Skip to main content

યેમનમાં સ્વપ્નવત બની રહેલી શાંતિ અંગે સમીક્ષા

યેમનમાં છેલ્લા સપ્તાહમાં બનેલા ઘટનાક્રમમાં રસપ્રદ વળાંક આવ્યો હતો. એડનના બળવા બાદ યેમનમાં અલગતાવાદી ચળવળના વડાએ પ્રથમવાર સાઉદી અરેબીયા દ્વારા શરૂ કરાયેલી શાંતિવાર્તામાં સહભાગી થવાની તૈયારી દર્શાવી છે.

સંયુક્ત આરબ અમીરાત – યુએઈના સમર્થન ધરાવતા અલગતાવાદી જૂથે લોહીયાળ સંઘર્ષ ખેલીને પ્રેસીડેન્શીયલ પેલેસ ઉપર કબજા મેળવ્યો હતો. આ સંઘર્ષમાં ૪૦ લોકોના મોત થયા હતા તથા ૨૬૦ લોકોને ઈજા થઈ હતી.

અલગતાવાદી જુથના નેતા ઐદારૂસ-અલ-ઝુબૈદીએ દાવો કર્યો હતો કે, એ.એમ.હૈદીના દળોએ હૌતી ચળવળના નેતાની હત્યાનો પ્રયાસ કરતા હિંસા ફાટી નીકળી હતી. સાઉદી અરેબીયાના દળોએ એડન શહેરના સદર્ન ટ્રાન્ઝીશનલ કાઉન્સીલના ઠેકાણા ઉપર હવાઈ હુમલા શરૂ કરતા વાતચીત બાબતે જાહેરાત કરાઈ છે.

યુએઈ તથા સાઉદી અરેબીયાએ એડનમાં તનાવ ઘટાડવા માટે સરકાર તરફી યેમનના પક્ષોને આવતા અઠવાડીયે ચર્ચા કરવાનું સૂચન કર્યું છે. આ સંઘર્ષના મૂળ વર્ષ ૨૦૧૧ની ઘટના સુધી પહોંચે છે.

વર્ષ ૨૦૧૧માં થયેલા આરબ વિદ્રોહમાં અલી અબ્દુલ્લાહ સાલેહને સત્તાના સૂત્રો પોતાના નાયબ હાદીને સોંપવાની ફરજ પડી હતી. હાદીની સરકાર પોતાના શાસનકાળમાં જેહાદી હુમલા જેવા આંતરીક બાબતોના ઉકેલમાં અટવાયેલી રહી હતી.

આ ઉપરાંત ભ્રષ્ટાચાર, અન્ન સલામતી તથા દક્ષિણ અલગતાવાદી ચળવળ જેવી સમસ્યાઓ ઉકેલવામાં પણ હાદી સરકાર અટવાયેલી રહી હતી. આ બધી જ બાબતોના લીધે હૌતી-શીયા બળવાખોરોને વધુ અનુકૂળતા મળી.

હૌતી બળવાખોરોએ યેમનના નાગરીકો તથા સત્તા પરિવર્તનથી નિરાશ થયેલા સુન્નીઓના સાથ સહકારથી હૌતી બળવાખોરોએ સૌદા-સાના ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.

અખાતમાં અરેબીયાના પ્રતિસ્પર્ધી ગણાતા ઈરાનનું હૌતી બળવાખોરોને સમર્થન મળ્યું હોવાની આશંકાથી સાઉદી અરેબિયાએ બળવાખોરોના વિરોધમાં અને હાદી સરકારને મદદરૂપ થવા વર્ષ ૨૦૧૫માં સંયુક્ત દળની રચના કરી.

આ સંયુક્ત દળમાં સાઉદી અરેબીયા ઉપરાંત યુએઈ, કુવૈત, બહરીન, કતાર, સુદાન, જાર્ડન અને મોરક્કો પણ જાડાયા હતા. જ્યારે અમેરિકા અને બ્રીટને અરેબિયાના સંયુક્ત દળને ઉપકરણોની મદદ આપી. સાઉદીના નેતૃત્વ હેઠળના સંયુક્ત દળોએ દક્ષિણ યેમનમાંથી હૌતીઓને ખદેડી કાઢ્યા છે.

વર્ષ ૨૦૧૭માં અરેબીયાના રીયાધ ઉપર મીસાઈલ હુમલો કર્યા બાદ સાઉદી અરેબીયાના વડપણ હેઠળના દળે બળવાખોરોના કબજા હેઠળના હોદૈદા બંદર શહેર ઉપર હુમલો કર્યો હતો. ઘણા સમયથી ચાલી રહેલા આ આંતર વિગ્રહના કારણે યેમનમાં પારાવાર જાનહાની થઈ છે. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં તેની નોંધ વિશ્વની સૌથી મોટી માનવસર્જીત દુર્ઘટના તરીકે લેવાઈ છે.

માનવતાવાદી કામગીરી કરતી સંસ્થાએ નોંધ્યું છે કે, વીસ લાખ બાળકો તથા દસ લાખ સગર્ભા †ીઓ સહિત આશરે એક કરોડ ૪૩ લાખથી વધુ લોકોને ખોરાકની તાતી જરૂરીયાત છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં શાંતિ સમજુતીનો પ્રયાસ કર્યો હતો. હૌતી બળવાખોરોએ રીડીપ્લોયમેન્ટ અંગે વચન આપ્યું હતું પણ તે દિશામાં પ્રગતિ થઈ નથી. રાતા સમુદ્ર તથા ગલ્ફ ઓફ એડન વચ્ચેની સમુદ્ર ધુની વિસ્તારમાં આવેલ યેમન અલકાયદા તથા આઈએસઆઈએસ જેવા સંગઠનો માટે સલામત વિસ્તાર તરીકે જાણીતો છે. આ વિગ્રહને સાઉદી અરેબીયા તથા ઈરાન વચ્ચે પ્રાદેશિક પ્રભુત્વ મેળવવા શરૂ થયેલ સ્પર્ધાએ નવું બળ આપ્યું.

સાઉદી અરેબીયાના સમર્થનવાળા દળો અને યુએઈના તલીમપામેલા દળો – શીયા હૌતી બળવાખોરો સાથે લડી રહ્યા હોવાથી આ વિસ્તારની પરિÂસ્થતિ વધુ સંકુલ બની છે. યેમનમાં થયેલા વિગ્રહના કારણે વિશ્વમાં થતી ખનીજતેલની કુલ હેરફેર પૈકી ૨૦ ટકા હેરફેર જાખમમાં મૂકાઈ છે. યેમનમાં શાંતિ જળવાય તે ભારતની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ વિગ્રહની સીધી અસર ભારત અને યેમનના સંબંધો ઉપર થઈ રહી છે.

આ વિગ્રહના લીધે ભારતે તેનો રાજદૂતાવાસ સાનાથી – દીજીબૌતી ખસેડવો પડ્યો છે. ભારત સરકારે યેમનમાં પ્રવાસ નહીં કરવાની સૂચના ભારતીય નાગરિકોને આપી છે.

વર્ષ ૨૦૧૫માં ભારતે ઓપરેશન રાહત હાથ ધરીને ચાર હજાર ૬૪૦ ભારતીયો તથા ૯૬૦ વિદેશી નાગરિકોને વિમાન તથા જહાજ વડે સલામત સ્થળે ખસેડ્યા છે. ભારતીયો યેમનમાં બાંધકામ કામગીરી તથા માનવતાના ધોરણે હાથ ધરાતી કામગીરી જાડાયેલા છે, આથી જ ભારત યેમનમાં શાંતિ સ્થાપવા ઈચ્છે છે.



શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

લેખીકા – ડોક્ટર લક્ષ્મીપ્રિયા, આઈડીએસએના સંશોધક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...