Skip to main content

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પશ્ચિમ આફ્રિકાના દેશો મુલાકાતથી ભારતના આ દેશો સાથેના સંબંધો મજબૂત બન્યા – આ વિષે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ આફ્રિકાના ત્રણ દેશો – ગામ્બીયા , બેનીન તથા ગીનીની સાત દિવસની સત્તાવાર મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની મુલાકાત માટે ભારતે જે ત્રણ દેશોની પસંદગી કરી હતી, તેથી ભારત આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવાને કેટલું મહત્વ આપે છે, તે બાબત પુરવાર થઇ છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રથમવાર આ ત્રણ દેશોની મુલાકાતે ગયા હોવાથી શ્રી રામનાથ કોવિંદની મુલાકાતે આગવું મહત્વ ધારણ કર્યું.

બાકીના આફ્રિકન દેશોની તુલનાએ પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના ભારતના સંબંધો ભાષાની મુશ્કેલી તથા અંતરના લીધે અગાઉ મજબૂત ન હોતા. ભારતે આફ્રિકાના દેશો સાથે સંબંધો વધારવા ભૂતકાળમાં જે નીતિ અપનાવી કે પહેલો કરી હતી, તેમ છતાં પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના તેની ક્ષમતા કરતા ઓછા રહ્યા હતા.

તાજેતરમાં ભારતે આફ્રિકામાં ૧૮ મીશનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પૈકી મોટાભાગના મીશનો પશ્ચિમી આફ્રિકાના દેશોમાં સ્થપાશે. આ મીશનો સ્થપાતા સંબંધિત દેશો સાથે ભારતની ઉચ્ચસ્તરીય મુલાકાતો વધશે અને આ દ્રષ્ટિએ પશ્ચિમી આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે, તે બાબત સ્પષ્ટ થાય છે.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે – બેનીન સહિતના ત્રણ દેશો ની મુલાકાત વખતે ત્રણ દેશો પૈકી બેનીન અને ગામ્બીયાની નેશનલ એસેમ્બ્લીઓમાં સંબોધન કર્યું હતું. તથા ત્રણેય દેશોમાં વસતા ભારતીયો સાથે ખાસ કાર્યક્રમોમાં સંવાદ પણ કર્યોહતો.

આ બધા જ સંવાદો તથા મંત્રણામાં વેપાર, મૂડીરોકાણ, કૃષિ, ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વિશ્વની વિવિધ ઘટનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

બેનીનમાં બન્ને દેશો આર્થિક તથા દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સંમત થયા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે બેનીનના નાગરિકોને ઇ- વિઝા સુવિધા આપતા, નોંધ્યું હતું કે આના લીધે વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત અને સરળ બનશે. ગામ્બીયાની મુલાકાત દરમ્યાન શ્રી કોવિંદે ગામ્બીયા પાસેથી ભારતને રહેલી અપેક્ષાઓની વિગતો આપી હતી.

આ ત્રણેય દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા રાષ્ટ્રપતિએ મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે બેનીનના મહત્વના પ્રોજેક્ટો માટે ૧૦ કરોડ અમેરીકી ડોલરની ધિરાણ આપવાની જાહેરાત કરી.

એવી જ રીતે ગામ્બીયામાં ગૃહ ઉદ્યોગ – કુટીર ઉદ્યોગોના વિકાસ, ન્યાયતંત્ર – પોલીસતંત્ર તથા વહિવટીક્ષેત્રે તાલીમ આપવી, જેવા પ્રોજેક્ટો માટે પાંચ લાખ અમેરીકી ડોલરની સહાય ભારતે જાહેર કરી હતી. ગીનીમાં પાણી પુરવઠા યોજના માટે ૧૭ કરોડ અમેરીકી ડોલરની સહાયની જાહેરાત શ્રી કોવિંદે કરી હતી.

પર્યાવરણના રક્ષણ માટે સૌર ઉર્જાના ઉપયોગનું મહત્વ સમજાવીને રાષ્ટ્રપતિ કોવિંદે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જૂથમાં જાડાવા બદલ ગામ્બીયા, ગીની તથા બેનીનનો આભાર માન્યો. ભારતે સંરક્ષણ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો. ગીનીના અખાતમાં ચાંચીયાઓના ત્રાસને ધ્યાનમાં લઇ ભારતે ગીનીને આ ક્ષેત્રે ક્ષમતા વધારવા જરૂરી સહાય આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

ત્રણેય દેશોએ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં આતંકવાદના વધતા ભય અંગે ચિંતા વ્યક્ત કરી હદતી. આ મુલાકાત વખતે ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવા વિવિધ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેનીનમાં બંને દેશોએ – સાંસ્કૃતિક વેપાર, વીમો, તથા વિઝામાં રાહત જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

ગામ્બીયામાં – પરંપરાગત ઉપચાર પધ્ધતી તથા હોમીયોપથી ક્ષેત્રે સહકાર વધારવા સમજૂતી સધાઇ હતી. એવી જ રીતે ગીનીમાં પણ તબીબી, સાંસ્કૃતિક તથા પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર રીતે જાતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ત્રણ દેશોની મુલાકાત ખુબ જ સફળ રહી.
લેખીકા ઃ ડા. નિવેદીતા રે, આફ્રિકાની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...