સંરક્ષણ સંપાદન સમિતિએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી ર૭ હજાર કરોડના સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીને આપેલી મંજુરીથી સરકારની આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા પહેલને મોટો વેગ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧રમી મેના રોજ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. જેના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧૬મી મે ના રોજ સંરક્ષણ વિશેષ સુધારા જાહેર કર્યા હતા. શ્રી મોદીએ ફેબ્રુઆરીમાં લખનૌ ખાતે ૧૧માં સંરક્ષણ એકસપોનું ઉદઘાન કરતા આગામી પાંચ વર્ષમાં પાંચ બીલીયન અમેરીકી ડોલરના કિંમતના સંરક્ષણ ઉત્પાદનોના નિકાસનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો.
તેમણે દેશમાં રોકાણ માટે ખાનગી રોકાણકારોને આપેલા આમંત્રણથી રોકાણનું સારૂ વળતર મળવાની સાથે સંરક્ષણ ક્ષેત્રે ભારતની સ્વ-નિર્ભરતાનો ધ્યેય સીધ્ધ કરવાનું લક્ષ્ય હતું અને આ માટે સરકાર ખુબ જ ગંભીરતાથી સંરક્ષણ સુધારા કરી રહી છે.
આ સુધારાનો ધ્યેય દેશના સંરક્ષણ આયાત ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ઉત્ત પશ્ચિમી સરહદ પર સતત ચાલી રહેલા સુરક્ષા પડકારો સામે લડત માટે મોઘા શસ્ત્રો માટે સતત દુર્લભ સંશાધનોની ફાળવણી કરવી ભારત માટે મુશ્કેલ હોવાથી શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવાનો લક્ષ્યાંક નકકી કર્યો છે.
સંરક્ષણ સંપાદન સમિતિની બેઠકમાં જેના સંપાદનની મંજુરી મળી છે તેમાં ડીઆરડીઓ ધ્વારા વિકસીત હવાઇ દળ માટેની એરબોર્ન અર્લી વોર્નીંગ કંટ્રોલ સિસ્ટમ, નૌકાદળ માટે નેકષ્ટ (Next) જનરેશન ઓફ શોર પેટ્રોલ વેહીકલ અને લશ્કર માટે મોડયુલર બ્રીજનો સમાવેશ થાય છે.
એવુ મનાય છે કે જે દેશ લશ્કરી ઉપકરણો માટે બીજા પર નિર્ભર હોય તે દેશ મજબુત ન હોઇ શકે વળી સંરક્ષણ ક્ષેત્રે સ્વ-નિર્ભરતા – આત્મસન્માન અને સાર્વભૌમત્વ સાથે પણ જોડાયેલુ છે.
અહી એ નોંધવુ રહયું કે ભારતને સ્વ-નિર્ભર બનાવવાના સરકારના નિર્ણયનો મતલબ વિદેશી રોકાણકારો માટે દરવાજા બંધ કરાયા છે એમ નથી. પરંતુ વિદેશી રોકાણકારો માટે ભારતમાં ઉત્પાદન કરવા દરવાજા ખુલ્લા છે. આ માટે સંરક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરાઇ છે.
અગાઉ સરકારે વર્ષ ર૦ર૪ સુધી, હળવા - લડાયક હેલીકોપ્ટર, પરંપરાગત સબમરીન, ક્રુઝ મિસાઇલ સહિત ૧૦૧ હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મની આયાત પર પ્રતિબંધ મુકવાનો મોટો નિર્ણય લીધો હતો.
આ નિર્ણયના કારણે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વર્ષ બાવન હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનો માટેની તક ઉભી થઇ.
ભારતીય સંરક્ષણ ક્ષેત્ર અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉત્પાદન ક્ષેત્રે જીડીપી 10 ટકાથી 25 સુધી લઈ જવામાં ફાળો આપી શકે છે.
ભારતે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વેગ આપવા તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બે સંરક્ષણ કોરીડોરનું ઉદ્ઘાટન કર્યું છે. જેનાથી રોકાણમાં વધારો થવાની સાથે નવી રોજગારીનું સર્જન થશે.
સંરક્ષણ ઉત્પાદનોની વધી રહેલી ક્ષમતાથી સ્થાનિક ઉદ્યોગોની આર્થિક તકોમાં વધારો થવાની સાથે ઝડપથી બદલાઈ રહેલી ભૂ-રાજકીય સ્થિતિમાં ભારતને વ્યૂહાત્મક લાભ પણ થશે.
યોજનાઓને ખંત પૂર્વક લાગુ કરવી તે હાલના સમયની માંગ છે. આ પ્રક્રિયામાં જોકે, ખંતપૂર્ણ આયોજન નાણાંકીય સમર્થન, ધીરજપૂર્વક ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ તથા ઉત્પાદન જરૂરી છે.
પ્રાથમિક તબક્કે સ્થાનિક ખરીદી મોંઘી બની રહેશે. પરંતુ બાદમાં સંપૂર્ણ વિકસીત પ્રણાલી બાદ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ પસંદગીયુક્ત બની રહેશે.
આ સંદર્ભે પ્રાથમિક પગલામાં આપણી જેમાં નિપૂર્ણતા છે તે આર્ટીલરી બંદૂક, મિસાઇલ, મલ્ટી બેરલ રોકેટ લોંન્ચર, કેટલાક રડાર અને હથિયારોમાં આ નીતીનું અમલીકરણ કરવું જોઈએ. સાથે સાથે ભારતે અન્ય ક્ષેત્રોની પણ ઓળખ કરવી પડશે. જેમાં સ્વનિર્ભરતા મેળવી શકાય.
ટૂંકમાં ભારતે વન-ટાઇમ ઓપરેશનની જરૂરિયાતો મેળવવાની સાથે આગામી વર્ષોમાં આ ક્ષેત્રે વધુ ક્ષમતા માટે 10-15 વર્ષનો નાણાંકીય ટેકો, ડિઝાઇન, વિકાસ, તકનીકી સંપાદન અને ઉત્પાદન કાર્યક્રમનો પ્રારંભ કરવો પડશે.
Comments
Post a Comment