Skip to main content

પરસ્પર સંવેદનશીલ અભિગમ ઉપર આધારિત, ભારત-શ્રીલંકા વચ્ચેની ભાગીદારી અંગે સમીક્ષા



ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે, શ્રીલંકાના વિદેશમંત્રીના આમંત્રણના પગલે તાજેતરમાં શ્રીલંકાની બે દિવસની સત્તાવાર મુલાકાત લીધી હતી.

શ્રી જયશંકરની વર્ષ 2021ની આ પ્રથમ વિદેશયાત્રા હતી. શ્રી જયશંકરે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપકસેને મળીને તેમની સાથે મંત્રણા કરી હતી.

આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપકસે વિદેશમંત્રી દિનેશ ગુણવર્દને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી – ડગલસ દેવનંદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસીંઘે, વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, તમીળોના અગ્રણીઓ તથા શ્રીલંકાના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

શ્રી જયશંકરની શ્રીલંકાની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોને લગતા બધા જ મુદ્દાઓ અંગે સઘન ચર્ચાવિચારણા કરવાનો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે વિવિધ ક્ષેત્રે થયેલા સમજૂતી કરારમાં થઈ રહેલો વિલંબનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો.

ભારતના વિદેશમંત્રીએ ઉર્જા, માળખાકીય સુવિધાઓ, સંપર્ક જેવા ક્ષેત્રે થયેલા પ્રોજેક્ટોના ઝડપી અમલ ઉપર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, આમ થવાથી બંને દેશોના અર્થતંત્રની ગતિ ઝડપી બનશે.

શ્રીલંકાના વિદેશમંત્રી સાથેની મંત્રણા બાદ શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, પ્રવાસન તથા દવા ઉદ્યોગ ક્ષેત્રો સહિત ઘણા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવાની ઉજળી તકો રહેલી છે.

વિદેશમંત્રી જયશંકરે કોલંબો બંદરે, પૂર્વ કન્ટેઇનર ટર્મિનલ – ECT વિકસાવવા બાબતે પણ ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની અગાઉની સરકારના શાસનકાળમાં કોલંબો બંદર ખાતે ECT વિકસાવવાના મુદ્દે ભારત, શ્રીલંકા અને જાપાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી સધાઈ હતી.

ભારતના શ્રીલંકા સાથેના વેપારમાં 60થી 70 ટકા હિસ્સો, કોલંબો બંદરે જહાજવડે ચીજવસ્તુઓ મોકલવાના સ્વરૂપનો હોવાથી કોલંબો બંદરે ECT વિકસાવવામાં ભારતને રસ હોવો સ્વાભાવિક છે.

ભારતે, શ્રીલંકા સાથે સામાજિક સમુદાયના વિકાસ, તથા માનવ સંશાધન ક્ષેત્રે કરેલી ભાગીદારીથી શ્રીલંકાના અદના નાગરિકોને ઘણો લાભ થયો છે.

શ્રીલંકાના અગ્રણીઓ સાથેની વાતચીતમાં શ્રી જયશંકરે, ભારત – શ્રીલંકા સાથે કૃષિ ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, તથા શહેરી ક્ષેત્રના નિકાસ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા તત્પર હોવાનું જણાવ્યું હતું.

તેમણે શ્રીલંકાના દરિયાઇ ક્ષેત્રની સલામતી અંગે વધતા પડકારોને પહોંચી વળવા ભારત જરૂરી સહકાર કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું.

શ્રી એસ. જયશંકરે કોવિડના રોગચાળાના સમયમાં તથા તે પછીના સમયગાળામાં આરોગ્ય ક્ષેત્રે સહકાર ચાલુ રાખવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મુખ્ય વણઉકેલ્યા મુદ્દાઓ – ભારત – શ્રીલંકાના માછીમારોની વિવાદ તથા શ્રીલંકાના તમીલ લોકોની બાબતો અંગે પણ બંને દેશોના વિદેશમંત્રીઓએ સઘન વાતચીત કરી હતી.

30મી ડિસેમ્બર 2020ના રોજ ભારત – શ્રીલંકાના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના સંયુક્ત જૂથની બેઠક યોજાઈ હતી.

શ્રી જયશંકરે શ્રીલંકાના મત્સ્યોદ્યોગ મંત્રી ડગલાસ સાથેની મંત્રણામાં સંયુક્ત જૂથની બેઠકમાં સહકાર વધારવા સધાયેલી સંમતિના અમલીકરણની સમીક્ષા કરી હતી.

તેમણે શ્રીલંકાના નૌકાદળે બંદી બનાવેલા ભારતના માછીમારોને ઝડપથી મુક્ત કરવા અંગે પણ રજૂઆત કરી હતી.

શ્રીલંકાના વહીવટીતંત્રના કેટલાંક સભ્યો શ્રીલંકાના બંધારણની કલમ 13માં સુધારો કરવાની માંગણી કરી રહ્યા છે.

બંધારણની તેરમી કલમમાં પ્રાંતિય પરિષદને સત્તાઓ સોંપવાની જોગવાઈ છે.

વર્ષ 1987માં સધાયેલી ભારત-શ્રીલંકા સંધિ ઉપર હસ્તાક્ષર કરતી વખતે, આ ભલામણ કરવામાં આવી હતી.

જોકે, ભારત સરકાર શ્રીલંકાની એકતા, સ્થિરતા, અને અખંડીતતા પ્રત્યે સમર્પિત હોવાથી તેરમી કલમની જોગવાઈ મુજબ પ્રાંતિય પરિષદોને જરૂરી સત્તાની સોંપણી બાબતે શ્રીલંકાની સરકાર પ્રતિબદ્ધતા દાખવે, તેવું ભારત માને છે.

શ્રી જયશંકરની આ મુલાકાતથી ભારતે એ દર્શાવ્યું છે કે, ભારત , શ્રીલંકાનો સૌથી વિશ્વસનીય અને આધારસ્વરૂપ મિત્ર દેશ છે. ભારત પરસ્પર વિશ્વાસ, હિત તથા સંવેદનશીલ અભિગમ સાથે શ્રીલંકા સાથેની મૈત્રી સુદૃઢ બનાવવા તત્પર છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...