Skip to main content

આર્થિક સર્વેક્ષણ 2020 અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી તે સાથે જ સંસદના બજેટસત્રનો આરંભ થયો છે.

ત્યારપછી નાણામંત્રી નિર્મલા સીતારામને ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ કોઇ એક નાણાકીય વર્ષમાં દેશની આર્થિક ક્ષેત્રની સિદ્ધિઓ અને ત્રૂટિઓ દર્શાવતો સંખ્યાત્મક અને વિશ્લેષણાત્મક દસ્તાવેજ હોય છે.

ભારતીય અર્થતંત્રની ગતિ આ વર્ષે સહેજ ધીમી પડી હોવાથી આ વખતનો આર્થિક સર્વે આગવું મહત્વ ધરાવે છે.

આ સર્વેક્ષણમાં વર્ષ 2019-2020માં GDPનો વિકાસ દર 5 ટકા અંદાજવામાં આવ્યો છે. જે પૂર્વધારણા મુજબ જ છે. આમ છતાં, આ વખતના આર્થિક સર્વેક્ષણમાં કેટલાક મહત્વના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે.

સર્વેક્ષણ માને છે કે, ભારતનું અર્થતંત્ર નવી ગતિ મેળવશે અને વર્ષ 2020 – 2021માં તે 6 થી સાડા છ ટકાનો વિકાસ દર મેળવશે.

ભારતીય અર્થતંત્રની કામગીરી ફિસ્કલ કોન્સોલીડેશન અર્થાત્ આર્થિક મજબૂતીકરણ ક્ષેત્રે સારી કામગીરી કરી હતી.

સર્વેક્ષણ જણાવે છે કે, ફુગાવાનો દર પણ યોગ્ય રીતે નિયંત્રણ હેઠળ રાખી શકાયો છે જેમ કે છૂટક ફુગાવો માત્ર 4.1 ટકા જયારે જથ્થાબંધ ફુગાવો WPI માત્ર 1.9 ટકાની નીચે રાખી શકાયો.

સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, સીધા વિદેશી મૂડીરોકાણ FDI વધતા તથા આયાત ઘટતા દેશની પરત ચૂકવણીની પ્રમાણમાં સંતુલીત રહી હતી. વિદેશમાં રહેતા ભારતીય લોકોએ પણ આ વખતે 1 કરોડ 75 લાખ રૂપિયા સ્વદેશ મોકલ્યા હતા.

સર્વેક્ષણ જણાવે છે કે, આ વર્ષે 10મી જાન્યુઆરી 2020ના રોજ દેશનું અનામત વિદેશી હુંડિયામણ વધીને વિક્રમજનક 461.2 અબજ અમેરીકી ડોલર થયું હતું.

આ ઉપરાંત ચાલુ ખાતાની ખાધ 2 ટકા હતી તે ઘટીને 1.5 ટકા થવાથી પણ દેશની પરત ચૂકવણીની સ્થિતિમાં સુધારો થયો.

સર્વેક્ષણમાં રોજગારીની સ્થિતિ અંગે મહત્વનો મુદ્દો નોંધવામાં આવ્યો છે. સર્વેક્ષણ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ રોજગારીમાં ફોર્મલ અર્થાત ઔપચારિક રોજગારીનું પ્રમાણ 17.6 ટકા હતું તે વધીને 22.5 ટકા થયું.

બીજું ભારતીય શેરબજાર પણ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નવા સાહસિકોને માટે નવા મંચના સ્વરૂપે ઉભર્યું છે. દર પાંચ વર્ષે ભારતીય શેરબજાર તેમાં નોંધાયેલી એક – તૃતિયાંશ કંપનીઓના સ્થાને નવી કંપનીઓને સ્થાન આપે છે. ટેકનોલોજી અને ઉત્પાદનોની દ્રષ્ટિએ થતા આવા ફેરફારોને આર્થિક સર્વેક્ષણ ક્રિએટિવ્હ ડિસ્ટ્રકશન – રચનાત્મક નાશ તરીકે ઓળખાવે છે.

આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછીના સમયગાળામાં આ પ્રક્રિયા પણ થતી રહી છે. સર્વેમાં નોંધ્યું છે કે, ઉદ્યોગ સાહસિકોના ક્ષેત્રે નવો વિકાસ થઇ રહ્યો છે. વિશ્વબેન્કની નોંધ મુજબ નવી સંસ્થાઓની રચનાના ક્ષેત્રે ભારત વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.

વર્ષ 2014મમાં ભારતમાં 70 હજાર નવા એકમો સ્થપાયા, તે વધીને 2018માં એક લાખ 24 હજાર નવા એકમો સ્થપાયા હતા.

આ દર્શાવે છે કે, 2014 થી 2018 સુધીના સમયગાળામાં નવા એકમોની રચનાનો વિકાસદર 3.8 ટકા દર્શાવે છે.

ભારતની નિકાસ ક્ષેત્રની પૂરી ક્ષમતાનો ઉપયોગ હજી થતો નથી. આથી જ આ વખતના આર્થિક સર્વેક્ષણમાં નિકાસ ક્ષેત્ર ઉપર ભાર મૂકીને એસેમ્બલ ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડ સૂત્ર ઉપર ભાર મૂકાયો છે.

સરકારે વિશ્વ બજારમાં ભારતની નિકાસનો હિસ્સો વર્ષ 2025 સુધીમાં સાડા ત્રણ ટકા અને વર્ષ 2030 સુધીમાં વધારીને 6 ટકા કરવાની નેમ રાખી છે.

ભારતને મોટો નિકાસકાર દેશ બનાવવા ગુણવત્તાના વિસ્તૃતીકરણ તથા નેટવર્કના પ્રોડકટના સ્પેશલાઇઝેશન ઉપર ભાર મૂક્યો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય અર્થતંત્રને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા પ્રતિબદ્ધ છે.

ભારતમાં વેપાર કરવાના ક્ષેત્રે સરળતાની દ્રષ્ટિએ અગત્યના દેશોની સૂચિમાં ઉપરનો ક્રમ મળ્યો છે.

અગાઉ આ દેશોની સૂચિમાં ભારતનો ક્રમ 142 હતો તેમાં સુધારો થઇ ભારત હવે 63માં સ્થાને પહોંચ્યું છે.

આ સમગ્ર બાબત ધ્યાનમાં લેતા આર્થિક સર્વેક્ષણ 2020ની મુખ્ય થીમ – વેપારને અનુકૂળ નીતિ, વિશ્વાસના પાયો મજબૂત કરવો જેવી બાબતો ઉપર ભાર મૂકાયો છે.





લેખક- મનોહર મનોજ - પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...