લેટીવીયાના વિદેશ મંત્રી એડગર રીન્કેવીકસની ભારતની તાજેતરની મુલાકાતે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા છે. ગત ર૦૧૬ ના સપ્ટેમ્બર માસમાં ભારતના માહિતી અને ટેકનોલોજી મંત્રી રવીશંકર પ્રસાદે લેટીવીયાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નવેમ્બબર ર૦૧૭માં લેટીવીયાના પ્રધાનમંત્રીએ ભારતની પ્રથમ ઐતિહાસીક મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ પણ ઓગષ્ટ ર૦૧૯માં લેટીવીયાની મુલાકાતે ગયા હતા. ભારત અને લેટીવીયાના સંબંધો, સો વર્ષ જુના છે. રરમી સપ્ટેમ્બર ૧૯ર૧ માં લેટીવીયા લીગ ઓફ નેશન્સ જુથનું સ્વતંત્ર સભ્યદેશ બન્યો હતો. ૧૦ જાન્યુઆરી ૧૯ર૦ માં લીગ ઓફ નેશન્સ સંઘટનના સ્થાપક સભ્ય તરીકે ભારતે લેટીવીયાને સભ્યપદ આપવાની હંમેશા તરફેણ કરી હતી. બંને દેશોએ પ્રથમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના સંબંધે મજબુત બનાવ્યા. લેટીવીયાની રીગા યુનિવર્સીટીમાં વર્ષ ૧૯ર૩ માં બૌધ્ધિક સહકાર માટેની રાષ્ટ્રીય લેટીવીયા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં ભારતના તે વખતના પ્રતિનિધિ તરીકે ડોકટર સર્વેપલ્લી રાધાકૃષ્ણન જોડાયા હતા. આ સમિતિએ વર્ષ ૧૯૪૬માં સંયુકત રાષ્ટ્રસંઘની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનીક સંસ્થા – યુનેસ્કોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૧૩મી જાન્યુઆરી ર૦૧૯ ના રોજ લેટીવીયાના વિદેશ મંત્રીએ જેએનડીના પ્રોફેસર સાધના નૈથાનીએ લખેલા ફોકલોટ ઓફ બાલ્ટીક હિસ્ટરી પુસ્તકનું દિલ્હીમાં વિમોચન કર્યું. આ પુસ્તકમાં બાલ્ટીક પ્રદેશના લોકગીતોએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપર કરેલી અસર અંગે જાણકારી આપી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતે અહિંસાના બળે આઝાદી મેળવી, તે ઘટનાની મોટી અસર લેટીવીયાની આઝાદીની ચળવળ ઉપર થઇ. ભારતે પણ અહિંસાના માધ્યમથી વર્ષ ૧૯૯૧માં સ્વતંત્ર દેશ બનનાર લેટીવીયાને આવકાર્યો. લેટીવીયાના વિદેશ મંત્રી રિન્કેવીકસે રાજઘાટ ઉપર પુષ્પો ચઢાવીને ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરીને ભારતયાત્રાનો આરંભ કર્યો. આ બાબતે ભારત અને લેટીવીયા વચ્ચેના સંબંધો મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રીંગાની યુનીવર્સીટીમાં આશરે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ તબીબી તથા ટેકનીકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહયાં છે. આ યુનીવર્સીટીમાં ર૦૧૩ થી ભારતીય અભ્યાસ તથા સંસ્કૃતિનું ખાસ કેન્દ્ર શરૂ કરાયું છે. દિલ્હીની જેએનયુ તથા હરીદ્વારની દેવ સંસ્કૃતિ યુનીવર્સીટી સંયુકત રીતે ભારત – બાલ્ટીક સાંસ્કૃતિક અભ્યાસ અંગેનું સામયિક પ્રકાશિત કરે છે. લેટીવીયા દેશે તેના નાગરીકોને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી સશકિતકરણ અને તે ધ્વારા સામાજીક આર્થિક વિકાસમાં સારી કામગીરી કરી છે.
આમ, ભારત અને લેટીવીયા વચ્ચે ડીજીટલ ક્ષેત્રે સહકાર વધારવાની સારી તક રહેલી છે.
જેમાં ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવાની ઉજળી તકો રહેલી છે.
માર્ચ 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરને કેન્દ્રમાં રાખતી તથા બધા જ વિસ્તારોના વિકાસને લગતી – સાગર નીતિ અમલમાં મૂકી છે.
લેટીવીયામાં રીગાબંદર અને તેના વ્યવસ્થાપનને ધ્યાનમાં લેતા દરિયાઈ લેતા, દરિયાઈ સહકાર ક્ષેત્રે લેટીવીયા, ભારતનો મહત્વનો ભાગીદાર દેશ બની શકે છે.
લેટીવીયા હિન્દ મહાસાગરની સલામતી તથા વિકાસમાં ભાગીદાર બની શકે છે, તો ભારત ઉત્તર – દક્ષિણ પરિવહન માર્ગની મદદથી લેટીવીયામાં તથા યુરોપિયન સંઘના દેશોના જોડવામાં મદદરૂપ બની શકે છે.
જૂન 2020 માં ભારત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બિન કાયમી સભ્યદેશ તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. જ્યારે લેટીવીયાએ વર્ષ 2026-2027 માટે રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના બિન કાયમી સભ્યદેશની ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને લેટીવીયા, રાષ્ટ્રસંઘને બહુદેશીય અને સમાનતાના આધારે કામગીરી કરતી સંસ્થા બનાવવા પ્રતિબદ્ધ છે. આમ, ભારત અને લેટીવીયા વચ્ચે સહકાર વધારવાની ઘણી તકો છે, અને તેની શરૂઆત રાષ્ટ્ર સંઘની કામગીરી પારદર્શક, સમાનતાના ધોરણે બનાવવામાં યોગદાન સાથે થઈ શકે છે.
લેખક – અશોક મુખરજી, રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભુતપુર્વ કાયમી પ્રતિનિધિ.
૧૩મી જાન્યુઆરી ર૦૧૯ ના રોજ લેટીવીયાના વિદેશ મંત્રીએ જેએનડીના પ્રોફેસર સાધના નૈથાનીએ લખેલા ફોકલોટ ઓફ બાલ્ટીક હિસ્ટરી પુસ્તકનું દિલ્હીમાં વિમોચન કર્યું. આ પુસ્તકમાં બાલ્ટીક પ્રદેશના લોકગીતોએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપર કરેલી અસર અંગે જાણકારી આપી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતે અહિંસાના બળે આઝાદી મેળવી, તે ઘટનાની મોટી અસર લેટીવીયાની આઝાદીની ચળવળ ઉપર થઇ. ભારતે પણ અહિંસાના માધ્યમથી વર્ષ ૧૯૯૧માં સ્વતંત્ર દેશ બનનાર લેટીવીયાને આવકાર્યો. લેટીવીયાના વિદેશ મંત્રી રિન્કેવીકસે રાજઘાટ ઉપર પુષ્પો ચઢાવીને ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરીને ભારતયાત્રાનો આરંભ કર્યો. આ બાબતે ભારત અને લેટીવીયા વચ્ચેના સંબંધો મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રીંગાની યુનીવર્સીટીમાં આશરે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ તબીબી તથા ટેકનીકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહયાં છે. આ યુનીવર્સીટીમાં ર૦૧૩ થી ભારતીય અભ્યાસ તથા સંસ્કૃતિનું ખાસ કેન્દ્ર શરૂ કરાયું છે. દિલ્હીની જેએનયુ તથા હરીદ્વારની દેવ સંસ્કૃતિ યુનીવર્સીટી સંયુકત રીતે ભારત – બાલ્ટીક સાંસ્કૃતિક અભ્યાસ અંગેનું સામયિક પ્રકાશિત કરે છે. લેટીવીયા દેશે તેના નાગરીકોને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી સશકિતકરણ અને તે ધ્વારા સામાજીક આર્થિક વિકાસમાં સારી કામગીરી કરી છે.
આમ, ભારત અને લેટીવીયા વચ્ચે ડીજીટલ ક્ષેત્રે સહકાર વધારવાની સારી તક રહેલી છે.
જેમાં ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવાની ઉજળી તકો રહેલી છે.
માર્ચ 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરને કેન્દ્રમાં રાખતી તથા બધા જ વિસ્તારોના વિકાસને લગતી – સાગર નીતિ અમલમાં મૂકી છે.
લેટીવીયામાં રીગાબંદર અને તેના વ્યવસ્થાપનને ધ્યાનમાં લેતા દરિયાઈ લેતા, દરિયાઈ સહકાર ક્ષેત્રે લેટીવીયા, ભારતનો મહત્વનો ભાગીદાર દેશ બની શકે છે.
લેટીવીયા હિન્દ મહાસાગરની સલામતી તથા વિકાસમાં ભાગીદાર બની શકે છે, તો ભારત ઉત્તર – દક્ષિણ પરિવહન માર્ગની મદદથી લેટીવીયામાં તથા યુરોપિયન સંઘના દેશોના જોડવામાં મદદરૂપ બની શકે છે.
જૂન 2020 માં ભારત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બિન કાયમી સભ્યદેશ તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. જ્યારે લેટીવીયાએ વર્ષ 2026-2027 માટે રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના બિન કાયમી સભ્યદેશની ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને લેટીવીયા, રાષ્ટ્રસંઘને બહુદેશીય અને સમાનતાના આધારે કામગીરી કરતી સંસ્થા બનાવવા પ્રતિબદ્ધ છે. આમ, ભારત અને લેટીવીયા વચ્ચે સહકાર વધારવાની ઘણી તકો છે, અને તેની શરૂઆત રાષ્ટ્ર સંઘની કામગીરી પારદર્શક, સમાનતાના ધોરણે બનાવવામાં યોગદાન સાથે થઈ શકે છે.
લેખક – અશોક મુખરજી, રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભુતપુર્વ કાયમી પ્રતિનિધિ.
Comments
Post a Comment