Skip to main content

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં માળખાકીય સુવિધાઓની ભૂમિકા અંગે સમીક્ષા

ભારત તેનાં અર્થતંત્રનું આગામી પાંચ વર્ષમાં વિસ્તરણ કરીને પાંચ ટ્રિલીયન ડોલરનું અને તે પછીના પાંચ વર્ષમાં ૧૦ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સજ્જ થઇ રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં માળખાકીય સુવિધાનું મહત્વ સ્વીકારવું જ પડે.

સંસદના તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં જણાવ્યા મુજબ ભારત માળખાકીય સુવિધાઓ માટે દર વર્ષે એક ટ્રિલીયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે, લોકસભામાં તાજેતરમાં આ મુજબ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં માળખાકીય સુવિધા માટે અંદાજપત્રીય ખર્ચ ૫.૯૭ ટ્રિલીયન રૂપિયા આંકવામાં આવ્યો છ. દેશના અર્થતંત્રને વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને પાંચ ટ્રિલીયન ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક વધુ ઊંચો જણાતો હોવા છતા, તે મેળવવો શક્ય છે.

આથી જ સરકારે માળખાકીય પ્રોજેકટો માટે અનુકૂળ વલણ રાખીને તેને અગ્રતા આપી છે. નિષ્ણાંતોએ દેશના અર્થતંત્રનો વિકાસ દર આગામી પાંચ વર્ષમાં ૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

વાસ્તવમાં મંદીના વાતાવરણમાં પણ દેશનો વિકાસદર ૬ – ૭ ટકા રહેવા પામ્યો હતો. બજેટ પૂર્વે જાહેર થયેલ આર્થિક સર્વેક્ષણમાં તથા બજેટ રજુ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રના ઝડપી વિકાસ માટે મૂડી રોકાણો, રોજગારીની તકો, નિકાસ અને ઉત્પાદકતા વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ બાંધકામ ક્ષેત્રના ધિરાણ મેળવનાર લોકોને પ્રોત્સાહન આપવા માટે બેંકના ધિરાણ દરમાં ૩૫ બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. 

આ સાથે જ રિઝર્વ બેન્કે તેની સતત ચોથી નાણા નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે રિઝર્વ બેન્કે ધિરાણનો પ્રવાહ જળવાઇ રહે તે બાબત સુનિશ્ચિત કરી હતી.

ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિઓ માળખાકીય ક્ષેત્રમાં જળવાઇ રહે તે બાબતને રીઝર્વ બેંકની નીતિના લીધે વેગ મળ્યો છે. ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ અને અર્થતંત્રના વિકાસ ક્ષેત્રોમાં એક આગવું જાડાણ જાવા મળે છે.

માર્ગો, રેલવે તથા વિમાનમથકો સહિતની માળખાકીય સુવિધાઓ અને જી.ડી.પી. વચ્ચેનું કો-રીલેશન ૦.૯૦થી વધુ છે. આ બાબત પૂરવાર કરે છે કે, જી.ડી.પી. તથા મૂડીરોકાણ વચ્ચે એક જાડાણ છે.

આથી જ કેન્દ્રની એન.ડી.એ. સરકારે વર્ષ ૨૦૧૪થી માળખાકીય ક્ષેત્રે રોકાણ વધારવા ઉપર ભાર મૂક્યો છે. શ્રી વાજપેયીની વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકારે દેશમાં સુવર્ણ ચતુષ્કોણ અર્થાત ચાર દિશાઓને જાડતા ધોરીમાર્ગો બાંધવાની યોજના અમલમાં મુકાઇ હતી.

કેન્દ્ર સરકાર એવું માને છે કે, અર્થતંત્રમાં સામાજીક અને આર્થિક પરિવર્તન ત્યારે જ શક્ય બને જયારે લોકોને સતત અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આથી જ તાજેતરના વર્ષોમાં માર્ગો, રેલવે અને વિમાનમથક જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના આયોજન સાથે તેમજ ખાનગી ક્ષેત્રના સાથ-સહકારમાં માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો અમલમાં મુકવા ઉપર ખાસ ભાર મુકાયો છે.

સરકારે માળખાકીય ક્ષેત્રમાં ખાનગીક્ષેત્ર દ્વારા કરાતા મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફ્રાસ્ટક્ચર ડેટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડીરોકાણ ટ્રસ્ટ અને રીએલ એસ્ટેટ ઇનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવી આર્થિક ક્ષેત્રની નવતર પહેલો હાથ ધરી છે.

સરકારે માળખાકીય ક્ષેત્રમાં મૂડી રોકાણને નવું બળ આપવા માટે ૪૦૦ અબજ ડોલરના મૂડી ભંડોળ સાથે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળની રચના કરી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સુપરનોશન ફંડ અને કેનેડાના ઓન્ટેરીઓ પ્રોવિન્સે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળ સાથે એક અબજ ડોલરના રોકાણની સમજૂતી કરી છે. 

આ વખતના કેન્દ્રીય અંદાજપત્રમાં પણ આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના ધ્યેય સાથે માળખાકીય સુવિધાના વિકાસને નિર્ણાયક બળ પૂરૂં પડાયું છે.

લેખક : જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...