Skip to main content

દક્ષિણ ચીની સમુદ્રમાં વધી રહેલા તણાવ-આ અંગે સમીક્ષા

દક્ષિણ ચીની સમુદ્રમાં તણાવો વધતાં દક્ષિણ ચીની સમુદ્ર અંગેનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બેંકોક ખાતે ચાલી રહેલી નવમી પુર્વ એશિયાના વિદેશ મંત્રીઓની પરિષદમાં આ વિવાદ ઉપર ચર્ચા થવાની પુર્ણ સંભાવના છે.ભારત તરફથી વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આ પરિષદમાં ભાગ લઈ રહયાં છે. હૈયાંગડિઝી આઠ નામના ગત મહિનાના પહેલા અઠવાડીયામાં ચીનના સર્વેક્ષણ જહાજે વિયેતનામના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ર૦૦ મીટર અંદર ઘુસી દરિયાઈમાં ધરતીકંપને લગતું સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. જેના પગલે વિયેતનામમાં ચિંતાઓ વધી ગઈ હતી. ચીન, તૈવાન અને બુનાઈ, મલેશિયા, ફિલીપાઈન્સ જેવા પ્રમુખ દક્ષિણ પુર્વ એશિયાઈ દેશો દક્ષિણ ચીન સમુદ્ર ઉપર દાવો કરે છે. આ એક લાંબા સમયથી ચાલી રહેલો દરિયાઈ સીમા વિવાદ છે. જેના કેન્દ્ર સ્થાને ચીન છે.

દક્ષિણ ચીની સમુદ્ર મામલે ચીનના વર્તનનું ધ્યાનપુર્વક વિશ્લેષણ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ચીન તેનો દાવો છોડવા અને અન્ય દેશોને છુટ આપવા ઈચ્છતુ નથી. રાષ્ટ્રપ્રમુખ રોડિગો ડયુર્ટેની આગેવાની હેઠળ ફિલીપાઈન્સના દાવાનો ગંભીરતા ઓછી થઈ છે. પરંતુ વિયેતનામ હજુ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ સરહદ અંગેના તેના અભિગમ ઉપર મકકમ છે. એટલે જ દક્ષિણ ચીની સમુદ્ર ખુબ જ મહત્વ ધરાવે છે. તે કુદરતી સંસાધનોથી સંપન્ન છે. દક્ષિણ ચીની સમુદ્રની અંદર અગીયાર અબજ બેરેલ તેલ અને ૧૬૦ ટ્રીલીયન કયુબીક ફોટ કુદરતી ગેસ છે. તે દરિયાઈ સંચાર માટેનો મહત્વનો માર્ગ છે. જેમાંથી ૮૦ ટકા જેટલો ચીનની આયાતો પસાર થાય છે.

લાંબા સમય સુધી સંયમ રાખ્યા પછી વિયેતનામે ફરીથી આ મુદૃનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું વલણ અપનાવ્યું છે. આ વખતે તેણે આ મુદૃ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગ્યો છે. વિયેતનામ ચર્તુપક્ષીય સુરક્ષા વાટાઘાટો અંતર્ગત થતાં મોટા પ્રયત્નોને પણ વધુ સમર્થન આપી રહયું હોય તેમ લાગે છે. ભારત આ વિવાદમાં કોઈ પક્ષ તરીકે પણ નથી કે તે કોઈ એક દેશ સાથે પણ નથી. પરંતુ તેના આ સમુદ્ર સાથે મોટા હિતો જાડાયેલા છે. દક્ષિણ ચીની સમુદ્ર માટે મહત્વનો છે, કારણ કે તેમા ભારતના ઓ.એન.જી.સી. નો વ્યાપારિક હિસ્સો છે. ભારતની સત્તાવાર દરજજા નોંધપાત્ર રીતે સંયુકત રાષ્ટ્રના સમુદ્રી નિયમો અંગેના ૧૯૮ર ના સંમેલનના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ઓવર ફલાઈટની સ્વતંત્રતા સુરક્ષિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય પાણીમાં અમર્યાદિત કાયદાકીય વેપાર સુનિશ્ચિત કરવાનો છે.

વિયેતનામ દ્વારા હંમેશા પુર્વ એશિયન પ્રદેશમાં ભારતની હાજરીને આવકારવામાં આવી છે. ભારત અને વિયેતનામ વચ્ચે સૌહાર્દપુર્ણ સંબંધો છે અને ભારતને વિયેતનામનો વિશ્વાસુ તેમજ નૈસર્ગિક સહયોગી દેશ માનવામાં આવે છે. વિયેતનામના વ્યાપક વ્યુહાત્મક સહયોગી ત્રણ દેશોમાં ભારત એક છે, બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય રાજકીય વિશ્વાસ જાવા મળે છે. ભારતને દક્ષિણ પુર્વ એશિયાના દેશોમાં એક જવાબદાર શકિતશાળી દેશ માનવામાં આવે છે. ભારતને આસિયાન નેતૃત્વ અંતર્ગત પુર્વ એશિયા સમિટ, આશિયાન પ્રાદેશિક મંચ વગેરેમાં મહત્વપુર્ણ ગણવામાં આવે છે. વિયેતનામ અને ચીન વચ્ચેના ભારતના મજબુત સંબંધોને જાતાં એ સ્વાભાવિક છે કે વિયેતનામ તેના સંદેશા વ્યવહારની સૌથી મહત્વપુર્ણ સમુદ્રી રેખાઓમાંથી એકને સુરક્ષિત રાખવા માટે ભારતના કદ પ્રમાણે તેના તરફ ધ્યાન આપશે.

ચીન સાથે બહુપક્ષીય વાટાઘાટો પર આગ્રહ રાખવાની તેમની અગાઉની Âસ્થતિથી દુર થતાં ફિલીપાઈન્સ અને વિયેતનામ પણ હવે અગાઉની Âસ્થતિથી દુર થતાં ફીલીપાઈન્સ અને વિયેતનામ પણ દ્વિપક્ષી મંત્રણા માટે યોગ્ય છે.

એક બાજુ ભારત અને વિયેતનામ વ્યુહાત્મક ભાગીદારો છે, તો ભારતે ચીન સાથેના તેના સંબંધોમાં પણ સકારાત્મકતા જાળવી રાખી છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતાના મહત્વ ઉપર ભાર મુકયો છે. આમા સંકળાયેલા તમામ પક્ષો સંયુકત રાષ્ટ્રના સમુદ્રના કાયદાઓનો સમર્થન કરે તે સૌના હિતમાં છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...