Skip to main content

શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું – એ અંગે સમીક્ષા

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. શ્રી રાજપક્ષે તથા તેમની સાથે ભારત આવેલા પ્રતિનિધિમંડળે, ભારતીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે વિવિધ વિષય ઉપર ચર્ચા – વિચારણા કરી. વિદેશમંત્રી – એસ. જયશંકરે પણ શ્રી રાજપક્ષે સાથે મંત્રણા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકા બન્ને ખાસ મિત્ર દેશો છે. આ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા ભાષા જેવા ઘણાં પાસાઓ રહેલા છે.

સલામતી હોય કે આર્થિક પ્રગતિ હોય પણ ભારત અને શ્રીલંકા વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીલંકાની સ્થિરતા સલામતી અને સમૃદ્ધિ એ માત્ર શ્રીલંકાના જ નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારના હિતમાં છે, તેમ ગણાવી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે ભારત શ્રીલંકાને અને તેની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. પ્રાદેશિક સલામતીના મુદ્દે શ્રીલંકાએ ભારત સાથે કામ કરવાની દર્શાવેલી તત્પરતાને ભારતે આવકારી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મહિન્દા રાજપક્ષેએ બધા જ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. આતંકવાદ એ દક્ષિણ એશિયાની મોટી સમસ્યા છે અને બન્ને દેશોએ આ સમસ્યાનો સામનો અત્યાર સુધી સારી રીતે કર્યો છે. શ્રીલંકામાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઇસ્ટરના પર્વ પ્રસંગે મોટો આતંકવાદી હુમલો થયો હતો.

આ હુમલો વાસ્તવમાં માનવતા ઉપર થયેલો હુમલો ગણાવી શકાય. બન્ને આગેવાનોએ આતંકવાદનો સાથે મળીને સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. શ્રીલંકાના પોલીસ જવાનો ભારતમાં આવેલી તાલીમ સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીની તાલીમ લઇ રહ્યા છે.

ભારત, બન્ને દેશો વચ્ચેના સંબંધો, સંપર્કો વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે. બન્ને આગેવાનોએ શ્રીલંકામાં હાથ ધરાયેલા સંયુક્ત આર્થિક પ્રોજેક્ટો, લોકો વચ્ચે સંપર્ક વધારવા, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. તાજેતરમાં ચેન્નાઇથી શ્રીલંકાના જાફના વચ્ચે શરુ કરાયેલી સીધી વિમાનસેવાના લીધે જાફનામાં રહેતા તમીલ લોકોને વધુ સુવિધા ઉપલબ્ધ થઇ છે.

ભારત શ્રીલંકાના વિકાસમાં સૌથી વધુ વિશ્વસનીય મિત્ર દેશ રહ્યો છે. ભારતે, શ્રીલંકાને ગયા વર્ષે વિકાસકામો માટે જાહેર કરેલ ધિરાણના લીધે બન્ને દેશો વચ્ચેના સહકારને નવું બળ મળશે. ભારતે ઉત્તર પૂર્વ શ્રીલંકામાં વિસ્થાપીત થયેલા લોકો માટે 48 હજાર આવાસો બાંધવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે.

ભારતીય મૂળના અને શ્રીલંકામાં વસતા હજ્જારો તમિળો માટે મોટી સંખ્યામાં આવાસો બાંધવાનો પ્રોજેક્ટ હાલ શ્રીલંકામાં ચાલી રહ્યો છે.

બંને દેશોના પ્રધાનમંત્રીઓએ બંને દેશોના માછીમારોની સમસ્યા અંગે માનવતાભર્યા અભિગમથી ચર્ચા કરી.

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તેમની ઉપર સ્થાનિક વિકાસ તથા વિદેશ નીતિમાં અસરકારક તથા નક્કર નિર્ણયો લેવા બાબતે રહેલા દબાણની ચર્ચા કરી.

ચીનના વધતા દેવા અંગે ટિપ્પણી કરતા શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, તે વખતે તેમની સરકાર હોત તો તેમણે આ પરિસ્થિતિ ઊભી થવા દીધી ન હોત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, શ્રીલંકાની સરકાર, શ્રીલંકામાં વસતા તમીલોની આશા-આકાંક્ષાઓને ચોક્કસ સંતોષશે.

શ્રીલંકામાં વસતા તમીળ લોકો સમાનતા, ન્યાય, શાંતિ તથા પરસ્પર સન્માનની આશા ધરાવે છે.

લેખકઃ પદમસિંહ, આકાશવાણીના સમાચાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...