Skip to main content

ઇઝરાયેલમાં યોજાયેલી રસાકસીભરી ચૂંટણી, રાજકીય મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી એ અંગે સમીક્ષા

ઇઝરાયેલમાં ગત બીજી માર્ચે એક વર્ષની અંદર ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજાઈ. જો કે, રાજકીય ક્ષેત્રે ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવામાં આ ત્રીજું સંસદીય ચૂંટણીને પણ નિષ્ફળતા મળી હતી.

ચૂંટણીમાં મતદાન પૂરૂ થતા જ લીકુડ પક્ષના નેતા બેન્જામીન નેતાન્યાહુએ તેમને પક્ષ વિજયી થશે તેવો દાવો કર્યો હતો. જો કે, ઇઝરાયેલની સંસદની 120 બેઠકોમાં બહુમતી મેળવવા જરૂરી 61 બેઠકો મેળવવામાં લીકુડ પક્ષને નિષ્ફળતા મળી હતી.આ વખતની ચૂંટણીમાં લગભગ 99 ટકા મતોની ગણતરી બાદ લિકુડ પક્ષે 36 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ રહેવા ઉપર જ સંતોષ માનવો પડયો હતો. ધાર્મિક વિચારધારા ઉપર આધારીત શાસક પક્ષને 9 અને યુનાઇટેડ તોરાહ પક્ષને સાત બેઠકો મળી હતી.

જમણેરી વિચારધારા ધરાવતા પક્ષ યામીનાને છ બેઠકોથી સંતોષ માનવો પડયો. આ સાથે નેતાન્યાહુના વડપણ હેઠળના જમણેરી તથા ધાર્મિક પરંપરા ધરાવતા મોરચાને કુલ 58 બેઠકો મળી છે. આમ આ મોરચો સાદી બહુમતીથી ત્રણ બેઠકો દૂર રહ્યો. હવે આખરી મતગણતરી બાદ એકાદ બેઠક મળે તો પણ નેતાન્યાહુના મોરચાને બહુમતી મળશે નહીં. ઇઝરાયેલમાં થયેલો આર્થિક વિકાસ તથા અમેરીકા સાથેના નજીકના સંબંધો પણ નેતાન્યાહુને જીત અપાવી શક્યા નથી. વિપક્ષને 62 બેઠકો મળી છે પણ તેઓ સરકાર રચી શકે તેવી શક્યતા નથી.

ભૂતપૂર્વ જનરલ બેની ગેન્ટઝના બેની ગેન્ટ્ઝના નેતૃત્વવાળી વ્હાઇટ પાર્ટી તથા સેન્ટ્રીસ્ટ બ્લુને પણ માત્ર 33 બેઠકો મળી જે ચૂંટણા પહેલાની અપેક્ષાએ ઘણી ઓછી છે. અવીગદોર લીબરમનના વડપણ હેઠળના યીઝરાયેલ બેતેનું પક્ષને સાત બેઠકો મળતા તે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે એ વાત લગભગ નક્કી થઇ છે.

સરકારની રચના માટે નેતાન્યાહુ કે ગેન્ટઝને લીબમેનના સમર્થનની જરૂર પડશે. જોકે આમ કરવું સરળ નથી કારણ કે, આરબ પક્ષનો સાથ લેનાર કોઇપણ મોરચાનો લીબરમેન વિરોધ કરશે. ડિસેમ્બર 2018માં ઇઝરાયેલની સંસદ બરખાસ્ત કરાઇ ત્યારે શ્રી નેતાન્યાહુ તથા શ્રી લીબરમેન વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યા હતા. આના સીધા પરિણામરૂપે ઇઝરાયેલમાં એક વર્ષમાં ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજવી પડી છે.

સૌથી વધુ મુદત માટે ઇઝરાયેલના પ્રધાનમંત્રી રહેનાર શ્રી નેતાન્યાહુએ હવે સૌથી વધુ સમય સુધી રખેવાળ સરકારના વડાનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે પોતાના સાથી પક્ષો સાથે સરકાર રચવા મંત્રણા શરૂ કરી છે.

આવતા અઠવાડિયે નવી સરકારની રચના વિધીવત શરૂઆત થાય તેવી સંભાવના છે. તાજેતરની ચૂંટણીના પરિણામે વિધીવત જાહેર થયા પછી રાષ્ટ્રપ્રમુખ રૂવેન રીવલીન, બધાજ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને સ્થીર સરકારની રચના કરવાના પ્રયાસ કરશે. સામાન્ય રીતે ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ સરકારની રચના ચાર સપ્તાહમાં થતી હોય છે. લીબરમને લીકુડ નેતાને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે. તેથી જ સરકાર રચવામાં વિલંબ થાય છે. જો લીબરમેન તેમનો અભિગમ નહીં બદલે તો નેતાન્યાહુને વિપક્ષ બ્લ્યુ પાર્ટીમાંથી સાંસદોને પોતાના પક્ષમાં ખેંચવા પડશે.

ગત 17મી માર્ચે નવી ઘટના બની શ્રી નેતાન્યાહુ ભ્રષ્ટાચારનો સામનો કરનાર તથા અદાલતમાં ઉપસ્થિત રહેનાર પ્રથમ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બન્યા. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રી નેતાન્યાહુ એવો કાયદો ધડવાનો પ્રયાસ કરતા હતા કે, પદ ઉપરના પ્રધાનમંત્રી સામે કાયદેસર કાર્યવાહી થઇ ન શકે. બ્લુ તથા વ્હાઇટ પાર્ટી દોષીત વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે નહિ તેવું વિધેયક લાવવાના પ્રયાસો કરવા વિચારણા કરી રહ્યા છે. તેઓ લીકુડ પક્ષને તેના નેતા બદલવાનું દબાણ કરી રહ્યા છે. આ બાબત માત્ર નેતાન્યાહુને જ નહીં લીકુડ પક્ષના ઘણાં નેતાઓને પણ માન્ય નથી. જો કે ઇઝરાયેલમાં ઉભી થયેલી રાજકીય મડાગાંઠની ભારતના સંબંધો ઉપર અસર થશે નહીં. ઇઝરાયેલ નવા નેતાની વરણી કરે તો પણ આ સંબંધોમાં ફેરફાર થશે નહીં. બંનો દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યુહાત્મક સંબંધો ખૂબ જ મહત્વના છે. બંને દેશો સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.



લેખકઃ પ્રોફેસર P.R. કુમારસ્વામી, JNUના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર

શ્રીરંગ, નવીન

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...