Skip to main content

નેપાળમાં રાજકીય વિવાદ અંગે સમીક્ષા

નેપાળમાં એક તરફ કોરોનાનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે સત્તાધારી નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી – એનસીપીના વરીષ્ઠ નેતાઓએ પ્રધાનમંત્રી આર.પી.શર્મા ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માગતા, નેપાળના રાજકારણમાં નવો વિવાદ અને સંકટ ઉભા થયા છે.

આ ઉપરાંત સ્થાયી સમિતિના કુલ ૪૪ સભ્યો પૈકી ૩૧ સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીનો મકકમરીતે વીરોધ કર્યો છે.

ગત ર૪મી મે ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠક ત્રણ મુદૃાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેપાળ સરકારની નીતી કોવિડની પરિસ્થિતિ સાથ કામ પાડવા સહિત નેપાળ સરકારની કામગીરીની સમીક્ષા ભારત – નેપાળ સરહદે સ્થિતિ જેવા મુદૃાઓની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતકમાં એનસીપી પક્ષની સ્થાયી સમિતિના સભ્યોએ વહીવટની પધ્ધતિ, ભષ્ટાચારમાં થયેલો વધારો, કોવીડને નાથવામાં સરકારને મળેલી નીષ્ફળતા જેવા મુદૃાઓ અંગે સરકારની કામગીરીની ટીકા કરી હતી.

જો કે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ, વરીષ્ઠ અગ્રણી માધવકુમાર નેપાળ, બામદેવ ગૌતમ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના અધ્યક્ષપદેથી તથા પ્રધાનમંત્રીપદેથી રાજીનામું માંગતા, રાજકીય સંકટ અને વિવદ ઘેરા બન્યા.

આ અગ્રણીઓએ ભારત સાથેની નીતીની પણ ટીકા કરી હતી આના લીધે પ્રધાનમંત્રી ઓલીને નેપાળના કેટલાક નેતાઓ તેમને સત્તાપરથી દુર કરવાનું ષડયંત્ર રચતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રી ઓલીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે કાલાપાની, લિયુલેખ અને લિમ્પીયાધુરા જેવા વિસ્તારોને નેપાળના વીસ્તારો ગણાવતા નકશાને માન્યતા અપાવી, તેથી આ બનાવનો બદલો લેવા નેપાળની અંદરના તત્વો અને ભારત સાથે મળીને તેમની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહયાં છે.

ઉલ્લેખનીય છે કે પ્રચંડના નેતૃત્વ હેઠળના જુથે આ વર્ષની શરૂઆતમાં શ્રી ઓલીનો રાજીનામાની માંગણી કરી હતી. એ વખતે ભારતે વિપુલેખથી માનસરોવર સુધીના માર્ગનું ૮મી મે ના રોજ ઉદઘાટન કરતા શ્રી ઓલીએ લિપુલેખને નેપાળનો વિસ્તાર ગણાવીને વિવાદ ઉભો કરીને પોતાના રાજીનામાના મુદૃાથી લોકોનું ધ્યાન બીજે દોર્યુ હતું.

શ્રી ઓલીએ પોતાના પક્ષના નેતાઓ તેમની સાથે રહે તથા પક્ષની એકતા જળવાય તે હેતુથી ચીનની મદદથી તેમના રાજકીય વિરોધકો ઉપર દબાણ વધાર્યુ હતું. શ્રી કે.પી.શર્મા ઓલીના વડપણ હેઠળના સીપીએફ – યુએમએલ અને શ્રી પ્રચંડના નેતૃત્વ હેઠળના સીપીએન – માઓઇસ્ટ સેન્ટરના વીલીનીકરણ બાદ ર૧મી ફેબ્રુઆરી ર૦૧૮ ના રોજ એનસીપી પક્ષની રચના થઇ હતી.

નવા પક્ષની રચનાનો મુખ્ય હેતુ નેપાળને સમાજવાદ તરફ દોરી જવાનો હતો. બંને જુના પક્ષોએ નેપાળની વર્ષ ર૦૧૭ માં યોજાયેલી સંસદીય ચુંટણી પહેલા સમજુતી સાધીને એનસીપી પક્ષની રચના ધ્વારા ચુંટણી સાથે મળીને લડી હતી. એનસીપીએ સંસદીય ચુંટણીમાં બહુમતી મેળવવા ઉપરાંત સાતમાંથી છ પ્રાંતોની વિધાનસભાની ચુંટણીમાં પણ વીજય મેળવ્યો.

જો કે ગત ૯મી જુનથી નેપાળના કાઠમંડુ શહેર તથા અન્ય સ્થળોએ યુવાનો ધ્વારા દેખાવોના પગલે નેપાળ સરકારની નીષ્ફળતા છતી થઇ છે.

તેઓ કોવીડ સામે સરકારના અસરકારક પગલાની માંગણી કરી રહયાં છે. નેપાળમાં કોવીડના કારણે ૧૪ હજાર લોકો સંક્રમીત થયા છે તથા કોવીડના ર૪ દર્દીઓના મોત નીપજયા છે.

દરમિયાન લઘુમતી સમુદાયના કેટલાક લોકો નેપાળ સરકારના નાગરીકત્વ વિધેયકનો વિરોધ કરી રહયાં છે.

આ વિધેયકમાં નેપાળના નાગરીક સાથે લગ્ન કરનાર વિદેશની યુવતીને નેપાળનું નાગરીકત્વ સાત વર્ષ પછી આપવાની જોગવાઇ છે.

તરાઇ વિસ્તાર તથા કાઠમંડુમાં આ વિધેયકના વિરોધમાં દેખાવો થઇ રહયાં છે. નેપાળ અને ભારત વચ્ચે ભુગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રે વર્ષોજુના સારા દ્વિપક્ષીય સંબંધો રહયાં છે.

આ સંબંધો સર્વગ્રાહી, નજીકના તથા બહુવિધ આયામોવાળા છે. બંને દેશોએ ૧૭મી જુન ૧૯૪૭ માં રાજદ્વારી સંબંધોની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯પ૦ માં બંને દેશોએ મુકત સરહદની સંધી કરી હતી. આના લીધે બંને દેશો વચ્ચેના મૈત્રી સંબંધો આગવા બન્યા હતા.

લેખક – ડોકટર નિહાર નાયક, નેપાળ બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...