ભારતની મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થા ધ્વારા નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં રાજકીય અને આર્થિક પરીવર્તનના દસ વર્ષ આ થીમ પર ચોથી પશ્ચિમ એશિયા પરીષદનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં લેબેનોનના પુર્વ પ્રધાનમંત્રી ફૌદ સીનીયોરા અને ઇજીપ્તના પુર્વ વિદેશ મંત્રી નબીલ ફહમી સહિત ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. જેમણે આ ક્ષેત્રને લગતા વિવિધ મહત્વપુર્ણ મુદૃાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બે દિવસ સુધી છ સેશનમાં ચર્ચાઓ કરવામાં આવી હતની. જેમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ બાહય પરીબળોની ભૂમિકા, અર્થતંત્ર, સંઘર્ષનું પરીવર્તનશીલ સ્વરૂપ, પશ્ચિમ એશિયા સાથે ભારતનું વધતુ જોડાણ જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો.
કેન્દ્રીય માર્ગ, પરીવહન અને ધોરીમાર્ગ રાજયમંત્રી નિવૃત જનરલ વિજયકુમાર સિંઘે મુખ્ય સંબોધન કર્યુ હતું. જેમાં છેલ્લા એક દાયકામાંઆ ક્ષેત્રે ઉતાર – ચઢાવનો પડકાર ઉભો થયો હતો. તેની વાત કરતા દર્શાવ્યું કે ભારત આ પ્રદેશને મહત્વપુર્ણ ગણે છે. મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ સુજાન આર ચિનોયે જણાવ્યું કે ભારત આ પ્રદેશના ઘણા દેશો સાથે વ્યુહાત્મક ભાગીદારી મજબુત બનાવી છે. જેમાં સુરક્ષા, વેપાર અને મુડી રોકાણનો સમાવેશ થાય છે.
જુદા જુદા વકતાઓએ છેલ્લા દાયકામાં થયેલા આ પ્રદેશના ઉતાર ચઢાવ પર ભાર મુકયો હતો અને પ્રાદેશિક દેશો, નેતાઓ અને લોકોને કોઇ સમાધાન શોધવાની જરૂર જણાવી હતી. ડિસેમ્બર ર૦૧૦માં ટયુનિશિયામાં આરબોની પરીસ્થિતિ વણસી, ત્યારથી આ પ્રદેશની સુરક્ષાની સ્થિતિ વધુ વણસી હતી. જેના કારણે અર્થતંત્ર પર અસર થઇ હતી અને ભૌગોલીક રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની હતી.
એવી દલીલ પણ કરવામાં આવી હતી કે આરબોની અશાંતી તાનાશાહીવાદથી લોકશાહીકરણના કારણે શરૂ થઇ હતી. પરંતુ એક દાયકા બાદ પણ બહુમતી દેશો સમાન સમસ્યાઓથી પીડાય છે. રાજકારણમાં સંક્રાંતીની પ્રક્રિયા દુર્ભાગ્યપુર્ણ અને અનિર્ણીત રહી છે. જેમાં ઘણા દેશો જેમ કે સીરીયા, યમન, ઇરાક અને લીબીયા જેવા દેશો માનવતાવાદી સંકટ અને વસતીના વિસ્થાપનનો સામનો કરી રહયાં છે. આથી એવી સ્થિતિ ઉભી થઇ છે કે છેલ્લા વર્ષોમાં અલ્જેરીયા, સુદાન, લેબેનોન અને ઇરાન જેવા દેશોમાં લોકપ્રિય અશાંતી જોવા મળી હતી. આ એ સાચી વાત પ્રતિબિંબિત થાય છે કે યુવાનોની મુળ રાજકીય કે આર્થિક અપેક્ષાઓ ઉપેક્ષીત રહે છે. આ અનિશ્ચિયતતાએ આર્થિક વિકાસને નબળો બનાવ્યો છે. આજે પશ્ચિમ એશિયામાં બેરોજગારીનો દર વિશ્વમાં સૌથી વધુ છે તેમજ વ્યકિતદીઠ વૃધ્ધિદર જીડીપી સૌથી ઓછો છે. વળી મોટાનાગની વસતી યુવાન છે. પ્રદેશના આર્થિક અનુમાનો ભયજનક છે.
અસ્થિરતા અને હિંસા અને અખાત વિસ્તારમાં વધતા તનાવ વચ્ચે ઉર્જા સુરક્ષાના મુદ્દાએ ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનનાં તેલ આયાત કરનારા દેશો માટે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે.
ભારતના દ્રષ્ટિકોણથી, આ ક્ષેત્રનું ખૂબ મહત્વ છે. આ ક્ષેત્ર સાથેનો ભારતનો દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચી ગયો છે અને ભારત તેની ઉર્જા આવશ્યકતાઓના 60 ટકાથી વધુની આયાત કરે છે. અખાતમાં લગભગ નવ મિલિયન ભારતીયો વસવાટ કરે છે, જેમની સલામતી અને સુરક્ષા નવી દિલ્હી માટે ચિંતાજનક છે. પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ અથવા પશ્ચિમ એશિયાની અર્થવ્યવસ્થાઓને નબળી બનાવવા માટેના કોઈપણ પડકારની સીધી અસર ભારતના અર્થતંત્ર અને સુરક્ષા પર પડે છે. તેના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત રાખવા માટે, ભારતે 2014 થી સક્રિય મુત્સદ્દીગીરી આગળ ધપાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક સૌથી નોંધપાત્ર વિદેશ નીતિની પહેલ એ આ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવેલું મહત્વ છે. ભારતની નીતિ “લૂક વેસ્ટ” થી “લિંક એન્ડ એક્ટ વેસ્ટ” માં પરિવર્તિત થઈ છે, અને આ પ્રદેશ સાથે ભારતની રાજકીય જોડાણની સંભાવના દેખાય છે. રાજકીય, આર્થિક, સુરક્ષા અને સંરક્ષણ સંબંધોમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. ભારતે પ્રાદેશિક દેશો સાથે જોડાણો ગા. કર્યા છે, અને વિવિધ સ્તરો પર વ્યસ્ત છે.
ભાગ લેનારાઓએ આશા વ્યક્ત કરી કે પાછલા દસ વર્ષથી પ્રાદેશિક દેશોને યુવા લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં મદદ થશે. ભારત બંને લોકોની પ્રગતિ અને વિકાસ માટે પશ્ચિમ એશિયા સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખશે.
રૂપલ જાની – મુકેશ પરમાર
Comments
Post a Comment