Skip to main content

હરણફાળ ભરવા સજ્જ થયેલા ભારતના અવકાશ કાર્યક્રમ અંગે સમીક્ષા

ભારતના ઇસરો સંસ્થાના વૈજ્ઞાનિકોએ PSLV રોકેટની મદદથી દેશના અદ્યતન દૂરસંદેશાવ્યવહાર ઉપગ્રહ CMS વનને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકીને વર્ષ 2020ના વર્ષનું સફળતા સાથે સમાપન કર્યું.

ઇસરોએ, આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા અવકાશમથકેથી CMS ને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યો હતો.

અવકાશમથકેથી મોકલવામાં આવ્યા બાદ આશરે વીસમી મીનીટે, ઉપગ્રહને નિર્ધારિત ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યો હતો.

CMS ઉપગ્રહ, અગાઉ વર્ષ 2011માં છોડાયેલા જીસેટ-બાર ઉપગ્રહનું સ્થાન લેશે.

CMS ઉપગ્રહ, ભારતનો બારમો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે. ઇનસેટ અને જીસેટ શ્રેણીના ઉપગ્રહ બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ CMS ઉપગ્રહની નવી શ્રેણી શરૂ કરી છે.

આ વર્ષે કોવિડના લીધે ઇસરોના ગગનયાન મિશન સહિત ઘણાં મિશનો સમયસર હાથ ધરી શકાયા નથી.

કોવિડ પહેલા ભારતે જીસેટ-30 ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.

આ ઉપગ્રહને ગત જાન્યુઆરી માસમાં ફ્રાન્સના ગુયાના ખાતેના અવકાશ મથકેથી અવકાશમાં મોકલવામાં આવ્યો હતો.

ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકોએ ગત નવેમ્બરમાં EOS - વન , નામનો ભૂમિનિરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક છોડ્યો હતો.

આ ઉપગ્રહની સાથે નવ વિદેશી ઉપગ્રહો ને પણ એક જ રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.

ભૂમિ નિરીક્ષણ ઉપગ્રહ કૃષિ, વનીકરણ તથા આપત્તિ વ્યવસ્થાપન જેવી કામગીરીમાં મદદરૂપ બનશે. જ્યારે તાજેતરમાં તરતો મૂકાયેલો CMS વન ઉપગ્રહ દેશની સંદેશાવ્યવહારની ક્ષમતા વધારશે.

આ ઉપરાંત તે ઇ-લર્નિંગ , ટેલીમેડિસીન જેવી અગત્યની બાબતોમાં પણ મદદરૂપ થશે.

આ ઉપગ્રહ ભારતની ભૂમિ ઉપરાંત દેશના આંદામાન-નિકોબાર તથા લક્ષદ્વીપ જેવા ટાપુ વિસ્તારોમાં પણ કામગીરી કરશે આ ઉપગ્રહની આવરદા સાત વર્ષની આંકવામાં આવી છે.

ભારત નવા વર્ષ 2021માં પોતાના ત્રણ ઉપગ્રહો ઉપરાંત બ્રાઝીલના ભૂમિનિરીક્ષણ ઉપગ્રહ અમેઝોનીયાને અવકાશમાં તરતા મૂકવા સાથે નવા વર્ષના અવકાશ મિશનનો પ્રારંભ કરશે.

આ મિશન ભારતના PSLV રોકેટની મદદથી આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં હાથ ધરાશે. આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમ માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ મિશન સાથે ભારતની અવકાશ ક્ષેત્રની ક્ષમતા વધારવા માટે ઇસરોએ જે સુધારા હાથ ધર્યા છે, તેનો વાસ્તવિક અમલ શરૂ થશે.

ભારતે, અવકાશ ક્ષેત્રે ભારત રાષ્ટ્રીય અવકાશ પ્રોત્સાહન અને પ્રમાણીકરણ કેન્દ્ર – ઇન – સ્પેસ કાર્યક્રમ હાથ ધરીને ખાનગી ક્ષેત્રના સાથ સહકારમાં અવકાશ કાર્યક્રમ આગળ ધપાવવાની પહેલ કરી છે.

ફેબ્રુઆરી-માર્ચમાં અવકાશમાં મોકલવામાં આવનારા ભારતના ત્રણ ઉપગ્રહો માં ખાનગી ક્ષેત્રના ભૂમિ નિરીક્ષણ ઉપગ્રહ આનંદનો સમાવેશ થાય છે. આનંદ ઉપગ્રહ, ખાનગી ક્ષેત્રના સીઝીગી સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના પિક્સેલ નામના સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ખાનગી કંપનીના સૂચિત ભૂમિનિરીક્ષણ ઉપગ્રહોની શ્રેણી, સતત 24 કલાક કામગીરી દ્વારા માહિતી એકઠી કરીને તે કૃત્રિમ બુદ્ધિમતા ધરાવતા મંચને સતત આપતી રહેશે.

આ માહિતીનો ઉપયોગ કૃષિ, વનસંરક્ષણ, શહેરી વિસ્તારોની દેખરેખ, તથા આબોહવાના નિરીક્ષણ અને અભ્યાસ જેવી કામગીરીમાં કરાશે.

પિક્સેલ આગામી 2022 સુધીમાં નાના 30 જેટલા અર્થ ઓબઝર્વેશન અર્થાત ભૂમિનિરીક્ષણ ઉપગ્રહો અવકાશમાં મોકલવાની નેમ ધરાવે છે.

આનંદ ઉપરાંત ઇસરો, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાનો સતીષ સેટ તથા કોન્સોર્ટીયમ ઓફ યુનિવર્સિટીઓનો યુનિટી સેટ આ બે ઉપગ્રહો પણ અવકાશમાં મોકલશે.

અગાઉ ઇસરો, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ યુનિટી સેટ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો હતો.

વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં આ ઉપગ્રહોને છોડવા ઉપરાંત ઇસરો નાના ઉપગ્રહો પ્રક્ષેપણ યાન – SSLV ના પ્રથમ પ્રક્ષેપણનો પ્રયોગ કરશે.

SSLV યાન, 500 કિલોગ્રામ વજન ધરાવતા નાના ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે.

SSLV યાન છ ઇજનેરો ની ટીમ દ્વારા માત્ર સાત દિવસમાં તૈયાર કરી શકાય. છે. જ્યારે PSLV ને જોડીને સજ્જ કરવા 600 લોકોની ટીમને કેટલાંક મહિના સુધી કામગીરી કરવી પડે છે.

ઇસરોએ વેપારી ધોરણે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા PSLV તૈયાર કર્યું છે.

આ ઉપરાંત ઇસરોના વૈજ્ઞાનિકો આદિત્ય એલ-વન ચંદ્રયાન-ત્રણ તથા ગગનયાન જેવા મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટો ઉપર પણ કામ કરી રહ્યા છે.

આદિત્ય- એલ-વન મિશન, ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે, જેમાં ઉપગ્રહને પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર અંતરે નિર્ધારિત એલ-વન જગ્યાએ લઈ જવાશે.

શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર

લેખક – કે.વી.વેંકટસુબ્રમણ્યમ,

વિજ્ઞાન પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...