સંરદના બજેટ સત્રના બીજા તબક્કાનો ગત બીજી માર્ચથી આરંભ થયો છે. આ તબક્કો ત્રીજી એપ્રિલ સુધી ચાલશે. વિપક્ષ આ સત્રમાં કેન્દ્રની એનડીએ સરકારને કૃષિ અને અર્થતંત્રના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ સત્તાધારી પક્ષો સંસદના બંને ગૃહોમાં સત્ય અને સમર્થન કરતાં આંકડાઓ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે સંસદના આ સત્ર માટે શ્રમ સુધારા, સરોગસી નિયમન વિધેયક સહિત 25 વિધેયકોની એક યાદી તૈયાર કરી છે, અને તેને બહાલી અપાવવા સરકાર પ્રયાસ કરશે. આ સત્રમાં આર્થિક વિધેયકને પણ બહાલી અપાશે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિદેશથી આવતા બધા જ મુસાફરોનું હવે સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. રેલવે મંત્રાલયની વર્ષ 2020-2021 માટેની અનુદાનની માગણીને લગતો રેલવે માટેની સ્થાયી સમિતિનો અહેવાલ શ્રી રાધામોહનસિંહ અને શ્રી સુનીલ કુમાર મંડલ દ્વારા સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરાશે.
આ સત્રમાં વિમાન સુધારા વિધેયક, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી વિધેયક, હોમીયોપોથી અંગેના રાષ્ટ્રીય પંચને લગતુ વિધેયક તથા ખનીજ કાયદો સુધારા વિધેયકો પણ હાથ ધરાશે. પડતર વિધેયકોની વાત કરીએ તો તેમાં વ્યક્તિગત માહિતી સંરક્ષણ વિધેયક 2010નો સમાવેશ થાય છે. જેમાં વ્યક્તિગત ડેટાના ઉપયોગ ઉપર નજર રાખવાની માહિતી સંરક્ષણ સત્તામંડળને સત્તા હોવાની જોગવાઈ છે. સંસદે સીધા કરવેરાને લગતા વિવાદો ઉકેલવાની વ્યવસ્થા ધરાવતા વિવાદ સે વિશ્વાસ – સીધા કરવેરા વિધેયકને બહાલી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સહકારી બેન્કોના નિયંત્રણની વધુ સત્તા રીઝર્વ બેન્કને આપતા બેન્ક નિયમન સુધારા વિધેયક 2020 લોકસબામાં રજૂ કર્યું છે.
આ વિધેયકમાં રીઝર્વ બેન્કની મદદથી સહકારી બેન્કોની વ્યવસાયિકતા ભંડોળની ઉપલબ્ધ, વહીવટમાં સુધારો, વગેરે પગલાં દ્વારા સહકારી બેન્કોની કામગીરીમાં સુધારો લાવવાની જોગવાઈ છે. ગત ચોથી માર્ચ નાણામંત્રીએ ગૃહમાં રજૂ સીધા કરવેરાને લગતા વિધેયકને ગૃહે ચર્ચા વિના જ બહાલી આપી હતી.
આ વિધેયકમાં પડતર કરવેરાને લગતા વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છતો હોય અને વેરાની બાકી રકમ 31મી માર્ચ સુધીમાં ચૂકવી છે, તથા વિવાદીત વેરાની રકમની 10 ટકા રકમ પણ ચૂકવી છે, તો તેને વ્યાજમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ છે. ગૃહમાં કામદાર સંગઠનોની ભૂમિકાને લગતા ઔદ્યોગિક સંબંધ સંહિતા વિધેયકને ગૃહમાં રજુ કરવાની સરકારની નેમ છે. કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી, વિમાન ધારો 1934 માં સુધારો સૂચવતું વિમાન ધારો સુધારા વિધેયકને ગૃહમાં રજૂ કરશે. એવી જ રીતે ખનીજ વિકાસ અને નિયમન ધારો 1957 માં સુધારો સૂચવતું વિધેયક પણ સંસદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી રજૂ કરવાના છે.
આરોગ્યમંત્રી હર્ષવર્ધને સગર્ભાવસ્થા તબીબી રીતે રોકતા સુધારા વિધેયક 2020ને લોકસભામાં રજૂ કર્યું હતું. આ વિધેયકમાં ગર્ભ ધારણ તથા પછીના પ્રથમ વીસ સપ્તાહમાં ગર્ભપાત માટે તબીબનો મત પૂરતો હોવાની જોગવાઈ છે. એવી જ રીતે 20થી 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાતની મંજુરી માટે બે તબીબોનો મત આવશ્યક બનાવતી જોગવાઈ પણ છે. ગત ગુરૂવારે આરોગ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં નિવેદન કર્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના પ્રસારને અટકાવવા સરકાર પુરતા પગલં લઈ રહી છે. નાગરિકોને જો તાવ, શરદી જેવા લક્ષણો દેખાય તો તેમના નિયમીત તબીબી દેખરેખની વ્યવસ્થા શરૂ કરાઈ છે. કોરોનાની સંભવિત આપત્તિને ધ્યાનમાં લઈ, સમગ્ર દેશની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ સહિત જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ છે.
કોરોનાની છેલ્લાં છેલ્લી વિગતે મેળવવા ભારત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાના વડામથક, પ્રાદેશિક કચેરી તથા દેશની કચેરીના સંપર્કમાં છે. શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં પ્રમુખ ક્ષમતાઓ વધારવા તથા નિયમોના પાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ હેતુથી પાયાના સ્તરે યોગ્ય વ્યવસ્થા આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીગણની ક્ષમતા વધારવા વગેરે બાબતોને આવરી લેવાઈ છે. ભારતે કોવિડ 19ના દેશમાં પ્રસારને અટકાવવા લીધેલા પગલાંના કારણે અન્ય દેશોમાં કોરોનાના પ્રસારની સ્થિતિ ટાળી શકવાની શક્યતા વધી છે.
લેખકઃ યોગેશ સૂદ, પત્રકાર
Comments
Post a Comment