રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આમંત્રણના પગલે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ એડગર ચાગવા લુંગુએ ભારતની મુલાકાત લીધી હતી.
ઝાંબીયામાં નવી સરકારની રચના બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓની આ પ્રથમ મુલાકાત છે.
આ અગાઉ એપ્રિલ ૨૦૦૩માં એટલે કે ૧૬ વર્ષ પહેલા તે વખતના ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ લેવી મવાનવાસાએ ભારતની મુલાકાત લીધી હતી.
ભારતે આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની અપનાવેલી નીતિની દૃષ્ટિએ જાતા આ મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.
ભારત-આફ્રિકા શીખર બેઠક બાદ આફ્રિકાના ૩૫ દેશોના જ્યારે ભારતના ૩૨ આગેવાનોએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એપ્રિલ ૨૦૧૮માં ઝાંબીયાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની નવી તક ઉભી થઈ.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી ખાતે વિધિવત આવકાર અપાયો હતો. આ ઉપરાંત તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી.
શ્રી લુંગુએ દિલ્હીમાં યોજાયેલી ઝાંબીયા ભારત વેપાર મંચની બેઠકમાં ભાગ લીધો હતો.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં સંરક્ષણ, સલામતી, વેપાર, ખનીજ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા વાતચીત કરી હતી.
તેમજ બંને આગેવાનોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચે સધાયેલી સમજુતીઓની વર્તમાન Âસ્થતિની સમીક્ષા કરી હતી તથા આ ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ કોવિંદે ગયા વર્ષે ઝાંબીયાની મુલાકાત વખતે દવાઓ તથા તબીબી ક્ષેત્રના ઉપકરણો માટે દાનની તથા મહાત્મા ગાંધી પ્રાથમિક વિદ્યાલયને એક લાખ ડોલરના દાનની જાહેરાત કરી હતી.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને આ તમામ રકમ મળી હોવાની જાણ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે ભારત દ્વારા ઝાંબીયાના વિકાસમાં કરાતી સહાયની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઝાંબીયાના સલામતી દળોની ક્ષમતા વધારવામાં ભારત ખાસ મદદ કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવાની થયેલી સમજૂતીના પગલે ભારતી હવાઈ દળ, ઝાંબીયાના સૈનિકોની તાલીમ આપી રહ્યા છે.
આ ઉપરાંત ભુસ્તરશા†, ખનીજ, આરોગ્ય, દવાઓ, કલા અને સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં પણ ભારત અને ઝાંબીયાએ સહકાર વધારવા સમજૂતી સાધી છે.
ઝાંબીયાની ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ તથા ભારત વિદેશ સેવા સંસ્થા વચ્ચે પણ સમજુતી કરાર થયા છે. ઝાંબીયાના ચૂંટણી પંચ તથા ભારતીય ચૂંટણી પંચ વચ્ચે સહકાર વધારવા સમજૂતી સધાઈ.
ભારતે ઝાંબીયામાં સૂર્ય ઉર્જા તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રે ઝાંબીયાના હિતમાં મહત્વની જાહેરાતો કરી હતી.
ભારત ઝાંબીયામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઈન્ક્યુબેશન સેન્ટર સ્થપાશે. ઝાંબીયામાં કૃષિ ક્ષેત્રના લાભમાં ૧૦૦ સૂર્ય ઉર્જા આધારીત પંપ લગાવશે. ઝાંબીયાના હવાઈદળના મથકો માટે પાંચ ફાયર ટેન્કરો પૂરા પાડશે.
આ ઉપરાંત ભારતે માનવતાના ધોરણે એક હજાર મેટ્રીક ટન – ચોખા તથા ૧૦૦ મેટ્રીક ટન દૂધનો પાવડર ઝાંબીયાને આપવાનો પણ નિર્ણય કર્યો છે.
આ બધી જ બાબતો પુરવાર કરે છે કે, ભારત ઝાંબીયાના વિકાસમાં સતત મદદ કરી રહ્યો છે.
બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચેનો વેપાર વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૮૩ કરોડ અમેરિકી ડોલર જેટલો થયો છે.
ભારત દ્વારા ઝાંબીયામાં થઈ રહેલા મૂડીરોકાણમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે.
ભારત, ઝાંબીયામાં ખાણ ઉદ્યોગ, માળખાકીય સુવિધા, ઉત્પાદન ક્ષેત્ર તથા દવા ક્ષેત્રે મૂડીરોકાણ વધારી રહ્યો છે.
સમગ્ર રીતે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું છે એ બાબત નક્કી છે.
લેખીકા – ડોક્ટર નિવેદીતા રે, આફ્રિકાની બાબતોના વિશ્લેષક
ઝાંબીયામાં નવી સરકારની રચના બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓની આ પ્રથમ મુલાકાત છે.
આ અગાઉ એપ્રિલ ૨૦૦૩માં એટલે કે ૧૬ વર્ષ પહેલા તે વખતના ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ લેવી મવાનવાસાએ ભારતની મુલાકાત લીધી હતી.
ભારતે આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની અપનાવેલી નીતિની દૃષ્ટિએ જાતા આ મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.
ભારત-આફ્રિકા શીખર બેઠક બાદ આફ્રિકાના ૩૫ દેશોના જ્યારે ભારતના ૩૨ આગેવાનોએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એપ્રિલ ૨૦૧૮માં ઝાંબીયાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની નવી તક ઉભી થઈ.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી ખાતે વિધિવત આવકાર અપાયો હતો. આ ઉપરાંત તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી.
શ્રી લુંગુએ દિલ્હીમાં યોજાયેલી ઝાંબીયા ભારત વેપાર મંચની બેઠકમાં ભાગ લીધો હતો.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં સંરક્ષણ, સલામતી, વેપાર, ખનીજ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા વાતચીત કરી હતી.
તેમજ બંને આગેવાનોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચે સધાયેલી સમજુતીઓની વર્તમાન Âસ્થતિની સમીક્ષા કરી હતી તથા આ ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ કોવિંદે ગયા વર્ષે ઝાંબીયાની મુલાકાત વખતે દવાઓ તથા તબીબી ક્ષેત્રના ઉપકરણો માટે દાનની તથા મહાત્મા ગાંધી પ્રાથમિક વિદ્યાલયને એક લાખ ડોલરના દાનની જાહેરાત કરી હતી.
ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને આ તમામ રકમ મળી હોવાની જાણ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે ભારત દ્વારા ઝાંબીયાના વિકાસમાં કરાતી સહાયની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઝાંબીયાના સલામતી દળોની ક્ષમતા વધારવામાં ભારત ખાસ મદદ કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવાની થયેલી સમજૂતીના પગલે ભારતી હવાઈ દળ, ઝાંબીયાના સૈનિકોની તાલીમ આપી રહ્યા છે.
આ ઉપરાંત ભુસ્તરશા†, ખનીજ, આરોગ્ય, દવાઓ, કલા અને સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં પણ ભારત અને ઝાંબીયાએ સહકાર વધારવા સમજૂતી સાધી છે.
ઝાંબીયાની ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ તથા ભારત વિદેશ સેવા સંસ્થા વચ્ચે પણ સમજુતી કરાર થયા છે. ઝાંબીયાના ચૂંટણી પંચ તથા ભારતીય ચૂંટણી પંચ વચ્ચે સહકાર વધારવા સમજૂતી સધાઈ.
ભારતે ઝાંબીયામાં સૂર્ય ઉર્જા તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રે ઝાંબીયાના હિતમાં મહત્વની જાહેરાતો કરી હતી.
ભારત ઝાંબીયામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઈન્ક્યુબેશન સેન્ટર સ્થપાશે. ઝાંબીયામાં કૃષિ ક્ષેત્રના લાભમાં ૧૦૦ સૂર્ય ઉર્જા આધારીત પંપ લગાવશે. ઝાંબીયાના હવાઈદળના મથકો માટે પાંચ ફાયર ટેન્કરો પૂરા પાડશે.
આ ઉપરાંત ભારતે માનવતાના ધોરણે એક હજાર મેટ્રીક ટન – ચોખા તથા ૧૦૦ મેટ્રીક ટન દૂધનો પાવડર ઝાંબીયાને આપવાનો પણ નિર્ણય કર્યો છે.
આ બધી જ બાબતો પુરવાર કરે છે કે, ભારત ઝાંબીયાના વિકાસમાં સતત મદદ કરી રહ્યો છે.
બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચેનો વેપાર વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૮૩ કરોડ અમેરિકી ડોલર જેટલો થયો છે.
ભારત દ્વારા ઝાંબીયામાં થઈ રહેલા મૂડીરોકાણમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે.
ભારત, ઝાંબીયામાં ખાણ ઉદ્યોગ, માળખાકીય સુવિધા, ઉત્પાદન ક્ષેત્ર તથા દવા ક્ષેત્રે મૂડીરોકાણ વધારી રહ્યો છે.
સમગ્ર રીતે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું છે એ બાબત નક્કી છે.
લેખીકા – ડોક્ટર નિવેદીતા રે, આફ્રિકાની બાબતોના વિશ્લેષક
Comments
Post a Comment