Skip to main content

સામાજીક-આર્થિક વિકાસ માટે વૈજ્ઞાનિક ક્ષમતા અંગે સમીક્ષા

પરંપરાગત રીતે વિજ્ઞાન પ્રયોગ શાળાની ચાર દિવાલોમાં બંધ રહ્યું હતું.

જોકે દેશને વિકાસના પંથે આગળ વધારવા માટે વિજ્ઞાનને સામાજીક રીતે વધુ પ્રસ્તુત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ભારતમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોના મહાકુંભ તરીકે ઓળખાતું 107મું ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાઈ ગયું.

આ સંમેલનમાં રાષ્ટ્રીય અગ્રણીઓએ વિજ્ઞાનને લોકભિમુખ બનાવવા પ્રયોગશાળા અને વાસ્તવિક ધરતી તથા પ્રયોગશાળા અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે રહેલ અંતરને નાબુદ કરીને વિજ્ઞાનને લોકોપયોગી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ વખતના વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ હતી – વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિકાસ...

ટેકનોલોજી એ સરકાર અને નાગરિકોને જોડતો સેતુ છે, એવી જ રીતે ટેકનોલોજી યોગ્ય અને ઝડપી વિકાસ ક્ષેત્રે સંતુલન સાધનાર પરિબળ પણ છે.

ટેકનોલોજી કોઈ પ્રત્યે પૂર્વગ્રહ કે નકારાત્મક અભિગમ રાખતી નથી.

આથી જ ટેકનોલોજી અસાધારણ પરિણામ લાવી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું.

આબોહવામાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને લીધે પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ તથા એમેઝોનના જંગલોમાં તાજેતરમાં લાગેલી આગ કદાચ માનવી બેજવાબદારીને લગતી ગણાવી શકાય.

પણ વૈજ્ઞાનિકો આવા બનાવોની નોંધ લઈને એવી ચેતવણી આપી રહ્યા છે કે, આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે હજી વધુ ગંભીર કુદરતી હોનારતો થાયતેવી શક્યતા છે.

આવી હોનારતોથી પૃથ્વી પરની વનસંપદાને પારાવાર નુકસાન થઈ શકે છે.

વિજ્ઞાન સંમેલનના સમાપન સત્રને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, તીવ્ર વાવાઝોડુ, ભીષણ આગ, પૂર તથા દુકાળના સ્વરૂપમાં કુદરતનો રોષ આપણે સહુ અનુભવી રહ્યા છીએ.

આથી જ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો ઉકેલ મેળવવા સહિયારો પ્રયાસ કરવો પડશે.

કોઈપણ દેશ વિશ્વના બીજા હિસ્સામાં થઈ રહેલી કુદરતી આફતો અંગે અલિપ્ત રહી શકશે નહીં.

કારણ કે સમગ્ર વિશ્વનું પર્યાવરણ એક બીજા સાથે જોડાયેલું અને પરસ્પર આધાર ધરાવે છે.

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, આપણા સહુના પ્રયાસો સમૃદ્ધિ વધારવા માટેના નહીં પણ જીવનની ગુણવત્તા વધારવા માટેના હોવા જોઈએ.

આથી જ પર્યાવરણના રક્ષણ સાથે દેશના વિકાસને લગતી સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ સઘન પ્રયાસો કરવા પડશે.

ભારતની કેટલીક સમસ્યાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ લાવવાની તાતી જરૂર છે.

ટેકનોલોજીએ ખેતીની પદ્ધતિઓ, આરોગ્ય સંભાળ તથા સમાજ સેવાને લગતી યોજનાઓના અમલીકરણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જોકે ટેકનોલોજીના લાભોના ફળ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રહેવો જોઈએ.

આ બાબત દેશના કદ અને વસતીને ધ્યાનમાં લેતા દેશના વહિવટકર્તાઓ, આયોજકો તથા વૈજ્ઞાનિકો માટે સાચે જ પડકારજનક છે.

ઉપરાષ્ટ્રપતિએ એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આપણે વિજ્ઞાન ક્ષેત્રે કેટલા સંશોધનપત્રો પ્રકાશિત થયા છે તેના આધારે વિજ્ઞાનમાં આપણે કેટલી પ્રગતિ કરી છે તેનો નિર્ણય લેતા હોઈએ છીએ પણ વૈજ્ઞાનિકોએ પ્રગતિનો નિર્ણય સંબંધીત સંશોધનો આપણી વર્તમાન સમસ્યાઓ – પડકારો ઉકેલવામાં કેવી રીતે મદદરૂપ થાય તેના આધારે કરવો જોઈએ.

ભારતની પરંપરા જોઈએ તો અહિં વૈજ્ઞાનિકો અભિગમ શરૂઆતથી જણાય છે અને સી.વી.રમન, મેઘનાથ સાહા, શ્રી નિવાસ રામાનુજમ, હોમી ભાભા, જગદીશચંદ્ર બોઝ જેવા ઘણાં વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની વૈજ્ઞાનિક શોધખોળોથી સન્માનનીય દરજ્જો મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાસ્તવમાં યોગ્ય રીતે જ જણાવ્યું છે કે, ભારતની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવા માટે ભારતને નવકલ્પના, પેટન્ટ, ઉત્પાદનો અને સમૃદ્ધિ અને વૈજ્ઞાનિકો સંશોધનોની જરૂર છે.

લેખક – એન.ભદ્રન નાયર, ભારતીય વિજ્ઞાન પત્રિકાના કાર્યકારી તંત્રી

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...