આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવવા ભારતના વૈજ્ઞાનિકો તથા તબીબી સમુદાયે સ્વદેશી ટેકનિકથી કોવિડની રસી ઘરઆંગણે તૈયાર કરી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે તૈયાર કરેલી રસીને ભારતના ઔષધ નિયંત્રણ નિદેશકે ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે.
એવી જ રીતે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ એકસ્ટ્રાઝેનેકાના સાથ – સહકારમાં તૈયાર કરેલી કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે DGCI દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ બંને રસીઓ સલામત, કાર્યક્ષમ વાજબી દરવાળી તથા ભારતીય હવામાનને અનૂકુળ. સીરમ તથા ભારત બાયોટેકની રસીઓના બે ડોઝ આપવાના રહેશે.
આ રસીનો 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરી શકાય છે. સરકાર, રસીકરણના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કંપનીઓની રસીના ઇમરજન્સી ઉપયોગને મળેલી માન્યતાને કોવિડ સામેની લડતમાં મહત્વનો નિર્ણય તરીકે ઓળખાવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ બંને કંપનીઓએ દેશને કોવિડ મુક્ત અને તંદુરસ્ત રાષ્ટ્રના પંથે મૂકી આપ્યો છે. તેમણે દેશના વૈજ્ઞાનિકોને અથાક અને સઘન પ્રયાસોથી મેળવેલી સિધ્ધિ માટે બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં નિષ્ણાતોની સમિતિની મળેલી બેઠકમાં સઘન ચર્ચા વિચારણા બાદ ભારતીય કંપનીઓ દ્વારા વિકસાવેલી રસીના ઇમરજન્સી ઉપયોગ તથા નિયંત્રિત ઉપયોગને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ ઉપરાંત કેડિલા હેલ્થકેરની રસીની ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલને પણ મંજુરી આપવાની ભલામણ કરાઈ છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટે એક્સ્ટ્રેઝેનેકા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મળેલી ટેકનોલોજીની મદદથી સાર્સ – કોવિ-ટૂ સ્પાઇકને ડિકોડ કરીને કોવિશીલ્ડ રસી તૈયાર કરી છે.
આ કંપનીએ 23 હજાર, 745 સ્વયંસેવકો ઉપર થયેલો ક્લિનિક્લ પરિક્ષણનો ડેટા સુપરત કર્યો છે. આ પરિક્ષણમાં રસીની કાર્યક્ષમતા 70.42 ટકા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીરમ ઇન્સિટ્યૂટે બીજા અને ત્રીજા તબક્કાની સોળસો પાર્ટીસીપન્ટ્સ ઉપર હાથ ધરાયેલા પરિક્ષણની વિગતો પણ આપી હતી.
આ બધી જ માહિતીની ચર્ચા કર્યા બાદ નિષ્ણાતોની સમિતિએ રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. બીજી તરફ ભારત બાયોટેકે ભારતીય તબીબી સંશોધન પરિષદ – ICMR ના સહકારમાં કોવેક્સિન રસી વિકસાવી છે.
આ રસી સલામતી માટે જાણીતા વેરો સેલ પ્લેટફોર્મના આધારે વિકસાવી છે. ભારત બાયોટેકે જુદા જુદા પ્રાણીઓ ઉપર પહેલા અને બીજા તબક્કાના પરિક્ષણો હાથ ધર્યા હતા, તેની વિગતો આપી છે.
ત્રીજા તબક્કાની ક્લિનિક્લ પરિક્ષણોમાં 22 હજાર, 500થી વધુ પાર્ટીસીપેન્ટોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પરિક્ષણમાં રસી સલામત જણાઈ છે. નિષ્ણાંતોની સમિતિએ માહિતીનો અભ્યાસ કર્યા બાદ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપવાની ભલામણ કરી છે.
દેશની કેડિલા હેલ્થકેર કંપનીએ પણ DNA પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી એન કોવ વેક્સિન તૈયાર કરવાનો આરંભ કર્યો છે. કેડિલાએ રસીની પહેલા અને બીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ એક હજારથી વધુ પાર્ટીસીપેન્ટ ઉપર હાથ ધરી હતી. વચગાળાના ડેટા મુજબ રસીના ડોઝ સલામત નિવડ્યા છે.
કેડિલા કંપનીએ ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી માગી છે. આ ટ્રાયલ માટે કંપનીને મંજુરી આપવાની ભલામણ નિષ્ણાતોની સમિતિએ કરી છે. કોવિડ રોગચાળાએ ઘણાં નવા પડકારો ઉભા કરવાની સાથે સાથે નવી તકો પણ આપી છે.
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ સામેની લડતની તક ઝડપીને કોવિડને નિયંત્રણમાં લેવાની કામગીરી અત્યાર સુધી સફળતાથી કરી છે.
x
એવી જ રીતે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ એકસ્ટ્રાઝેનેકાના સાથ – સહકારમાં તૈયાર કરેલી કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે DGCI દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ બંને રસીઓ સલામત, કાર્યક્ષમ વાજબી દરવાળી તથા ભારતીય હવામાનને અનૂકુળ. સીરમ તથા ભારત બાયોટેકની રસીઓના બે ડોઝ આપવાના રહેશે.
આ રસીનો 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરી શકાય છે. સરકાર, રસીકરણના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કંપનીઓની રસીના ઇમરજન્સી ઉપયોગને મળેલી માન્યતાને કોવિડ સામેની લડતમાં મહત્વનો નિર્ણય તરીકે ઓળખાવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ બંને કંપનીઓએ દેશને કોવિડ મુક્ત અને તંદુરસ્ત રાષ્ટ્રના પંથે મૂકી આપ્યો છે. તેમણે દેશના વૈજ્ઞાનિકોને અથાક અને સઘન પ્રયાસોથી મેળવેલી સિધ્ધિ માટે બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં નિષ્ણાતોની સમિતિની મળેલી બેઠકમાં સઘન ચર્ચા વિચારણા બાદ ભારતીય કંપનીઓ દ્વારા વિકસાવેલી રસીના ઇમરજન્સી ઉપયોગ તથા નિયંત્રિત ઉપયોગને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ ઉપરાંત કેડિલા હેલ્થકેરની રસીની ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલને પણ મંજુરી આપવાની ભલામણ કરાઈ છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટે એક્સ્ટ્રેઝેનેકા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મળેલી ટેકનોલોજીની મદદથી સાર્સ – કોવિ-ટૂ સ્પાઇકને ડિકોડ કરીને કોવિશીલ્ડ રસી તૈયાર કરી છે.
આ કંપનીએ 23 હજાર, 745 સ્વયંસેવકો ઉપર થયેલો ક્લિનિક્લ પરિક્ષણનો ડેટા સુપરત કર્યો છે. આ પરિક્ષણમાં રસીની કાર્યક્ષમતા 70.42 ટકા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીરમ ઇન્સિટ્યૂટે બીજા અને ત્રીજા તબક્કાની સોળસો પાર્ટીસીપન્ટ્સ ઉપર હાથ ધરાયેલા પરિક્ષણની વિગતો પણ આપી હતી.
આ બધી જ માહિતીની ચર્ચા કર્યા બાદ નિષ્ણાતોની સમિતિએ રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. બીજી તરફ ભારત બાયોટેકે ભારતીય તબીબી સંશોધન પરિષદ – ICMR ના સહકારમાં કોવેક્સિન રસી વિકસાવી છે.
આ રસી સલામતી માટે જાણીતા વેરો સેલ પ્લેટફોર્મના આધારે વિકસાવી છે. ભારત બાયોટેકે જુદા જુદા પ્રાણીઓ ઉપર પહેલા અને બીજા તબક્કાના પરિક્ષણો હાથ ધર્યા હતા, તેની વિગતો આપી છે.
ત્રીજા તબક્કાની ક્લિનિક્લ પરિક્ષણોમાં 22 હજાર, 500થી વધુ પાર્ટીસીપેન્ટોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પરિક્ષણમાં રસી સલામત જણાઈ છે. નિષ્ણાંતોની સમિતિએ માહિતીનો અભ્યાસ કર્યા બાદ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપવાની ભલામણ કરી છે.
દેશની કેડિલા હેલ્થકેર કંપનીએ પણ DNA પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી એન કોવ વેક્સિન તૈયાર કરવાનો આરંભ કર્યો છે. કેડિલાએ રસીની પહેલા અને બીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ એક હજારથી વધુ પાર્ટીસીપેન્ટ ઉપર હાથ ધરી હતી. વચગાળાના ડેટા મુજબ રસીના ડોઝ સલામત નિવડ્યા છે.
કેડિલા કંપનીએ ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી માગી છે. આ ટ્રાયલ માટે કંપનીને મંજુરી આપવાની ભલામણ નિષ્ણાતોની સમિતિએ કરી છે. કોવિડ રોગચાળાએ ઘણાં નવા પડકારો ઉભા કરવાની સાથે સાથે નવી તકો પણ આપી છે.
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ સામેની લડતની તક ઝડપીને કોવિડને નિયંત્રણમાં લેવાની કામગીરી અત્યાર સુધી સફળતાથી કરી છે.
x
Comments
Post a Comment