બ્રિટને 2016 માં થયેલા બ્રેક્ઝિટ અંગેના જનમતને સમર્થન આપ્યા બાદ, યુનાઈટેડ કિંગડમ અને યુરોપીયન સંઘ વચ્ચેના 47 વર્ષ જૂના સંબંધો 31 મી જાન્યુઆરી 2020 ના રોજ સમાપ્ત થયા. 1973 માં યુકે સૌપ્રથમ વાર યુરોપીયન આર્થિક સંઘમાં સહભાગી થયું હતું . લિસ્બન કરાર હેઠળના કલમ 50 અન્વયે યુરોપીયન સંઘમાંથી ખસી જનાર યુકે પહેલું રાષ્ટ્ર બન્યું છે.
આ નિર્ણયની અસર યુકે તેમજ ઈયુ પર અલગ અલગ રીતે થશે. બ્રેકઝિટના સમર્થકો માટે આ નિર્ણય દેશને મજબૂત બનાવશે અને બ્રિટન ઈયુપાસેથી તેની સત્તા ફરી મેળવી શકશે જેથી વૈશ્વિક સ્તરે બ્રિટન પોતાની ઓળખ ઊભી કરી શકશે. જો કે , બ્રિટન માટે આ પ્રવાસ એટકો સહેલો નથી. બ્રિટનને બધા જ દેશો સાથે નવા વેપાર કરાર કરવા પડશે અને બધા દેશોના બજારમાં પ્રવેશ મેળવો પડશે. ઈયુના નાણાકીય સેવા અને નાણાકીય બજારોના ક્ષેત્રે બ્રિટનનો મોટો ફાળો હોવાના કારણે બ્રિટનને મજૂર, ભંડોળ તેમજ સેવા ઉપર આ નિર્ણયની અસર જોવા મળશે. ઈયુ એ બ્રિટનનો આયાત અને નિકાસ માટેનો સૌથી મોટો બજાર હોવાના કારણે બ્રેકઝિટના પગલે કેટલાક વેપારી મુદ્દાઓ ઊભા થયા છે જેને ઉકેલવા એક નવો કરાર જરૂરી છે અન્યથા દરો અથવા કોટાથી બંને પક્ષોના વેપાર પર ખરાબ અસર થશે.
ઈયુ માટે બ્રિટનનો બ્રેક્ઝિટનો નિર્ણય તેની પોતાની સામૂહિક શક્તિ પર અનેક પ્રકારે અસરકારક સાબિત થશે. ઈયુના સામાન્ય અંદાજપત્રમાં સૌથી મોટો ફાળો આપનાર બ્રિટન બીજા ક્રમનો દેશ છે જે પરમાણુ શસ્ત્ર તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદનો કાયમી સભ્યપદ ધરાવતો દેશ પણ છે. એટ્લે , આ નિર્ણયથી ઈયુનો અંદાજપત્ર ઘટવાની શક્યતાની સાથે જ સામાયિક વિદેશી અને સલામતી નીતિ નક્કી કરવામાં બ્રિટનની ગેરહાજરી ચોક્કસ અનુભવાશે.
ઇયુનિ તમામ સંસ્થાઓમાંથી બ્રિટનનો રાષ્ટ્રધ્વજ હટાવી લેવામાં આવ્યો જે દર્શાવે છે કે ઇયુની નિર્ણય પ્રક્રિયામાં હવે એક દેશ ઓછો થશે.
બ્રેક્ઝિટ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેકરોને જણાવ્યુ કે આપણું આ મંચ આપણું ભવિષ્ય બદલી શકતું, નથી બ્રેકઝિટથી પણ આપણું ભવિષ્ય બદલી શકાશે નહીં.
જો કે, બ્રેકઝીટ તો થઇ ચુકયું હતું, પરંતુ અલગ થવાની પ્રક્રિયા ૩૧મી ડિસેમ્બર ર૦ર૦ સુધીમાં પુરી કરાઇ હતી. ઇગ્લેન્ડ માટે ખુબ કઠીન એવા કેટલાક વેપાર અને બજારને લગતા મુદૃાઓ વિશે નિર્ણયો લેવા તેમજ તમામ પ્રક્રીયાઓ અને મંત્રણાઓમાં સરળતા રહે તે માટે આ સમયગાળો આપવામાં આવ્યો હતો. બ્રિટને જાહેર કરી જ દીધુ છે કે તે યુરોપીયન યુનીયનના નિયમો સાથે કોઇ ફેરફાર નહી કરે અને વિવાદો ઉકેલવા યુરોપીયન અદાલતોની હકુમત નહી સ્વીકારે.
આ તમામ ઘટનાઓના સંદર્ભમાં ભારત અને ઇગ્લેન્ડના સંબંધોની બાબતમાં એક નવુ પાસુ ખુલ્યું છે. ઇગ્લેન્ડ વેપાર સંબંધો વધારવા માંગે છે. જે ભારત માટે વેપાર અને આર્થિક ભાગીદારીની બાબતમાં ઇગ્લેન્ડ સાથે મંત્રણાઓ કરવાની એક નવી તક પુરી પાડે છે. ભારતીય મુળના બ્રિટનના ઉદ્યોગપતિ લોર્ડ કરણ બીલીમોરીયાના મતે બ્રેકઝીટમાંથી ફાયદો મેળવવા માટે ભારતે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાની માહિતીની ગુપ્તતાને લગતા મુદૃા ઉકેલવાની અને વેપારમાં સરળીકરણ લાવવાની જરૂર છે.
રાજકીય સ્તરે ઇગ્લેન્ડ રાષ્ટ્રકુટુંબ જેવા અન્ય મંચો ધ્વારા સંબંધો ગાઢ બનાવવા ઇચ્છશે, જે ભારત માટે પણ ઉપયોગી નિવડી શકે છે. વધુમાં મહત્વનું એ છે કે ભારતે વેપાર અને બજાર ઉપલબ્ધતા, સેવા ક્ષેત્રમાં શ્રમને લગતાં મુદૃાઓની બાબતમાં બહેતર નીતી નિયમો માંગવા જોઇએ. બ્રિટન જયારે ર૦ર૦ ના અંત સુધીમાં યુરોપીય સંઘ સાથે વાટાઘાટોના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારત સરકારે અને ભારતના ઉદ્યોગ જગતે પરીસ્થિતિનો લાભ ઉઠાવવો જોઇએ અને ઇગ્લેન્ડ સાથે વધુ સારી સહભાગીતા તૈયાર કરવા નવી વ્યુહ રચના માટે તૈયાર રહેવુ જોઇએ.
ભરત રાજગોર – અપર્ણા ખૂંટ - મુકેશ
આ નિર્ણયની અસર યુકે તેમજ ઈયુ પર અલગ અલગ રીતે થશે. બ્રેકઝિટના સમર્થકો માટે આ નિર્ણય દેશને મજબૂત બનાવશે અને બ્રિટન ઈયુપાસેથી તેની સત્તા ફરી મેળવી શકશે જેથી વૈશ્વિક સ્તરે બ્રિટન પોતાની ઓળખ ઊભી કરી શકશે. જો કે , બ્રિટન માટે આ પ્રવાસ એટકો સહેલો નથી. બ્રિટનને બધા જ દેશો સાથે નવા વેપાર કરાર કરવા પડશે અને બધા દેશોના બજારમાં પ્રવેશ મેળવો પડશે. ઈયુના નાણાકીય સેવા અને નાણાકીય બજારોના ક્ષેત્રે બ્રિટનનો મોટો ફાળો હોવાના કારણે બ્રિટનને મજૂર, ભંડોળ તેમજ સેવા ઉપર આ નિર્ણયની અસર જોવા મળશે. ઈયુ એ બ્રિટનનો આયાત અને નિકાસ માટેનો સૌથી મોટો બજાર હોવાના કારણે બ્રેકઝિટના પગલે કેટલાક વેપારી મુદ્દાઓ ઊભા થયા છે જેને ઉકેલવા એક નવો કરાર જરૂરી છે અન્યથા દરો અથવા કોટાથી બંને પક્ષોના વેપાર પર ખરાબ અસર થશે.
ઈયુ માટે બ્રિટનનો બ્રેક્ઝિટનો નિર્ણય તેની પોતાની સામૂહિક શક્તિ પર અનેક પ્રકારે અસરકારક સાબિત થશે. ઈયુના સામાન્ય અંદાજપત્રમાં સૌથી મોટો ફાળો આપનાર બ્રિટન બીજા ક્રમનો દેશ છે જે પરમાણુ શસ્ત્ર તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદનો કાયમી સભ્યપદ ધરાવતો દેશ પણ છે. એટ્લે , આ નિર્ણયથી ઈયુનો અંદાજપત્ર ઘટવાની શક્યતાની સાથે જ સામાયિક વિદેશી અને સલામતી નીતિ નક્કી કરવામાં બ્રિટનની ગેરહાજરી ચોક્કસ અનુભવાશે.
ઇયુનિ તમામ સંસ્થાઓમાંથી બ્રિટનનો રાષ્ટ્રધ્વજ હટાવી લેવામાં આવ્યો જે દર્શાવે છે કે ઇયુની નિર્ણય પ્રક્રિયામાં હવે એક દેશ ઓછો થશે.
બ્રેક્ઝિટ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેકરોને જણાવ્યુ કે આપણું આ મંચ આપણું ભવિષ્ય બદલી શકતું, નથી બ્રેકઝિટથી પણ આપણું ભવિષ્ય બદલી શકાશે નહીં.
જો કે, બ્રેકઝીટ તો થઇ ચુકયું હતું, પરંતુ અલગ થવાની પ્રક્રિયા ૩૧મી ડિસેમ્બર ર૦ર૦ સુધીમાં પુરી કરાઇ હતી. ઇગ્લેન્ડ માટે ખુબ કઠીન એવા કેટલાક વેપાર અને બજારને લગતા મુદૃાઓ વિશે નિર્ણયો લેવા તેમજ તમામ પ્રક્રીયાઓ અને મંત્રણાઓમાં સરળતા રહે તે માટે આ સમયગાળો આપવામાં આવ્યો હતો. બ્રિટને જાહેર કરી જ દીધુ છે કે તે યુરોપીયન યુનીયનના નિયમો સાથે કોઇ ફેરફાર નહી કરે અને વિવાદો ઉકેલવા યુરોપીયન અદાલતોની હકુમત નહી સ્વીકારે.
આ તમામ ઘટનાઓના સંદર્ભમાં ભારત અને ઇગ્લેન્ડના સંબંધોની બાબતમાં એક નવુ પાસુ ખુલ્યું છે. ઇગ્લેન્ડ વેપાર સંબંધો વધારવા માંગે છે. જે ભારત માટે વેપાર અને આર્થિક ભાગીદારીની બાબતમાં ઇગ્લેન્ડ સાથે મંત્રણાઓ કરવાની એક નવી તક પુરી પાડે છે. ભારતીય મુળના બ્રિટનના ઉદ્યોગપતિ લોર્ડ કરણ બીલીમોરીયાના મતે બ્રેકઝીટમાંથી ફાયદો મેળવવા માટે ભારતે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાની માહિતીની ગુપ્તતાને લગતા મુદૃા ઉકેલવાની અને વેપારમાં સરળીકરણ લાવવાની જરૂર છે.
રાજકીય સ્તરે ઇગ્લેન્ડ રાષ્ટ્રકુટુંબ જેવા અન્ય મંચો ધ્વારા સંબંધો ગાઢ બનાવવા ઇચ્છશે, જે ભારત માટે પણ ઉપયોગી નિવડી શકે છે. વધુમાં મહત્વનું એ છે કે ભારતે વેપાર અને બજાર ઉપલબ્ધતા, સેવા ક્ષેત્રમાં શ્રમને લગતાં મુદૃાઓની બાબતમાં બહેતર નીતી નિયમો માંગવા જોઇએ. બ્રિટન જયારે ર૦ર૦ ના અંત સુધીમાં યુરોપીય સંઘ સાથે વાટાઘાટોના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારત સરકારે અને ભારતના ઉદ્યોગ જગતે પરીસ્થિતિનો લાભ ઉઠાવવો જોઇએ અને ઇગ્લેન્ડ સાથે વધુ સારી સહભાગીતા તૈયાર કરવા નવી વ્યુહ રચના માટે તૈયાર રહેવુ જોઇએ.
ભરત રાજગોર – અપર્ણા ખૂંટ - મુકેશ
Comments
Post a Comment