Skip to main content

કોવિડ-19ના ખતરાનો સામનો કરવાની સાર્ક સંગઠનની સંયુક્ત વ્યુહરચના અંગે સમીક્ષા

ગત પંદરમી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાના પ્રાદેશિક સહકારમાટેના સંગઠન – સાર્ક દેશોના વડાઓની બેઠકને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19 વાયરસના પ્રસારને અટકાવવા સંયુક્તવ્યુહ રચના ઘડવાનો અનુરોધ કર્યો છે.કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વમાં આશરે દોઢ લાખથી વધુ દર્દીઓ સંક્રમીત થયાનાઅહેવાલ છે. સાર્ક સંગઠનના બધા જ 8 દેશોના વડાઓએ કોરોના વાયરસની આપત્તિ સામે એક સમાન વ્યુહરચનાઘડવાની શ્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે. શ્રીલંકા, માલદીવ તથા અફઘીસ્તાનના રાષ્ટ્રપ્રમુખો તથા ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના પ્રધાનમંત્રીઓએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારાઆયોજીત બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રીના આરોગ્ય વિભાગ માટેના સહાયક ઝરફ મિરઝાએ બેઠકમાં પ્રતિનિધીત્વ કર્યું હતું. બધા જ નેતાઓએ કોરોનાના રોગચાળા સામે સાથે મળીને લડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમના મતે આ સમગ્ર બાબત માનવતાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની ગણાવી શકાય. જો કે, પાકિસ્તાને આ પ્રસંગે પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં કયા સ્તરના પ્રતિનિધીત્વને તક આપવી તે સમગ્ર બાબત પાકિસ્તાનનો સાર્વભૌમ અધિકારક્ષેત્રની બાબત છે. આમ છતાં, પાકિસ્તાનના જાણીતા દૈનિક ડોનમાં, પ્રકાશિત તંત્રી લેખમાં જણાવ્યું છેકે, જો આ બેઠકમાં પ્રધાનમંત્રી ઇમરાનખાન ઉપસ્થિત રહ્યા હોત, તો પાકિસ્તાન આ ગંભીર રોગચાળાનો સામનો કરવામાં ગંભીર હોવાનો વિશ્વ સમુદાયમાં સંદેશો પહોંચ્યો હોત.

ડોન દૈનિકના તંત્રી લેખકમાં ટિપ્પણી કરવામાં આવી છે કે, પાકિસ્તાને કોરોના વાયરસના ગંભીર સંકટ વખતે, અન્ય દેશો સાથેના મતભેદો દૂર રાખવાની જરૂર હતી.પાકિસ્તાનના મુખ્ય બે વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ – નવાઝ તથા પાકિસ્તાન પીપલ્સપાર્ટી – PPP એ પણ પાકિસ્તાન સરકાર કોવિડ – 19 રોગચાળાને ગંભીરતાથીનથી લેતી, એ અંગે ખેદની લાગણી વ્યક્ત કરી છે.સમગ્ર વિશ્વની કુલ લોકસંખ્યા પૈકી પાંચમાં ભાગની વસતી સાર્ક સંગઠનના દેશોમાં વસેછે. આ બધા જ દેશોમાં કોરોનાનો રોગચાળો હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરે તેવી સંભાવનામજબૂત બની છે.આ તબક્કામાં વ્યક્તિના સ્તરેથી આ રોગચાળો સમુદાય સ્તરે આગળ વધે તેવી સંભાવનાઓ છે.

સાર્ક દેશોના આઠ સભ્ય દેશોમાંથી એક પણ દેશ સ્ત્રોત, મનુષ્યબળ, માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે સંશોધન આ બધા જ પરિબળોમાં કોરોનાના પ્રસારને અટકાવવા સજ્જ જણાતો નથી.આમાં અપવાદરૂપ ભારતે કોરોનાના રોગચાળાના પરીક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના ખતરાનો સામનો કરવા તાકીદના ખર્ચ માટે ખાસભંડોળ રચવાની દરખાસ્ત રજુ કરી છે. શ્રી મોદીએ કોવિડ-19નો પ્રસાર ટાળવા માટે સ્ત્રોતોને એકઠા કરવા, મનુષ્યબળ અને ગેઝેટોનો ઉપયોગ કરવા બાબતે કરેલી દરખાસ્તને પણ બધા અગ્રણીઓએ આવકારી હતી. ભારતે તાકીદના ભંડોળમાં એક કરોડ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ દિવસોમાં ભારતે – નેપાળ, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ચકાસણીના સાધનો, સેનીટાઇઝર તથા આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. જેની કિંમત એક કરોડ અમેરીકી ડોલર થાય છે. સાર્ક દેશોમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારત અને પાકિસ્તાનમાં નોંધાયા છે. પાકિસ્તાનના ડોન અખબારમાં કોરોનાના 450 કેસ નોંધાયાના તથા બે લોકોના મોત થયાના અહેવાલ છે. સીંધપ્રાતમાં સૌથી વધુ 240 કેસ નોંધાયા છે. ભારતમાં પણ બે જણાના મોત સહિત 200થી વધુ કેસ નોંધાયા છે. ઝડપથી પ્રસરી રહેલો કોરોના સમગ્ર વિશ્વ સમુદાય માટે પડકાર રૂપ બની રહ્યો છે. આસંક્ટમાંથી જી–સાત સંગઠનના વિકસીત દેશો પણ મુક્ત રહ્યા નથી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...