Skip to main content

ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો

દેશની બંધારણ સભાએ સતત 3 વર્ષ સુધી પરિશ્રમ કરીને ભારતનું બંધારણ ઘડ્યું હતું. ઘણાં વિશ્લેષકોએ, એ સમયે એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારે તૈયાર કરાયેલ ભારતના બંધારણની આવરદા લાંબી રહેશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે, બંધારણના ઘડવૈયાએ જ્ઞાન અને શાણપણ તેમજ દૂરંદર્શી ભર્યા દૃષ્ટિથી ઘડેલું ભારતનું બંધારણ સાત દાયકા પછી આજે પણ અડીખમ છે અને તેના પાયા ઉપર જ દેશની સંસદીય લોકશાહી વ્યવસ્થા ટકી રહી છે.

ભારતનું બંધારણ કાયદાના ઘડવૈયાઓ તથા અદના નાગરિક બંને માટે પથદર્શક છે. સાત દાયકાઓ પછી પણ તેનું મૂળ માળખું અકબંધ રહ્યું છે. બંધારણમાં અત્યાર સુધીના વર્ષોમાં ઘણાં સુધારાઓ થયા છે. આમ છતાં તેના અમુખમાં દર્શાવેલા સિદ્ધાંતો આજે પણ લોકોને પ્રેરણારૂપ બને છે.

બંધારણના આમુખમાં અમે ભારતના નાગરિકો એમ શરૂઆત કરવામાં આવી છે. બંધારણે કલ્પેલા સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકશાહી દેશ – ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારા જેવા સિદ્ધાંતોનું સમર્થન કરે છે. આમ બીજી રીતે કહીએ તો તે માત્ર કાયદેસર દસ્તાવેજ બનવા કરતા નાગરિકોના અધિકારો, સ્વાતંત્ર્ય વગેરેનું સમર્થન કરે છે. વર્ષ 1950માં 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલું પ્રજાસત્તાક ભારત, સાત દાયકાના સફર બાદ વધુ મજબૂત બની રહ્યું છે. આ સફળતાનું રહસ્ય છે, દરેક ભારતીયનો બંધારણમાં રહેલો દૃઢ વિશ્વાસ.

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીયકક્ષાની ભવ્ય ઉજવણી વખતે યોજાતી પરેડમાં ભારતે વિવિધ ક્ષેત્રમાં કરેલી પ્રગતિ અને તેના વાસ્તવિક સમર્થ્યનો પરિચય અપાય છે. પણ બીજી રીતે મૂલવતા પ્રજાસત્તાક પર્વની કરાતી ઉજવણી એ ભારતીયો દ્વારા બંધારણને અપાતી અંજલિ પણ ગણાવી શકાય.

બંધારણ જ દરેક ભારતીય નાગરિકનું સ્વાતંત્ર્ય તથા તેના અધિકારીઓની બાંયેધરી આપે છે. એવી જ રીતે પ્રજાસત્તાક દિને દરેક ભારતીય પોતાની ફરજ અને જવાબદારીઓ નિભાવવાના શપથ પણ લે છે. બંધારણની આવી આગવી ભાવના જ દરેક ભારતીયને તેના પ્રત્યે આદર સન્માનની લાગણી ઉભી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતીયોએ આઝાદીની ચળવળ ચાલુ રાખી, તેના પગલે જ બ્રિટનના સામ્રાજ્યમાંથી સ્વંતત્ર ભારત ઉભો થઈ શક્યો છે. ગાંધીજીના આદર્શો – વિચારોથી પ્રેરાઈને જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની રચના વખતે સમાજના દબાયેલા, ઉપેક્ષિત વર્ગ માટે સમાનતા અને ન્યાયની ખાતરી આપી છે. ભારતીય બંધારણના કારણે ભારતના રાજ્યોની રચના સાથે સમવાય સરકારનું માળખું રચાયું છે. આ વિચારોમાં થયેલી પ્રગતિ અને સંધીય માળખાની મજબૂતીના કારણે જ ઘણા પશ્ચિમી દેશોમાં બન્યું છે, તેમ ભારતમાં સત્તાનું કેન્દ્રિકરણ થયું નથી.

ભારતની લોકશાહી વ્યવસ્થાનું ગૌરવ લઈ શકાય તેવા નાગરિકોના અધિકારો તથા મૂળભૂત અધિકારો અને ફરજો – ભારતીય લોકશાહીના મૂળ તત્ત્વો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતને ઘણીવાર પુષ્ટિ આપી છે. આના લીધે જ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય, ખાનગી જીવનનો અધિકાર, સ્વાતંત્ર્ય, માહિતીનો અધિકાર – ધરાવાતા જીવનના અધિકારની સંકલ્પના સાકાર થઈ છે. સમગ્ર વિશ્વમાં રહેલી લોકશાહી વ્યવસ્થાની સરખામણીએ ભારતીય લોકશાહી ઘણી વિકસીત વ્યવસ્થા છે.

ભવિષ્યમાં પણ ભારતનું બંધારણ ભારતીય લોકશાહી તથા પ્રજાસત્તાક દેશ માટે માર્ગદર્શક તથા આધાર બની રહેવાનું છે. આવનાર સમયમાં દરેક ભારતીય નાગરિકે પોતાની ફરજો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની જરૂર રહેશે.


લેખક- પ્રોફેસર બલવીર અરોર, મલ્ટીલેવલ ફેડરાલીઝમ કેન્દ્રના અધ્યક્ષ
શ્રીરંગ, (મયુર)

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...