ભારત તેનાં અર્થતંત્રનું આગામી પાંચ વર્ષમાં વિસ્તરણ કરીને પાંચ ટ્રિલીયન ડોલરનું અને તે પછીના પાંચ વર્ષમાં ૧૦ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સજ્જ થઇ રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં માળખાકીય સુવિધાનું મહત્વ સ્વીકારવું જ પડે.
સંસદના તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં જણાવ્યા મુજબ ભારત માળખાકીય સુવિધાઓ માટે દર વર્ષે એક ટ્રિલીયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે, લોકસભામાં તાજેતરમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં માળખાકીય સુવિધા માટે અંદાજપત્રીય ખર્ચ ૫.૯૭ ટ્રિલીયન રૂપિયા આંકવામાં આવ્યો છ. દેશના અર્થતંત્રને વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને પાંચ ટ્રિલીયન ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક વધુ ઊંચો જણાતો હોવા છતા, તે મેળવવો શક્ય છે.
આથી જ સરકારે માળખાકીય પ્રોજેકટો માટે અનુકૂળ વલણ રાખીને તેને અગ્રતા આપી છે. નિષ્ણાંતોએ દેશના અર્થતંત્રનો વિકાસ દર આગામી પાંચ વર્ષમાં ૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
વાસ્તવમાં મંદીના વાતાવરણમાં પણ દેશનો વિકાસદર ૬ – ૭ ટકા રહેવા પામ્યો હતો. બજેટ પૂર્વે જાહેર થયેલ આર્થિક સર્વેક્ષણમાં તથા બજેટ રજુ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રના ઝડપી વિકાસ માટે મૂડી રોકાણો, રોજગારીની તકો, નિકાસ અને ઉત્પાદકતા વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ બાંધકામ ક્ષેત્રના ધિરાણ મેળવનાર લોકોને પ્રોત્સાહન આપવા માટે બેંકના ધિરાણ દરમાં ૩૫ બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.
આ સાથે જ રિઝર્વ બેન્કે તેની સતત ચોથી નાણા નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે રિઝર્વ બેન્કે ધિરાણનો પ્રવાહ જળવાઇ રહે તે બાબત સુનિશ્ચિત કરી હતી.
ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિઓ માળખાકીય ક્ષેત્રમાં જળવાઇ રહે તે બાબતને રીઝર્વ બેંકની નીતિના લીધે વેગ મળ્યો છે. ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ અને અર્થતંત્રના વિકાસ ક્ષેત્રોમાં એક આગવું જાડાણ જાવા મળે છે.
માર્ગો, રેલવે તથા વિમાનમથકો સહિતની માળખાકીય સુવિધાઓ અને જી.ડી.પી. વચ્ચેનું કો-રીલેશન ૦.૯૦થી વધુ છે. આ બાબત પૂરવાર કરે છે કે, જી.ડી.પી. તથા મૂડીરોકાણ વચ્ચે એક જાડાણ છે.
આથી જ કેન્દ્રની એન.ડી.એ. સરકારે વર્ષ ૨૦૧૪થી માળખાકીય ક્ષેત્રે રોકાણ વધારવા ઉપર ભાર મૂક્યો છે. શ્રી વાજપેયીની વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકારે દેશમાં સુવર્ણ ચતુષ્કોણ અર્થાત ચાર દિશાઓને જાડતા ધોરીમાર્ગો બાંધવાની યોજના અમલમાં મુકાઇ હતી.
કેન્દ્ર સરકાર એવું માને છે કે, અર્થતંત્રમાં સામાજીક અને આર્થિક પરિવર્તન ત્યારે જ શક્ય બને જયારે લોકોને સતત અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આથી જ તાજેતરના વર્ષોમાં માર્ગો, રેલવે અને વિમાનમથક જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના આયોજન સાથે તેમજ ખાનગી ક્ષેત્રના સાથ-સહકારમાં માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો અમલમાં મુકવા ઉપર ખાસ ભાર મુકાયો છે.
સરકારે માળખાકીય ક્ષેત્રમાં ખાનગીક્ષેત્ર દ્વારા કરાતા મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફ્રાસ્ટક્ચર ડેટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડીરોકાણ ટ્રસ્ટ અને રીએલ એસ્ટેટ ઇનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવી આર્થિક ક્ષેત્રની નવતર પહેલો હાથ ધરી છે.
સરકારે માળખાકીય ક્ષેત્રમાં મૂડી રોકાણને નવું બળ આપવા માટે ૪૦૦ અબજ ડોલરના મૂડી ભંડોળ સાથે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળની રચના કરી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સુપરનોશન ફંડ અને કેનેડાના ઓન્ટેરીઓ પ્રોવિન્સે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળ સાથે એક અબજ ડોલરના રોકાણની સમજૂતી કરી છે.
આ વખતના કેન્દ્રીય અંદાજપત્રમાં પણ આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના ધ્યેય સાથે માળખાકીય સુવિધાના વિકાસને નિર્ણાયક બળ પૂરૂં પડાયું છે.
લેખક : જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક પત્રકાર
Comments
Post a Comment