દેશની બંધારણ સભાએ સતત 3 વર્ષ સુધી પરિશ્રમ કરીને ભારતનું બંધારણ ઘડ્યું હતું. ઘણાં વિશ્લેષકોએ, એ સમયે એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારે તૈયાર કરાયેલ ભારતના બંધારણની આવરદા લાંબી રહેશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે, બંધારણના ઘડવૈયાએ જ્ઞાન અને શાણપણ તેમજ દૂરંદર્શી ભર્યા દૃષ્ટિથી ઘડેલું ભારતનું બંધારણ સાત દાયકા પછી આજે પણ અડીખમ છે અને તેના પાયા ઉપર જ દેશની સંસદીય લોકશાહી વ્યવસ્થા ટકી રહી છે.
ભારતનું બંધારણ કાયદાના ઘડવૈયાઓ તથા અદના નાગરિક બંને માટે પથદર્શક છે. સાત દાયકાઓ પછી પણ તેનું મૂળ માળખું અકબંધ રહ્યું છે. બંધારણમાં અત્યાર સુધીના વર્ષોમાં ઘણાં સુધારાઓ થયા છે. આમ છતાં તેના અમુખમાં દર્શાવેલા સિદ્ધાંતો આજે પણ લોકોને પ્રેરણારૂપ બને છે.
બંધારણના આમુખમાં અમે ભારતના નાગરિકો એમ શરૂઆત કરવામાં આવી છે. બંધારણે કલ્પેલા સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકશાહી દેશ – ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારા જેવા સિદ્ધાંતોનું સમર્થન કરે છે. આમ બીજી રીતે કહીએ તો તે માત્ર કાયદેસર દસ્તાવેજ બનવા કરતા નાગરિકોના અધિકારો, સ્વાતંત્ર્ય વગેરેનું સમર્થન કરે છે. વર્ષ 1950માં 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલું પ્રજાસત્તાક ભારત, સાત દાયકાના સફર બાદ વધુ મજબૂત બની રહ્યું છે. આ સફળતાનું રહસ્ય છે, દરેક ભારતીયનો બંધારણમાં રહેલો દૃઢ વિશ્વાસ.
દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીયકક્ષાની ભવ્ય ઉજવણી વખતે યોજાતી પરેડમાં ભારતે વિવિધ ક્ષેત્રમાં કરેલી પ્રગતિ અને તેના વાસ્તવિક સમર્થ્યનો પરિચય અપાય છે. પણ બીજી રીતે મૂલવતા પ્રજાસત્તાક પર્વની કરાતી ઉજવણી એ ભારતીયો દ્વારા બંધારણને અપાતી અંજલિ પણ ગણાવી શકાય.
બંધારણ જ દરેક ભારતીય નાગરિકનું સ્વાતંત્ર્ય તથા તેના અધિકારીઓની બાંયેધરી આપે છે. એવી જ રીતે પ્રજાસત્તાક દિને દરેક ભારતીય પોતાની ફરજ અને જવાબદારીઓ નિભાવવાના શપથ પણ લે છે. બંધારણની આવી આગવી ભાવના જ દરેક ભારતીયને તેના પ્રત્યે આદર સન્માનની લાગણી ઉભી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતીયોએ આઝાદીની ચળવળ ચાલુ રાખી, તેના પગલે જ બ્રિટનના સામ્રાજ્યમાંથી સ્વંતત્ર ભારત ઉભો થઈ શક્યો છે. ગાંધીજીના આદર્શો – વિચારોથી પ્રેરાઈને જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની રચના વખતે સમાજના દબાયેલા, ઉપેક્ષિત વર્ગ માટે સમાનતા અને ન્યાયની ખાતરી આપી છે. ભારતીય બંધારણના કારણે ભારતના રાજ્યોની રચના સાથે સમવાય સરકારનું માળખું રચાયું છે. આ વિચારોમાં થયેલી પ્રગતિ અને સંધીય માળખાની મજબૂતીના કારણે જ ઘણા પશ્ચિમી દેશોમાં બન્યું છે, તેમ ભારતમાં સત્તાનું કેન્દ્રિકરણ થયું નથી.
ભારતની લોકશાહી વ્યવસ્થાનું ગૌરવ લઈ શકાય તેવા નાગરિકોના અધિકારો તથા મૂળભૂત અધિકારો અને ફરજો – ભારતીય લોકશાહીના મૂળ તત્ત્વો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતને ઘણીવાર પુષ્ટિ આપી છે. આના લીધે જ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય, ખાનગી જીવનનો અધિકાર, સ્વાતંત્ર્ય, માહિતીનો અધિકાર – ધરાવાતા જીવનના અધિકારની સંકલ્પના સાકાર થઈ છે. સમગ્ર વિશ્વમાં રહેલી લોકશાહી વ્યવસ્થાની સરખામણીએ ભારતીય લોકશાહી ઘણી વિકસીત વ્યવસ્થા છે.
ભવિષ્યમાં પણ ભારતનું બંધારણ ભારતીય લોકશાહી તથા પ્રજાસત્તાક દેશ માટે માર્ગદર્શક તથા આધાર બની રહેવાનું છે. આવનાર સમયમાં દરેક ભારતીય નાગરિકે પોતાની ફરજો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની જરૂર રહેશે.
લેખક- પ્રોફેસર બલવીર અરોર, મલ્ટીલેવલ ફેડરાલીઝમ કેન્દ્રના અધ્યક્ષ
શ્રીરંગ, (મયુર)
Comments
Post a Comment