Skip to main content

અખાતી પ્રદેશમા શાંતિ જાળવવા ભારતની હાકલ

પર્શિયન અખાતી પ્રદેશમા સર્જાયેલા તણાવ વચ્ચે અને ગત શુક્રવારે અમેરિકી સેના દ્વારા ઈરાની સેનાના મેજર જનરલ કાસીમ સુલેમાનીની કરાયેલી હત્યા બાદ, ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી જવિદ ઝારીફ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને અખાતી પ્રદેશમા ઊભા થયેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી. બંને મંત્રીઓએ એક બીજાને સંપર્કમાં રહેવા જણાવ્યું. વિદેશ મંત્રી જયશંકર 19 મી સંયુક્ત પંચની બેઠમાં ભાગ લેવા બે અઠવાડિયા પહેલા તેહરાનની મુલાકાતે ગયા હતા. તેમણે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાની સહિત કેટલાક વરિષ્ઠ મંત્રીઓની મુલાકાત લીધી હતી. શ્રી ઝારીફ 14 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી રાયસીના મંત્રણામાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવશે.

ઈરાક, સિરીયા, લેબેનોન અને યેમેન સાથે ઈરાન તરફથી મંત્રણા કરનાર અખાતી પ્રદેશના પ્રભાવશાળી આગેવાન જનરલ સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની આગેવાનો વચ્ચે શરૂ થયેલા શાબ્દિક સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં આ ટેલિફોન કોલ થયો હતો. ખરેખર જનરલ સુલેમાની ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની બાદ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.

ઈરાની આગેવાનો ઝડપી કાર્યવાહી કરતાં અમેરિકાને સણસણતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. રોષની લાગણી વ્યક્ત કરતાં ઈરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે ઇરાને બહુ પહેલા જ અખાતી પ્રદેશમા આવેલા અમેરિકાના મહત્વપૂર્ણ એવા 35 નિશાનો તારવી કાઢ્યા છે. સાથે સાથે ઇઝરાયેલ ઇસ્રાઇલ પણ ઇરાનની પહોંચમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આનાથી ઉશ્કેરાઈને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ પણ ઇરાનના 52 સ્થળો શોધી કાઢ્યા હોવાની જાહેરાત કરી જેમાં ઈરાન અને ઈરાની સંસ્કૃતિ માટે અત્યંત મહત્વ ધરાવતા સ્થળોનો પણ સમાવેશ થાય છે. જો ઈરાન અમેરિકાના નિશાનોને લક્ષ્ય બનાવશે, તો અમેરિકા તેનો ઝડપી અને અત્યંત કઠોર જવાબ આપશે તેવી ચીમકી પણ ટ્રમ્પે આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ અત્યાર સુધી ક્યારેય ના કર્યો હોય તેવો કઠોર હુમલો કરશે. સામે ઇરાને પણ દુનિયાને યાદ અપાવ્યું છે કે, કેટલાય આક્રમણો હુમલા અને લડાઈઓ પછી પણ તેમની સંસ્કૃતિ અકબંધ રહી છે.

જો સુલેમાનીની હત્યા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટી સફળતા હતી તો તે 1989માં સત્તા સભાળનારા ઇરાનના સર્વોચ્ચ નેતા માટે પણ આજ સુધીનો સૌથી ગંભીર પડકાર છે. ઇરાને અમેરિકા અને આ પ્રદેશમાંના તેના પરોક્ષ સાથીઓને ખાતરી કરાવવા પણ વળતો જવાબ આપવો પડશે. આવો વળતો જવાબ સુલેમાનીના દફનવિધિ પછી કરાય તેવી શક્યતા હતી. જે આજે સવારે સાચી પડી છે. ઘણા બધા દેશોની જેમ ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતાને પારખી છે અને ઝડપથી બહાર પાડેલા એક નિવેદનમાં ભારતે પરશિયાના અખાતમાં શાંતિ, સ્થિરતા અને સલામતિના મહત્વની યાદ અપાઈ છે. અને આશા વ્યક્ત કરી છે કે, સ્થિતિ વધુ વણસવા દેવામાં નહીં આવે. મહત્વપૂર્ણ પ્રસ્ન એ છે કે, હવે ઇરાન ક્યારે અને કેવી રીતે અને કેવો પ્રતિભાવ આપશે આ એક કોયડારૂપ વ્યૂહાત્મક સમુદાય છે.

અમેરિકી હિતો કે અમેરિકી ધરતી પર સીધો હુમલો ઇરાન માટે મોંઘો સાબિત થઈ શકે. કારણ કે, તેનાથી અમેરિકા તરફથી તીખા પ્રતિભાવની સંભાવના છે. માટે ઇરાન, ઇઝરાયેલ, ઇરાક કે સાઉદી અરેબિયા જેવા મધ્યપૂર્વ વિસ્તારના અમેરિકાના સાથી દેશો પર ધ્યાન કેન્દ્રીત કરે તેવી શક્યતા છે.

ભારત આ બધા દેશો સાથે નજીકના જોડાણો ધરાવે છે. ઇરાનના પ્રતિભાવોની કલ્પના કરવી અઘરી છે. પણ ઇરાનના કોઈપણ પ્રતિભાવથી ભારત માટે મહત્વપૂર્ણ પાર્સિઅન અખાત વિસ્તારમાં અશાંતિ ઊભી થશે.

ભારત, ઇરાન સાથે ઉર્જા સુરક્ષા, ચાબહાર બંદર અને મધ્ય એશિયા માટે પરિવહન રૂટ જેવા મહત્વપૂર્ણ હિતોથી જોડાયેલું છે. આ સાથે ભારત, ઇરાનના નેતૃત્વને એક મોઘમ સંદેશો પણ પાઠવી રહ્યું છે. કે, તે એકલું નથી. ભારત તેની મુશ્કેલી સાંભળી અને સમજી રહ્યું છે.

ભારત જેવા દેશો દ્વારા ઇરાનની દુવિધાને અપાયેલું પ્રોત્સાહન, ઇરાનને સુલેમાનીની હત્યાનો બદલો લેવા કરવામાં આવનાર પ્રયાસો અને તેના પરિણામો અંગે વધુ વાસ્તવિક બની મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડશે. ઇરાનને મળી રહેલા આંતરરાષ્ટ્રીય સમર્થનના વ્યાપક સંદર્ભોને જોતાં ઇરાનને તેની પ્રતિક્રિયાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભારતનું મૂક સમર્થન છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...