Skip to main content

ભારતે કોવિડની રસી પ્રસ્તુત કરી એ અંગે સમીક્ષા

આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવવા ભારતના વૈજ્ઞાનિકો તથા તબીબી સમુદાયે સ્વદેશી ટેકનિકથી કોવિડની રસી ઘરઆંગણે તૈયાર કરી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે તૈયાર કરેલી રસીને ભારતના ઔષધ નિયંત્રણ નિદેશકે ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે.
એવી જ રીતે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ એકસ્ટ્રાઝેનેકાના સાથ – સહકારમાં તૈયાર કરેલી કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે DGCI દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ બંને રસીઓ સલામત, કાર્યક્ષમ વાજબી દરવાળી તથા ભારતીય હવામાનને અનૂકુળ. સીરમ તથા ભારત બાયોટેકની રસીઓના બે ડોઝ આપવાના રહેશે.
આ રસીનો 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરી શકાય છે. સરકાર, રસીકરણના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કંપનીઓની રસીના ઇમરજન્સી ઉપયોગને મળેલી માન્યતાને કોવિડ સામેની લડતમાં મહત્વનો નિર્ણય તરીકે ઓળખાવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ બંને કંપનીઓએ દેશને કોવિડ મુક્ત અને તંદુરસ્ત રાષ્ટ્રના પંથે મૂકી આપ્યો છે. તેમણે દેશના વૈજ્ઞાનિકોને અથાક અને સઘન પ્રયાસોથી મેળવેલી સિધ્ધિ માટે બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં નિષ્ણાતોની સમિતિની મળેલી બેઠકમાં સઘન ચર્ચા વિચારણા બાદ ભારતીય કંપનીઓ દ્વારા વિકસાવેલી રસીના ઇમરજન્સી ઉપયોગ તથા નિયંત્રિત ઉપયોગને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ ઉપરાંત કેડિલા હેલ્થકેરની રસીની ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલને પણ મંજુરી આપવાની ભલામણ કરાઈ છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટે એક્સ્ટ્રેઝેનેકા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મળેલી ટેકનોલોજીની મદદથી સાર્સ – કોવિ-ટૂ સ્પાઇકને ડિકોડ કરીને કોવિશીલ્ડ રસી તૈયાર કરી છે.
આ કંપનીએ 23 હજાર, 745 સ્વયંસેવકો ઉપર થયેલો ક્લિનિક્લ પરિક્ષણનો ડેટા સુપરત કર્યો છે. આ પરિક્ષણમાં રસીની કાર્યક્ષમતા 70.42 ટકા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીરમ ઇન્સિટ્યૂટે બીજા અને ત્રીજા તબક્કાની સોળસો પાર્ટીસીપન્ટ્સ ઉપર હાથ ધરાયેલા પરિક્ષણની વિગતો પણ આપી હતી.
આ બધી જ માહિતીની ચર્ચા કર્યા બાદ નિષ્ણાતોની સમિતિએ રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. બીજી તરફ ભારત બાયોટેકે ભારતીય તબીબી સંશોધન પરિષદ – ICMR ના સહકારમાં કોવેક્સિન રસી વિકસાવી છે.
આ રસી સલામતી માટે જાણીતા વેરો સેલ પ્લેટફોર્મના આધારે વિકસાવી છે. ભારત બાયોટેકે જુદા જુદા પ્રાણીઓ ઉપર પહેલા અને બીજા તબક્કાના પરિક્ષણો હાથ ધર્યા હતા, તેની વિગતો આપી છે.
ત્રીજા તબક્કાની ક્લિનિક્લ પરિક્ષણોમાં 22 હજાર, 500થી વધુ પાર્ટીસીપેન્ટોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પરિક્ષણમાં રસી સલામત જણાઈ છે. નિષ્ણાંતોની સમિતિએ માહિતીનો અભ્યાસ કર્યા બાદ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપવાની ભલામણ કરી છે.
દેશની કેડિલા હેલ્થકેર કંપનીએ પણ DNA પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી એન કોવ વેક્સિન તૈયાર કરવાનો આરંભ કર્યો છે. કેડિલાએ રસીની પહેલા અને બીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ એક હજારથી વધુ પાર્ટીસીપેન્ટ ઉપર હાથ ધરી હતી. વચગાળાના ડેટા મુજબ રસીના ડોઝ સલામત નિવડ્યા છે.
કેડિલા કંપનીએ ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી માગી છે. આ ટ્રાયલ માટે કંપનીને મંજુરી આપવાની ભલામણ નિષ્ણાતોની સમિતિએ કરી છે. કોવિડ રોગચાળાએ ઘણાં નવા પડકારો ઉભા કરવાની સાથે સાથે નવી તકો પણ આપી છે.
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ સામેની લડતની તક ઝડપીને કોવિડને નિયંત્રણમાં લેવાની કામગીરી અત્યાર સુધી સફળતાથી કરી છે.
x

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...