Skip to main content

સામાજીક-આર્થિક વિકાસ માટે વૈજ્ઞાનિક ક્ષમતા અંગે સમીક્ષા

પરંપરાગત રીતે વિજ્ઞાન પ્રયોગ શાળાની ચાર દિવાલોમાં બંધ રહ્યું હતું.

જોકે દેશને વિકાસના પંથે આગળ વધારવા માટે વિજ્ઞાનને સામાજીક રીતે વધુ પ્રસ્તુત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ભારતમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોના મહાકુંભ તરીકે ઓળખાતું 107મું ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાઈ ગયું.

આ સંમેલનમાં રાષ્ટ્રીય અગ્રણીઓએ વિજ્ઞાનને લોકભિમુખ બનાવવા પ્રયોગશાળા અને વાસ્તવિક ધરતી તથા પ્રયોગશાળા અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે રહેલ અંતરને નાબુદ કરીને વિજ્ઞાનને લોકોપયોગી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ વખતના વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ હતી – વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિકાસ...

ટેકનોલોજી એ સરકાર અને નાગરિકોને જોડતો સેતુ છે, એવી જ રીતે ટેકનોલોજી યોગ્ય અને ઝડપી વિકાસ ક્ષેત્રે સંતુલન સાધનાર પરિબળ પણ છે.

ટેકનોલોજી કોઈ પ્રત્યે પૂર્વગ્રહ કે નકારાત્મક અભિગમ રાખતી નથી.

આથી જ ટેકનોલોજી અસાધારણ પરિણામ લાવી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું.

આબોહવામાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને લીધે પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ તથા એમેઝોનના જંગલોમાં તાજેતરમાં લાગેલી આગ કદાચ માનવી બેજવાબદારીને લગતી ગણાવી શકાય.

પણ વૈજ્ઞાનિકો આવા બનાવોની નોંધ લઈને એવી ચેતવણી આપી રહ્યા છે કે, આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે હજી વધુ ગંભીર કુદરતી હોનારતો થાયતેવી શક્યતા છે.

આવી હોનારતોથી પૃથ્વી પરની વનસંપદાને પારાવાર નુકસાન થઈ શકે છે.

વિજ્ઞાન સંમેલનના સમાપન સત્રને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, તીવ્ર વાવાઝોડુ, ભીષણ આગ, પૂર તથા દુકાળના સ્વરૂપમાં કુદરતનો રોષ આપણે સહુ અનુભવી રહ્યા છીએ.

આથી જ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો ઉકેલ મેળવવા સહિયારો પ્રયાસ કરવો પડશે.

કોઈપણ દેશ વિશ્વના બીજા હિસ્સામાં થઈ રહેલી કુદરતી આફતો અંગે અલિપ્ત રહી શકશે નહીં.

કારણ કે સમગ્ર વિશ્વનું પર્યાવરણ એક બીજા સાથે જોડાયેલું અને પરસ્પર આધાર ધરાવે છે.

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, આપણા સહુના પ્રયાસો સમૃદ્ધિ વધારવા માટેના નહીં પણ જીવનની ગુણવત્તા વધારવા માટેના હોવા જોઈએ.

આથી જ પર્યાવરણના રક્ષણ સાથે દેશના વિકાસને લગતી સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ સઘન પ્રયાસો કરવા પડશે.

ભારતની કેટલીક સમસ્યાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ લાવવાની તાતી જરૂર છે.

ટેકનોલોજીએ ખેતીની પદ્ધતિઓ, આરોગ્ય સંભાળ તથા સમાજ સેવાને લગતી યોજનાઓના અમલીકરણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જોકે ટેકનોલોજીના લાભોના ફળ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રહેવો જોઈએ.

આ બાબત દેશના કદ અને વસતીને ધ્યાનમાં લેતા દેશના વહિવટકર્તાઓ, આયોજકો તથા વૈજ્ઞાનિકો માટે સાચે જ પડકારજનક છે.

ઉપરાષ્ટ્રપતિએ એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આપણે વિજ્ઞાન ક્ષેત્રે કેટલા સંશોધનપત્રો પ્રકાશિત થયા છે તેના આધારે વિજ્ઞાનમાં આપણે કેટલી પ્રગતિ કરી છે તેનો નિર્ણય લેતા હોઈએ છીએ પણ વૈજ્ઞાનિકોએ પ્રગતિનો નિર્ણય સંબંધીત સંશોધનો આપણી વર્તમાન સમસ્યાઓ – પડકારો ઉકેલવામાં કેવી રીતે મદદરૂપ થાય તેના આધારે કરવો જોઈએ.

ભારતની પરંપરા જોઈએ તો અહિં વૈજ્ઞાનિકો અભિગમ શરૂઆતથી જણાય છે અને સી.વી.રમન, મેઘનાથ સાહા, શ્રી નિવાસ રામાનુજમ, હોમી ભાભા, જગદીશચંદ્ર બોઝ જેવા ઘણાં વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની વૈજ્ઞાનિક શોધખોળોથી સન્માનનીય દરજ્જો મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાસ્તવમાં યોગ્ય રીતે જ જણાવ્યું છે કે, ભારતની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવા માટે ભારતને નવકલ્પના, પેટન્ટ, ઉત્પાદનો અને સમૃદ્ધિ અને વૈજ્ઞાનિકો સંશોધનોની જરૂર છે.

લેખક – એન.ભદ્રન નાયર, ભારતીય વિજ્ઞાન પત્રિકાના કાર્યકારી તંત્રી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...