ગત પંદરમી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાના પ્રાદેશિક સહકારમાટેના સંગઠન – સાર્ક દેશોના વડાઓની બેઠકને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19 વાયરસના પ્રસારને અટકાવવા સંયુક્તવ્યુહ રચના ઘડવાનો અનુરોધ કર્યો છે.કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વમાં આશરે દોઢ લાખથી વધુ દર્દીઓ સંક્રમીત થયાનાઅહેવાલ છે. સાર્ક સંગઠનના બધા જ 8 દેશોના વડાઓએ કોરોના વાયરસની આપત્તિ સામે એક સમાન વ્યુહરચનાઘડવાની શ્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે. શ્રીલંકા, માલદીવ તથા અફઘીસ્તાનના રાષ્ટ્રપ્રમુખો તથા ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના પ્રધાનમંત્રીઓએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારાઆયોજીત બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રીના આરોગ્ય વિભાગ માટેના સહાયક ઝરફ મિરઝાએ બેઠકમાં પ્રતિનિધીત્વ કર્યું હતું. બધા જ નેતાઓએ કોરોનાના રોગચાળા સામે સાથે મળીને લડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમના મતે આ સમગ્ર બાબત માનવતાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની ગણાવી શકાય. જો કે, પાકિસ્તાને આ પ્રસંગે પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં કયા સ્તરના પ્રતિનિધીત્વને તક આપવી તે સમગ્ર બાબત પાકિસ્તાનનો સાર્વભૌમ અધિકારક્ષેત્રની બાબત છે. આમ છતાં, પાકિસ્તાનના જાણીતા દૈનિક ડોનમાં, પ્રકાશિત તંત્રી લેખમાં જણાવ્યું છેકે, જો આ બેઠકમાં પ્રધાનમંત્રી ઇમરાનખાન ઉપસ્થિત રહ્યા હોત, તો પાકિસ્તાન આ ગંભીર રોગચાળાનો સામનો કરવામાં ગંભીર હોવાનો વિશ્વ સમુદાયમાં સંદેશો પહોંચ્યો હોત.
ડોન દૈનિકના તંત્રી લેખકમાં ટિપ્પણી કરવામાં આવી છે કે, પાકિસ્તાને કોરોના વાયરસના ગંભીર સંકટ વખતે, અન્ય દેશો સાથેના મતભેદો દૂર રાખવાની જરૂર હતી.પાકિસ્તાનના મુખ્ય બે વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ – નવાઝ તથા પાકિસ્તાન પીપલ્સપાર્ટી – PPP એ પણ પાકિસ્તાન સરકાર કોવિડ – 19 રોગચાળાને ગંભીરતાથીનથી લેતી, એ અંગે ખેદની લાગણી વ્યક્ત કરી છે.સમગ્ર વિશ્વની કુલ લોકસંખ્યા પૈકી પાંચમાં ભાગની વસતી સાર્ક સંગઠનના દેશોમાં વસેછે. આ બધા જ દેશોમાં કોરોનાનો રોગચાળો હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરે તેવી સંભાવનામજબૂત બની છે.આ તબક્કામાં વ્યક્તિના સ્તરેથી આ રોગચાળો સમુદાય સ્તરે આગળ વધે તેવી સંભાવનાઓ છે.
સાર્ક દેશોના આઠ સભ્ય દેશોમાંથી એક પણ દેશ સ્ત્રોત, મનુષ્યબળ, માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે સંશોધન આ બધા જ પરિબળોમાં કોરોનાના પ્રસારને અટકાવવા સજ્જ જણાતો નથી.આમાં અપવાદરૂપ ભારતે કોરોનાના રોગચાળાના પરીક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના ખતરાનો સામનો કરવા તાકીદના ખર્ચ માટે ખાસભંડોળ રચવાની દરખાસ્ત રજુ કરી છે. શ્રી મોદીએ કોવિડ-19નો પ્રસાર ટાળવા માટે સ્ત્રોતોને એકઠા કરવા, મનુષ્યબળ અને ગેઝેટોનો ઉપયોગ કરવા બાબતે કરેલી દરખાસ્તને પણ બધા અગ્રણીઓએ આવકારી હતી. ભારતે તાકીદના ભંડોળમાં એક કરોડ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ દિવસોમાં ભારતે – નેપાળ, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ચકાસણીના સાધનો, સેનીટાઇઝર તથા આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. જેની કિંમત એક કરોડ અમેરીકી ડોલર થાય છે. સાર્ક દેશોમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારત અને પાકિસ્તાનમાં નોંધાયા છે. પાકિસ્તાનના ડોન અખબારમાં કોરોનાના 450 કેસ નોંધાયાના તથા બે લોકોના મોત થયાના અહેવાલ છે. સીંધપ્રાતમાં સૌથી વધુ 240 કેસ નોંધાયા છે. ભારતમાં પણ બે જણાના મોત સહિત 200થી વધુ કેસ નોંધાયા છે. ઝડપથી પ્રસરી રહેલો કોરોના સમગ્ર વિશ્વ સમુદાય માટે પડકાર રૂપ બની રહ્યો છે. આસંક્ટમાંથી જી–સાત સંગઠનના વિકસીત દેશો પણ મુક્ત રહ્યા નથી.
ડોન દૈનિકના તંત્રી લેખકમાં ટિપ્પણી કરવામાં આવી છે કે, પાકિસ્તાને કોરોના વાયરસના ગંભીર સંકટ વખતે, અન્ય દેશો સાથેના મતભેદો દૂર રાખવાની જરૂર હતી.પાકિસ્તાનના મુખ્ય બે વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ – નવાઝ તથા પાકિસ્તાન પીપલ્સપાર્ટી – PPP એ પણ પાકિસ્તાન સરકાર કોવિડ – 19 રોગચાળાને ગંભીરતાથીનથી લેતી, એ અંગે ખેદની લાગણી વ્યક્ત કરી છે.સમગ્ર વિશ્વની કુલ લોકસંખ્યા પૈકી પાંચમાં ભાગની વસતી સાર્ક સંગઠનના દેશોમાં વસેછે. આ બધા જ દેશોમાં કોરોનાનો રોગચાળો હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરે તેવી સંભાવનામજબૂત બની છે.આ તબક્કામાં વ્યક્તિના સ્તરેથી આ રોગચાળો સમુદાય સ્તરે આગળ વધે તેવી સંભાવનાઓ છે.
સાર્ક દેશોના આઠ સભ્ય દેશોમાંથી એક પણ દેશ સ્ત્રોત, મનુષ્યબળ, માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે સંશોધન આ બધા જ પરિબળોમાં કોરોનાના પ્રસારને અટકાવવા સજ્જ જણાતો નથી.આમાં અપવાદરૂપ ભારતે કોરોનાના રોગચાળાના પરીક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના ખતરાનો સામનો કરવા તાકીદના ખર્ચ માટે ખાસભંડોળ રચવાની દરખાસ્ત રજુ કરી છે. શ્રી મોદીએ કોવિડ-19નો પ્રસાર ટાળવા માટે સ્ત્રોતોને એકઠા કરવા, મનુષ્યબળ અને ગેઝેટોનો ઉપયોગ કરવા બાબતે કરેલી દરખાસ્તને પણ બધા અગ્રણીઓએ આવકારી હતી. ભારતે તાકીદના ભંડોળમાં એક કરોડ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ દિવસોમાં ભારતે – નેપાળ, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ચકાસણીના સાધનો, સેનીટાઇઝર તથા આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. જેની કિંમત એક કરોડ અમેરીકી ડોલર થાય છે. સાર્ક દેશોમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારત અને પાકિસ્તાનમાં નોંધાયા છે. પાકિસ્તાનના ડોન અખબારમાં કોરોનાના 450 કેસ નોંધાયાના તથા બે લોકોના મોત થયાના અહેવાલ છે. સીંધપ્રાતમાં સૌથી વધુ 240 કેસ નોંધાયા છે. ભારતમાં પણ બે જણાના મોત સહિત 200થી વધુ કેસ નોંધાયા છે. ઝડપથી પ્રસરી રહેલો કોરોના સમગ્ર વિશ્વ સમુદાય માટે પડકાર રૂપ બની રહ્યો છે. આસંક્ટમાંથી જી–સાત સંગઠનના વિકસીત દેશો પણ મુક્ત રહ્યા નથી.
Comments
Post a Comment