તુર્કમેનીસ્તાનના વિદેશ મંત્રી રશીદ મેરોદોવે તાજેતરમાં ભારતની ટુંકી મુલાકાત લઇને વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મંત્રણાઓ કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદૃાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, ચર્ચાના અંતે પ્રાદેશિક મુદૃાઓ બાબતે બંને દેશોના દ્રષ્ટીકોણ સમાન હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૦ માં તે વખતના યુએસએસઆર અર્થાત સેવિયેત યુનીયનમાંથી આઝાદ થનાર પાંચ મધ્ય એશિયાઇ દેશોમાં તુર્કમેનીસ્તાનનો સમાવેશ થાય છે.
ભારત – મધ્ય એશિયાના દેશોને પણ પાડોશી દેશ તરીકે ગણે છે. તુર્કમેનીસ્તાનનું ભૌગોલિક દ્રષ્ટીએ જે સ્થાન છે તે સંબંધીત દેશો સાથેના વ્યવહારમાં તેની અગત્યતા વધારે છે. આ દેશ દક્ષિણ, મધ્ય તથા પશ્ચિમ એશિયાના દેશોને જોડે છે, તો અફઘાનીસ્તાન તથા ઇરાન પણ તેના પાડોશી દેશો છે. મધ્ય એશિયાના કઝકસ્તાન અને ઉઝબેકીસ્તાન પાસે દરિયા કિનારો છે, જે યુરેશિયા તથા યુરોપના દેશો માટે પ્રવેશ દ્વાર સમો છે. તુર્કમેનીસ્તાને સંપર્ક અર્થાત માર્ગ, રેલ વગેરેને પ્રાથમિકતા આપી છે. વર્ષ ર૦૧૬ માં તુર્કમેનીસ્તાને ર પોઇન્ટ ત્રણ અબજ અમેરીકી ડોલરના ખર્ચે આ વિસ્તારનું સૌથી મોટુ વિમાનમથક બાંધ્યું છે. ભૌગોલિક દ્રષ્ટીએ તુર્કમેનીસ્તાન નાનો દેશ છે, પણ આશરે ૬૦ લાખની તેની લોકવસતી મહત્વની આર્થિક પ્રવૃતીઓમાં સંડોવાયેલી છે.
તેની પાસે વિશવનો ચોથા ક્રમાંકનો કુદરતી વાયુનો અનામત ભંડાર છે. આ ઉપરાંત ખનીજ તેલ, સલ્ફર તથા અન્ય ખનીજોની દ્રષ્ટીએ તે સમૃધ્ધ દેશ ગણાવી શકાય. વિશ્વ બેંકે તેના જીડીપી નો દર આશરે ૪૦ પોઇન્ટ પાંચ અબજ અમેરીકી ડોલર આંકયો છે. તુર્કમેનીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ગુરબાંગુલી બેરદીમુહામેદોવના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રે ખનીજ તેલ, કૃષિ, બાંધકામ, પરીવહન જેવા પરંપરાગત ક્ષેત્રોની સાથે સાથે રસાયણ, દુરસંદેશા વ્યવહાર તથા અદ્યત્તન ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
તુર્કમેનીસ્તાન વર્ષ ર૦૧૯ થી ર૦રપ ના સમયગાળામાં તબકકાવાર રીતે ડીજીટલ અર્થતંત્રનો અમલ કરી રહયો છે. તુર્કમેનીસ્તાને વૈશ્વિક સમુદાય સાથેના સંબંધોમાં પ્રથમથી તટસ્થ રહેવાની નીતી અપનાવી છે. રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ તુર્કમેનીસ્તાનની આ નીતીને વર્ષ ૧૯૯પ માં સમર્થન આપ્યું હતું. ભારત, તુર્કમેનીસ્તાનના રજતજયંતી વર્ષના ઠરાવનો સહભાગીદાર દેશ બન્યો હતો. તુર્કમેનીસ્તાનના તેના ભૌગોલિક સ્થાન તથા આર્થિક ક્ષમતાને ધ્યાનમાં લેતા ભારતના મધ્ય એશિયાના દેશો સાથેના આર્થિક સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઐતિહાસીક દ્રષ્ટીએ સીલ્ક રૂટ તરીકે ઓળખાતો માર્ગ બંને દેશોની સંસ્કૃતિને જોડે છે. મધ્ય પુર્વ કાળથી ભારત અને તુર્કમેનીસ્તાનના પ્રદેશોના વિદ્વાનો, સંતો એકબીજાના સંપર્કમાં હતા. તુર્કમેનીસ્તાનના જાણીતા સુફી સંત શાહ તુર્કમાન બાયાબનીએ ગત ૧૩મી સદીમાં ભારતમાં વસવાટ કર્યો હતો.
તેમના સન્માનમાં મોગલ બાદશાહ અકબરે ૧૭મી સદીમાં દિલ્હીમાં તુર્કમેન દરવાજો બાંધ્યો હતો. આમ ભારત અને તુર્કમેનીસ્તાન વર્ષોથી સુમેળભર્યા રાજકીય તથા સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. આ બંને દેશો વચ્ચે ઉચ્ચપદ ઉપરના અગ્રણીઓની પરસ્પર દેશોની મુલાકાતો પણ ચાલતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ ર૦૧પમાં તુર્કમેનીસ્તાનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઘણી સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત વખતે પ્રધાનમંત્રીએ તુર્કમેનીસ્તાનમાં પરંપરાગત ઔષધી ચિકિત્સા અને યોગ કેન્દ્રનું ઉદઘાટન કર્યુ હતું. આવા સુમેળભર્યા સંબંધો હોવા ઉપરાંત બંને દેશો વચ્ચેની આર્થિક ક્ષેત્રની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ થતો ન હતો.
આ માટે બંને દેશોમાં એકબીજા માટે રહેલી તકોની માહિતી પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહી હોવાની બાબત અડચણરૂપ બનતી હતી. તાજેતરમાં અફઘાનીસ્તાનના તુર્કમેનીસ્તાન – પાકિસ્તાન – ભારતમાં કુદરતી વાયુનું પાઇપ લાઇન ધ્વારા વહનની યોજનામાં ઘણી પ્રગતી થઇ છે. આ હેતુથી વર્ષ ર૦૧રમાં એક સમજુતી સધાઇ હતી. ઓગષ્ટ ર૦૧૮ માં ભારત અરગાબાત સમજુતીમાં જોડાયુ જેના લીધે પશ્ચિમ એશિયાના ઓમાન અને ઇરાન તથા મધ્ય એશિયાના તુર્કમેનીસ્તાન અને ઉઝબેકીસ્તાન વચ્ચે માલ પરીવહન માટે કોરીડોરની રચના કરાઇ છે.
લેખક – ડોકટર અતહર જફર, સીઆઇએસ અંગેના વ્યુહાત્મક વિશ્લેષક.
ભારત – મધ્ય એશિયાના દેશોને પણ પાડોશી દેશ તરીકે ગણે છે. તુર્કમેનીસ્તાનનું ભૌગોલિક દ્રષ્ટીએ જે સ્થાન છે તે સંબંધીત દેશો સાથેના વ્યવહારમાં તેની અગત્યતા વધારે છે. આ દેશ દક્ષિણ, મધ્ય તથા પશ્ચિમ એશિયાના દેશોને જોડે છે, તો અફઘાનીસ્તાન તથા ઇરાન પણ તેના પાડોશી દેશો છે. મધ્ય એશિયાના કઝકસ્તાન અને ઉઝબેકીસ્તાન પાસે દરિયા કિનારો છે, જે યુરેશિયા તથા યુરોપના દેશો માટે પ્રવેશ દ્વાર સમો છે. તુર્કમેનીસ્તાને સંપર્ક અર્થાત માર્ગ, રેલ વગેરેને પ્રાથમિકતા આપી છે. વર્ષ ર૦૧૬ માં તુર્કમેનીસ્તાને ર પોઇન્ટ ત્રણ અબજ અમેરીકી ડોલરના ખર્ચે આ વિસ્તારનું સૌથી મોટુ વિમાનમથક બાંધ્યું છે. ભૌગોલિક દ્રષ્ટીએ તુર્કમેનીસ્તાન નાનો દેશ છે, પણ આશરે ૬૦ લાખની તેની લોકવસતી મહત્વની આર્થિક પ્રવૃતીઓમાં સંડોવાયેલી છે.
તેની પાસે વિશવનો ચોથા ક્રમાંકનો કુદરતી વાયુનો અનામત ભંડાર છે. આ ઉપરાંત ખનીજ તેલ, સલ્ફર તથા અન્ય ખનીજોની દ્રષ્ટીએ તે સમૃધ્ધ દેશ ગણાવી શકાય. વિશ્વ બેંકે તેના જીડીપી નો દર આશરે ૪૦ પોઇન્ટ પાંચ અબજ અમેરીકી ડોલર આંકયો છે. તુર્કમેનીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ગુરબાંગુલી બેરદીમુહામેદોવના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રે ખનીજ તેલ, કૃષિ, બાંધકામ, પરીવહન જેવા પરંપરાગત ક્ષેત્રોની સાથે સાથે રસાયણ, દુરસંદેશા વ્યવહાર તથા અદ્યત્તન ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
તુર્કમેનીસ્તાન વર્ષ ર૦૧૯ થી ર૦રપ ના સમયગાળામાં તબકકાવાર રીતે ડીજીટલ અર્થતંત્રનો અમલ કરી રહયો છે. તુર્કમેનીસ્તાને વૈશ્વિક સમુદાય સાથેના સંબંધોમાં પ્રથમથી તટસ્થ રહેવાની નીતી અપનાવી છે. રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ તુર્કમેનીસ્તાનની આ નીતીને વર્ષ ૧૯૯પ માં સમર્થન આપ્યું હતું. ભારત, તુર્કમેનીસ્તાનના રજતજયંતી વર્ષના ઠરાવનો સહભાગીદાર દેશ બન્યો હતો. તુર્કમેનીસ્તાનના તેના ભૌગોલિક સ્થાન તથા આર્થિક ક્ષમતાને ધ્યાનમાં લેતા ભારતના મધ્ય એશિયાના દેશો સાથેના આર્થિક સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઐતિહાસીક દ્રષ્ટીએ સીલ્ક રૂટ તરીકે ઓળખાતો માર્ગ બંને દેશોની સંસ્કૃતિને જોડે છે. મધ્ય પુર્વ કાળથી ભારત અને તુર્કમેનીસ્તાનના પ્રદેશોના વિદ્વાનો, સંતો એકબીજાના સંપર્કમાં હતા. તુર્કમેનીસ્તાનના જાણીતા સુફી સંત શાહ તુર્કમાન બાયાબનીએ ગત ૧૩મી સદીમાં ભારતમાં વસવાટ કર્યો હતો.
તેમના સન્માનમાં મોગલ બાદશાહ અકબરે ૧૭મી સદીમાં દિલ્હીમાં તુર્કમેન દરવાજો બાંધ્યો હતો. આમ ભારત અને તુર્કમેનીસ્તાન વર્ષોથી સુમેળભર્યા રાજકીય તથા સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. આ બંને દેશો વચ્ચે ઉચ્ચપદ ઉપરના અગ્રણીઓની પરસ્પર દેશોની મુલાકાતો પણ ચાલતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ ર૦૧પમાં તુર્કમેનીસ્તાનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઘણી સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત વખતે પ્રધાનમંત્રીએ તુર્કમેનીસ્તાનમાં પરંપરાગત ઔષધી ચિકિત્સા અને યોગ કેન્દ્રનું ઉદઘાટન કર્યુ હતું. આવા સુમેળભર્યા સંબંધો હોવા ઉપરાંત બંને દેશો વચ્ચેની આર્થિક ક્ષેત્રની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ થતો ન હતો.
આ માટે બંને દેશોમાં એકબીજા માટે રહેલી તકોની માહિતી પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહી હોવાની બાબત અડચણરૂપ બનતી હતી. તાજેતરમાં અફઘાનીસ્તાનના તુર્કમેનીસ્તાન – પાકિસ્તાન – ભારતમાં કુદરતી વાયુનું પાઇપ લાઇન ધ્વારા વહનની યોજનામાં ઘણી પ્રગતી થઇ છે. આ હેતુથી વર્ષ ર૦૧રમાં એક સમજુતી સધાઇ હતી. ઓગષ્ટ ર૦૧૮ માં ભારત અરગાબાત સમજુતીમાં જોડાયુ જેના લીધે પશ્ચિમ એશિયાના ઓમાન અને ઇરાન તથા મધ્ય એશિયાના તુર્કમેનીસ્તાન અને ઉઝબેકીસ્તાન વચ્ચે માલ પરીવહન માટે કોરીડોરની રચના કરાઇ છે.
લેખક – ડોકટર અતહર જફર, સીઆઇએસ અંગેના વ્યુહાત્મક વિશ્લેષક.
Comments
Post a Comment