અમેરિકા સાથે શાંતિ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા બાદ માત્ર બે-ત્રણ દિવસ પછી તાલીબાનોએ જાહેરાત કરી હતી કે, તેઓ અફઘાન સરકારના દળો સામે ફરીથી કાર્યવાહી શરૂ કરી રહ્યા છે.
અમેરિકાના પ્રતિનિધિ ઝલ્મી ખલીલઝાદ અને તાલીબાનોના ડેપ્યુટી લીડર મુલ્લા-અબ્દુલ્લા-ઘની-બીરાદર વચ્ચે નવ દોરની મંત્રણા દોહામાં કતાર ખાતે યોજાયા બાદ અમેરિકા અને તાલીબાનો વચ્ચે શાંતિ સમજૂતી સધાઈ હતી.
આ શાંતિ સમજુતીના મુખ્ય ચાર ભાગ છે, જેમાં યુદ્ધ વિરામ, વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવા આંતર-અફઘાન મંત્રણાઓ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી ખાતરીનો સમાવેશ થાય છે.
આ શાંતિ સમજુતી મુજબ અમેરિકાએ સમજુતી સધાયા બાદ માત્ર 10 દિવસમાં પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને 135 દિવસમાં 8 હજાર 600થી વધુ સૈનિકો અમેરિકા પાછા ફરશે તેવી ખાતરી આપી હતી.
એવી જ રીતે 20મી માર્ચ સુધીમાં પાંચ હજાર તાલીબાનો મુક્ત કરાશે, તેની ખાતરી અમેરિકાએ આપી હતી. તેમજ બાકીના કેદ કરાયેલા તાલીબાનોને ત્રણ માસમાં મુક્ત કરાશે તેની સમજુતી થઈ હતી.
જોકે આ શાંતિ સમજુતી બાબતે અફઘાનમાં તથા વિશ્વભરમાં આશા અને ભય બંને લાગણીઓ જોવા મળી હતી.
તાલીબાનો અફઘાની નાગરિકો તથા બહારના વિશ્વ સમુદાય પ્રત્યે જે કટ્ટર વલણ ધરાવે છે તેના કારણે ભયની લાગણી ઉદભવી હતી.
ઘણાંને એવી બીક લાગે છે કે, અમેરિકાના દળો પાછા ફરતા અફઘાનિસ્તાનમાં સલામતી ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાશે પરિણામે સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારની શાંતિ અને સ્થીરતા જોખમાશે.
એકંદરે જોતા આ શાંતિ સમજુતીને ઘણા અફઘાન લોકોએ સમર્થન આપ્યું છે. આમ છતાં આંતર-અફઘાન મંત્રણા વખતે ઘણા મુદ્દાઓ બાબતે ઉકેલ મેળવવાના બાકી છે.
જેમ કે અફઘાનિસ્તાનમાં સત્તાની વહેંચણી, તાલીબાનોનું નિશસ્ત્રીકરણ તથા તેમને સમાજમાં ફરીથી સમાવવા – આ ઉપરાંત દિવાસી, વંશીય વગેરે મુદ્દાઓના કારણે નબળી અફઘાન સરકારે પરિસ્થિતિ વધુ જટીલ બનાવી છે.
છેલ્લા 18 વર્ષમાં તાલીબાનો વધુ મજબુત બન્યા છે. આશરે 60 હજાર લડાકૂ ધરાવતા આ જૂથે અફઘાનિસ્તાનમાં ઘણાં જિલ્લાઓમાં નિયંત્રણ મેળવ્યું છે.
તેઓ હજી પણ કાબૂલ તથા અફઘાન સૈનિકો ઉપર હુમલાઓ કરી રહ્યા છે.
એવી જ રીતે તાલીબાનોના અલગ-અલગ જૂથો પૈકી કેટલાક જૂથોએ શાંતિ મંત્રણામાં રસ દાખવ્યો નથી.
તાલીબાનોએ અફઘાનિસ્તાનની સરકાર સાથે કોઈપણ મંત્રણા કરવાની વાતને નકારી કાઢી છે.
તેમણે અફઘાન સરકાર પહેલા પાંચ હજાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરે તેવી માગણી પણ કરી છે.
તો સામે પક્ષે અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરવા ખચકાય છે કારણ કે આમ થવાથી તેમની સરકારના કટ્ટરક વિરોધી તાલીબાનો હજી મજબૂત બનશે.
હવે તાલીબાનો અફઘાનિસ્તાનમાં નવેસરથી હુમલાઓ શરૂ કરશે તો સમગ્ર શાંતિ પ્રક્રિયાના પ્રયાસો નિષ્ફળ જાય તેવી ભીતિ છે.
તાલીબાનો અને અમેરિકાને શાંતિવાર્તામાં મદદરૂપ થનાર પાકિસ્તાને શાંતિ સમજુતીને આવકારી છે. જોકે અમેરિકા પાકિસ્તાનને આર્થિક કામગીરી કાર્યવાહી દળ – FATFના ગ્રે લીસ્ટમાંથી બહાર નિકળવામાં મદદ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન શાંતિ સમજુતીને સફળ થવા દેશે નહીં.
મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં થનારી મંત્રણાના સ્થળની જાહેરાત કરાઈ નથી. જોકે જર્મની અને નોર્વેએ મંત્રણા યોજવાની તૈયારી બતાવી છે.
સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવા શાંતિ સમજુતી હજી સફળ ગણાવી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનનો મજબુત સમર્થક રહ્યો છે.
વર્ષ 2001થી આજદિન સુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં માળખાકીય સુવિધા વિકાસ તથા વેપાર ક્ષેત્રે ત્રણ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે.
ભારત અશાંતિગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રોને ફરીથી જોમવંતા બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં ઓછો થાય તે હેતુથી ભારતે આવા પ્રયાસો હાથ ધર્યા છે.
ભારતનું તાલીબાનો અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.
ભારત તાલીબાનોને માન્યતા આપતો નથી અને અફઘાનિસ્તાનમાં ત્યાંના નાગરિકો અને ત્યાંના લોકોની ઈચ્છા મુજબ સુમેળભર્યા પ્રયાસોના પગલે ઉભા થયેલા સાર્વભૌમ, લોકતાંત્રીક, સર્વસમાવેશક સ્થીર અને સમૃદ્ધ અફઘાનીસ્તાનને ટેકો આપે છે.
લેખક - ડો.સ્મીતા, અફઘાન-પાકિસ્તાન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
અમેરિકાના પ્રતિનિધિ ઝલ્મી ખલીલઝાદ અને તાલીબાનોના ડેપ્યુટી લીડર મુલ્લા-અબ્દુલ્લા-ઘની-બીરાદર વચ્ચે નવ દોરની મંત્રણા દોહામાં કતાર ખાતે યોજાયા બાદ અમેરિકા અને તાલીબાનો વચ્ચે શાંતિ સમજૂતી સધાઈ હતી.
આ શાંતિ સમજુતીના મુખ્ય ચાર ભાગ છે, જેમાં યુદ્ધ વિરામ, વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવા આંતર-અફઘાન મંત્રણાઓ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી ખાતરીનો સમાવેશ થાય છે.
આ શાંતિ સમજુતી મુજબ અમેરિકાએ સમજુતી સધાયા બાદ માત્ર 10 દિવસમાં પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને 135 દિવસમાં 8 હજાર 600થી વધુ સૈનિકો અમેરિકા પાછા ફરશે તેવી ખાતરી આપી હતી.
એવી જ રીતે 20મી માર્ચ સુધીમાં પાંચ હજાર તાલીબાનો મુક્ત કરાશે, તેની ખાતરી અમેરિકાએ આપી હતી. તેમજ બાકીના કેદ કરાયેલા તાલીબાનોને ત્રણ માસમાં મુક્ત કરાશે તેની સમજુતી થઈ હતી.
જોકે આ શાંતિ સમજુતી બાબતે અફઘાનમાં તથા વિશ્વભરમાં આશા અને ભય બંને લાગણીઓ જોવા મળી હતી.
તાલીબાનો અફઘાની નાગરિકો તથા બહારના વિશ્વ સમુદાય પ્રત્યે જે કટ્ટર વલણ ધરાવે છે તેના કારણે ભયની લાગણી ઉદભવી હતી.
ઘણાંને એવી બીક લાગે છે કે, અમેરિકાના દળો પાછા ફરતા અફઘાનિસ્તાનમાં સલામતી ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાશે પરિણામે સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારની શાંતિ અને સ્થીરતા જોખમાશે.
એકંદરે જોતા આ શાંતિ સમજુતીને ઘણા અફઘાન લોકોએ સમર્થન આપ્યું છે. આમ છતાં આંતર-અફઘાન મંત્રણા વખતે ઘણા મુદ્દાઓ બાબતે ઉકેલ મેળવવાના બાકી છે.
જેમ કે અફઘાનિસ્તાનમાં સત્તાની વહેંચણી, તાલીબાનોનું નિશસ્ત્રીકરણ તથા તેમને સમાજમાં ફરીથી સમાવવા – આ ઉપરાંત દિવાસી, વંશીય વગેરે મુદ્દાઓના કારણે નબળી અફઘાન સરકારે પરિસ્થિતિ વધુ જટીલ બનાવી છે.
છેલ્લા 18 વર્ષમાં તાલીબાનો વધુ મજબુત બન્યા છે. આશરે 60 હજાર લડાકૂ ધરાવતા આ જૂથે અફઘાનિસ્તાનમાં ઘણાં જિલ્લાઓમાં નિયંત્રણ મેળવ્યું છે.
તેઓ હજી પણ કાબૂલ તથા અફઘાન સૈનિકો ઉપર હુમલાઓ કરી રહ્યા છે.
એવી જ રીતે તાલીબાનોના અલગ-અલગ જૂથો પૈકી કેટલાક જૂથોએ શાંતિ મંત્રણામાં રસ દાખવ્યો નથી.
તાલીબાનોએ અફઘાનિસ્તાનની સરકાર સાથે કોઈપણ મંત્રણા કરવાની વાતને નકારી કાઢી છે.
તેમણે અફઘાન સરકાર પહેલા પાંચ હજાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરે તેવી માગણી પણ કરી છે.
તો સામે પક્ષે અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકાર કેદ કરાયેલા તાલીબાનોને મુક્ત કરવા ખચકાય છે કારણ કે આમ થવાથી તેમની સરકારના કટ્ટરક વિરોધી તાલીબાનો હજી મજબૂત બનશે.
હવે તાલીબાનો અફઘાનિસ્તાનમાં નવેસરથી હુમલાઓ શરૂ કરશે તો સમગ્ર શાંતિ પ્રક્રિયાના પ્રયાસો નિષ્ફળ જાય તેવી ભીતિ છે.
તાલીબાનો અને અમેરિકાને શાંતિવાર્તામાં મદદરૂપ થનાર પાકિસ્તાને શાંતિ સમજુતીને આવકારી છે. જોકે અમેરિકા પાકિસ્તાનને આર્થિક કામગીરી કાર્યવાહી દળ – FATFના ગ્રે લીસ્ટમાંથી બહાર નિકળવામાં મદદ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન શાંતિ સમજુતીને સફળ થવા દેશે નહીં.
મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં થનારી મંત્રણાના સ્થળની જાહેરાત કરાઈ નથી. જોકે જર્મની અને નોર્વેએ મંત્રણા યોજવાની તૈયારી બતાવી છે.
સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવા શાંતિ સમજુતી હજી સફળ ગણાવી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનનો મજબુત સમર્થક રહ્યો છે.
વર્ષ 2001થી આજદિન સુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં માળખાકીય સુવિધા વિકાસ તથા વેપાર ક્ષેત્રે ત્રણ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે.
ભારત અશાંતિગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રોને ફરીથી જોમવંતા બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં ઓછો થાય તે હેતુથી ભારતે આવા પ્રયાસો હાથ ધર્યા છે.
ભારતનું તાલીબાનો અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.
ભારત તાલીબાનોને માન્યતા આપતો નથી અને અફઘાનિસ્તાનમાં ત્યાંના નાગરિકો અને ત્યાંના લોકોની ઈચ્છા મુજબ સુમેળભર્યા પ્રયાસોના પગલે ઉભા થયેલા સાર્વભૌમ, લોકતાંત્રીક, સર્વસમાવેશક સ્થીર અને સમૃદ્ધ અફઘાનીસ્તાનને ટેકો આપે છે.
લેખક - ડો.સ્મીતા, અફઘાન-પાકિસ્તાન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment