ મેળવાશે. દેશના અન્ય ભાગોની જેમ લોકતાંત્રિક રીતે મતનો ઉપયોગ કરી શકશે. દેશના અન્ય ભાગો સાથે જાડવાથી અસરકારક સુશાસન અને વિશાળ વિકાસના ફાયદાઓની તકો ઉભી થશે. રાજયમાં યુવાનોને રોજગારીથી વંચિત રાખવાથી આતંકી પ્રવૃત્તિ વધતી હતી. તેઓ લોકતંત્ર અને અર્થતંત્રને અવરોધતા હતા. આતંકી સીન્ડીકેટ મુકત રાજકીય વાતાવરણમાં ખુલ્લી રીતે આતંકવાદી હિંસા થવાના અર્થતંત્રને અસર કરતા હતા. રાષ્ટ્રપતિના આ બંધારણીય સુધારાથી સંસદના પગલાથી રાજય અને કેન્દ્ર સરકારની મશીનરીને આતંકવાદ સામે જઝુમવા સશકત બનાવશે. રાષ્ટ્રપતિના હુકમને વિપક્ષી લોકો ટીકા કરી રહયાં છે. માત્ર આગામી સપ્તાહ અને મહિનાઓ બતાવશે કે સરકારના આ પાયાના અને મકકમ પગલાને લોકોનો કેવો ટેકો મળી રહયો છે.
ઐતિહાસિક રીતે હૈદરાબાદ, મૈસુર અને જુનાગઢ અન્ય રાજયોની જેમ પુર્વ જમ્મુ કાશ્મીર રાજવી સ્ટેટનું ઓકટોબર ૧૯૪૭ ના રોજ ભારતમાં જાડાણ થયું હતું. ખાસ દરજજાનો છેલ્લા ૭૦ વર્ષથી હિત ધરાવતાં લોકો ઉપયોગ કરી રહયાં હતા. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ખાસ દરજજાને નાબુદ કરવાથી આતંકવાદ ઉપર અંકુશ મેળવાશે. દેશના અન્ય ભાગોની જેમ લોકતાંત્રિક રીતે મતનો ઉપયોગ કરી શકશે. દેશના અન્ય ભાગો સાથે જાડવાથી અસરકારક સુશાસન અને વિશાળ વિકાસના ફાયદાઓની તકો ઉભી થશે. રાજયમાં યુવાનોને રોજગારીથી વંચિત રાખવાથી આતંકી પ્રવૃત્તિ વધતી હતી. તેઓ લોકતંત્ર અને અર્થતંત્રને અવરોધતા હતા. આતંકી સીન્ડીકેટ મુકત રાજકીય વાતાવરણમાં ખુલ્લી રીતે આતંકવાદી હિંસા થવાના અર્થતંત્રને અસર કરતા હતા. રાષ્ટ્રપતિના આ બંધારણીય સુધારાથી સંસદના પગલાથી રાજય અને કેન્દ્ર સરકારની મશીનરીને આતંકવાદ સામે જઝુમવા સશકત બનાવશે. રાષ્ટ્રપતિના હુકમને વિપક્ષી લોકો ટીકા કરી રહયાં છે. માત્ર આગામી સપ્તાહ અને મહિનાઓ બતાવશે કે સરકારના આ પાયાના અને મકકમ પગલાને લોકોનો કેવો ટેકો મળી રહયો છે.
Comments
Post a Comment