ગત શુક્રવારે શીખ વિરોધી સૂત્રોચ્ચાર કરતા ઓછામાં ઓછા 400 લોકોના ટોળાએ શીખોનું પવિત્ર સ્થળ ગુરૂદ્વારા નાનકાના સાહિબ ઉપર હુમલો કર્યો હતો. તેમણે ગુરૂદ્વારાને ઘેરાવ કરી પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાનું નેતૃત્વ મહંમદ હસનના પરિવારજનોએ કર્યું હતું. જેનું કથિત અપહરણ થયું હતું અને તેનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના ગુરૂદ્વારાના ધર્મગુરૂની છોકરી જગજીત કૌર સાથે લગ્ન કરાયા હતા. શીખ સમુદાયના વિરોધમાં આ હિંસા સર્જાઇ હતી.
એક વિડિયોમાં આંદોલનકર્તાએ તે જગ્યા પર ગુરૂદ્વારા હોવનો વિરોધ કરતા એ જગ્યાનું નામ નાનકાના સાહિબથી ગુલામાન – એ – મુસ્તફા કરવાની ચીમકી આપી હતી.
ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં ફસાયેલ શીખ શ્રદ્ધાળુઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. પાકિસ્તાની સરકારે સંપૂર્ણ બેદરકારી અને મગરૂર અભિગમ સાથે આપેલા જવાબના લીધે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાનકાના સાહિબ વર્ષ 1469માં પાકિસ્તાનમાં આવેલો એક જિલ્લો છે જયાં શીખ સમુદાયના પ્રથમ ગુરૂ – ગુરૂ નાનકદેવજીનો જન્મ થયો હતો.
વિશ્વભરના શીખ સમુદાયના લોકો ગયા વર્ષે જ ગુરૂનાનક દેવની 550મી જન્મજયંતી ઉજવણી કરી. શીખ સમુદાયના દસમા ગુરૂ ગોવિંદ સિંહની જન્મદિવસની ઉજવણીના એક દિવસ બાદ જ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલ આ બનાવ એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
ભારતે તુરંત જ હિંસા અને તોડફોડના આ પૂર્વનિયોજિત કાવતરાની આકરી નિંદા કરી હતી. ભારતે જણાવ્યું હતું કે, ગયા વર્ષના ઓગસ્ટમાં નાનકાના સાહિબમાં તેના ઘરેથી અપહરણ કરાયેલ જગજીત કૌરના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણના પગલે આ નિંદનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે પવિત્ર સ્થળના વિનાશ અને અપમાનના આ અવિચારી કૃત્યની નિંદા કરી હતી. પાકિસ્તાનને શીખ સમુદાયના સભ્યોની સલામતી, સુરક્ષા અને કલ્યાણની ખાતરી આપવા તાત્કાલિક પગલાં ભરવા હાકલ કરી છે. જેમાં પાકિસ્તાન સરકારને પવિત્ર ગુરૂદ્વારાના અપમાન કરવામાં અને લઘુમતી શીખ સમુદાયના સભ્યો પર હુમલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનને પવિત્ર નાનકાના સાહિબ ગુરૂદ્વારા અને તેની આસપાસના સ્થળની પવિત્રતાની સુરક્ષા અને સલામતીની જાળવણીના તમામ પગલાં લેવાં આદેશ આપ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાનકાના સાહેબ પર હુમલાની ખબર મળતા તરત જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનને અપીલ કરી કે, તેઓ ગુરૂદ્વારામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા હસ્તક્ષેપ કરે તેમજ ઐતિહાસિક ગુરૂદ્વારાને પણ રોષે ભરાયેલા ટોળાથી બચાવે.
કેન્દ્રિયમંત્રી હરસિમતકૌર બાદલે ટોળાના હુમલાની નિંદા કરી હતી અને કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર સતામણી એક વાસ્તવિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુરૂદ્વારા પર થયેલ હુમલામાં પાકિસ્તાનનો અસલી ચહેરો જોવાયો છે.
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને અન્ય રાજકીય નેતાઓ તેમજ ભારત અને વિદેશોમાં વસતા શીખ સમુદાયના સભ્યોએ પણ આ ઘટનાની કડક નિંદા કરી ઘટનાના વિરોધમાં નવી દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ઘટનાની નિંદા કરવા માટે બે દિવસ રાહ જોઇ હતી તેમણે કહ્યું કે, આ ઘટના તેમના વિચારોની વિરૂદ્ધમાં છે અને સરકાર તેમાં સંડોવાયેલા લોકોને છોડશે નહિં.
જો કે તેમણે તેમ પણ જણાવ્યું કે, નાનકાના સાહેબની ઘટના અને ભારતીય લઘુમતીઓની સ્થિતિમાં અંતર છે એ ખૂબ જ અવિવેકી અને નિંદનીય છે.
એ સ્પષ્ટ છે કે, પાકિસ્તાની નેતૃત્વ શાંતિ અને સમાનતાને વિક્ષેપિત કરી રહેલા ટોળાને કાબુમાં લેવા અસમર્થ છે.
ઇમરાનખાનની ટિપ્પણી પૂર્વે પાકિસ્તાન વિદેશ કચેરીએ જણાવ્યું હતું કે, નાનકાના સાહેબની ઘટનાના અહેવાલો ખોટા છે અને તે ચા ના સ્ટોલ પરની એક નાની ઘટનામાં બે જૂથો વચ્ચે તયેલો માત્ર એક ઝઘડો છે.
આ ઘટનાથી પાકિસ્તાનનું દંભ બહાર આવ્યું છે જે તેણે નવેમ્બર 2019માં કરતારપુર કોરિડોર ખોલીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન પર દબાણ રાખવાની જરૂરિયાત છે જેથી દેશમાં લઘુમતીઓ સલામત અને સુરક્ષિત રહી શકે.
એક વિડિયોમાં આંદોલનકર્તાએ તે જગ્યા પર ગુરૂદ્વારા હોવનો વિરોધ કરતા એ જગ્યાનું નામ નાનકાના સાહિબથી ગુલામાન – એ – મુસ્તફા કરવાની ચીમકી આપી હતી.
ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં ફસાયેલ શીખ શ્રદ્ધાળુઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. પાકિસ્તાની સરકારે સંપૂર્ણ બેદરકારી અને મગરૂર અભિગમ સાથે આપેલા જવાબના લીધે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાનકાના સાહિબ વર્ષ 1469માં પાકિસ્તાનમાં આવેલો એક જિલ્લો છે જયાં શીખ સમુદાયના પ્રથમ ગુરૂ – ગુરૂ નાનકદેવજીનો જન્મ થયો હતો.
વિશ્વભરના શીખ સમુદાયના લોકો ગયા વર્ષે જ ગુરૂનાનક દેવની 550મી જન્મજયંતી ઉજવણી કરી. શીખ સમુદાયના દસમા ગુરૂ ગોવિંદ સિંહની જન્મદિવસની ઉજવણીના એક દિવસ બાદ જ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલ આ બનાવ એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
ભારતે તુરંત જ હિંસા અને તોડફોડના આ પૂર્વનિયોજિત કાવતરાની આકરી નિંદા કરી હતી. ભારતે જણાવ્યું હતું કે, ગયા વર્ષના ઓગસ્ટમાં નાનકાના સાહિબમાં તેના ઘરેથી અપહરણ કરાયેલ જગજીત કૌરના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણના પગલે આ નિંદનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે પવિત્ર સ્થળના વિનાશ અને અપમાનના આ અવિચારી કૃત્યની નિંદા કરી હતી. પાકિસ્તાનને શીખ સમુદાયના સભ્યોની સલામતી, સુરક્ષા અને કલ્યાણની ખાતરી આપવા તાત્કાલિક પગલાં ભરવા હાકલ કરી છે. જેમાં પાકિસ્તાન સરકારને પવિત્ર ગુરૂદ્વારાના અપમાન કરવામાં અને લઘુમતી શીખ સમુદાયના સભ્યો પર હુમલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનને પવિત્ર નાનકાના સાહિબ ગુરૂદ્વારા અને તેની આસપાસના સ્થળની પવિત્રતાની સુરક્ષા અને સલામતીની જાળવણીના તમામ પગલાં લેવાં આદેશ આપ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાનકાના સાહેબ પર હુમલાની ખબર મળતા તરત જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનને અપીલ કરી કે, તેઓ ગુરૂદ્વારામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા હસ્તક્ષેપ કરે તેમજ ઐતિહાસિક ગુરૂદ્વારાને પણ રોષે ભરાયેલા ટોળાથી બચાવે.
કેન્દ્રિયમંત્રી હરસિમતકૌર બાદલે ટોળાના હુમલાની નિંદા કરી હતી અને કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર સતામણી એક વાસ્તવિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુરૂદ્વારા પર થયેલ હુમલામાં પાકિસ્તાનનો અસલી ચહેરો જોવાયો છે.
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને અન્ય રાજકીય નેતાઓ તેમજ ભારત અને વિદેશોમાં વસતા શીખ સમુદાયના સભ્યોએ પણ આ ઘટનાની કડક નિંદા કરી ઘટનાના વિરોધમાં નવી દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ઘટનાની નિંદા કરવા માટે બે દિવસ રાહ જોઇ હતી તેમણે કહ્યું કે, આ ઘટના તેમના વિચારોની વિરૂદ્ધમાં છે અને સરકાર તેમાં સંડોવાયેલા લોકોને છોડશે નહિં.
જો કે તેમણે તેમ પણ જણાવ્યું કે, નાનકાના સાહેબની ઘટના અને ભારતીય લઘુમતીઓની સ્થિતિમાં અંતર છે એ ખૂબ જ અવિવેકી અને નિંદનીય છે.
એ સ્પષ્ટ છે કે, પાકિસ્તાની નેતૃત્વ શાંતિ અને સમાનતાને વિક્ષેપિત કરી રહેલા ટોળાને કાબુમાં લેવા અસમર્થ છે.
ઇમરાનખાનની ટિપ્પણી પૂર્વે પાકિસ્તાન વિદેશ કચેરીએ જણાવ્યું હતું કે, નાનકાના સાહેબની ઘટનાના અહેવાલો ખોટા છે અને તે ચા ના સ્ટોલ પરની એક નાની ઘટનામાં બે જૂથો વચ્ચે તયેલો માત્ર એક ઝઘડો છે.
આ ઘટનાથી પાકિસ્તાનનું દંભ બહાર આવ્યું છે જે તેણે નવેમ્બર 2019માં કરતારપુર કોરિડોર ખોલીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન પર દબાણ રાખવાની જરૂરિયાત છે જેથી દેશમાં લઘુમતીઓ સલામત અને સુરક્ષિત રહી શકે.
Comments
Post a Comment