Skip to main content

પાકિસ્તાની સેનાના વડાના કાર્યકાળને વધારવાનો નિર્ણય, સરકાર માટે બંધનકર્તા બન્યો

પાકિસ્તાની સેનાના વડા જનરલ કમાર બાજવા ગત નવેમ્બર 2019માં સેવા નિવૃત્ત થવાના હતા. જો કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગત ઓગસ્ટ 2019માં એક જાહેરનામું બહાર પાડીને જનરલ કમાર બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ સુધી લંબાવ્યો હતો.

પાકિસ્તાન સરકારે બાલાકોટમાં ભારતીય હવાઈ દળની કાર્યવાહી તથા પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનની સલામતી સામે અસાધરણ જોખમ ઉભું થયાનો દાવો કરીને કમાર બાજવાના કાર્યકાળને વધારવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઈમરાન સરકારના આ નિર્ણયને સસ્પેન્ડ કરતો ચૂકાદો, 26મી નવેમ્બરે આપીને ઈમરાન સરકારને મોટો ઝટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતે પાક સરકારના આ નિર્ણયની તાર્કિકતા સામે પ્રશ્નચિહન ઉભુ કર્યું. સાથે સાથે જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયામાં થયેલી ગેરરિતી તથા ત્રુટિઓ સામે પણ ધ્યાન દોર્યું.

સર્વોચ્ચ અદાલતે એવું અવલોકન કર્યું હતું કે, કલમ – 243 ત્રણ હેઠળની સેના ધારાની જોગવાઈમાં મુદ્દત તથા કાર્યકાળમાં વધારા અંગેના ધારા – ધોરણો સ્પષ્ટ નથી. અદાલતે વરિષ્ઠ કર્મચારીઓનો કાર્યકાળ વધારવા અંગેના ધારા ધોરણો ઘડવા ઈમરાન ખાનના વડપણ હેઠળની પી.ટી.આઈ સરકારને આદેશ આપ્યો છે.

અદાલતે જણાવ્યું છે કે, જો સરકાર આ ધારાધોરણો ઘડશે નહીં તો બાજવા આગામી છ મહિના પછી નિવૃત્ત ગણાશે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ પાકિસ્તાન સરકાર ભીંસમાં મૂકાઈ હતી. કારણ કે, પાકિસ્તાન સરકારને ખબર છે કે, સંસદમાં નવા ધારા ધોરણો ઘડવા, તેમને વિપક્ષના સમર્થનની જરૂર છે.

સરકારને કાર્યકાળ વધારવા માટે બંધારણમાં સુધારા કરવા પડશે જે બાબત વિપક્ષના સમર્થન વગર શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અગાઉના વર્ષોમાં સેનાના વડાઓનો કાર્યકાળ કોઈપણ ધારાની જોગવાઈ વગર વધારવામાં આવ્યો હતો. સેનાની સલાહ મુજબ ઈમરાન ખાન સરકારે વિપક્ષ પ્રત્યે કુણું વલણ ધારણ કર્યું છે અને વિપક્ષ સાથે ચર્ચા હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આના ભાગરૂપે જ થતી કાર્યવાહીમાં કેફી પદાર્થો અંગેના કેસમાં સંડોવણી હોવાનો આરોપ ધરાવતા પી.એમ.એલ – એન પક્ષના રાણા સનાઉલ્લાહના જામીન મંજૂર થયા છે તથા ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અસીફ અલી ઝરદારીના જામીન તબીબી કારણસર મંજૂર કરાયા છે.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લંડનથી ક્યારે પાછા ફરશે તે અંગે સરકાર સ્પષ્ટતા કરતી નથી. આ બધા જ પગલાંના લીધે માત્ર લશ્કરના નહીં પણ સેનાના બધા જ વડાઓનો કાર્યકાળ વધારવા કે નિયંત્રીત કરવા અંગેનો ધારા ઘડવાનો મુસદ્દો મંજૂર કરાવવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.

સેનાને લગતા ત્રણ ધારાઓમાં સુધારાની જોગવાઈ ધરાવતું વિધેયક પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મંજૂર કરાયું છે. જો કે, સર્વિસ ચીફના વિધેયકનો મુસદ્દો ઘડતી વખતે વિવાદ ઉભો થયો છે. નિવૃત્ત લશ્કરી વડાઓને વધુ સમય આપવો તથા તેમનો કાર્યકાળ વધારવાને લગતુ વિધેયક રાષ્ટ્ર પ્રમુખને નિર્ણયમાં વધુ સ્વતંત્રતા આપે છે, તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.

બીજુ એક તરફ પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે બાજવાના કાર્યકાળને લગતા કેસમાં આપેલા ચૂકાદાની ફેર વિચારણા કરવાની અરજી અદાલતમાં દાખલ કરી છે, ત્યારે પાકિસ્તાન સરકાર સંસદમાં આ બાબતને લગતું વિધેયક શા માટે લાવી છે – તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે.

આ બાબત દર્શાવે છે કે, પાકિસ્તાનનો કાયદા વિભાગ આ મુદ્દે મૂંઝવણમાં છે. જો સર્વોચ્ચ અદાલત આ અરજી સ્વીકારે અથવા કાઢી નાખે, તો શું કરવું જોઈએ તેવી વિચારણા શરૂ થઈ છે. સર્વિસ ચીફના કાર્યકાળને લગતું વિધેયક ઘણી રીતે તર્કસંગત નથી. ઉપરાંત તેમાં સેનાના વડાનો કાર્યકાળ 64 વર્ષ પછી પણ વધારવાની જોગવાઈ છે, તથા આ નિર્ણયને પડકારી શકાશે નહીં. ઉપરાંત પ્રધાનમંત્રી ઈચ્છે તો કોઈપણ સેના પ્રમુખનો કાર્યકાળ ટૂંકાવી શકશે. – શું આ બધુ શક્ય બનશે ખરું. વાસ્તવમાં એ બાબત ભૂલવી જોઈએ નહીં કે, ભૂતકાળમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફ સરકારે આવો પ્રયાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાની સેનાએ, શાસન પોતાના હસ્તક લીધું હતું. સામે પક્ષે વિપક્ષ પણ સરકાર પાસેથી વધુ લાભોની માગણી કરશે. આના લીધે ભ્રષ્ટાચાર મુક્ત નયા પાકિસ્તાનનું શમણું સાકાર થવામાં વિઘ્નો આવશે.




લેખક– ડૉક્ટર ઝૈનાબ અખ્તર, પાક. બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
શ્રીરંગ, (મયુર)

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...