Skip to main content

જમ્મુ કાશ્મીરની ઐતિહાસીક કાયા પલટ – આ વિષે સમીક્ષા

ભારતીય બંધારણની ૩૭૦મી કલમમાં સુધારો કરતો રાષ્ટ્રપતિએ પાંચ ઓગષ્ટ ર૦૧૯ ના રોજ આદેશ જાહેર કર્યો છે. આ કલમથી જમ્મુકાશ્મીરને ટુંકા સમય માટે ખાસ દરજજા આપવામાં આવ્યો હતો. તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે. ભારતમાં અન્ય ભાગોમાં જે કાયદાઓ અમલમાં છે તે હવેથી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. રાષ્ટ્રપતિએ આર્ટીકલ ૩પ-એ ને પણ રદ કરતો હુકમ જારી કર્યો છે. આ કલમ રાજયના લોકોને સંમ્પતીનો હક આપતી હતી. રાજય સભાએ એ જ દિવસે રાજયના પુનઃગઠન વિધેયકને પણ મંજુર કર્યો હતો. ખાસ દરજજાનો અંત આવે છે અને તેની જગ્યાએ બે કેન્દ્ર શાસિત પ્રદેશો અમલમાં આવે છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે અને તેમાં વિધાનસભા પણ રહેશે. લદાખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હશે પણ તેમાં વિધાનસભા નહી હોય લેફટનન્ટ ગવર્નર રહેશે. ગૃહમંત્રીએ રાજયસભામાં ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મુકયો કે સંસદ ધ્વારા અમલમાં આવેલા ભારતીય કાયદાઓ જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડશે. આમ શિક્ષણનો અધિકાર અને મહિલાઓને સમાન અધિકારથી જમ્મુ કાશ્મીરમાં વંચિત રખાયા હતા તે ભેદભાવ હવે દુર થશે. સંમ્પત્તીને લગતો કાયદો પણ અન્ય રાજયોની જેમ લાગુ પડશે. આમ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મુદત છ વર્ષને બદલે પાંચ વર્ષ રહેશે. અલગ ધ્વજ અને અલગ બંધારણ પણ નહી હોય. જમ્મુ કાશ્મીરમાં દરેક લોકો સ્થાયી થઈ શકશે. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે આ પગલાથી લોકોનું હીત જળવાશે અને આમુલ સકારાત્મક પરીવર્તન આવશે. છેલ્લા ૭૦ વર્ષથી કેટલા કુટુંબો કુશળ રીતે આ ખાસ દરજજાનો ઉપયોગ કરી રહયાં હતા. આંકડા બતાવે છે કે દેશના અન્ય ભાગો કરતાં જમ્મુ કાશ્મીરમાં ચાર ગણો નાણા ભંડોળ આપવામાં આવતું હતું. આમ છતાં ત્યાંના લોકોએ પ્રબળ ભ્રષ્ટાચારને લીધે ત્યાના લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા ન હતા. ખાસ દરજજાને કારણે ભ્રષ્ટાચારને નાબુદ કરવામાં અડચણ આવતી હતી. હવે દેશના અન્ય ભાગોની જેમ જમ્મુ કાશ્મીરના વિકાસના દરવાજાઓ ખુલી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન, શિક્ષણ અને રોજગારીના દ્વાર ખુલી ગયા છે.

ઐતિહાસિક રીતે હૈદરાબાદ, મૈસુર અને જુનાગઢ અન્ય રાજયોની જેમ પુર્વ જમ્મુ કાશ્મીર રાજવી સ્ટેટનું ઓકટોબર ૧૯૪૭ ના રોજ ભારતમાં જાડાણ થયું હતું. ખાસ દરજજાનો છેલ્લા ૭૦ વર્ષથી હિત ધરાવતાં લોકો ઉપયોગ કરી રહયાં હતા. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ખાસ દરજજાને નાબુદ કરવાથી આતંકવાદ ઉપર અંકુશ મેળવાશે. દેશના અન્ય ભાગોની જેમ લોકતાંત્રિક રીતે મતનો ઉપયોગ કરી શકશે. દેશના અન્ય ભાગો સાથે જાડવાથી અસરકારક સુશાસન અને વિશાળ વિકાસના ફાયદાઓની તકો ઉભી થશે. રાજયમાં યુવાનોને રોજગારીથી વંચિત રાખવાથી આતંકી પ્રવૃત્તિ વધતી હતી. તેઓ લોકતંત્ર અને અર્થતંત્રને અવરોધતા હતા. આતંકી સીન્ડીકેટ મુકત રાજકીય વાતાવરણમાં ખુલ્લી રીતે આતંકવાદી હિંસા થવાના અર્થતંત્રને અસર કરતા હતા. રાષ્ટ્રપતિના આ બંધારણીય સુધારાથી સંસદના પગલાથી રાજય અને કેન્દ્ર સરકારની મશીનરીને આતંકવાદ સામે જઝુમવા સશકત બનાવશે. રાષ્ટ્રપતિના હુકમને વિપક્ષી લોકો ટીકા કરી રહયાં છે. માત્ર આગામી સપ્તાહ અને મહિનાઓ બતાવશે કે સરકારના આ પાયાના અને મકકમ પગલાને લોકોનો કેવો ટેકો મળી રહયો છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...