Skip to main content

યુરોપીય સંઘના વિદેશ અને સલામતી નીતીના વડાનો ભારત સાથેના ગાઢ સંબંધોનો પુનરૂચાર - એ અંગે સમીક્ષા

યુરોપીયન સંઘની વિદેશ નીતિ અને સંરક્ષણ બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલ ફોન્ટેલેસ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે રાયસીના મંત્રણા 2020 માં ભાગ લીધો હતો. ભારત અને યુરોપીયન સંઘ વચ્ચેની સમાનતા ઉપર ભાર મૂકતા, ફોન્ટેલેસે બંને પક્ષોએ નિયમો આધારિત બહુપક્ષીય વ્યવસ્થા બચાવ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને એ સમયે કરી જ્યારે વિશ્વ વેપાર સંગઠનની વિવાદોનું સમાધાન લાવવાની પ્રણાલી અંગે ઊભી થયેલી મડાગાંઠ એ યુરોપ, ભારત તેમજ ઘણા દક્ષિણપૂર્વ એશિયન દેશો માટે ચિંતાનું કારણ બની ગયું છે.

આ અંગે ઉચ્ચ પ્રતિનિધિએ માહિતી આપી હતી કે ઇયુએ આ મડાગાંઠ ઉકેલવા દરખાસ્ત કરી છે. આ મુદ્દાને હલ કરવું અને વ્યવહારુ ઉકેલ લાવવું બંને પક્ષોના હિતમાં છે. જ્યારે વૈશ્વિક સમુદાય સામે દરિયાઈ સંસાધનોની સલામતી અને સ્થિરતા જાળવવામાં ચાચેગીરી જેવા પડકારો ઊભા થયા ત્યારે દરિયાઈ સલામતી મજબૂત બનાવવું બહુ જ જરૂરી છે. એટલે જ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સલામતી માટે બધાને મળીને કામ કરવું અનિવાર્ય છે. હોર્ન ઓફ આફ્રિકા અને પશ્ચિમ હિન્દ મહાસાગરમાં શરૂ થયેલું ઓપરેશન એટલાંટા ભારત સાથેના સહકારનો સારો દાખલો છે.

યુરોપીય સંઘના આ ઉચ્ચપ્રતિનિધિએ ભારત અને સંઘ વચ્ચે ર૦રપના વર્ષ સુધીની વ્યુહાત્મક ભાગીદારીની નવી માર્ગદર્શક રેખા વિકસાવવાની જરૂર પર ભાર મુકયો હતો. તેમણે સુરક્ષાથી લઇને ડીજીટલ અથવા આબોહવા પરીવર્તન જેવા ક્ષેત્રોમાં સહકારનો સમાવેશ થાય છે. આ ભાગીદારી માટેની પહેલ શરૂ થઇ ચુકી છે અને આગામી ૧૩ માર્ચ ર૦ર૦ ના રોજ યોજાનારી ભારત – યુરોપ શિખર બેઠકમાં તેને બહાલી આપવા માટે તે તૈયાર થઇ જશે. 

આબોહવા પરીવર્તનની અસરો ઓછામાં ઓછી થાય તે માટેના ઉપાયો સાથે મળીને વિચારવાની પણ બંને પક્ષોને જરૂર છે. આબોહવા પરીવર્તન રોકવાનો સંયુકત અને વ્યકિતગત લક્ષ્યાંક હાંસલ કરવા પારદર્શક, નીરીક્ષણ, અહેવાલનું આદાન-પ્રદાન વગેરે માટે માળખું તૈયાર કરી શકે તેવી હકીકતોની બાબતમાં પણ પેરીસ આબોહવા સંધીનું પાલન અને અનુસરણ પણ એક મહત્વનું પાસુ છે. તેનો સફળતાપુર્વક અમલ કરવા માટે જવાબદારીની વહેંચણીના પ્રયત્નો જરૂરી બનશે અને આબોહવા પરીવર્તનની વરવી અસરો નિવારવા સાથે મળીને કામ કરવુ પણ જરૂરી છે.

પેરીસ કરારના અમલીકરણમાં વેગ લાવવા અને બધા માટે સલામત, સ્વચ્છ અને વિશ્વાસપાત્ર અને વ્યાજબી ભાવે ઉર્જાનો પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુસર ભારત અને ઇયુ વચ્ચે આબહોવા પરીવર્તન અને ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાનો આ ઉદેશ્ય છે.

ભારત અને યુરોપીય સંઘ ભુતકાળમાં પણ ત્રાસવાદ, અંતિમવાદ અને ઉગ્રવાદ સામે પોતાનો સુર અનેક વખત સાથે મળીને વ્યકત કરી ચુકયા છે. ભુતકાળમાં પણ ભારત અને યુરોપીય સંઘે યુરોપ, દક્ષિણ એશિયા તેમજ મધ્ય પુર્વમાં ત્રાસવાદી બળોને મહાત કરવામાં સધાયેલી પ્રગતિના મહત્વ પર ભાર મુકી ચુકયા છે. હિંસક અંતિમવાદ સામે કેન્દ્રિત અને અસરકારક કાર્ય કરવા બંને પક્ષો પાસે પ્રભાવશાળી વ્યવસ્થા તંત્ર છે. આ સંદર્ભમાં યુરોપીય સંઘ અને ભારતની ત્રાસવાદ વિરોધી કાર્યશાળાએ ભારતના અને યુરોપના નિષ્ણાંતોને સાથે લાવવામાં મદદ કરી છે. તેનાથી આઇએસઆઇએસ ત્રાસવાદી માળખાના ઓનલાઇન પ્રચાર રોકવા અને તેનો સામનો કરવા તેને અલગ કરવા અને તેની શોધખોળ માટે ક્ષમતાવર્ધન પર ખાસ ભાર મુકાઇ રહયો છે. 

વેપાર પણ એક એવુ પાસુ છે જેના પર યુરોપીય સંઘ અને ભારતે પોતાના પ્રયાસો વધારવાની જરૂર છે. બંને પક્ષોએ ભારત યુરોપીય સંઘ મુકત વેપાર સંધિ – એફટીએ અંગે પણ મંત્રણાઓ ફરી શરૂ કરવા પર ભાર મુકવો જરૂરી છે. આ સંધિ મૂર્તીમંધ કરવા બંને પક્ષે થોડી બાંધછોડ કરવી જરૂરી છે. યુરોપીય સંઘ મુડી રોકાણને એફટીએના ભાર તરીકે ગણતો નથી અને આલ્કોહોલ તથા મોટરવાહનો માટે બજાર ઉપલબ્ધ કરાવવા જેવા મુદેૃ બાંધછોડ કરવામાં આવે તો જ મંત્રણાના ટેબલ પર બેસસે તેવો આગ્રહ રાખે છે. બીજી બાજુ ભારત શ્રમ અને માનવ અધિકારના મુદૃાઓને સામેલ કરવાના યુરોપીય સંઘના પ્રયાસોનો વિરોધ કરે છે અને આ માટે અલગ કાર્યજુથનું સૂચન કરે છે. 

શ્રી ફ્રોન્ટેલેસે જણાવ્યું છે કે આગામી માર્ચ માસમાં યોજાનારી ભારત – યુરોપીય સંઘની શિખર બેઠક જો ફળદાયી નિવડે તો સંરક્ષણ અને વેપારના ક્ષેત્રે સહકાર વધારવા તેમજ વ્યુહાત્મક ભાગીદારી વધુ વિસ્તૃત થશે. ભારત અને યુરોપીય સંઘ હિંદ પ્રશાંત અંગેની ખુલ્લી નીતી અંગે સમાન વિચારશણી ધરાવે છે અને તેથી નિયમ આધારીત પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નીશ્ચિત કરવા તરફ સહિયારી નીતીઓ અને વ્યુહ અપનાવે તે પણ જરૂરી છે. ભરત રાજગોર – અપર્ણા ખૂંટ – મુકેશ 

લેખક : યુરોપીયન બાબતોના વ્યૂહાત્મક 



વિશ્લેષક ડો સંઘમિત્રા શર્મા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...