પાકિસ્તાન ધ્વારા કાશ્મીર મુદૃને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પ્રયત્નોને પ્રતિકુળતા મળી છે. પાકિસ્તાનના મિત્રો ચીન અને સાઉદી અરેબીયાએ પણ આ બાબતે ઉદાસીનતા બતાવી છે. રીયાધ અને બૈઇઝિંગ બંનેએ ઈસ્લામાબાદને કહયું છે કે તેઓ આ બાબતે વધુ કરી શકે તેમ નથી. હકિકતમાં બંને દેશોએ શાંતિ સ્થાપવાનું જણાવ્યું છે. ભારતે તેના બંધારણની ત્રણસો સિત્તેરની કલમ રદ કરી છે, ત્યારથી પાકિસ્તાનની સિવિલ અને મિલેટ્રી સત્તાવાળાઓએ પ્રયત્નો કર્યા છે. ભારતે અગાઉના રાજ્ય જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠન કર્યુ છે, જેમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. ભારતની સંસદના બંને સભાગૃહોએ ખુબ જ ઉમળકા પૂર્વક મતદાન કરી તરફેણ કરી હતી. આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવા પાછળનો હેતુ બંને પ્રદેશોમાં વિકાસને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજય છેલ્લા ત્રણ દાયકાઓથી સરહદ પારના આતંકવાદને સહન કરી રહ્યું હતું. આતંકવાદ નજર રાખવાનો પણ હેતુ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રણ દાયકાઓમાં આશરે બેતાલીસ હજારથી વધુ નિર્દોષોના જાન ગયા છે. ત્રણસો સીત્તેરમી કલમ રદ બાતલ કરવાથી તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃ ગઠન કરવાની ભારતની જાહેરાતથી પાકિસ્તાનના દિલમાં તેલ રેડાયું છે. ઈસ્લામાબાદ સારી રીતે જાણે છે કે આ બાબત ભારતની આંતરીક બાબત છે અને અન્ય દેશોને કોઈ લેવા દેવા નથી. ભારતનું આ પગલુ પ્રાદેશિક વિકાસમાં પણ પરિવર્તન લાવનારૂ બની રહેશે. પાકિસ્તાનના મનમાં એવું હતું કે કાશ્મીરના પ્રશ્નને જીવંત રાખીને તેની ઈચ્છાઓ પુરી કરી શકશે. પણ હવે પાકિસ્તાન પાસે તેનો કોઈ વિકલ્પ નથી. ઐતિહાસીક રીતે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે હંમેશા હાર પામતું આવ્યું છે. એ સત્ય સ્વીકારી શકતું નથી કે જમ્મુ અને કાશ્મીરએ ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાને વાસ્તવમાં કાશ્મીરમાંની ભારતની તેર હજાર ચોરસ કિલોમીટરની જમીનને ગેરકાયદેસર રીતે લઈ લીધી છે. ઈસ્લામાબાદે તે યોગ્ય બાબત હશે કે જયારે તેને ગેરકાયદેસર રીતે કબ્જા કરાયેલી જમીન ખાલી કરે.
સુરક્ષા પરિષના કાયમી સભ્યો અમેરિકા યુકે, ફ્રાન્સ અને રશિયાએ કલમ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની મદદ આપી નથી. રશિયાએ કહ્યું કે, આ નિર્ણય ભારતીય ગણતંત્રના બંધારણના માળખાની અંદર લેવાયો હતો અને પાકિસ્તાન, વચ્ચેના મુદ્દાઓ ૧૯૭૨ના સિમલા કરાર અને ૧૯૯૯ના લાહોર ઘોષણા મુજબ ઉકેલવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરને બે પ્રદેશોમાં વિભાજન કરવાના ભારતના નિર્ણયથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યું છે. અમેરિકાએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જા રદ કરતા પહેલાં ભારતે અમેરિકાની સલાહ લીધી ન હતી. અથવા એ અંગે અમેરિકાને અગાઉ જાણ પણ કરી ન હતી. અમેરિકાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય એ ભારતની આંતરિક બાબત છે અને જે આ પ્રદેશમાં શાંતિ જાળવવા જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ - યુએને પણ આ મામલે દરમિયાનગીરી કરવા અને ભારત ઉપર દબાણ કરવાનો ઇન્કાર કર્યો છે. યુએનના મહામંત્રી એન્ટોનિઓ ગુટેર્સે બંને દેશોને ૧૯૭૨ના સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય મુદ્દાઓ ઉકેલવા જણાવ્યું છે. આ ઉપરાંત આ અંગે સુરક્ષા પરિષદને માહિતગાર કરવાની પણ યુએન મહામંત્રીની કોઈ યોજના નથી. કોઈપણ ગંભીર ઘટનાને સમર્થન આપવા મહામંત્રી દ્વારા સુરક્ષા પરિષદને જાણ કરવાની પ્રથા છે.
એટલે જ વૈશ્વિકસ્તરના વાસ્તવિક રાજકારણમાં પાકિસ્તાન ખોવાઈ ગયું છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીર મામલે તે ભોગ બન્યું હોવાનું બતાવી આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવા ઇચ્છે છે પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ એવું માનતું નથી. પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને જનરલ કવામાર બાજવા માટે નાણાકીય કાર્યદળની આગામી બેઠક પહેલાં દેશમાં સુવ્યવસ્થા જાળવવી જરૂરી છે. કારણ કે, આ બેઠકમાં આતંકી સંગઠનોને અપાતી નાણાંકીય સહાય મામલે પાકિસ્તાને કોઈ ચોક્કસ કાર્યવાહી ન કરી હોવાના કારણે તેને બ્લેકલિસ્ટ કરી શકાશે. પાકિસ્તાને પાડોશીયાની બાબત કરતાં તેના પોતાના નાગરિકો પર ધ્યાન કેન્દ્રીત કરવું જાઈએ.
Comments
Post a Comment