પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસની આ સપ્તાહમાં લીધેલી મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યુહાત્મક સંબંધો હજી મજબૂત બન્યા છે. કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ રદ કરાયા બાદ ઊભી થયેલી પરિÂસ્થતિમાં ફ્રાંસે આ સમગ્ર બાબતને ભારતની આંતરીક બાબત ગણાવતા, ભારતના દાવાને મજબૂત સમર્થન મળ્યું કહેવાય. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બંધ બારણે કાશ્મીર મુદ્દો ચર્ચાયો ત્યારે ફ્રાંસે ભારતના વલણને સમર્થન આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસના સંબંધો સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંત ઉપર ટકયા છે. બંને દેશોના વડાઓએ ભારત - ફ્રાંસ વચ્ચેની વર્ષો જૂના મિત્રતા અને સહકારના સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂકીને આ હેતુથી આયોજન કર્યું હતું. બંને દેશોએ સહકાર વધારવા કૌશલ્ય વિકાસ નાગરીક ઉડ્ડયન, માહિતી ટેકનોલોજી તથા અવકાશ ક્ષેત્રોને તારવી કાઢયા છે.
શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત ગણાવીને સપ્ટેમ્બર માસમાં રાફેલ યુદ્ધ વિમાનોનો પ્રથમ જથ્થો મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આતંકવાદ તથા ઉદ્દામવાદને વિશ્વ સામેના મોટા પડકારો ઓળખાવીને બંને અગ્રણીઓએ સલામતી ક્ષેત્રના સહકારને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો હતો.
ભારત અને ફ્રાંસના સુદ્રઢ સહકારના કારણે જ ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને યોગ્ય માપદંડોનું પાલન નહીં કરવા માટે પ્રતિબંધીત યાદીમાં સામેલ કરાયું છે. બંને દેશોએ માર્ચ ૨૦૧૯માં મંજુર કરાયેલ તથા આતંકવાદને નાણા સહાય મળતી રોકવાના ઉપાયોને અમલમાં મૂકવાની જાગવાઈવાળા UNSCના બે હજાર ૪૬૨ ઠરાવને અમલમાં મૂકવાની અપીલ કરી છે. સંરક્ષણ ક્ષેત્રના સહકારના ભાગરૂપે ભારત અને ફ્રાંસની સેનાઓએ વરૂણ અને ગરૂડ નામની સંયુક્ત કવાયતો હાથ ધરાઈ હતી.
ભારત-પ્રશાંત વિસ્તારનું વધતું જતુ મહત્વ ઓળખીને, ભારત તથા ફ્રાંસ, મેરીટાઇમ તથા સાયબર સલામતી ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટરીંગ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા એક સમજૂતી કરી. બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રના સહકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઉર્જા ક્ષેત્રે મહારાષ્ટ્રના જૈતપુરમાં પરમાણુ ઉર્જા મથકના છ પરમાણુ રીએકટ્રોના બાંધકામ સાથે ફ્રાંસની ભારતમાં ઉર્જાક્ષેત્રની કામગીરી વધુ સઘન બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન, દ્વિપક્ષીય વેપાર વધારવા તથા વેપાર ક્ષેત્રના મુદ્દાઓ ઉકલેવા માટે આર્થિક ક્ષેત્રની મંત્રણાઓ વધારવાની સંમતિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના વિદ્યાર્થીઓના સંપર્ક અને એકબીજાના દેશોમાં લઇ જવાના કાર્યક્રમને હજી સઘન બનાવવા ઉપર ભાર મૂકયો હતો. ભારતમાં ફ્રાંસથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાંસમાં શિક્ષણ લીધા પછી થોડાક સમય રોકાઇને નોકરી કરી શકે તે માટે ભારતીય વિદ્યાર્થીઓને મંજુરી હોય તેવી સમજૂતી બંને દેશો વચ્ચે સધાઇ છે. ભારતની અવકાશ ક્ષેત્રની જરૂરિયાત ધ્યાનમાં લઇને ફ્રાંસ ભારતીય અવકાશવીરોને જરૂરી તબીબી તાલીમ પૂરી પાડશે.
ભારત અને ફ્રાંસે, ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે સંયુક્ત સર્વગ્રાહી કાર્યયોજની –JCPOAને અનુસરવા ઉપર ભાર મૂક્યો હતો. બંને દેશોના વડાઓએ આ પ્રકારના અન્ય મુદ્દાઓનો ઉકેલ વાતચીત વડે ઉકેલવા ઉપર ભાર મૂક્યો. ભારત, જી-સાત સંગઠનનો સભ્ય દેશ ન હોવા છતાં ફ્રાંસે, ભારતને આ સંગઠનની શીખર બેઠકમાં આમંત્રણ આપ્યું છે. જી-સાત દેશોની બેઠકનો મંચ ભારત આ સંગઠનના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય વાતચીતનો મંચ પૂરો પાડશે.
લેખક : પ્રોફેસર ઉમ્મુ સલમા બાવા, JNUના યુરોપીયન અભ્યાસ કેન્દ્રના ચેરપર્સન
Comments
Post a Comment