નેપાળમાં એક તરફ કોરોનાનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે સત્તાધારી નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી – એનસીપીના વરીષ્ઠ નેતાઓએ પ્રધાનમંત્રી આર.પી.શર્મા ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માગતા, નેપાળના રાજકારણમાં નવો વિવાદ અને સંકટ ઉભા થયા છે.
આ ઉપરાંત સ્થાયી સમિતિના કુલ ૪૪ સભ્યો પૈકી ૩૧ સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીનો મકકમરીતે વીરોધ કર્યો છે.
ગત ર૪મી મે ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠક ત્રણ મુદૃાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેપાળ સરકારની નીતી કોવિડની પરિસ્થિતિ સાથ કામ પાડવા સહિત નેપાળ સરકારની કામગીરીની સમીક્ષા ભારત – નેપાળ સરહદે સ્થિતિ જેવા મુદૃાઓની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતકમાં એનસીપી પક્ષની સ્થાયી સમિતિના સભ્યોએ વહીવટની પધ્ધતિ, ભષ્ટાચારમાં થયેલો વધારો, કોવીડને નાથવામાં સરકારને મળેલી નીષ્ફળતા જેવા મુદૃાઓ અંગે સરકારની કામગીરીની ટીકા કરી હતી.
જો કે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ, વરીષ્ઠ અગ્રણી માધવકુમાર નેપાળ, બામદેવ ગૌતમ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના અધ્યક્ષપદેથી તથા પ્રધાનમંત્રીપદેથી રાજીનામું માંગતા, રાજકીય સંકટ અને વિવદ ઘેરા બન્યા.
આ અગ્રણીઓએ ભારત સાથેની નીતીની પણ ટીકા કરી હતી આના લીધે પ્રધાનમંત્રી ઓલીને નેપાળના કેટલાક નેતાઓ તેમને સત્તાપરથી દુર કરવાનું ષડયંત્ર રચતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
શ્રી ઓલીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે કાલાપાની, લિયુલેખ અને લિમ્પીયાધુરા જેવા વિસ્તારોને નેપાળના વીસ્તારો ગણાવતા નકશાને માન્યતા અપાવી, તેથી આ બનાવનો બદલો લેવા નેપાળની અંદરના તત્વો અને ભારત સાથે મળીને તેમની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહયાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રચંડના નેતૃત્વ હેઠળના જુથે આ વર્ષની શરૂઆતમાં શ્રી ઓલીનો રાજીનામાની માંગણી કરી હતી. એ વખતે ભારતે વિપુલેખથી માનસરોવર સુધીના માર્ગનું ૮મી મે ના રોજ ઉદઘાટન કરતા શ્રી ઓલીએ લિપુલેખને નેપાળનો વિસ્તાર ગણાવીને વિવાદ ઉભો કરીને પોતાના રાજીનામાના મુદૃાથી લોકોનું ધ્યાન બીજે દોર્યુ હતું.
શ્રી ઓલીએ પોતાના પક્ષના નેતાઓ તેમની સાથે રહે તથા પક્ષની એકતા જળવાય તે હેતુથી ચીનની મદદથી તેમના રાજકીય વિરોધકો ઉપર દબાણ વધાર્યુ હતું. શ્રી કે.પી.શર્મા ઓલીના વડપણ હેઠળના સીપીએફ – યુએમએલ અને શ્રી પ્રચંડના નેતૃત્વ હેઠળના સીપીએન – માઓઇસ્ટ સેન્ટરના વીલીનીકરણ બાદ ર૧મી ફેબ્રુઆરી ર૦૧૮ ના રોજ એનસીપી પક્ષની રચના થઇ હતી.
નવા પક્ષની રચનાનો મુખ્ય હેતુ નેપાળને સમાજવાદ તરફ દોરી જવાનો હતો. બંને જુના પક્ષોએ નેપાળની વર્ષ ર૦૧૭ માં યોજાયેલી સંસદીય ચુંટણી પહેલા સમજુતી સાધીને એનસીપી પક્ષની રચના ધ્વારા ચુંટણી સાથે મળીને લડી હતી. એનસીપીએ સંસદીય ચુંટણીમાં બહુમતી મેળવવા ઉપરાંત સાતમાંથી છ પ્રાંતોની વિધાનસભાની ચુંટણીમાં પણ વીજય મેળવ્યો.
જો કે ગત ૯મી જુનથી નેપાળના કાઠમંડુ શહેર તથા અન્ય સ્થળોએ યુવાનો ધ્વારા દેખાવોના પગલે નેપાળ સરકારની નીષ્ફળતા છતી થઇ છે.
તેઓ કોવીડ સામે સરકારના અસરકારક પગલાની માંગણી કરી રહયાં છે. નેપાળમાં કોવીડના કારણે ૧૪ હજાર લોકો સંક્રમીત થયા છે તથા કોવીડના ર૪ દર્દીઓના મોત નીપજયા છે.
દરમિયાન લઘુમતી સમુદાયના કેટલાક લોકો નેપાળ સરકારના નાગરીકત્વ વિધેયકનો વિરોધ કરી રહયાં છે.
આ વિધેયકમાં નેપાળના નાગરીક સાથે લગ્ન કરનાર વિદેશની યુવતીને નેપાળનું નાગરીકત્વ સાત વર્ષ પછી આપવાની જોગવાઇ છે.
તરાઇ વિસ્તાર તથા કાઠમંડુમાં આ વિધેયકના વિરોધમાં દેખાવો થઇ રહયાં છે. નેપાળ અને ભારત વચ્ચે ભુગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રે વર્ષોજુના સારા દ્વિપક્ષીય સંબંધો રહયાં છે.
આ સંબંધો સર્વગ્રાહી, નજીકના તથા બહુવિધ આયામોવાળા છે. બંને દેશોએ ૧૭મી જુન ૧૯૪૭ માં રાજદ્વારી સંબંધોની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯પ૦ માં બંને દેશોએ મુકત સરહદની સંધી કરી હતી. આના લીધે બંને દેશો વચ્ચેના મૈત્રી સંબંધો આગવા બન્યા હતા.
લેખક – ડોકટર નિહાર નાયક, નેપાળ બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
આ ઉપરાંત સ્થાયી સમિતિના કુલ ૪૪ સભ્યો પૈકી ૩૧ સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીનો મકકમરીતે વીરોધ કર્યો છે.
ગત ર૪મી મે ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠક ત્રણ મુદૃાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેપાળ સરકારની નીતી કોવિડની પરિસ્થિતિ સાથ કામ પાડવા સહિત નેપાળ સરકારની કામગીરીની સમીક્ષા ભારત – નેપાળ સરહદે સ્થિતિ જેવા મુદૃાઓની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતકમાં એનસીપી પક્ષની સ્થાયી સમિતિના સભ્યોએ વહીવટની પધ્ધતિ, ભષ્ટાચારમાં થયેલો વધારો, કોવીડને નાથવામાં સરકારને મળેલી નીષ્ફળતા જેવા મુદૃાઓ અંગે સરકારની કામગીરીની ટીકા કરી હતી.
જો કે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ, વરીષ્ઠ અગ્રણી માધવકુમાર નેપાળ, બામદેવ ગૌતમ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના અધ્યક્ષપદેથી તથા પ્રધાનમંત્રીપદેથી રાજીનામું માંગતા, રાજકીય સંકટ અને વિવદ ઘેરા બન્યા.
આ અગ્રણીઓએ ભારત સાથેની નીતીની પણ ટીકા કરી હતી આના લીધે પ્રધાનમંત્રી ઓલીને નેપાળના કેટલાક નેતાઓ તેમને સત્તાપરથી દુર કરવાનું ષડયંત્ર રચતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
શ્રી ઓલીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે કાલાપાની, લિયુલેખ અને લિમ્પીયાધુરા જેવા વિસ્તારોને નેપાળના વીસ્તારો ગણાવતા નકશાને માન્યતા અપાવી, તેથી આ બનાવનો બદલો લેવા નેપાળની અંદરના તત્વો અને ભારત સાથે મળીને તેમની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહયાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રચંડના નેતૃત્વ હેઠળના જુથે આ વર્ષની શરૂઆતમાં શ્રી ઓલીનો રાજીનામાની માંગણી કરી હતી. એ વખતે ભારતે વિપુલેખથી માનસરોવર સુધીના માર્ગનું ૮મી મે ના રોજ ઉદઘાટન કરતા શ્રી ઓલીએ લિપુલેખને નેપાળનો વિસ્તાર ગણાવીને વિવાદ ઉભો કરીને પોતાના રાજીનામાના મુદૃાથી લોકોનું ધ્યાન બીજે દોર્યુ હતું.
શ્રી ઓલીએ પોતાના પક્ષના નેતાઓ તેમની સાથે રહે તથા પક્ષની એકતા જળવાય તે હેતુથી ચીનની મદદથી તેમના રાજકીય વિરોધકો ઉપર દબાણ વધાર્યુ હતું. શ્રી કે.પી.શર્મા ઓલીના વડપણ હેઠળના સીપીએફ – યુએમએલ અને શ્રી પ્રચંડના નેતૃત્વ હેઠળના સીપીએન – માઓઇસ્ટ સેન્ટરના વીલીનીકરણ બાદ ર૧મી ફેબ્રુઆરી ર૦૧૮ ના રોજ એનસીપી પક્ષની રચના થઇ હતી.
નવા પક્ષની રચનાનો મુખ્ય હેતુ નેપાળને સમાજવાદ તરફ દોરી જવાનો હતો. બંને જુના પક્ષોએ નેપાળની વર્ષ ર૦૧૭ માં યોજાયેલી સંસદીય ચુંટણી પહેલા સમજુતી સાધીને એનસીપી પક્ષની રચના ધ્વારા ચુંટણી સાથે મળીને લડી હતી. એનસીપીએ સંસદીય ચુંટણીમાં બહુમતી મેળવવા ઉપરાંત સાતમાંથી છ પ્રાંતોની વિધાનસભાની ચુંટણીમાં પણ વીજય મેળવ્યો.
જો કે ગત ૯મી જુનથી નેપાળના કાઠમંડુ શહેર તથા અન્ય સ્થળોએ યુવાનો ધ્વારા દેખાવોના પગલે નેપાળ સરકારની નીષ્ફળતા છતી થઇ છે.
તેઓ કોવીડ સામે સરકારના અસરકારક પગલાની માંગણી કરી રહયાં છે. નેપાળમાં કોવીડના કારણે ૧૪ હજાર લોકો સંક્રમીત થયા છે તથા કોવીડના ર૪ દર્દીઓના મોત નીપજયા છે.
દરમિયાન લઘુમતી સમુદાયના કેટલાક લોકો નેપાળ સરકારના નાગરીકત્વ વિધેયકનો વિરોધ કરી રહયાં છે.
આ વિધેયકમાં નેપાળના નાગરીક સાથે લગ્ન કરનાર વિદેશની યુવતીને નેપાળનું નાગરીકત્વ સાત વર્ષ પછી આપવાની જોગવાઇ છે.
તરાઇ વિસ્તાર તથા કાઠમંડુમાં આ વિધેયકના વિરોધમાં દેખાવો થઇ રહયાં છે. નેપાળ અને ભારત વચ્ચે ભુગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રે વર્ષોજુના સારા દ્વિપક્ષીય સંબંધો રહયાં છે.
આ સંબંધો સર્વગ્રાહી, નજીકના તથા બહુવિધ આયામોવાળા છે. બંને દેશોએ ૧૭મી જુન ૧૯૪૭ માં રાજદ્વારી સંબંધોની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯પ૦ માં બંને દેશોએ મુકત સરહદની સંધી કરી હતી. આના લીધે બંને દેશો વચ્ચેના મૈત્રી સંબંધો આગવા બન્યા હતા.
લેખક – ડોકટર નિહાર નાયક, નેપાળ બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment