Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંરદના બજેટ સત્રના બીજા તબક્કાનો ગત બીજી માર્ચથી આરંભ થયો છે. આ તબક્કો ત્રીજી એપ્રિલ સુધી ચાલશે. વિપક્ષ આ સત્રમાં કેન્દ્રની એનડીએ સરકારને કૃષિ અને અર્થતંત્રના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ સત્તાધારી પક્ષો સંસદના બંને ગૃહોમાં સત્ય અને સમર્થન કરતાં આંકડાઓ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. 

સરકારે સંસદના આ સત્ર માટે શ્રમ સુધારા, સરોગસી નિયમન વિધેયક સહિત 25 વિધેયકોની એક યાદી તૈયાર કરી છે, અને તેને બહાલી અપાવવા સરકાર પ્રયાસ કરશે. આ સત્રમાં આર્થિક વિધેયકને પણ બહાલી અપાશે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિદેશથી આવતા બધા જ મુસાફરોનું હવે સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. રેલવે મંત્રાલયની વર્ષ 2020-2021 માટેની અનુદાનની માગણીને લગતો રેલવે માટેની સ્થાયી સમિતિનો અહેવાલ શ્રી રાધામોહનસિંહ અને શ્રી સુનીલ કુમાર મંડલ દ્વારા સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરાશે.

આ સત્રમાં વિમાન સુધારા વિધેયક, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી વિધેયક, હોમીયોપોથી અંગેના રાષ્ટ્રીય પંચને લગતુ વિધેયક તથા ખનીજ કાયદો સુધારા વિધેયકો પણ હાથ ધરાશે. પડતર વિધેયકોની વાત કરીએ તો તેમાં વ્યક્તિગત માહિતી સંરક્ષણ વિધેયક 2010નો સમાવેશ થાય છે. જેમાં વ્યક્તિગત ડેટાના ઉપયોગ ઉપર નજર રાખવાની માહિતી સંરક્ષણ સત્તામંડળને સત્તા હોવાની જોગવાઈ છે. સંસદે સીધા કરવેરાને લગતા વિવાદો ઉકેલવાની વ્યવસ્થા ધરાવતા વિવાદ સે વિશ્વાસ – સીધા કરવેરા વિધેયકને બહાલી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સહકારી બેન્કોના નિયંત્રણની વધુ સત્તા રીઝર્વ બેન્કને આપતા બેન્ક નિયમન સુધારા વિધેયક 2020 લોકસબામાં રજૂ કર્યું છે.

આ વિધેયકમાં રીઝર્વ બેન્કની મદદથી સહકારી બેન્કોની વ્યવસાયિકતા ભંડોળની ઉપલબ્ધ, વહીવટમાં સુધારો, વગેરે પગલાં દ્વારા સહકારી બેન્કોની કામગીરીમાં સુધારો લાવવાની જોગવાઈ છે. ગત ચોથી માર્ચ નાણામંત્રીએ ગૃહમાં રજૂ સીધા કરવેરાને લગતા વિધેયકને ગૃહે ચર્ચા વિના જ બહાલી આપી હતી.

આ વિધેયકમાં પડતર કરવેરાને લગતા વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છતો હોય અને વેરાની બાકી રકમ 31મી માર્ચ સુધીમાં ચૂકવી છે, તથા વિવાદીત વેરાની રકમની 10 ટકા રકમ પણ ચૂકવી છે, તો તેને વ્યાજમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ છે. ગૃહમાં કામદાર સંગઠનોની ભૂમિકાને લગતા ઔદ્યોગિક સંબંધ સંહિતા વિધેયકને ગૃહમાં રજુ કરવાની સરકારની નેમ છે. કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી, વિમાન ધારો 1934 માં સુધારો સૂચવતું વિમાન ધારો સુધારા વિધેયકને ગૃહમાં રજૂ કરશે. એવી જ રીતે ખનીજ વિકાસ અને નિયમન ધારો 1957 માં સુધારો સૂચવતું વિધેયક પણ સંસદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી રજૂ કરવાના છે.

આરોગ્યમંત્રી હર્ષવર્ધને સગર્ભાવસ્થા તબીબી રીતે રોકતા સુધારા વિધેયક 2020ને લોકસભામાં રજૂ કર્યું હતું. આ વિધેયકમાં ગર્ભ ધારણ તથા પછીના પ્રથમ વીસ સપ્તાહમાં ગર્ભપાત માટે તબીબનો મત પૂરતો હોવાની જોગવાઈ છે. એવી જ રીતે 20થી 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાતની મંજુરી માટે બે તબીબોનો મત આવશ્યક બનાવતી જોગવાઈ પણ છે. ગત ગુરૂવારે આરોગ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં નિવેદન કર્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના પ્રસારને અટકાવવા સરકાર પુરતા પગલં લઈ રહી છે. નાગરિકોને જો તાવ, શરદી જેવા લક્ષણો દેખાય તો તેમના નિયમીત તબીબી દેખરેખની વ્યવસ્થા શરૂ કરાઈ છે. કોરોનાની સંભવિત આપત્તિને ધ્યાનમાં લઈ, સમગ્ર દેશની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ સહિત જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ છે. 

કોરોનાની છેલ્લાં છેલ્લી વિગતે મેળવવા ભારત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાના વડામથક, પ્રાદેશિક કચેરી તથા દેશની કચેરીના સંપર્કમાં છે. શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં પ્રમુખ ક્ષમતાઓ વધારવા તથા નિયમોના પાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ હેતુથી પાયાના સ્તરે યોગ્ય વ્યવસ્થા આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીગણની ક્ષમતા વધારવા વગેરે બાબતોને આવરી લેવાઈ છે. ભારતે કોવિડ 19ના દેશમાં પ્રસારને અટકાવવા લીધેલા પગલાંના કારણે અન્ય દેશોમાં કોરોનાના પ્રસારની સ્થિતિ ટાળી શકવાની શક્યતા વધી છે.



લેખકઃ યોગેશ સૂદ, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...