પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારને સત્તામાં એક વર્ષ પૂર્ણ થયું હતું.
સરકારે, મતદારો અને નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિવસ તરીકે ઉજવણી કરી હતી જ્યારે વિપક્ષોએ એક વર્ષની કામગીરીના વિરોધમાં દેખાવો કર્યા હતા.
પી.એમ.એલ. (એન) પી.પી.પી. સહિત બધા જ વિરોધ પક્ષોએ લાહોર, કરાંચી, કવેટા સહિત વિવિધ શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સાથે મળીને કર્યા હતા. મરીયમ નવાઝ, બીલાવલ, ભુટ્ટો સહિત બધા જ વિપક્ષી નેતાઓએ – અમેરીકાના આદેશ મુજબ વર્તન કરવાનો આર્થિક મુશ્કેલી વધારતી કામગીરી કરનાર, વિપક્ષ સામે વેરભાવ રાખવાના આક્ષેપો પાકિસ્તાનની સરકાર સામે કર્યા હતા. મૌલાના ફઝલુર રહેમાને ઓગસ્ટ માસમાં પ્રધાનમંત્રી ઇમરાખન ખાનને રાજીનામુ આપવાની અથવા સમગ્ર દેશ ઇસ્લામાબાદ સુધી કૂચ કરીને સરકારને પદ પરથી ખસેડવામાં આવશે, તેવી ચીમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને ભૂતકાળમાં નવાઝ શરીફને પદ પરથી ખસેડવા માટે આંદોલન તથા રેલી જેવા માર્ગોનો પ્રયોગ કર્યો હતો.
તેમણે ઇસ્લામાબાદ તરફથી કૂચ તથા ઇસ્લામાબાદમાં ધરણા જેવા આંદોલનો કર્યા હતા, જેના લીધે જનજીવન ઠપ્પ થયું હતું. હવે વિપક્ષે પણ એજ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે.
ઇમરાન ખાનની સરકારે – યુવાનોને રોજગારી અર્થતંત્રમાં સુધારો – તથા સુશાસનના વચનો આપીને સત્તા મેળવી હતી. જા કે વાસ્તવિકતાએ છે કે અર્થતંત્ર મુશ્કેલીમાં છે, લોકોની રોજગરીની તકો ઓછી થઇ રહી છે, વસ્તુઓની કિંમતો વધી રહી છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને બાકીની ચીજવસ્તુઓ મહત્વની ન હોય એવી રીતે માત્ર રોટલી તથા નાનની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે.
સરકારે નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરોનો ઉપયોગ શરૂ કરતા નવાઝ શરીફ, અસીફ અલી ઝરદારી તથા શાહિદ ખાન અબ્બાસી જેવા ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ધકેલાયા છે.
વિપક્ષોએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે તે માત્ર કઠપુતલી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે વાસ્તવમાં બધી જ સત્તા સેના હસ્તક છે. આથી જ વિપક્ષો કટાક્ષમાં ઇમરાનખાનને પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે ઓળખાવે છે.
પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાને નવરચિત આર્થિક વિકાસ પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા તે પરથી સેનાનો સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ દેખાયો છે.
પાકિસ્તાનના ઇતિહાસમાં અમેરીકા સાથે મંત્રણા કરવા જતા આગેવાનો સાથે સેનાના અધિકારી જાડાયા હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે. આ બાબત સેનાનો વહિવટીતંત્ર ઉપર કેટલો પ્રભાવ છે, તે સૂચવે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મૂળના અમેરીકન અર્થશાસ્ત્રી અતીફ મીયાંને, આર્થિક વિકાસ પરિષદમાં સમાવવાના ઇમરાન ખાનની દરખાસ્તનો પાક.સેનાના કેટલાક વગદારોએ વિરોધ કરતા ઇમરાન ખાનને આ ઓફર પાછી ખેંચવાની ફરજ પડી છે.
ઇમરાન ખાન શાસન કરતા એક એવું મહોરુ છે કે જે સેનાના હાથમાં રહેલા રિમોટ કન્ટ્રોલ વડે ચાલે છે.
ઇમરાન ખાનનો તેહેરીકે – ઇન્સાફ પક્ષ નવો હોવાથી તેને પણ સેનાની સહાયની જરૂર છે. સરકારનો ટી.વી. મીડીયા પર કેટલો પ્રભાવ છે તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે.
સત્તાવાળાઓએ ટી.વી. ચેનલોને ૨૫ મી જુલાઇએ સત્તાવાર ઉજવણીના અહેવાલો પ્રસારિત કરવાની છુટ આપી હતી પણ વિપક્ષના દેખાવોના સમાચારો દર્શાવવામાં આવ્યા ન હતા. જા કે ઇમરાન ખાન એ બાબત ભૂલી ગયા છે કે પાકિસ્તાનની આજ મિડીયાએ વિપક્ષના નેતા તરીકે તેમની કામગીરીને લોકો સુધી પહોંચાડી હતી અને તેના લીધે જ વર્ષ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાનખાનને સફળતા મળી હતી.
તાજેતરમાં, પ્રસાર માધ્યમના વિરોધના ભાગરૂપે પાકિસ્તાનમાં મીડીયા કોર્ટની સ્થાપના કરવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા કાયદાના શાસનવાળુ નવું પાકિસ્તાન બનાવવાની વાત નવી સરકાર માટે મુશ્કેલ કાર્યબની રહ્યું છે.
આગામી દિવસોમાં સરકાર તથા વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધશે એ બાબત નક્કી છે.
લેખક ઃ અશોક હાંડુ – રાજકીય સમીક્ષક
Comments
Post a Comment