Skip to main content

ઓમાનમાં એક યુગનો અંત

ઓમાન પર પાંચ દાયકાઓ સુધી શાસન કરનાર સુલતાન કાબૂસ બીન સૈયદ અલ સૈયદનું 10 જાન્યુઆરીએ નિધન થયું. આ સાથે એક યુગનો અંત થયો છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થતાં અખાતના મુખ્ય રાષ્ટ્રમાં હવે રક્ષક બદલવાનો માર્ગ મોકળો થયો છે.

સુલ્તાન કાબૂસ નિયમોના પાકા અને વૈશ્વિક સ્તરે સન્માનનિય હતા. સાઉદી અરેબિયા અને ઇરાન જેવા રાષ્ટ્રોની સામે ઓમાનમાં આ 79 વર્ષના સુલતાને સ્થિરતા અને સ્વતંત્ર વિદેશ નીતી સ્થાપી હતી. તેમના રૂઢિચુસ્ત પિતા સૈયદ બીન તૈમુહના 1970ના બળવા પછી ઘોફર બળવા ખોરોને ડામી દીધા હતા. અને ગુલામી પ્રથા નાબૂદ કરી ઓમાનને આધુનિકાતાના માર્ગે લઈ ગયા હતા. તેમણે 1997માં લેખિત બંધારણ રજૂ કરી રાજનીતિ ,ઉદ્યોગ અને રમત-ગમતમાં મહિલાઓનો સમાવેશ કરી મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ આધુનિક ઓમાનના પિતા તરીકે જાણીતા થયેલા સુલતાન કાબૂસે 2015 ઇરાક પરમાણુ સંધિમાં હસ્તાક્ષર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે યમનમાં લડી રહેલા પક્ષોને સાથે કરવામાં પણ મધ્યસ્થી તરીકે ભાગ ભજવ્યો હતો.

સુલતાનના પોતાના વારસદાર ન હોવાથી તેમના ઉત્તરાધિકારી વિશે વિવિધ અટકળો થઈ રહી હતી. પિતરાઈ ભાઈ હૈથમ બીન તારીક અલ સૈયદની તેમના ઉત્તરાધિકારી તરીકે સુલતાને કરેલી પસંદગીથી તમામ અટકળોનો અંત આવ્યો છે. હૈથમ બીન તારીક અલ સૈયદ ઓક્સફોર્ડમાં અભ્યાસ કર્યો છે. નવા સુલતાનને એવો દેશ વારસામાં મળ્યો છે જ્યાં કાબૂસે એકલે હાથે પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને કેન્દ્રીય બેન્કના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જોકે, નવા સુલતાન માટે કબૂસ જેમ હકુમત ચલાવવી કે, સન્માન મેળવવું સરળ નહીં હોય. નવા સુલતાન સામે તણાવપૂર્ણ નાણાંકીય સ્થિતિ અને બેરોજગારી જેવા સ્થાનિક પ્રશ્નો તો પ્રાદેશિક દુશ્મનાવમાં પોતાનો પક્ષ નક્કી કરવા અંગેના બાહ્ય દબાણો સાથે તટસ્થ વિદેશ નીતી જાળવી રાખવા જેવા પડકારો છે.

જોકે,ઓમાનના નવા સુલતાન તરીકે શપથ લીધા બાદ હૈથમ બીન તારીકે, પૂર્વ સુલતાનની તમામ દેશો સાથેની મૈત્રીપૂર્ણ સંબંધોની નીતી ચાલુ રાખવાની ખાતરી આપી હતી.

કબૂસ બીન સૈયદના નિધન બાદ મસ્કતે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને 40 દિવસ સુધી ધ્વજ અડધી કાઠીએ ફકકાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા, લંડન, ઇરાન, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમિરાત, તુર્કી, જોર્ડન, ઇજીપ્ત અને બહેરીન સહિતના દેશોએ સુલતાનના નિધન અંગે શોક વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતાં સુલતાનને દેશ તથા આપણા વિસ્તારના શાંતિદૂત અને ભારતના સાચા મિત્ર ગણાવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુલતાન કાબૂસને ભારતના મિત્ર ગણાવતાં નોંધ્યું કે, વિશ્વએ મહાન નેતા અને રાજપુરુષ ગુમાવ્યા છે. જેમણે આ ક્ષેત્રમાં અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે અથાગ મહેનત કરી છે.

નામદાર સુલતાન કાબૂસ બીન સઇદ અલ સઇદના નિધન પછી તેમના માનમાં ભારતના વિદેશ મંત્રાલયે ગઇ 13મી તારીખે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો અને દેશ વિદેશમાં સમગ્ર દિવસ દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગઇકાલે મસ્કત ગયું હતું. અને સરકાર તથા ભારતની જનતા વતી સદગતના પાર્થિવ શરીર પર અંજલિ અર્પણ કરી હતી.

સુલતાન કાબૂસના નિધન પ્રત્યે શોક વ્યક્ત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે સદગત સુલતાને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું. શ્રી મોદીએ નવા સુલતાનને અભિનંદન પાઠવીને કહ્યું હતું કે, આ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા સુલતાન હેથમ સાથે ખભેખભો મેળવીને કામ કરવા ભારત આશાવાદી છે. ભારત અને ઓમાન છેક પ્રાચીન સમયથી વેપારમાં સંકળાયેલા પ્રાકૃતિક ભાગીદાર દેશો છે. અને બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક તથા સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહ્યા છે. ઓમાનમાં આઠ લાખથી વધુ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. અને દર વર્ષે કરોડો રૂપિયા પોતાના માદરે વતન મોકલે છે. ઓમાનના એકંદર વિકાસમાં ભારતના કામદારોનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ભારત નવા સુલતાનની રાહબરી હેઠળના ઓમાન સાથે અગાઉની જેમ જ ગાઢ સંબંધો જાળવી રાખવા કામ કરવા આતુર છે.

લેખક – ડોકટર લક્ષ્મી પ્રિયા, રીસર્ચ એનાલીસ્ટ, આઇડીએસએ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...