Skip to main content

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારનું એક વર્ષ – ઉજવણી અને દેખાવો – અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારને સત્તામાં એક વર્ષ પૂર્ણ થયું હતું.

સરકારે, મતદારો અને નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિવસ તરીકે ઉજવણી કરી હતી જ્યારે વિપક્ષોએ એક વર્ષની કામગીરીના વિરોધમાં દેખાવો કર્યા હતા.

પી.એમ.એલ. (એન) પી.પી.પી. સહિત બધા જ વિરોધ પક્ષોએ લાહોર, કરાંચી, કવેટા સહિત વિવિધ શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સાથે મળીને કર્યા હતા. મરીયમ નવાઝ, બીલાવલ, ભુટ્ટો સહિત બધા જ વિપક્ષી નેતાઓએ – અમેરીકાના આદેશ મુજબ વર્તન કરવાનો આર્થિક મુશ્કેલી વધારતી કામગીરી કરનાર, વિપક્ષ સામે વેરભાવ રાખવાના આક્ષેપો પાકિસ્તાનની સરકાર સામે કર્યા હતા. મૌલાના ફઝલુર રહેમાને ઓગસ્ટ માસમાં પ્રધાનમંત્રી ઇમરાખન ખાનને રાજીનામુ આપવાની અથવા સમગ્ર દેશ ઇસ્લામાબાદ સુધી કૂચ કરીને સરકારને પદ પરથી ખસેડવામાં આવશે, તેવી ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને ભૂતકાળમાં નવાઝ શરીફને પદ પરથી ખસેડવા માટે આંદોલન તથા રેલી જેવા માર્ગોનો પ્રયોગ કર્યો હતો.

તેમણે ઇસ્લામાબાદ તરફથી કૂચ તથા ઇસ્લામાબાદમાં ધરણા જેવા આંદોલનો કર્યા હતા, જેના લીધે જનજીવન ઠપ્પ થયું હતું. હવે વિપક્ષે પણ એજ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

ઇમરાન ખાનની સરકારે – યુવાનોને રોજગારી અર્થતંત્રમાં સુધારો – તથા સુશાસનના વચનો આપીને સત્તા મેળવી હતી. જા કે વાસ્તવિકતાએ છે કે અર્થતંત્ર મુશ્કેલીમાં છે, લોકોની રોજગરીની તકો ઓછી થઇ રહી છે, વસ્તુઓની કિંમતો વધી રહી છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને બાકીની ચીજવસ્તુઓ મહત્વની ન હોય એવી રીતે માત્ર રોટલી તથા નાનની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે.

સરકારે નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરોનો ઉપયોગ શરૂ કરતા નવાઝ શરીફ, અસીફ અલી ઝરદારી તથા શાહિદ ખાન અબ્બાસી જેવા ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ધકેલાયા છે.

વિપક્ષોએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે તે માત્ર કઠપુતલી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે વાસ્તવમાં બધી જ સત્તા સેના હસ્તક છે. આથી જ વિપક્ષો કટાક્ષમાં ઇમરાનખાનને પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે ઓળખાવે છે.

પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાને નવરચિત આર્થિક વિકાસ પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા તે પરથી સેનાનો સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ દેખાયો છે.

પાકિસ્તાનના ઇતિહાસમાં અમેરીકા સાથે મંત્રણા કરવા જતા આગેવાનો સાથે સેનાના અધિકારી જાડાયા હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે. આ બાબત સેનાનો વહિવટીતંત્ર ઉપર કેટલો પ્રભાવ છે, તે સૂચવે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મૂળના અમેરીકન અર્થશાસ્ત્રી અતીફ મીયાંને, આર્થિક વિકાસ પરિષદમાં સમાવવાના ઇમરાન ખાનની દરખાસ્તનો પાક.સેનાના કેટલાક વગદારોએ વિરોધ કરતા ઇમરાન ખાનને આ ઓફર પાછી ખેંચવાની ફરજ પડી છે.

ઇમરાન ખાન શાસન કરતા એક એવું મહોરુ છે કે જે સેનાના હાથમાં રહેલા રિમોટ કન્ટ્રોલ વડે ચાલે છે.

ઇમરાન ખાનનો તેહેરીકે – ઇન્સાફ પક્ષ નવો હોવાથી તેને પણ સેનાની સહાયની જરૂર છે. સરકારનો ટી.વી. મીડીયા પર કેટલો પ્રભાવ છે તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. 

સત્તાવાળાઓએ ટી.વી. ચેનલોને ૨૫ મી જુલાઇએ સત્તાવાર ઉજવણીના અહેવાલો પ્રસારિત કરવાની છુટ આપી હતી પણ વિપક્ષના દેખાવોના સમાચારો દર્શાવવામાં આવ્યા ન હતા. જા કે ઇમરાન ખાન એ બાબત ભૂલી ગયા છે કે પાકિસ્તાનની આજ મિડીયાએ વિપક્ષના નેતા તરીકે તેમની કામગીરીને લોકો સુધી પહોંચાડી હતી અને તેના લીધે જ વર્ષ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાનખાનને સફળતા મળી હતી.

તાજેતરમાં, પ્રસાર માધ્યમના વિરોધના ભાગરૂપે પાકિસ્તાનમાં મીડીયા કોર્ટની સ્થાપના કરવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા કાયદાના શાસનવાળુ નવું પાકિસ્તાન બનાવવાની વાત નવી સરકાર માટે મુશ્કેલ કાર્યબની રહ્યું છે. 

આગામી દિવસોમાં સરકાર તથા વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધશે એ બાબત નક્કી છે.

લેખક ઃ અશોક હાંડુ – રાજકીય સમીક્ષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...