પર્શિયન અખાતી પ્રદેશમા સર્જાયેલા તણાવ વચ્ચે અને ગત શુક્રવારે અમેરિકી સેના દ્વારા ઈરાની સેનાના મેજર જનરલ કાસીમ સુલેમાનીની કરાયેલી હત્યા બાદ, ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી જવિદ ઝારીફ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને અખાતી પ્રદેશમા ઊભા થયેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી. બંને મંત્રીઓએ એક બીજાને સંપર્કમાં રહેવા જણાવ્યું. વિદેશ મંત્રી જયશંકર 19 મી સંયુક્ત પંચની બેઠમાં ભાગ લેવા બે અઠવાડિયા પહેલા તેહરાનની મુલાકાતે ગયા હતા. તેમણે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાની સહિત કેટલાક વરિષ્ઠ મંત્રીઓની મુલાકાત લીધી હતી. શ્રી ઝારીફ 14 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી રાયસીના મંત્રણામાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવશે.
ઈરાક, સિરીયા, લેબેનોન અને યેમેન સાથે ઈરાન તરફથી મંત્રણા કરનાર અખાતી પ્રદેશના પ્રભાવશાળી આગેવાન જનરલ સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની આગેવાનો વચ્ચે શરૂ થયેલા શાબ્દિક સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં આ ટેલિફોન કોલ થયો હતો. ખરેખર જનરલ સુલેમાની ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની બાદ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.
ઈરાની આગેવાનો ઝડપી કાર્યવાહી કરતાં અમેરિકાને સણસણતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. રોષની લાગણી વ્યક્ત કરતાં ઈરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે ઇરાને બહુ પહેલા જ અખાતી પ્રદેશમા આવેલા અમેરિકાના મહત્વપૂર્ણ એવા 35 નિશાનો તારવી કાઢ્યા છે. સાથે સાથે ઇઝરાયેલ ઇસ્રાઇલ પણ ઇરાનની પહોંચમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આનાથી ઉશ્કેરાઈને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ પણ ઇરાનના 52 સ્થળો શોધી કાઢ્યા હોવાની જાહેરાત કરી જેમાં ઈરાન અને ઈરાની સંસ્કૃતિ માટે અત્યંત મહત્વ ધરાવતા સ્થળોનો પણ સમાવેશ થાય છે. જો ઈરાન અમેરિકાના નિશાનોને લક્ષ્ય બનાવશે, તો અમેરિકા તેનો ઝડપી અને અત્યંત કઠોર જવાબ આપશે તેવી ચીમકી પણ ટ્રમ્પે આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ અત્યાર સુધી ક્યારેય ના કર્યો હોય તેવો કઠોર હુમલો કરશે. સામે ઇરાને પણ દુનિયાને યાદ અપાવ્યું છે કે, કેટલાય આક્રમણો હુમલા અને લડાઈઓ પછી પણ તેમની સંસ્કૃતિ અકબંધ રહી છે.
જો સુલેમાનીની હત્યા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટી સફળતા હતી તો તે 1989માં સત્તા સભાળનારા ઇરાનના સર્વોચ્ચ નેતા માટે પણ આજ સુધીનો સૌથી ગંભીર પડકાર છે. ઇરાને અમેરિકા અને આ પ્રદેશમાંના તેના પરોક્ષ સાથીઓને ખાતરી કરાવવા પણ વળતો જવાબ આપવો પડશે. આવો વળતો જવાબ સુલેમાનીના દફનવિધિ પછી કરાય તેવી શક્યતા હતી. જે આજે સવારે સાચી પડી છે. ઘણા બધા દેશોની જેમ ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતાને પારખી છે અને ઝડપથી બહાર પાડેલા એક નિવેદનમાં ભારતે પરશિયાના અખાતમાં શાંતિ, સ્થિરતા અને સલામતિના મહત્વની યાદ અપાઈ છે. અને આશા વ્યક્ત કરી છે કે, સ્થિતિ વધુ વણસવા દેવામાં નહીં આવે. મહત્વપૂર્ણ પ્રસ્ન એ છે કે, હવે ઇરાન ક્યારે અને કેવી રીતે અને કેવો પ્રતિભાવ આપશે આ એક કોયડારૂપ વ્યૂહાત્મક સમુદાય છે.
અમેરિકી હિતો કે અમેરિકી ધરતી પર સીધો હુમલો ઇરાન માટે મોંઘો સાબિત થઈ શકે. કારણ કે, તેનાથી અમેરિકા તરફથી તીખા પ્રતિભાવની સંભાવના છે. માટે ઇરાન, ઇઝરાયેલ, ઇરાક કે સાઉદી અરેબિયા જેવા મધ્યપૂર્વ વિસ્તારના અમેરિકાના સાથી દેશો પર ધ્યાન કેન્દ્રીત કરે તેવી શક્યતા છે.
ભારત આ બધા દેશો સાથે નજીકના જોડાણો ધરાવે છે. ઇરાનના પ્રતિભાવોની કલ્પના કરવી અઘરી છે. પણ ઇરાનના કોઈપણ પ્રતિભાવથી ભારત માટે મહત્વપૂર્ણ પાર્સિઅન અખાત વિસ્તારમાં અશાંતિ ઊભી થશે.
ભારત, ઇરાન સાથે ઉર્જા સુરક્ષા, ચાબહાર બંદર અને મધ્ય એશિયા માટે પરિવહન રૂટ જેવા મહત્વપૂર્ણ હિતોથી જોડાયેલું છે. આ સાથે ભારત, ઇરાનના નેતૃત્વને એક મોઘમ સંદેશો પણ પાઠવી રહ્યું છે. કે, તે એકલું નથી. ભારત તેની મુશ્કેલી સાંભળી અને સમજી રહ્યું છે.
ભારત જેવા દેશો દ્વારા ઇરાનની દુવિધાને અપાયેલું પ્રોત્સાહન, ઇરાનને સુલેમાનીની હત્યાનો બદલો લેવા કરવામાં આવનાર પ્રયાસો અને તેના પરિણામો અંગે વધુ વાસ્તવિક બની મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડશે. ઇરાનને મળી રહેલા આંતરરાષ્ટ્રીય સમર્થનના વ્યાપક સંદર્ભોને જોતાં ઇરાનને તેની પ્રતિક્રિયાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભારતનું મૂક સમર્થન છે.
ઈરાક, સિરીયા, લેબેનોન અને યેમેન સાથે ઈરાન તરફથી મંત્રણા કરનાર અખાતી પ્રદેશના પ્રભાવશાળી આગેવાન જનરલ સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની આગેવાનો વચ્ચે શરૂ થયેલા શાબ્દિક સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં આ ટેલિફોન કોલ થયો હતો. ખરેખર જનરલ સુલેમાની ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની બાદ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.
ઈરાની આગેવાનો ઝડપી કાર્યવાહી કરતાં અમેરિકાને સણસણતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. રોષની લાગણી વ્યક્ત કરતાં ઈરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે ઇરાને બહુ પહેલા જ અખાતી પ્રદેશમા આવેલા અમેરિકાના મહત્વપૂર્ણ એવા 35 નિશાનો તારવી કાઢ્યા છે. સાથે સાથે ઇઝરાયેલ ઇસ્રાઇલ પણ ઇરાનની પહોંચમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આનાથી ઉશ્કેરાઈને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ પણ ઇરાનના 52 સ્થળો શોધી કાઢ્યા હોવાની જાહેરાત કરી જેમાં ઈરાન અને ઈરાની સંસ્કૃતિ માટે અત્યંત મહત્વ ધરાવતા સ્થળોનો પણ સમાવેશ થાય છે. જો ઈરાન અમેરિકાના નિશાનોને લક્ષ્ય બનાવશે, તો અમેરિકા તેનો ઝડપી અને અત્યંત કઠોર જવાબ આપશે તેવી ચીમકી પણ ટ્રમ્પે આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ અત્યાર સુધી ક્યારેય ના કર્યો હોય તેવો કઠોર હુમલો કરશે. સામે ઇરાને પણ દુનિયાને યાદ અપાવ્યું છે કે, કેટલાય આક્રમણો હુમલા અને લડાઈઓ પછી પણ તેમની સંસ્કૃતિ અકબંધ રહી છે.
જો સુલેમાનીની હત્યા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટી સફળતા હતી તો તે 1989માં સત્તા સભાળનારા ઇરાનના સર્વોચ્ચ નેતા માટે પણ આજ સુધીનો સૌથી ગંભીર પડકાર છે. ઇરાને અમેરિકા અને આ પ્રદેશમાંના તેના પરોક્ષ સાથીઓને ખાતરી કરાવવા પણ વળતો જવાબ આપવો પડશે. આવો વળતો જવાબ સુલેમાનીના દફનવિધિ પછી કરાય તેવી શક્યતા હતી. જે આજે સવારે સાચી પડી છે. ઘણા બધા દેશોની જેમ ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતાને પારખી છે અને ઝડપથી બહાર પાડેલા એક નિવેદનમાં ભારતે પરશિયાના અખાતમાં શાંતિ, સ્થિરતા અને સલામતિના મહત્વની યાદ અપાઈ છે. અને આશા વ્યક્ત કરી છે કે, સ્થિતિ વધુ વણસવા દેવામાં નહીં આવે. મહત્વપૂર્ણ પ્રસ્ન એ છે કે, હવે ઇરાન ક્યારે અને કેવી રીતે અને કેવો પ્રતિભાવ આપશે આ એક કોયડારૂપ વ્યૂહાત્મક સમુદાય છે.
અમેરિકી હિતો કે અમેરિકી ધરતી પર સીધો હુમલો ઇરાન માટે મોંઘો સાબિત થઈ શકે. કારણ કે, તેનાથી અમેરિકા તરફથી તીખા પ્રતિભાવની સંભાવના છે. માટે ઇરાન, ઇઝરાયેલ, ઇરાક કે સાઉદી અરેબિયા જેવા મધ્યપૂર્વ વિસ્તારના અમેરિકાના સાથી દેશો પર ધ્યાન કેન્દ્રીત કરે તેવી શક્યતા છે.
ભારત આ બધા દેશો સાથે નજીકના જોડાણો ધરાવે છે. ઇરાનના પ્રતિભાવોની કલ્પના કરવી અઘરી છે. પણ ઇરાનના કોઈપણ પ્રતિભાવથી ભારત માટે મહત્વપૂર્ણ પાર્સિઅન અખાત વિસ્તારમાં અશાંતિ ઊભી થશે.
ભારત, ઇરાન સાથે ઉર્જા સુરક્ષા, ચાબહાર બંદર અને મધ્ય એશિયા માટે પરિવહન રૂટ જેવા મહત્વપૂર્ણ હિતોથી જોડાયેલું છે. આ સાથે ભારત, ઇરાનના નેતૃત્વને એક મોઘમ સંદેશો પણ પાઠવી રહ્યું છે. કે, તે એકલું નથી. ભારત તેની મુશ્કેલી સાંભળી અને સમજી રહ્યું છે.
ભારત જેવા દેશો દ્વારા ઇરાનની દુવિધાને અપાયેલું પ્રોત્સાહન, ઇરાનને સુલેમાનીની હત્યાનો બદલો લેવા કરવામાં આવનાર પ્રયાસો અને તેના પરિણામો અંગે વધુ વાસ્તવિક બની મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડશે. ઇરાનને મળી રહેલા આંતરરાષ્ટ્રીય સમર્થનના વ્યાપક સંદર્ભોને જોતાં ઇરાનને તેની પ્રતિક્રિયાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભારતનું મૂક સમર્થન છે.
Comments
Post a Comment