Skip to main content

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 8મી મુદતનો પ્રારંભ કરતા ભારત અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતે પહેલી જાન્યુઆરીથી બે વર્ષ માટે સભ્ય તરીકે 8મી મુદતનો પ્રારંભ કર્યો છે. 

વર્ષ 1950થી રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારત દરેક વખતે લગભગ બે તૃતિયાંશ મતોથી ચૂંટાતું આવ્યું છે. 

આની સરખામણીએ રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના કાયમી સભ્યોને પણ મહાસભામાં આટલા મોટા પ્રમાણમાં મતદારોનું સમર્થન ક્યારેય મળ્યું નથી.

રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ કેવી રીતે નિર્ણય લેશે, તેના ઉપર ભારતનો આ પરિષદ ઉપર કેટલો પ્રભાવ પડશે, તે બાબત નિર્ધારિત થશે. 

કારણ કે, સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યો પાસે વિટો પાવર રહેલો છે. અને તેમણે વર્ષ 1946થી અત્યાર સુધીમાં 293 વખત વિટોનો ઉપયોગ કરીને મહત્વના નિર્ણયોને અસર પહોંચાડી છે. 

વીટો પાવરની ગંભીર અસરથી ઘણી વખત માનવી જીવન ગુમાવવાની પણ ઘટનાઓ બની છે. 

તાજેતરમાં જ વર્ષ 2020ની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે ઊભી થયેલી મડાગાંઠના લીધે કોવિડ અંગેના ઠરાવને બહાલી મળી શકી નથી. 

આમ, વીટોની સત્તા ધરાવતી વિશ્વની પાંચ મહાસત્તાઓનો પ્રભાવ હોવા છતાં ભારત પોતાના હિતોની જાળવણી કેવી રીતે કરે છે, તે બાબત વાસ્તવમાં ભારતની અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. 

એવી જ રીતે વિશ્વની મહાસત્તા બનવાની દેશની આકાંક્ષા ઉપર પણ આ બનાવની અસર રહેશે. 

રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ચૂંટાતી વખતે ભારતે ત્રણ અગ્રતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા. 

જેમાં, સલામતી પરિષદમાં ઠરાવની મદદથી આતંકવાદનો સાથે મળીને સામનો કરવો, રાષ્ટ્રસંઘના શાંતિરક્ષક દળોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો, તથા માનવીય અભિગમ સાથે ટેકનોલોજીનો ઉપયોગ – આ ત્રણ અગત્યના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. 

ભારત જ્યારે બે વર્ષ માટે સલામતી પરિષદનું સભ્ય બન્યું છે. ત્યારે આ ત્રણેય મુદ્દાઓના વાસ્તવિક અમલમાં ભારતની ક્ષમતાની ચકાસણી પણ થશે.

ભારત, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ચૂંટાયું તે ચૂંટણીમાં અફઘાનિસ્તાને ભારતને સમર્થન આપ્યું હતું. 

ભારત અફઘાનિસ્તાનના વિકાસમાં મદદ કરતો હોવાથી, સલામતી પરિષદમાં ઠરાવ અંગે ચર્ચા કરતી વખતે ભારતે, અફઘાનિસ્તાનની ચિંતાને હંમેશાં ધ્યાનમાં લેવી પડશે. 

તો બીજી તરફ સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યોનું વલણ, ભારતને તેની અપેક્ષા મુજબ સફળતા મળવામાં અગત્યનું બની રહેશે.

શાંતિ સલામતી અને વિકાસ વચ્ચેના જોડાણને વૈશ્વિક સ્વીકૃતિ મળતા, ભારત રાજદ્વારી સહકારી વધારીને રાષ્ટ્રસંઘની શાંતિરક્ષણની કામગીરીમાં પોતાની ભૂમિકા વધારી શકશે. 

ભારત, એશિયા અને આફ્રિકામાં રાષ્ટ્રસંઘના શાંતિરક્ષક દળોની મદદથી વહીવટીસંસ્થાઓ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. 

ડીજીટલ ટેકનોલોજીની મદદથી માનવીને અધિકાર સંપન્ન બનાવવા તથા વિકાસને ગતિ આપવામાં ભારતના બહોળા અનુભવના લીધે, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ, સલામતી અને વિકાસમાં માહિતી અને ટેકનોલોજીની ભૂમિકા અંગેની રાષ્ટ્રસંઘમાં થનારી ચર્ચામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકશે. 

ભારતે વર્ષ 2030 સુધીમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે સર્વગ્રાહી વલણ અપનાવવાની તરફેણ કરી છે. 

જોકે, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યો એવી વિશ્વની મુખ્ય સત્તાઓ સાયબર સલામતીના મુદ્દે અલગ અલગ વલણ ધરાવે છે. 

આના લીધે સાતત્યપૂર્ણ વિકાસના મુદ્દા સાથે સાકાર થઈ રહેલા ડીજીટલ વિશ્વમાં પાંચ મુખ્ય દેશો વચ્ચે વૈચારિક મતભેદો વધે તેવી પણ શક્યતા છે. 

ભારત એશિયા- પ્રશાંત મતવિસ્તારમાંથી ચૂંટાયું હોવાથી ભારત આ ક્ષેત્રના મુદ્દે રાષ્ટ્રસંઘમાં સક્રિય રહેશે. 

આ ક્ષેત્રના મુદ્દાઓમાં અફઘાનિસ્તાન, ઇરાન, યમન, સિરીયા, અને પેલેસ્ટાઇનના પ્રશ્નોનો સમાવેશ થાય છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં રાષ્ટ્રસંઘમાં કરેલા ત્રણ સંબોધનમાં તેમણે રાષ્ટ્રસંઘમાં બહુસ્તરીય સુધારાઓની હંમેશાં તરફેણ કરી છે. 

વિશ્વમાં શાંતિ અને સલામતી સામેના બહુપરિમાણીય પડકારોને પહોંચીવળવા રાષ્ટ્રસંઘમાં સુધારાની તત્કાળ જરૂર છે. તેવા ભારતના વલણને પુરવાર કરવા, ભારતે રાષ્ટ્રસંઘમાં પ્રત્યક્ષ કામગીરીની મદદથી પોતાની વાત પુરવાર કરવી પડશે.


શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર
લેખક – અશોકકુમાર મુખરજી, 
રાષ્ટ્રસંઘ ખાતેના કાયમી પ્રતિનિધિ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...