Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંસદના બંને ગૃહો - લોકસભા અને રાજ્યસભામાં ગત સપ્તાહની કામગીરીમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.

વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત - UAEમાં રહેતા આઠ ભારતીયોને અલાયદા રાખવામાં આવ્યા છે.

ઈરાનમાં જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રના અગીયારસો ભાવિકો સહિત કુલ છ હજાર ભારતીયો અટવાયા છે. આ લોકોમાં કાશ્મીરના વધુ અને અન્ય સ્થળના 300 જેટલા વિદ્યાર્થીઓ, કેરળ, તમીળનાડુ તથા ગુજરાતના આશરે એક હજાર જેટલા માછીમારો પણ ઈરાનમાં અટવાયા છે.

શ્રી મુરલીધરને ગૃહને જાણકારી આપી હતી કે, ઈરાનમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. આ હેતુથી ભારતીય તબીબોની છ ટીમો ઈરાન મોકલવામાં આવી છે.

આ ટીમ ત્યાં અટવાયેલા ભારતીયોના સેમ્પલ લઈ ચકાસશે. અત્યાર સુધીમાં એક હજાર 706 ભારતીયોના સેમ્પલ પરિક્ષણ હેતુથી એકત્ર કરાયા છે. ગત 16મી માર્ચ સુધીમાં 205 ભારતીય શ્રદ્ધાળુઓ સહિત 389 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.

તબીબી પરિક્ષણો બાદ ઈરાનમાં અટવાયેલાં બાકીના ભારતીયોને પણ ભારત પાછા લાવવામાં આવશે. સત્તાવાળાઓ ઈરાનની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બીજા પ્રશ્નના જવાબમાં શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ગત 26મી ફેબ્રુઆરીએ ભારતે 15 ટન વજનના માસ્ક, હાથમોજા, તબીબી ઉપકરણો ચીનને મદદ તરીકે આપ્યા હતા.

ભારત-ચીન રાજદ્વારી સંબંધોના 70માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મૈત્રી તથા સહસંવેદનાના ભાગરૂપે ભારતે ચીનને આ સહાય આપી છે.

આ ઉપરાંત ભારતમાં વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને રોકવા લેવાયેલા પગલાં, તેની સામે લડવાની સજ્જતા વગેરેની સમીક્ષા આરોગ્ય મંત્રી હર્ષવર્ધને મંત્રીઓના જૂથની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

વિદેશમંત્રી એસ.જયશંકર મંત્રીઓના જૂથની આ સમિતીના સભ્ય છે. એવી જ રીતે આરોગ્ય મંત્રાલયે સૂચનો આપવા મસલતકારો પણ નિમ્યા છે.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ગત 8મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને પત્ર લખીને કોરોના વાયરસના પગલે ચીનમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચીની લોકો સાથે સહસંવેદના વ્યક્ત કરી હતી તેમજ ભારત દ્વારા શક્ય તમામ સહાયની ઓફર પણ કરી હતી.

વિદેશ મંત્રાલયે સંસદમાં જાણકારી આપી હતી કે, ભારતે વિશ્વસમુદાયનો જાતે જ સંપર્ક કરીને જમ્મુ અને કાશ્મીર બાબતે વિગતો આપી હતી.

ભારતે વિશ્વ આલમને નાગરિકત્વ સુધારા ધારામાં સુધારાનો હેતુ પણ સમજાવ્યો હતો.

રાજ્યસભામાં પૂછાયેલા બીજા પ્રશ્નના જવાબમાં શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ડાયમન્ડ પ્રિન્સેસ ક્રુઝ જહાજમાં કુલ 138 ભારતીય નાગરિકો હતા, આ પૈકી 119 ભારતીય નાગરિકોને ખાસ વિમાન દ્વારા ગત 27મી ફેબ્રુઆરીએ ભારત પાછા લાવવામાં આવ્યા હતા.

તેમણે હરીયાણામાં ભારતીય સેના દ્વારા સંચાલીત માનેસર ખાતેના શિબીરમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ચીનના વુહાન અને હુબઈ પ્રાંતમાં કોરોનાના પગલે પરિસ્થિતિ ગંભીર બનતા ત્યાં અટવાયેલા 766 ભારતીયોને સ્વદેશ લાવવા માટે 31મી જાન્યુઆરી તથા 1લી અને 26મી ફેબ્રુઆરીએ ખાસ વિમાન મોકલવામાં આવ્યા હતા.

આ વિમાનમાં આપણા પાડોશી દેશોના જે નાગરિકો પાછા આવવા ઈચ્છતા હતા, તેમને પણ વુહાનથી ભારત લાવવામાં આવ્યા.

આ 43 વિદેશી નાગરિકોમાં બાંગ્લાદેશના 23, માલદીવના 9, મ્યાનમારના બે તેમજ દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર અને અમેરિકાના 1-1 નાગરિકોનો સમાવેશ થાય છે. એવી જ રીતે ભારતીય નાગરિકોની પત્ની કે પતિ હોય તેવા છ ચીની નાગરિકોને પણ ભારત લાવવામાં આવ્યા છે.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18મી ફેબ્રુઆરી 2020ના રોજ પ્રવાસ અંગે માર્ગદર્શિકા જારી કરાઈ છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...