અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર ઉપર અંતિમ મોહોર લાગે તે પહેલા સ્થાયી યુદ્ધવિરામ માટે બંને પક્ષો દ્વારા જુદી જુદી સમયરેખા મૂકવામાં આવી રહી છે જેના પગલે અફઘાન શાંતિ પ્રક્રિયા તેના અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે વાટાઘાટો કરવાના સંવેદનશીલ કામ માટે ઝલ્મય ખલીલજાદની વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કર્યા બાદ બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં કેટલાક ઉતાર ચડાવ જોવા મળ્યા છે એના કારણે યુદ્ધવિરામ માટે બંને પક્ષો વચ્ચેના વિશ્વાસના સ્તરની કસોટી લાગશે. જોકે, બંને પક્ષ અફઘાનિસ્તાનમાં લડાઇમાં ફસાયેલા રહ્યા છે.
યુદ્ધવિરામ માટે દસ દિવસનો સમય જોઈએ એ વાત પર અમેરિકા મક્કમ છે જ્યારે તાલિબાન યુદ્ધવિરામ માટે સાત દિવસનો સમય માંગે છે. આ સોદાબાજી વાટાઘાટોની સૌથી મુશ્કેલ પ્રક્રિયા બની છે.
આ શાંતિ વાટાઘાટોમાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિર્ણાયક વલણ આવ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સાથે તાલિબાનની રાજકીય વાટાઘાટોની ટીમ તેમજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટિમ સાથે બેઠકની યજમાની કરવા સહમતી આપી હતી.
જોકે, શાંતિ મંત્રણાની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર તાલિબાન દ્વારા કાબુલ નજીક સૈન્ય મથક પર હુમલો કરવામાં આવતા આ પહેલ નિષ્ફળ ગઈ
ચીન, રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા દ્વારા વાટાઘાટોને ફરીથી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ફરી શરૂ કરવા કેટલાક મહિના લાગ્યા જેના કારણે આ મંત્રણા ફરી એકવાર નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. તાલિબાનના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની પાસે સપ્ટેમ્બરમાં બનાવેલો આ કરારનો ખરડો તૈયાર છે. અને એમાં બંને પક્ષોને ખાતરી આપવામાં આવતા તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જોકે આ અંગે કોઈ પણ અંતિમ સહમતી થાય તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી માઇક પોમ્પીઓએ જણાવ્યું હતું કે શાંતિ કરાર કર્યા બાદ તાલિબાન ખરેખર લડવાનું બંધ કરી દે તે માટે અમેરિકાને હવે ચોકકસ પુરાવા જોઈએ. શ્રી પોમ્પીઓએ કહ્યું હતું કે "સમજૂતી કરવા આ પહેલા અમે ભેગા થયા હતા, બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાર થાય તે પહેલા તાલિબાન હિંસામાં ઘટાડો કરવાની તેની ઇચ્છા અથવા ક્ષમતા બતાવવામાં નિષ્ફળ રહ્યું હતું.
આ પ્રદર્શન રાષ્ટ્રપતિ ઘાનીની સરકાર સાથે વધુ મુશ્કેલ વાટાઘાટો શરૂ કરવા માટેની સંગઠનની રાજકીય પ્રતિબદ્ધતાનો પણ સંકેત આપશે, જે ઘરેલું શાંતિ પ્રક્રિયાના નિર્માણને સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. જે આખરે દાયકાઓથી ચાલતા અફઘાન યુદ્ધને સમાપ્ત કરશે. શાંતિ પ્રત્યે પ્રદર્શિત પ્રતિબદ્ધતા માટેની અમેરિકન માંગણી અંશતઃ આ કરારની અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા ક્ષેત્ર પરથી પડનાર અસરને કારણે છે. મોટાભાગના સંરક્ષણ નિષ્ણાંતો દ્વારા તાલિબાનોને હજી પણ આતંકવાદી સંગઠન માનવામાં આવે છે,જે કતારના દોહા સ્થિત સંગઠનની રાજકીય વાટાઘાટ ટીમ અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાર પછી મોટી રાજકીય કાયદેસરતા પ્રાપ્ત કરશે.
અફઘાનિસ્તાનની સરકારે સાવચેતી માટેની વાટાઘાટોનો દોર ચાલુ રાખ્યો છે. અફઘાનિસ્તાનની ગુપ્તચર શાખાના ભૂતપૂર્વ વડા અમરુલ્લાહ સાલેહ તાલિબાનોની ટીકામાં સ્પષ્ટ નથી રહ્યા અને તેમણે વારંવાર કહ્યું છે કે, આ સંગઠનો અનિશ્ચિત છે. અમરુલ્લાહ સાલેહે કહ્યું છે કે, તાલિબાનોએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા હિંસક રાજકારણની નિરર્થકતાને સ્વીકારવી જોઈએ. આ પ્રકારના અફઘાનિસ્તાનના પ્રમુખ વ્યક્તિઓના નિવેદનના કારણે એમ લાગે છે કે, અમેરિકાની ચૂંટણીપહેલા તાલિબાનો કોઈ પણ પ્રકારનો સોદો કરી શકે છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મહાભિયોગની પ્રક્રિયામાંથી સહિસલામત બહાર આવ્યા છે અને સુરક્ષિત છે, તે ફરીથી તાલિબાનો સાથે દગો કરીને પોતાના ઘરેલુ રેટિંગમાં સંકટ ઉભું કરે તેવી શક્યતા નથી. મિસ્ટર પોમ્પીઓ પાસેથી પ્રદર્શિત પુરાવાની માંગ, અને ઇરાની જનરલ સોલેમાનીની 2020ની 3જી જાન્યુઆરીએ હત્યા એ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું વ્યૂહાત્મક પગલું કહી શકાય. ભારત તમામને ખાતરી આપી છે કે, યુદ્ધથી ત્રાસી ગયેલા દેશમાં કોઈ પણ શાંતિ પ્રક્રિય અફઘાનિસ્તાની આગેવાની અને માલિકીની હોવી જોઈએ. ભારત, શાંતિપૂર્ણ અને સલામત અફઘાનિસ્તાન જોવા ઇચ્છે છે. હવે એ જોવાનું છે કે, તાલિબાન અને અમેરિકાના સંબંધો કેવી રીત આગળ વધે છે.
લેખક – કલ્લોલ ભટ્ટાચારજી,
ધ હિન્દુના વિશેષ સંવાદદાતા
યુદ્ધવિરામ માટે દસ દિવસનો સમય જોઈએ એ વાત પર અમેરિકા મક્કમ છે જ્યારે તાલિબાન યુદ્ધવિરામ માટે સાત દિવસનો સમય માંગે છે. આ સોદાબાજી વાટાઘાટોની સૌથી મુશ્કેલ પ્રક્રિયા બની છે.
આ શાંતિ વાટાઘાટોમાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિર્ણાયક વલણ આવ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સાથે તાલિબાનની રાજકીય વાટાઘાટોની ટીમ તેમજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટિમ સાથે બેઠકની યજમાની કરવા સહમતી આપી હતી.
જોકે, શાંતિ મંત્રણાની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર તાલિબાન દ્વારા કાબુલ નજીક સૈન્ય મથક પર હુમલો કરવામાં આવતા આ પહેલ નિષ્ફળ ગઈ
ચીન, રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા દ્વારા વાટાઘાટોને ફરીથી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ફરી શરૂ કરવા કેટલાક મહિના લાગ્યા જેના કારણે આ મંત્રણા ફરી એકવાર નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. તાલિબાનના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની પાસે સપ્ટેમ્બરમાં બનાવેલો આ કરારનો ખરડો તૈયાર છે. અને એમાં બંને પક્ષોને ખાતરી આપવામાં આવતા તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જોકે આ અંગે કોઈ પણ અંતિમ સહમતી થાય તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી માઇક પોમ્પીઓએ જણાવ્યું હતું કે શાંતિ કરાર કર્યા બાદ તાલિબાન ખરેખર લડવાનું બંધ કરી દે તે માટે અમેરિકાને હવે ચોકકસ પુરાવા જોઈએ. શ્રી પોમ્પીઓએ કહ્યું હતું કે "સમજૂતી કરવા આ પહેલા અમે ભેગા થયા હતા, બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાર થાય તે પહેલા તાલિબાન હિંસામાં ઘટાડો કરવાની તેની ઇચ્છા અથવા ક્ષમતા બતાવવામાં નિષ્ફળ રહ્યું હતું.
આ પ્રદર્શન રાષ્ટ્રપતિ ઘાનીની સરકાર સાથે વધુ મુશ્કેલ વાટાઘાટો શરૂ કરવા માટેની સંગઠનની રાજકીય પ્રતિબદ્ધતાનો પણ સંકેત આપશે, જે ઘરેલું શાંતિ પ્રક્રિયાના નિર્માણને સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. જે આખરે દાયકાઓથી ચાલતા અફઘાન યુદ્ધને સમાપ્ત કરશે. શાંતિ પ્રત્યે પ્રદર્શિત પ્રતિબદ્ધતા માટેની અમેરિકન માંગણી અંશતઃ આ કરારની અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા ક્ષેત્ર પરથી પડનાર અસરને કારણે છે. મોટાભાગના સંરક્ષણ નિષ્ણાંતો દ્વારા તાલિબાનોને હજી પણ આતંકવાદી સંગઠન માનવામાં આવે છે,જે કતારના દોહા સ્થિત સંગઠનની રાજકીય વાટાઘાટ ટીમ અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાર પછી મોટી રાજકીય કાયદેસરતા પ્રાપ્ત કરશે.
અફઘાનિસ્તાનની સરકારે સાવચેતી માટેની વાટાઘાટોનો દોર ચાલુ રાખ્યો છે. અફઘાનિસ્તાનની ગુપ્તચર શાખાના ભૂતપૂર્વ વડા અમરુલ્લાહ સાલેહ તાલિબાનોની ટીકામાં સ્પષ્ટ નથી રહ્યા અને તેમણે વારંવાર કહ્યું છે કે, આ સંગઠનો અનિશ્ચિત છે. અમરુલ્લાહ સાલેહે કહ્યું છે કે, તાલિબાનોએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા હિંસક રાજકારણની નિરર્થકતાને સ્વીકારવી જોઈએ. આ પ્રકારના અફઘાનિસ્તાનના પ્રમુખ વ્યક્તિઓના નિવેદનના કારણે એમ લાગે છે કે, અમેરિકાની ચૂંટણીપહેલા તાલિબાનો કોઈ પણ પ્રકારનો સોદો કરી શકે છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મહાભિયોગની પ્રક્રિયામાંથી સહિસલામત બહાર આવ્યા છે અને સુરક્ષિત છે, તે ફરીથી તાલિબાનો સાથે દગો કરીને પોતાના ઘરેલુ રેટિંગમાં સંકટ ઉભું કરે તેવી શક્યતા નથી. મિસ્ટર પોમ્પીઓ પાસેથી પ્રદર્શિત પુરાવાની માંગ, અને ઇરાની જનરલ સોલેમાનીની 2020ની 3જી જાન્યુઆરીએ હત્યા એ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું વ્યૂહાત્મક પગલું કહી શકાય. ભારત તમામને ખાતરી આપી છે કે, યુદ્ધથી ત્રાસી ગયેલા દેશમાં કોઈ પણ શાંતિ પ્રક્રિય અફઘાનિસ્તાની આગેવાની અને માલિકીની હોવી જોઈએ. ભારત, શાંતિપૂર્ણ અને સલામત અફઘાનિસ્તાન જોવા ઇચ્છે છે. હવે એ જોવાનું છે કે, તાલિબાન અને અમેરિકાના સંબંધો કેવી રીત આગળ વધે છે.
લેખક – કલ્લોલ ભટ્ટાચારજી,
ધ હિન્દુના વિશેષ સંવાદદાતા
Comments
Post a Comment