Skip to main content

શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું – એ અંગે સમીક્ષા

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. શ્રી રાજપક્ષે તથા તેમની સાથે ભારત આવેલા પ્રતિનિધિમંડળે, ભારતીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે વિવિધ વિષય ઉપર ચર્ચા – વિચારણા કરી. વિદેશમંત્રી – એસ. જયશંકરે પણ શ્રી રાજપક્ષે સાથે મંત્રણા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકા બન્ને ખાસ મિત્ર દેશો છે. આ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા ભાષા જેવા ઘણાં પાસાઓ રહેલા છે.

સલામતી હોય કે આર્થિક પ્રગતિ હોય પણ ભારત અને શ્રીલંકા વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીલંકાની સ્થિરતા સલામતી અને સમૃદ્ધિ એ માત્ર શ્રીલંકાના જ નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારના હિતમાં છે, તેમ ગણાવી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે ભારત શ્રીલંકાને અને તેની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. પ્રાદેશિક સલામતીના મુદ્દે શ્રીલંકાએ ભારત સાથે કામ કરવાની દર્શાવેલી તત્પરતાને ભારતે આવકારી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મહિન્દા રાજપક્ષેએ બધા જ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. આતંકવાદ એ દક્ષિણ એશિયાની મોટી સમસ્યા છે અને બન્ને દેશોએ આ સમસ્યાનો સામનો અત્યાર સુધી સારી રીતે કર્યો છે. શ્રીલંકામાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઇસ્ટરના પર્વ પ્રસંગે મોટો આતંકવાદી હુમલો થયો હતો.

આ હુમલો વાસ્તવમાં માનવતા ઉપર થયેલો હુમલો ગણાવી શકાય. બન્ને આગેવાનોએ આતંકવાદનો સાથે મળીને સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. શ્રીલંકાના પોલીસ જવાનો ભારતમાં આવેલી તાલીમ સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીની તાલીમ લઇ રહ્યા છે.

ભારત, બન્ને દેશો વચ્ચેના સંબંધો, સંપર્કો વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે. બન્ને આગેવાનોએ શ્રીલંકામાં હાથ ધરાયેલા સંયુક્ત આર્થિક પ્રોજેક્ટો, લોકો વચ્ચે સંપર્ક વધારવા, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. તાજેતરમાં ચેન્નાઇથી શ્રીલંકાના જાફના વચ્ચે શરુ કરાયેલી સીધી વિમાનસેવાના લીધે જાફનામાં રહેતા તમીલ લોકોને વધુ સુવિધા ઉપલબ્ધ થઇ છે.

ભારત શ્રીલંકાના વિકાસમાં સૌથી વધુ વિશ્વસનીય મિત્ર દેશ રહ્યો છે. ભારતે, શ્રીલંકાને ગયા વર્ષે વિકાસકામો માટે જાહેર કરેલ ધિરાણના લીધે બન્ને દેશો વચ્ચેના સહકારને નવું બળ મળશે. ભારતે ઉત્તર પૂર્વ શ્રીલંકામાં વિસ્થાપીત થયેલા લોકો માટે 48 હજાર આવાસો બાંધવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે.

ભારતીય મૂળના અને શ્રીલંકામાં વસતા હજ્જારો તમિળો માટે મોટી સંખ્યામાં આવાસો બાંધવાનો પ્રોજેક્ટ હાલ શ્રીલંકામાં ચાલી રહ્યો છે.

બંને દેશોના પ્રધાનમંત્રીઓએ બંને દેશોના માછીમારોની સમસ્યા અંગે માનવતાભર્યા અભિગમથી ચર્ચા કરી.

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તેમની ઉપર સ્થાનિક વિકાસ તથા વિદેશ નીતિમાં અસરકારક તથા નક્કર નિર્ણયો લેવા બાબતે રહેલા દબાણની ચર્ચા કરી.

ચીનના વધતા દેવા અંગે ટિપ્પણી કરતા શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, તે વખતે તેમની સરકાર હોત તો તેમણે આ પરિસ્થિતિ ઊભી થવા દીધી ન હોત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, શ્રીલંકાની સરકાર, શ્રીલંકામાં વસતા તમીલોની આશા-આકાંક્ષાઓને ચોક્કસ સંતોષશે.

શ્રીલંકામાં વસતા તમીળ લોકો સમાનતા, ન્યાય, શાંતિ તથા પરસ્પર સન્માનની આશા ધરાવે છે.

લેખકઃ પદમસિંહ, આકાશવાણીના સમાચાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...