ભારતે તેનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરીકી ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. આ ધ્યેય ઘરઆંગણે વેપાર અને મુડી રોકાણ બાબતે મજબુત અને યોગ્ય વાતાવરણ ઉભુ કરવુ અને બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર સાથેના જોડાણો વધુ મજબુત તથા જોમવંતા બનાવવા એ બંને પાયા ઉપર આધારી છે. આ ધ્યેયને સાકાર કરવા ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટી તથા નાધરીને લગતો કાયદો – આઇબીસી કોડ જેવા શ્રેણીબધ્ધ સુધારાઓ હાથ ધર્યા છે. ભારતે પોતાના બજારના હિતોને ધ્યાનમાં લઇને વૈશ્વિક સ્તરે ભારતીય વેપાર ઉદ્યોગને મદદરૂપ થાય તેવી પુરક ભાગીદારી વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
રચનાત્મક અને પરસ્પર લાભદાયક આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારતે ઘર આંગણે વધુ મુકત વેપાર વ્યવસ્થા ઉભી કરવા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ભારત બંધ બારણાની સંરક્ષણાત્મક આર્થિક નીતીઓમાં માને છે, તેવી જો કોઇ ખોટી માન્યતા હોય તો તેને દુર કરવા ભારતે હાથ ધરેલી આર્થિક ચર્ચા અને વ્યવહારની નીતી ઉપયોગી નીવડશે. કેટલાક વર્ષો પહેલા ભારતે યુરોપીયન સંઘ, ચુરેશિયન આર્થિક સંઘ, મોરીશીયસ, ઇઝરાયેલ સહિત ઘણા દેશો તથા સંગઠનો સાથે મુકત વેપાર સમજુતી – એફટીએ સાધવા મંત્રણાઓ કરી હતી. ભારતે યુરોપીયન સંઘ સાથે વર્ષ ર૦૦૭ થી આ મુદેૃ મંત્રણા કરી હતી. આ મંત્રણાઓ સરકારી ખરદી, શ્રમિકો માટેના કાયદા, ઓટો મોબાઇલ જેવા મુદૃાઓ અંગે ઘણીવાર સ્થગીત થતી જોવા મળી.
ભારતના વેપાર ક્ષૈત્રના સૌથી મોટા ભાગીદાર એવા યુરોપીયન સંઘ સાથે વ્યાપક આધાર ધરાવતી વેપાર અને મુડી રોકાણ સંધિ – બીઆઇટીએ આ કારણે જડ – જવેરાત, કાપડ જેવા ક્ષેત્રે ઘણી મદદ મળી હતી. યુરોપીયન સંઘ તેની નિકાસના હિતોને ધ્યાનમાં લઇ કરવેરામાં વધુ છુટની માંગણી કરી શકે છે. બ્રેકઝીટ બાદ, યુરોપીયન સંઘથી અલગ પડેલા ઇગ્લેન્ડ સાથે ભારત અલગથી વેપાર – મુડીરોકાણ બાબતે ચર્ચા કરી શકે છે.
યુરોપના દેશોમાં વસતા ભારતીય લોકો તથા આ દેશો સાથેના ભારતના ઐતિહાસીક સંબંધો – આર્થિક પ્રવૃત્તિ સઘન બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભારત અને અમેરીકા મુકત વેપાર સમજુતી – એફટીએ જેવી મંત્રણામાં કયારેય જોડાયા નથી. જો કે ભારત અને અમેરીકા વેપાર ક્ષેત્રે ટુંક સમયમાં સમજુતી સાધી શકે છે. અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેબ્રુઆરી માસમાં ભારતની મુલાકાત લેવાના છે. ત્યારે આર્થિક સમજુતી ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જો કે અ મંત્રણામાં વેપાર ક્ષેત્રે અમેરીકા ધ્વારા સાથી દેશોને કરવેરામાં છુટ આપતી જીએસટી વ્યવસ્થાના લાભોથી ભારતને દુર કરવાના નિર્ણય બાબતે ભારત અને અમેરીકા ચર્ચા કરે તેવી સંભાવના છે.
એવી જ રીતે ભારતે પણ અમેરીકાની ચીજવસ્તુઓ પરના વધારેલા દરો અંગે ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારતે આરસીઇપી સમજુતીમાંથી ખસી જવાના કરેલા નિર્ણયના લીધે ભારતને એક તરફ એફટીએ જેવી સમજુતી ઉપર આધાર રાખવો પડશે તો બીજી તરફ ભારતના ઘર આંગણાના ઉદ્યોગોને ગેરલાભ થવાની શકયતા છે. સંવેદનશીલ ક્ષેત્રો વેપાર માટે મુકત કરવા તથા નિયંત્રણ વિના સેવા ક્ષેત્રને ખુલ્લુ મુકવા જેવા નિર્ણયો ભારતના હિતમાં નહી હોય. આરસીઇપી અંગેના નિર્ણય બાદ ભારતે આસીયાન સંગઠન તથા જાપાન, કોરીયા દેશો સાથે નવેસરથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વાતચીત શરૂ કરી છે.
દક્ષિણ કોરીયા, જાપાન તથા આસીયાન દેશો સાથેના એફટીએ સમજુતીનો પુરેપુરો લાભ ભારત લઇ શકયો નથી. એવી જ રીતે ઇઝરાયેલ, ઓસ્ટ્રેલીયા જેવા દેશો સાથે પણ મંત્રણાઓ ટુંક સમયમાં શરૂ થશે. જો કે આ મંત્રણાઓ વસ્તુ, સેવા તથા મુડીરોકાણ ક્ષેત્રની બાબતોને સર્વગ્રાહી રીતે આવરી લેતી હોવી જરૂરી છે. અન્ય દેશો સાથેની એફટીએ સમજુતીઓના પગલે નિયમનકારી પધ્ધતિમાં તથા વેરામાં થનાર ફેરફાર સાથે તાલ મીલાવવા લાગતા વળગતાઓને પુરતો સમય પણ મળવો જોઇએ. આમ સમગ્ર રીતે જોતા ભારત આગામી સમયમાં આર્થિક ક્ષેત્રને લગતી ચર્ચા, સમજુતીઓ જેવી પ્રવૃતિઓમાં કાર્યરત બનશે.
લેખક – સત્યજીત મોહંતી, આર્થિક બાબતોના વરિષ્ઠ વિશ્લેષક
રચનાત્મક અને પરસ્પર લાભદાયક આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારતે ઘર આંગણે વધુ મુકત વેપાર વ્યવસ્થા ઉભી કરવા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ભારત બંધ બારણાની સંરક્ષણાત્મક આર્થિક નીતીઓમાં માને છે, તેવી જો કોઇ ખોટી માન્યતા હોય તો તેને દુર કરવા ભારતે હાથ ધરેલી આર્થિક ચર્ચા અને વ્યવહારની નીતી ઉપયોગી નીવડશે. કેટલાક વર્ષો પહેલા ભારતે યુરોપીયન સંઘ, ચુરેશિયન આર્થિક સંઘ, મોરીશીયસ, ઇઝરાયેલ સહિત ઘણા દેશો તથા સંગઠનો સાથે મુકત વેપાર સમજુતી – એફટીએ સાધવા મંત્રણાઓ કરી હતી. ભારતે યુરોપીયન સંઘ સાથે વર્ષ ર૦૦૭ થી આ મુદેૃ મંત્રણા કરી હતી. આ મંત્રણાઓ સરકારી ખરદી, શ્રમિકો માટેના કાયદા, ઓટો મોબાઇલ જેવા મુદૃાઓ અંગે ઘણીવાર સ્થગીત થતી જોવા મળી.
ભારતના વેપાર ક્ષૈત્રના સૌથી મોટા ભાગીદાર એવા યુરોપીયન સંઘ સાથે વ્યાપક આધાર ધરાવતી વેપાર અને મુડી રોકાણ સંધિ – બીઆઇટીએ આ કારણે જડ – જવેરાત, કાપડ જેવા ક્ષેત્રે ઘણી મદદ મળી હતી. યુરોપીયન સંઘ તેની નિકાસના હિતોને ધ્યાનમાં લઇ કરવેરામાં વધુ છુટની માંગણી કરી શકે છે. બ્રેકઝીટ બાદ, યુરોપીયન સંઘથી અલગ પડેલા ઇગ્લેન્ડ સાથે ભારત અલગથી વેપાર – મુડીરોકાણ બાબતે ચર્ચા કરી શકે છે.
યુરોપના દેશોમાં વસતા ભારતીય લોકો તથા આ દેશો સાથેના ભારતના ઐતિહાસીક સંબંધો – આર્થિક પ્રવૃત્તિ સઘન બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભારત અને અમેરીકા મુકત વેપાર સમજુતી – એફટીએ જેવી મંત્રણામાં કયારેય જોડાયા નથી. જો કે ભારત અને અમેરીકા વેપાર ક્ષેત્રે ટુંક સમયમાં સમજુતી સાધી શકે છે. અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેબ્રુઆરી માસમાં ભારતની મુલાકાત લેવાના છે. ત્યારે આર્થિક સમજુતી ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જો કે અ મંત્રણામાં વેપાર ક્ષેત્રે અમેરીકા ધ્વારા સાથી દેશોને કરવેરામાં છુટ આપતી જીએસટી વ્યવસ્થાના લાભોથી ભારતને દુર કરવાના નિર્ણય બાબતે ભારત અને અમેરીકા ચર્ચા કરે તેવી સંભાવના છે.
એવી જ રીતે ભારતે પણ અમેરીકાની ચીજવસ્તુઓ પરના વધારેલા દરો અંગે ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારતે આરસીઇપી સમજુતીમાંથી ખસી જવાના કરેલા નિર્ણયના લીધે ભારતને એક તરફ એફટીએ જેવી સમજુતી ઉપર આધાર રાખવો પડશે તો બીજી તરફ ભારતના ઘર આંગણાના ઉદ્યોગોને ગેરલાભ થવાની શકયતા છે. સંવેદનશીલ ક્ષેત્રો વેપાર માટે મુકત કરવા તથા નિયંત્રણ વિના સેવા ક્ષેત્રને ખુલ્લુ મુકવા જેવા નિર્ણયો ભારતના હિતમાં નહી હોય. આરસીઇપી અંગેના નિર્ણય બાદ ભારતે આસીયાન સંગઠન તથા જાપાન, કોરીયા દેશો સાથે નવેસરથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વાતચીત શરૂ કરી છે.
દક્ષિણ કોરીયા, જાપાન તથા આસીયાન દેશો સાથેના એફટીએ સમજુતીનો પુરેપુરો લાભ ભારત લઇ શકયો નથી. એવી જ રીતે ઇઝરાયેલ, ઓસ્ટ્રેલીયા જેવા દેશો સાથે પણ મંત્રણાઓ ટુંક સમયમાં શરૂ થશે. જો કે આ મંત્રણાઓ વસ્તુ, સેવા તથા મુડીરોકાણ ક્ષેત્રની બાબતોને સર્વગ્રાહી રીતે આવરી લેતી હોવી જરૂરી છે. અન્ય દેશો સાથેની એફટીએ સમજુતીઓના પગલે નિયમનકારી પધ્ધતિમાં તથા વેરામાં થનાર ફેરફાર સાથે તાલ મીલાવવા લાગતા વળગતાઓને પુરતો સમય પણ મળવો જોઇએ. આમ સમગ્ર રીતે જોતા ભારત આગામી સમયમાં આર્થિક ક્ષેત્રને લગતી ચર્ચા, સમજુતીઓ જેવી પ્રવૃતિઓમાં કાર્યરત બનશે.
લેખક – સત્યજીત મોહંતી, આર્થિક બાબતોના વરિષ્ઠ વિશ્લેષક
Comments
Post a Comment