Skip to main content

કોરીયન દ્વિપકલ્પમાં ઉભો થયેલા તણાવ અંગે સમીક્ષા

ઉત્તર કોરીયાએ આ સપ્તાહની શરૂઆતમાં ઓછામાં ઓછી ત્રણ વણ ઓળખાયેલી મિસાઇલનું પરીક્ષણ કર્યુ. જે કિમ જોંગ ઉન સરકાર ધ્વારા બે સપ્તાહ દરમિયાન કરાયેલુ આ બીજુ કામ છે. પ્યોગયાગ ધ્વારા આ અગાઉ કરાયેલા જીવંત સૈન્ય અભ્યાસ દરમિયાન વિરોધ કરી ધમકી આપવામાં આવી હતી. તેના બે દિવસ પછી આ બન્યું હતું. દક્ષિણ કોરીયાના સંરક્ષણ મંત્રાલયે કહયુ હતું કે તેને ઉત્તર કોરીયાના પુર્વ કાંઠે કોરીયન દ્વિપકલ્પ અને જાપાન વચ્ચેના પાણીમાં જુદા જુદા પ્રકારની ટુંકા અંતરની મિસાઇલ જોવા મળી હતી. આ મિસાઇલમાં મહત્તમ અંતર ર૦૦ કી.મી. નું અને ઉંચાઇ પ૦ કી.મી. ની હતી. દક્ષિણ કોરીયાના લશ્કરે, જયારે સંપુર્ણ તૈયાર થઇ રહયું હતું ત્યારે વધારાના પ્રક્ષેપણ બાબતે સંબંધિત વિસ્તારમાં નીરીક્ષણ કર્યુ હતું. દક્ષિણ કોરીયાએ કહયું હતું કે કોરીયન દ્વિપકલ્પ પર તણાવ ઓછો કરવાના હેતુથી વર્ષ ર૦૧૮ માં ઉત્તર કોરીયા સાથે થયેલા કરારોનું ઉલ્લંધન થયું છે.

ઉત્તર કોરીયાના મીડીયાએ જણાવ્યું કે અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હનોઇમાં કિમ જોંગ ઉને કોઇપણ સોદા વગર કરેલી શિખર પરીષદને ર૮મી ફેબ્રુઆરીએ વર્ષ પુરૂ થતાં સૈન્ય અભ્યાસ શરૂ કરાયો હતો. આ અભ્યાસ ચાલુ રહયો હતો, જયારે પ્યોંગયાંગના પુર્વ દરિયા કાઠાના વોન્સન શહેર નજીકથી બે વણ ઓળખાયેલી ટુંકા અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. કાઢી નાખી હતી. અમેરીકાએ કહયું છે કે આ પ્રક્ષેપણ અપેક્ષિત હતુ અને તે પરિસ્થિતિ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને દક્ષિણ કોરીાય અને જાપાનને સલાહ આપશે. જો કે અમેરીકાએ ઉત્તર કોરીયાને ઉશ્કેરણી ટાળવા, સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરીષદના નિયમોનું પાલન કરવા પરમાણુ પરીક્ષણ ટાળવા સતત નોંધપાત્ર ચર્ચા વિચારણા કરવા અનુરોધ કર્યો છે. જાપાને કહયું કે ઉત્તર કોરીયાએ બેલેસ્ટીક મિસાઇલનું પ્રક્ષેપણ કર્યુ હોવાનું જણાય છે. પરંતુ જાપાનના પ્રદેશમાં કે તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં કોઇ અતિક્રમણની અસર થઇ નથી. પરંતુ આ ગતિવિધિના કારણે જાપાનની શાંતી અને સલામતી જોખમમાં મુકાઇ છે. અમેરીકા સાથેની મંત્રણાઓ વચ્ચે ઉત્તર કોરીયાએ ર૦૧૯માં ૧૩ મિસાઇલ ધ્વારા પરમાણુ પરીક્ષણ કર્યુ હતું. જો કે પ્યોંગયાંગે ઇન્ટર કોન્ટીનેન્ટલ મિસાઇલ પરીક્ષણ કરવાનું ટાળ્યુ હતું. જેનો અમેરીકાને ડર હતો. જો કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ર૦૧૯ ના ઉત્તર કોરીયાના પરીક્ષણને સ્ટાન્ડર્ડ ગણાવી તેનો અમેરીકાની ધરતીને ખતરો ન હતો તેમ કહયું હતું પણ એ દક્ષિણ કોરીયા અને એ ભૂમિ પરના અમેરીકાના ર૮ હજાર સૈનિકો માટે ખતરો ગણાવ્યો છે.

કિમે 2019 માં અમેરિકાને ચેતવણી આપી હતી કે અમેરિકાને તે વર્ષના અંત સુધી પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અંગેની મોફુક વાટાઘાટો ફરી શરૂ કરવી પડશે. નિશ્ચિત સમયમર્યાદામાં અમેરિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા કિમે નવા વર્ષના સંદેશમાં જાહેરાત કરી કે તેમનો દેશ તેના પરમાણુ અવરોધને પ્રોત્સાહન આપશે અને હવે પોતાના મોટા શસ્ત્રોના પરીક્ષણ પર જાતે જ કોઈ પણ પ્રકારનું બંધન લાદશે નહીં. નજીકના ભવિષ્યમાં કિમે "નવું વ્યૂહાત્મક શસ્ત્ર" રજૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નિષ્ણાતો કહે છે કે "વ્યૂહાત્મક હથિયાર" નો અર્થ અદ્યતન પ્રકારની આંતર ખંડિય બેલિસ્ટિક મિસાઇલ અથવા સબમરીન પરથી સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ હોઈ શકે છે. જો કે તાજેતરનાં પરીક્ષણો "વ્યૂહાત્મક શસ્ત્ર" ની શ્રેણીમાં બંધ બેસતા નથી.

ઉત્તર કોરિયાની લશ્કરી કાર્યવાહી ઘણીવાર દેશ અને વિદેશમાં પણ મહત્તમ રાજકીય પ્રભાવ ધરાવે છે. સ્થાનિક નાગરિકો સામે, કિમ કથિત વિદેશી ધમકીઓનો સામનો કરવા માટેનું શક્તિ પ્રદર્શન કરે છે. વૈશ્વિક સ્તરે આવા પરીક્ષણો ઘણીવાર વૈશ્વિક રડાર પર પાછા ફરવાના કિમના પ્રયાસ તરીકે માનવામાં આવે છે.

હાલમાં, દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા જીવલેણ કોરોના વાયરસનો સામનો કરવામાં વ્યસ્ત છે જેના કારણે ઉત્તર કોરિયાની આવી પ્રવૃત્તિ ઉપર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમની પાસે બહુ ઓછો સમય છે.

ઉત્તર કોરીયા તેના વિરૂધ્ધ વ્યાપક પ્રતીબંધો હટાવવા માટે અમેરીકા, દક્ષિણ કોરીયા અને જાપાન પર આ લોચ ધ્વારા દબાણ લાગુ કરવા ઇચ્છશે. પ્યોંગયાંગને આશા છે કે ચુંટણી જંગની મધ્યમાં રહેલા ટ્રમ્પ થોડી છુટ આપી શકે. એ જ આશા રાખીશકાય કે ઉત્તર કોરીયા ઘર્ષણમાં વધારો કરવાનો નિર્ણય ના લે અને હજી પણ વધુ ઉશ્કેરણીજનક અપરાધોનો આશરો ના લે. સ્થિર, સુરક્ષીત અને શાંતીપુર્ણ કોરીયન દ્વીપકલ્પ અને જાપાનના સમુદ્રમાં દરિયાઇ ક્ષેત્ર ભારતના વ્યુહાત્મક હિતમાં છે. છેલ્લા કેલાક વર્ષોથી એકધારી પ્રગતિ કરી રહેલી ઇન્ડો પેસીફીક વ્યુહરચનાના સુગમ અને એકીકૃત પ્રગતિ માટે આ મહત્વનું છે.

લેખક – અશોક સજજનહાર – પુર્વ ભારતીય રાજદુત

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...