Skip to main content

ભારત અને ફ્રાંસના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસની આ સપ્તાહમાં લીધેલી મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યુહાત્મક સંબંધો હજી મજબૂત બન્યા છે. કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ રદ કરાયા બાદ ઊભી થયેલી પરિÂસ્થતિમાં ફ્રાંસે આ સમગ્ર બાબતને ભારતની આંતરીક બાબત ગણાવતા, ભારતના દાવાને મજબૂત સમર્થન મળ્યું કહેવાય. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બંધ બારણે કાશ્મીર મુદ્દો ચર્ચાયો ત્યારે ફ્રાંસે ભારતના વલણને સમર્થન આપ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસના સંબંધો સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંત ઉપર ટકયા છે. બંને દેશોના વડાઓએ ભારત - ફ્રાંસ વચ્ચેની વર્ષો જૂના મિત્રતા અને સહકારના સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂકીને આ હેતુથી આયોજન કર્યું હતું. બંને દેશોએ સહકાર વધારવા કૌશલ્ય વિકાસ નાગરીક ઉડ્ડયન, માહિતી ટેકનોલોજી તથા અવકાશ ક્ષેત્રોને તારવી કાઢયા છે.

શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત ગણાવીને સપ્ટેમ્બર માસમાં રાફેલ યુદ્ધ વિમાનોનો પ્રથમ જથ્થો મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આતંકવાદ તથા ઉદ્દામવાદને વિશ્વ સામેના મોટા પડકારો ઓળખાવીને બંને અગ્રણીઓએ સલામતી ક્ષેત્રના સહકારને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો હતો.

ભારત અને ફ્રાંસના સુદ્રઢ સહકારના કારણે જ ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને યોગ્ય માપદંડોનું પાલન નહીં કરવા માટે પ્રતિબંધીત યાદીમાં સામેલ કરાયું છે. બંને દેશોએ માર્ચ ૨૦૧૯માં મંજુર કરાયેલ તથા આતંકવાદને નાણા સહાય મળતી રોકવાના ઉપાયોને અમલમાં મૂકવાની જાગવાઈવાળા UNSCના બે હજાર ૪૬૨ ઠરાવને અમલમાં મૂકવાની અપીલ કરી છે. સંરક્ષણ ક્ષેત્રના સહકારના ભાગરૂપે ભારત અને ફ્રાંસની સેનાઓએ વરૂણ અને ગરૂડ નામની સંયુક્ત કવાયતો હાથ ધરાઈ હતી.

ભારત-પ્રશાંત વિસ્તારનું વધતું જતુ મહત્વ ઓળખીને, ભારત તથા ફ્રાંસ, મેરીટાઇમ તથા સાયબર સલામતી ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટરીંગ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા એક સમજૂતી કરી. બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રના સહકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઉર્જા ક્ષેત્રે મહારાષ્ટ્રના જૈતપુરમાં પરમાણુ ઉર્જા મથકના છ પરમાણુ રીએકટ્રોના બાંધકામ સાથે ફ્રાંસની ભારતમાં ઉર્જાક્ષેત્રની કામગીરી વધુ સઘન બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન, દ્વિપક્ષીય વેપાર વધારવા તથા વેપાર ક્ષેત્રના મુદ્દાઓ ઉકલેવા માટે આર્થિક ક્ષેત્રની મંત્રણાઓ વધારવાની સંમતિ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના વિદ્યાર્થીઓના સંપર્ક અને એકબીજાના દેશોમાં લઇ જવાના કાર્યક્રમને હજી સઘન બનાવવા ઉપર ભાર મૂકયો હતો. ભારતમાં ફ્રાંસથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. 

ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાંસમાં શિક્ષણ લીધા પછી થોડાક સમય રોકાઇને નોકરી કરી શકે તે માટે ભારતીય વિદ્યાર્થીઓને મંજુરી હોય તેવી સમજૂતી બંને દેશો વચ્ચે સધાઇ છે. ભારતની અવકાશ ક્ષેત્રની જરૂરિયાત ધ્યાનમાં લઇને ફ્રાંસ ભારતીય અવકાશવીરોને જરૂરી તબીબી તાલીમ પૂરી પાડશે.

ભારત અને ફ્રાંસે, ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે સંયુક્ત સર્વગ્રાહી કાર્યયોજની –JCPOAને અનુસરવા ઉપર ભાર મૂક્યો હતો. બંને દેશોના વડાઓએ આ પ્રકારના અન્ય મુદ્દાઓનો ઉકેલ વાતચીત વડે ઉકેલવા ઉપર ભાર મૂક્યો. ભારત, જી-સાત સંગઠનનો સભ્ય દેશ ન હોવા છતાં ફ્રાંસે, ભારતને આ સંગઠનની શીખર બેઠકમાં આમંત્રણ આપ્યું છે. જી-સાત દેશોની બેઠકનો મંચ ભારત આ સંગઠનના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય વાતચીતનો મંચ પૂરો પાડશે.




લેખક : પ્રોફેસર ઉમ્મુ સલમા બાવા, JNUના યુરોપીયન અભ્યાસ કેન્દ્રના ચેરપર્સન

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...