પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મીર્ઝિયોયેવે ગત અઠવાડિયે ભારત – ઉઝબેકિસ્તાન શિખર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠક મધ્ય એશિયાના દેશ સાથે યોજાયેલી આ પ્રકારની પ્રથમ બેઠક છે. બંને નેતાઓએ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો, કોવિડ રોગચાળા તથા પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત – ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક સહભાગીતાને નવી ઉંચાઇએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
બંને નેતાઓએ વિવિધ બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદી વિરોધી કાર્યો, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, અવકાશ, માહિતી-તકનીકો અને સાંસ્કૃતિ અને શૈક્ષણિક જોડાણોમાં સહભાગીતા વધુ મજબૂત થવાની બાબતને બિરદાવી હતી.
દ્વિપક્ષીય યોજનાઓ તથા કરારોને અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે ઓગસ્ટમાં મંત્રીસ્તરીય રાષ્ટ્રીય સહભાગીતા સમિતિની બેઠક યોજાઈ હતી.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મીર્ઝીયોયેવે બંને દેશોમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. અને કોવિડ રોગચાળા સામેની લડતમાં દ્વિપક્ષીય અને વૈશ્વિક સહભાગીતાની જરૂરિયાત જણાવી હતી.
કોવિડ દરમિયાન ભારતે કરેલી સહાય બદલ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ શ્રી મોદીનો આભાર માન્યો હતો. તો ભારતે ઉઝબેકિસ્તાનને સહાય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આર્થિક ક્ષેત્રે, બંને નેતાઓએ સ્વીકાર્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો હજુ ઘણા વધુ વિકસી શકે છે. બંને દેશોએ એક બીલીયન અમેરિકી ડોલરના આર્થિક વેપારનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો.
બંને નેતાઓએ દ્વિપક્ષીય રોકાણ કરાર પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરવા સંમતિ દર્શાવી જેનાથી રોકાણને પ્રોત્સાહન મળશે. અને વેપાર તથા આર્થિક સહભાગીતા વધશે.
વેપાર અને રોકાણમાં પ્રગતિ માટે બંને દેશોના રાજ્યો તથા વાણિજ્ય સંઘો વચ્ચે સીધા સંપર્ક પર ભાર મુકવામાં આવ્યો. ભારતે, ઉઝબેકિસ્તાનને 448 મીલીયન અમેરિકી ડોલરની ધિરાણસહાય આપી તો ઉઝબેકિસ્તાને ધિરાણના અસરકારક ઉપયોગ અંગે પ્રતિબદ્ધતા દર્શાવી.
સંમેલન દરમિયાન બંને નેતાઓએ ઇરાનના ચાબહાર બંદરના વિકાસ અંગે પણ વાત કરી. આ બંદર બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. ઉઝબેકિસ્તાને ચાબહાર બંદર દ્વારા બહેતર જોડાણ માટે ભારત – ઇરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ત્રિસ્તરીય બેઠક યોજવાની દરખાસ્ત મૂકી.
ભારતે, ઉઝબેકિસ્તાનને આંતરરાષ્ટ્રીય North South Transports Corridor માં જોડાવા આમંત્રણ આપ્યું. બંને નેતાઓએ આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે પણ ચર્ચાઓ કરી. બંને નેતાઓએ દરેક દેશ આતંકવાદ સામે પોતાના વિસ્તારોનો ઉપયોગ ન થાય તે જોવાની જરૂરિયાત જણાવી બંને દેશોએ આતંકવાદ સામે વ્યાપક કાર્યવાહી CCIT ને ઝડપી કાર્યરત કરવાની જરૂરિયાત જણાવી.
અફઘાનિસ્તાન અંગેની વાતચીતમાં બંને દેશોએ, અફઘાન માલિકીનું, અફઘાન આધારીત, અફઘાન નિયંત્રિત શાંતિ પ્રક્રિયા અંગે સંમતિ દર્શાવી. બંને દેશોએ એકીકૃત , સાર્વભોમ અને લોકશાહી વાળા અફઘાનિસ્તાન માટે સમર્થન આપ્યું બંને દેશોએ અફઘાનિસ્તાનના આર્થિક વિકાસમાં રસ દાખવ્યો. આ માટે વિદેશમંત્રી સ્તરની બીજો – ભારતના મધ્ય એશિયા સંવાદ મહત્વપૂર્ણ બને રહેશે. જેમાં અફઘાનિસ્તાન પણ ભાગ લઈ રહ્યું છે.
પ્રાદેશિક મુદ્દાઓ ઉપરાંત બંને નેતાઓએ સંયુક્ત સંઘમાં સુધારણા તથા બહુપક્ષીવાત્તામાં સુધારા અંગે પણ ચર્ચાઓ કરી. ઉઝબેકિસ્તાને સંયુક્ત સંઘ સંરક્ષણ પરિષદમાં ભારતની ઉમેદવારીએ સમર્થન આપ્યું.
બંને નેતાઓએ ગત મહિને યોજાયેલી શાંધાઇ સહભાગીતા સંસ્થાનની સફળ બેઠક અંગે પણ વાતચીત કરી.
એકંદરે આ વીડિયો બેઠક સફળ રહી અને આનાથી બંને દેશોના સંબંધોને વધુ વેગ મળશે.
Comments
Post a Comment