Skip to main content

ભારતના વિદેશી ચલણ ભંડોળમાં થયેલો વધારો અંગે સમીક્ષા

ભારતના વિદેશી ચલણ ભંડોળમાં વધારો થયો છે અને તે અત્યાર સુધીની સૌથી ઉંચાઇએ પહોચ્યું છે. ર૦મી ડિસેમ્બર ર૦૧૯ ના રોજ ભારત વિદેશી ભંડોળ ૪પપ બિલિયન અમેરીકી ડોલર જેટલુ થયું હતું જે માર્ચ ર૦૧૯માં ૪૧ર બિલીયન અમેરીકી ડોલરથી પણ વધારે છે. વિદેશી ચલણ ભંડોળમાં અમેરીકી ડોલર, યુરો, પાઉંડ, જાપાની યેન જેવી અલગ અલગ દેશોના ચલણ અનામત રાખવામાં આવે છે. જેનુ મુલ્ય અમેરીકી ડોલરના મુલ્યના આધારે નિર્ધારીત કરવામાં આવે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા – આરબીઆઇના અહેવાલ મુજબ વિદેશી ચલણમાં વધઘટ મુખ્યત્વે આરબીઆઇ ધ્વારા કરાયેલી વિદેશી ચલણોની ખરીદી અને વેચાણ વિદેશી ચલણોની જમાવટ થકી થતી આવક, કેન્દ્ર સરકારને મળતી વિદેશી સહાય અને પુનમુલ્યાંકનના લીધે ચલણના મુલ્યમાં થતાં ફેરફારના કારણે થાય છે. વિદેશી હુંડીયામણમાં ચલણ ઉપરાંત સોનુ, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટસ એટલે કે આઇએમએફ ધ્વારા અપાતા ઉપાડવા માટેના અધિકાર અને રીઝર્વ ફ્રેંચ પોઝીશનનો સમાવેશ થાય છે. ગત ર૦મી ડિસેમ્બરના રોજ ભારતના વિદેશી હુંડીયામણમાં વિદેશી ચલણ ૯ર ટકા, સોનુ છ ટકા, એસડીઆર ૦.૩ર ટકા, જયારે આઇએમએફની રીઝર્વ પોઝીશન ૦.૮૦ ટકા હિસ્સો ધરાવે છે.

વિદેશી ભંડોળની માંગણી એ દેશના કુલ ઘરેલુ ઉત્પાદનનું કદ, અર્થતંત્રનું ખુલ્લાપણુ અને રોકડની જરૂરીયાત ઉપર નકકી થાય છે. ૧૯૩૮ ના આરબીઆઇ કાયદાના આધારે વિદેશ ભંડોળનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. વિદેશ ભંડોળમાં થતા ફેરફારો સમજવા, વેપાર ખાદ્ય તેમજ મુડી ખાતાનું લેણદેણનું સરવૈયુ આ બે ઘટકોને ધ્યાનમાં લેવુ જરૂરી છે. મુડી ખાતામાં બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે. એક છે એફડીઆઇ એટલે કે સીધી વિદેશી રોકાણ અને બીજુ એફપીઆઇ એટલે કે શેર માર્કેટમાં થતી વિદેશી મુડી રોકાણ જેમાં વિદેશી બેંકોમાં રોકાણકારો ધ્વારા કરેલી રોકાણ, પ્રવાસી ભારતીયો બેંકો, વિદેશી રોકાણ અને વિદેશી બેંકો ધ્વારા અપાતા ધિરાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિકાસમાં થતી વધઘટ, ભારતની વિદેશી રોકાણ, એસડીઆર ફાળવણી અને અન્ય મુડી સહાય જેવા ઘટકોનો સમાવેશ થાય છે. વિદેશી હુંડીયામણમાં તાજેતરમાં થયેલો વધારાના કારણે એ મુખ્યત્વે વેપારી ખાદ્યમાં થયેલો સુધારો અને એફડીઆઇ અને એફઆઇઆઇમાં થયેલ વધારો એ છે.

વિદેશી હુંડીયામણ ભંડોળની પુર્તતા તેની આયાતો આવરી લેવાની ક્ષમતા પર અવલંબે છે. ર૦૧૯-ર૦ ના આ વર્ષ દરમિયાન વિદેશી હુંડીયામણ ભંડોળ માર્ચ ર૦૧૯માં ૯.૬ મહિનાની આયાતોને આવરી શકે તેટલુ હતુ તે જુન ર૦૧૯માં વધીને ૧૦ મહિનાની આયાતો જેટલુ થયું હતું. ચકાસવા જેવુ બીજુ મહત્વનું પાસુ આપણુ વધી રહેલુ વિદેશી હુંડીયામણ ભંડોળ સ્થિર છે કે નાજુક છે તે જોવાનુ છે. આ બાબત વિદેશી હુંડીયામણના બંધારણ પર અવલંબે છે. તેમાં જો અસ્થિર મુડી પ્રવાહ, એટલે કે વિદેશી પોર્ટફોલીઓ રોકાણ અને ટુંકા ગાળાનું વિદેશી દેવુ જેવા ઘટકો વધારે હોય તો તે વિદેશી હુંડીયામણ ભંડોળ સ્થિર નથી. કારણ કે શેરબજારમાં વિદેશી મુડીરોકાણ મુખ્યત્વે પ્રવાહી નાણુ છે અને આવુ નાણુ વ્યાજદર પ્રમાણે વધઘટ થાય છે. એટલે કે જો વિશ્વમાં વ્યાજનો દર આપણા દેશના વ્યાજ દર કરતા વધારે હશે તો વિદેશી મુડી બજાર ખેંચાઇ જશે.

વિદેશી હુંડીયામણ ભંડોળના વ્યવસ્થાપન અંગેના રીઝર્વ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર શેર બજારમાં વિદેશી મુડીરોકાણ અને ટુંકાગાળાના વિદેશી દેવા જેવી નાજુક મુડીનો પ્રવાહનું પ્રમાણ કુલ ભંડોળમાં માર્ચ ર૦૧૯ ના અંતે ૮૮.૭ ટકા હતુ તે જુન ર૦૧૯ ના અંતે ઘટીને ૮૬.૭ ટકા થયું છે.

આમ ભારતના સ્થાનિક બજારમાં મુડી પુરતો પ્રવાહ હોય અને વિશ્વના અર્થતંત્રમાં મંદી પ્રવર્તતી હોય ત્યારે વધી રહેલા વિદેશી હુંડીયામણ ભંડોળમાં બ્રુહદ આર્થિક નિશ્ચિતતા જોવી તે પણ એક કરૂણા જ છે. વિશ્વમાં પ્રવર્તતી આર્થિક મંદીનો હવાલો આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરૂચ્ચાર કરેલો છે કે તેમની સરકાર માત્ર વિદેશી હુંડીયામણ ભંડોળમાં વધારા પર ધ્યાન આપવાના બદલે નાણાં અને નાણાં ક્ષેત્રના લાંબાગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને માળખાકીય સુધારા પર વધુ ધ્યાન આપશે. ર૦ર૦ નું કેન્દ્રિય અંદાજપત્ર નજીકમાં જ છે. તેથી દરેક જણ એવી અપેક્ષા રાખે છે કે ભારતીય અર્થતંત્ર ફરી ચેતનવંતુ થાય તેવા ઉપાયો સરકાર કરશે.




અપર્ણા ખૂંટ, ભરત રાજગોર - મુકેશ


Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...