Skip to main content

અમેરિકા અને તાલીબાનો વચ્ચે મંત્રણા તથા ભારત સામેના વિકલ્પો અંગે સમીક્ષા

દોહામાં અમેરિકા તથા તાલીબાનોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મંત્રણાઓ સકારાત્મક વલણ સાથે પૂર્ણ થઈ છે. આ મંત્રણામાં ચોક્કસ સમયમર્યાદામાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તથા નાટો સંગઠનના દળોને પાછા બોલાવા બાબતે શાંતિ સમજૂતી સધાઈ છે.

તેના બદલામાં તાલીબાનોએ ખાતરી આપી છે કે, તેઓ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા તથા આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોને પગ મૂકવા દેશે નહીં. એવી જ રીતે તાલીબાનોએ સત્તાની વહેંચણી બાબતે અફઘાન સરકાર સાથે મંત્રણા કરવાનો તથા અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થીરતા સ્થાપવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

અમેરિકા સાથે મંત્રણા કરવા માટે વર્ષ ૨૦૧૩માં તાલીબાનોની દોહા ઓફિસનો આરંભ થયો હતો.

અગાઉ મંત્રણાના દોર યોજાયા હતા પણ મંત્રણા નિષ્ફળ ગઈ હતી.

વર્ષ ૨૦૧૪માં અમેરિકા અને નાટોના દળોએ આક્રમણની ઝુંબેશ પૂરી કરીને આ જવાબદારી અફઘાનિસ્તાનની સેનાએ સોંપી ત્યારપછી મંત્રણા ફળદાયી થવાનો માર્ગ મોકળો થયો.

હાલ તાલીબાનો અફઘાનિસ્તાનના ૫૦ ટકા વિસ્તાર ઉપર કબજા ધરાવે છે અને અફઘાન સેનાની ક્ષમતા તાલીબાનો કરતા ઓછી છે.

આથી એ બાબત સ્પષ્ટ થઈ કે તાલીબાનો સાથે મંત્રણા કર્યા વિના કે તેમને સત્તામાં હિસ્સો આપ્યા વિના અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના કરવી શક્ય નથી.

અમેરિકાના દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનું વચન આપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને તાલીબાનો વચ્ચે વાતચીત યોજવા, અમેરિકાના અફઘાનિસ્તાનના દૂત તરીકે ઝલ્મી ખલીલઝાદની નિમણૂક કરી છે. તેઓ અમેરિકાના દળો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાની કામગીરી પણ સરળ બનાવવામાં મદદરૂપ થવાના છે.

અફઘાન શાંતિ પ્રક્રિયાના વિવિધ સ્તરો છે. અમેરિકા અને તાલીબાનો વચ્ચે સીધી મંત્રણા ઉપરાંત અફઘાનિસ્તાનમાં હિત ધરાવતા દેશો પણ લાગતાવળગતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

અમેરિકાએ તાલીબાનો સાથે મંત્રણા શરૂ કરી તે પહેલા ચીને તાલીબાનો સાથે એકથી વધુ વખત વાતચીત કરી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને પણ ભાગ લીધો હતો.

આ ઉપરાંત રશિયાની વાતચીતની પહેલને મોસ્કો ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પણ તાલીબાનો જાડાયા હતા.

આ મંત્રણાઓ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા અને અફઘાનિસ્તાન તેમજ ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અમેરિકા-રશિયા અને ચીન – આ દેશોની મંત્રણાઓ પણ યોજાઈ હતી.

દોહા ખાતેની મંત્રણા ઉપરાંત હાર્ટ ઓફ એશિયા નામની ઈસ્તંબૂલની શાંતિ મંત્રણા પણ યોજાઈ છે.

આ બધી જ મંત્રણાઓના પ્રયાસો દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં ભવિષ્ય ધરાવતા તથા રસ ધરાવતા દેશો ત્યાંની રાજકીય પ્રક્રિયા સાથે જાડાયેલા રહેવાના પ્રયાસો કરી રહ્યા છે.

અમેરિકા તથા તાલીબાનો વચ્ચેની મંત્રણા કોઈ સમજૂતી તરફ આગળ વધી રહી છે, ત્યારે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને કેટલાક પ્રશ્નો મનમાં ઉભા થઈ રહ્યા છે.

ભવિષ્યમાં નવું શાસન સત્તાના સૂત્રો સંભાળશે ત્યારે તેનું સ્વરૂપ કેવું હશે?

તાલીબાનોએ એક તરફ એવી ખાતરી આપી છે કે, તેઓ આક્રમક વહિવટ કે શાસન તરફ પાછા ફરશે નહીં તો બીજી તરફ તાલીબાનોના મુખ્ય મંત્રણાકાર શેર મહંમદ અબ્બાસ સ્તાનીકઝાઈએ દોહરાવ્યું હતું કે, યુદ્ધ ચાલુ રખાશે.

ભારતે અફઘાનિસ્તાનની વિકાસ કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ અબજ અમેરિકી ડોલરનું રોકાણ ક્યું છે. ભારત અફઘાનિસ્તાનમાં ઝડપથી બની રહેલી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભારતને અફઘાનિસ્તાનમાં ૧૯૯૧ની જેમ ગૃહયુદ્ધની સંભાવના થવાની આશંકા છે.

જાકે ભારતે અફઘાનિસ્તાનના ભાવિનો નિર્ણય અફઘાની લોકો દ્વારા અને તેમના નેતૃત્વમાં લેવાય તે ઉપર ભાર મૂક્યો છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો ચોક્કસ શરતોના આધારે પાછા ફરશે ત્યારે અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયાનો મહત્વનો તબક્કો શરૂ થશે.

એવી જ રીતે તાલીબાનો તથા અફઘાનિસ્તાનની સરકાર વચ્ચે યોજાનારી મંત્રણા કઈ દિશામાં આગળ વધશે તે બાબત હજી નિશ્ચીત નથી અને આજ મહત્વનો સમયગાળો અફઘાનિસ્તાનનું રાજકારણ અને દિશા નિર્ધારીત કરશે

લેખીકા – ડોક્ટર સ્મૃતી પટનાયક, દક્ષિણ એશિયા બાબતોના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...